ખેડૂતોને કૃષિલક્ષી માહિતી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકો, તાલુકા કક્ષાએ પેટા વિભાગીય અધિકારીની કચેરીઓ, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાંથી તેમજ રાજ્યમાં આવેલ ખેડૂત તાલીમ કેન્દ્રોમાંથી ચાર કૃષિ યુનિવર્સિટીઓ અને તેના પર (બાવન) જેટલાં સંશોધન કેન્દ્રો ઉપરથી માહિતી મળી રહે.
આકાશવાણી, દૂરદર્શન ઉપરથી પ્રસારિત થતાં કાર્યક્રમો તેમજ કિસાન કોલ સેન્ટર ઉપરથી માહિતી મળી શકે, કિસાન કોલ સેન્ટરના 1551 નંબરના ટેલીફોન ઉપર વિનામૂલ્યે સ્થળ ઉપર માહિતી મળી શકશે
રાજ્યના દરેક જિલ્લામાં આવેલ ખેડૂત તાલીમ કેન્દ્રો / કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના તાલીમ કેન્દ્રો તથા કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ તાલીમ મળી શકે છે
આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી "કૃષિ ગોવિદ્યા", (2) જીએસએફસી કંા.માંથી "કૃષિ જીવન" (3) ભૂજમાંથી "વાવેતર" સામયિક (4) "કૃષિ વિજ્ઞાન" રાજકોટમાંથી (5) "ગ્રામજતન" વડોદરામાંથી (6) "નર્મદા કિસાન પરિવાર" ભરૂચમાંથી પ્રગટ થાય છે.
હા. જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, વિભાગીય કક્ષાએ સંયુકત ખેતી નિયામક (વિ.) અમદાવાદ, મહેસાણા, જુનાગઢ, રાજકોટ, વડોદરા, સુરત અને હેડ ઓફિસ, કૃષિભવન, ગાંધીનગર ખાતે મળી શકશે.
ખેડૂત તાલીમ કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કૃષિ યુનિવર્સિટીઓના તાલીમ કેન્દ્રો ઉપર અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં જોવા મળે.
નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાના વિસ્તરણતંત્ર, કૃષિ યુનિ.નાં વૈજ્ઞાનિકો તથા જીએસએફસી તથા જીએનએફસીના સહયોગથી ખેડૂત શિબિરો, નિદર્શનો તથા ગ્રામસભાઓ યોજીને આ વિસ્તારમાં વાવેતર કરવાના થતા પાકો તથા પાણીનો કરકસરભર્યો ઉપયોગ થાય તે અંગે માર્ગદર્શન/માહિતીગાર કરવામાં આવે છે.
સ્ત્રોત; I-ખેડૂત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024