অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વેલાવાળા શાકભાજી

વેલાવાળા શાકભાજી

  1. વેલાવાળા શાકભાજીમાં પાન પર સફેદ ફુગની છારી લાગે છે તેનું નિયંત્રણ જણાવો.
  2. વેલાવાળા શાકભાજીના તુરીયા, ગલકા દુધી પાકોમાં પાન ઉપર ટપકાં પડી પાન સુકાઈ જાય છે. તેમ થવાનું કારણ અને ઈલાજ બતાવો.
  3. ધીલોડીના પાનકોરીયાના નિયંત્રણ માટે કયા ઉપાયો અજમાવવા?
  4. કારેલા દૂધી જેવા વેલાવાળા પાકના પાન ઠંડીની ગરમી અને ભેજવાળા વાતાવરણમાં પીળા પી સુકાઈ જાય છે તેનો ઉપાય જણાવો?
  5. પરવળમાં થડ તેમજ મૂળ કહોવાઈ જાય છે અને વેલા મરી જવાનું કારણ અને ઉપાય જણાવો.
  6. પરવળમાં વેલા ઉપરથી સૂકાતા જાય છે તેનું કારણ અને ઉપાય જણાવો
  7. પરવળના વેલા પર ગુંદરની ગાંઠો દેખાય છે તો કયા ઉપાય કરવા ?
  8. કારેલામાં ફળમાખીનો ઉપદ્રવ થાય તો શું કરવું?

 vela

વેલાવાળા શાકભાજીમાં પાન પર સફેદ ફુગની છારી લાગે છે તેનું નિયંત્રણ જણાવો.

આ ભુકીછારાનો રોગ છે. જેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર ( ૩૦ ગ્રા / ૧૦ લિ.) અથવા ડીનોકેપ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) અથવા ટ્રાયડેમોર્ફ (પ મિ.લિ. / ૧૦ લિ.) અથવા હેકઝાકોનાઝોલ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) અથવા કાબર્ેન્ડાઝીમ (પ ગ્ા્રા. / ૧૦ લિ.) જેવી દવા છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે.

વેલાવાળા શાકભાજીના તુરીયા, ગલકા દુધી પાકોમાં પાન ઉપર ટપકાં પડી પાન સુકાઈ જાય છે. તેમ થવાનું કારણ અને ઈલાજ બતાવો.

આમ થવાનું કારણ પીછછારો (ડાઉની મિલ્ડયુ) રોગ છે. તેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર (૧૦ ગ્રા. / ૧૦ લિ. ) અથવા ડીનોકેપ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) અથવા ટ્રાયડેમોર્ફ (પ મિ.લિ. / ૧૦ લિ. ) અથવા કાબર્ેન્ડાઝીમ (પ ગ્રા. / ૧૦ લિ.) જેવી દવા છાંટવાથી કરી શકાય છે.

ધીલોડીના પાનકોરીયાના નિયંત્રણ માટે કયા ઉપાયો અજમાવવા?

ધીલોડીના પાનકોરીયાના નિયંત્રણ માટે કાર્બારીલ પ૦% વે.પા. ૪૦ ગ્રામ અથવા એન્ડોસલ્ફાન ૩પ ઈસી ર૧ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છાંટવું.

કારેલા દૂધી જેવા વેલાવાળા પાકના પાન ઠંડીની ગરમી અને ભેજવાળા વાતાવરણમાં પીળા પી સુકાઈ જાય છે તેનો ઉપાય જણાવો?

આમ થવાન કારણ પીછછારો (ડાઉની મીલ્ડયુ) રોગ છે. તેના નિયંત્રણ માટે ક્રોપર ઓકસીકલોરાઈડ (૩૦ ગ્રા / ૧૦ લિ.) અથવા બોર્ડોર્મિશ્રણ ૦.૮ ટકા અથવા કલોરોથેલોનીલ ૦.ર% અથવા મેન્કોઝેબ ૦.ર% મેટ્રાલેકસીન (ર૦ ગ્રા. ૧૦ લિ.)ના દ્રાવણના છંટકાવ કરવો.

પરવળમાં થડ તેમજ મૂળ કહોવાઈ જાય છે અને વેલા મરી જવાનું કારણ અને ઉપાય જણાવો.

પરવળમા થડ અને મુળ સડવાનું કારણ કૃમિ અને પીથીયમ અથવા ફયુજેરીયમ નામની ફુગ છે. કૃમિના નિયંત્રણ માટે રીંગ કરી કાબર્ોફયુરાન દવા જમીનમાં આપવી અથવા પેસીલોમાયસીસ આપની જૈવિક નિયંત્રણ કરી શકાય. જયારે પીથીયમ હોય તો થડ ફરતે જમીનમાં કોપર ઓકસીકલોરાઈડ (૩૦ ગ્રા / ૧૦ લિ.) અને ફયુઝેરીયમ ફુગ હોય તો કાર્બેન્ડાઝીમ (પ ગ્રા / ૧૦ લિ.) નું ડે્રન્ચીંગ કરવું. આ બંને ફુગનું ટ્રાયકોર્ડમાંથી પણ જૈવિક નિયંત્રણ કરી શકાય છે.

પરવળમાં વેલા ઉપરથી સૂકાતા જાય છે તેનું કારણ અને ઉપાય જણાવો

પરવળમાં વેલા ઉપર સુકાવાનું કારણ ફાયટોફથો નામની ફુગ છે. તેના નિયંત્રણ મેટાલેકસીસ (ર૦ ગ્રા / ૧૦ લિ.)ના દ્રાવણનો છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારે કરવો.

પરવળના વેલા પર ગુંદરની ગાંઠો દેખાય છે તો કયા ઉપાય કરવા ?

પરવળના વેલા ઉપર ગુંદરની ગાંઠો વેલા કોરનાર કીડાના કારણે થાય છે. આ કીડાના નિયંત્રણ માટે ઉપદ્રવિત વેલા પરથી ગુંદરની ગાંઠો હાથ વડે ઉખાડી વેલા ઉપર કાર્બારીલ પ૦% પાઉડર પાણીમાં ભેળવી મલમ જેવું મિશ્રણ બનાવી વેલા ઉપર ચોપડવું. પરવળની રોપણી વખતે કાર્બોફયુરાન ૩% દાણાદાર દવા છડ દીન ૩ થી પ ગ્રામ પ્રમાણ જમીનમાં આપવી.

કારેલામાં ફળમાખીનો ઉપદ્રવ થાય તો શું કરવું?

અસરયુકત ફળ નિયમિત રીતે વીણાવી તેનો નાશ કરવો. જંતુનાશક દવામાં ફેન્થીયોન ૧૦૦ ઈ.સી. પ મિ.લિ. અથવા ડીપ્ટ્રેક્ષા પ૦ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા નુવાન પ મિ.લિ. ૭પ૦ ગ્રામ ગોળમાં ભેળવી ૧૦ લિટર પાણીમાં ઓગાળી બનાવેલ ઝેરી પ્રલોભિકાને દર અઠવાડિયે ફળો ઉપારી લીધા બાદ વાડમાં તથા વેલા પર મોટા ફોરા પડે તેમ સાવરણીથી છાંટવાથી ફળમાખીનો નાશ કરી શકાય છે.

  • વેલાવાળી શાકભાજી પાકોની ખેતી  અને બીજ ઉત્પાદન પદ્ધતિઓ વિષે અહીં ક્લિક કરો

સ્ત્રોત: I-ખેડૂત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate