પાણીના પૃથક્કરણથી જમીનની વિદ્યુત વાહકતા,પી એચ વગેરે જાણી શકાય, પાણીમાં રહેલા ક્ષારોની માહિતી મળી શકે અને તેના આધારે કયા પાક માટે વધુ અનુકૂળ છે તે જાણી શકાય છે.આ અંગેની વધુ માહિતી માટે જમીન રસાયણ વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન : ૦૨૬૯૨-૨૨૫૭૪૨) ખાતે સંપર્ક સાધવો.
પિયત આપવા માટેની શ્રેષ્ઠ પધ્ધતિ ટ્પક પિયત પધ્ધતિ છે. ટ્પક પિયત પધ્ધતિ વાપરવાથી ૨૯ થી ૫૯ ટકા જેટલા પાણીનો બચાવ થાય છે, જે તે પાક મુજબ ૨૦ થી ૫૦ ટકા જેટલુ ઉત્પાદન વધુ મળે છે. નીંદામણ ઓછું થતું હોય મજૂરી ખર્ચમાં બચત થાય છે, પાણી સાથે ખાતર આપી શકાય છે. મોટા ભાગના પાકો માટે અનુકુળ પધ્ધતિ છે મર્યાદિત ક્ષારવાળું પાણી પણ આ પધ્ધતિ વડે પાકને આપી શકાય છે.
આજુબાજુમાંથી પાણીની સગવડ થતી હોય તો સબસિડી મળે. પાણીનો સોર્સ હોવો જોઇએ.સબસિડી માટે ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જીલ્લા બાગાયત અધિકારીનો સંપર્ક સાધવો.
આ અંગે ખેડા જીલ્લાના નડીયાદ ખાતે કાર્યરત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી (ફોન: ૦૨૬૮-૨૫૫૧૪૨૭) ખાતે સંપર્ક સાધવો.
સિંચાઈ મંડળી બનાવવા માટે આપની નજીક આવેલ કેનાલના સિંચાઈ ખાતાની કચેરીના વડાનો સંપર્ક સાધવાથી માહિતી મળી રહેશે.
સ્ત્રોત: I-ખેડૂત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024