অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બિયારણ

યુનિવર્સિટીમાંથી કયા કયા બિયારણો ક્યારે અને શું ભાવે મળે છે ?

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા'' અનુભવ'' બ્રાન્ડ હેઠળ ડાંગર, મકાઈ, ઘઉં, બાજરી, મગ, દિવેલા, તમાકુ, ઘાસચારા, જુવાર, ભીંડા, વરિયાળી, ગુવાર(શાકભાજી) ચોળા(શાકભાજી) વગેરે જ બિયારણ મળે છે. જે માટે  સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ (ફોન: ૦૨૬૯૨-૨૬૦૩૨૯) ખાતે સંપર્ક કરવો અથવા આકૃયુના પેટા કેન્દ્રો ખાતેથી મળી શકશે.

બિયારણમાં ભેળસેળ આવે છે તેનો ઉપાય શું ?

  1. બિયારણમાં ભેળસેળ આવતી હોય તો તેવું બિયારણ વાવણીલાયક નથી. આથી સારી જાતનું પ્રમાણિત બિયારણ માન્ય વિક્રેતા અથવા ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરી અથવા ગુજરાતમાં આવેલ કૃષિ યુનિવર્સિટીઓના જે તે પાકના સંશોધન કેન્દ્રો ખાતેથી મેળવવું.
  2. પ્રથમ તો બિયારણ અંગેનું બીલ ટેગ અને તેનું પેકિંગ સાચવવું. તે લઈને જીલ્લા ખાતેના જીલ્લા ગુણવત્તા અધિકારીનો સંપર્ક કરવો.
  3. બિયારણ ખાત્રીલાયક, સરકારમાન્ય અને સર્ટિફાઈડ હોય તેવું ખરીદીને વાપરવું જોઈએ.

જુવારનુ બિયારણ ખરાબ આવે છે ?

સર્ટિફાઇડ બિયારણ લેવું. કોઇ પ્રાઇવેટ કંપનીનુ બિયારણ લેવુ નહી

બીજ ઉત્પાદન પ્રોગ્રામ કઈ રીતે લેવાય. ?

બીજ ઉત્પાદન કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રો, ગુજરાત રાજ્ય બીજ નિગમ તેમજ જે તે કંપનીઓ દ્વારા લેવામાં આવે છે. તે માટેની વધુ માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ (ફોન: ૦૨૬૯૨-૨૬૦૩૨૯) ખાતે સંપર્ક કરવો તેમજ જે તે બિયારણ ઉત્પાદક કંપનીની ઓફિસે સંપર્ક સાધવો.

બીજની માવજત એટલે શું અને તેના ફાયદા જણાવો.

બીજને આપવામાં આવતી માવજતને બીજ માવજત કહે છે. તેના અનેક ફાયદાઓ છે. બિયારણને રોગનાશક/જંતુનાશક દવાનો પટ આપીને વાવતાં રોગ-જીવાત સામે આગોતરૂ રક્ષણ મળે છે જેથી પાકમાં રોગ –જીવાત આવતા નથી અને ઉપદ્રવ ઓછો થાય છે પરિણામે ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધુ મળે છે. બીજને ભલામણ કરેલ કલ્ચરનો પટ આપીને વાવણી કરવાથી ખાતરના ખર્ચમાં પણ ઘટાડો કરી શકાય છે.

સર્ટિફાઈડ/ટૂથફૂલ બી નો તફાવત જણાવો.

સર્ટિફાઈડ બીજ ફાઉન્ડેશન કક્ષાના બીજમાંથી તૈયાર કરવામાં આવે છે જેનું ખેડૂતોને પાકનાં વાવેતર માટે વેચવામાં આવે છે. આ બિયારણ ગુજરાત રાજય બીજ પ્રમાણની એજન્સીની સીધી દેખરેખ હેઠળ સરકારી/સહકારી/ ખાનગી સંસ્થાઓ પેદા કરે છે. જ્યારે ટૂથફૂલ બીજ જે તે સંસ્થા (સરકારી/સહકારી/ખાનગી)ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે. ટૂથફુલ બિયારણની સુધ્ધતા સટિંફાઈડ બિયારણ કરતા ઓછી હોય છે.

સ્ત્રોત: I-ખેડૂત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate