ડાંગર ગુર્જરી જાતનું બિયારણ મેળવવા માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(ચોખા), મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ તા.માતર જી.ખેડા,(ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો. અથવા સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ (ફોન: ૦૨૬૯૨-૨૦૬૩૨૯) ખાતે સંપર્ક કરવો.
જીઆર-૧૧, જીઆર-૧૨, જીઆર-૧૩ ગુર્જરી વગેરે જાતો યુનિવર્સિટીની છે. જેની વધુ માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(ચોખા), મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ તા.માતર જી.ખેડા,(ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો.
જી આર-૧૩ એ મધ્યમ મોડી પાકની ડાંગરની જાત છે. સંશોધન વૈજ્ઞાનિકશ્રી (ચોખા), મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ તા.માતર જી.ખેડા, (ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો.
ઓરાણ ડાંગર માટે જીઆર-૫, જીઆર-૮, જીઆર-૯, અશોકા, ૨૦૦ અને એ.ડી.આર-૧ જેવી જાતો ભલામણ થયેલ છે.
ડાંગરના ધરૂઉછેર વિષે જણાવો. ડાંગરના ધરૂઉછેરની માહિતી અત્રે આપેલ છે. (૧) એક હેક્ટરની ફેરરોપણી કરવી હોય તો ૧૦ ગુંઠા વિસ્તારમાં ધરૂવાડીયું બનાવવું. (૨) ભારે કાળી જમીન ઉપર ગાદી ક્યારા અને ગોરાળુ કે મધ્યમ કાળી જમીન ઉપર સપાટ ક્યારા બનાવવા. (૩) ૧૦ ગુંઠા જમીનમાં સેન્દ્રિય ખાતરો માટે ૨૦ ગાડા સારૂ કોહવાયેલું છાંણિયું ખાતર અને ૧૦૦ કિલો દિવેલી ખોળ જ્યારે રાસાયણિક ખાતર માટે ૧૦ ; ૮ ; ૦ ની ભલામણ છે. આ માટે ૧૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૮ કિ.ગ્રા. ફોસ્ફરસ જમીન તૈયાર કરતી વખતે ખેડમાં આપવું. (૪) ધરૂ નાખવાનો ઉત્તમ સમય ૧લી જૂન થી ૧૫મી જૂન સુધીનો છે. (૫) ૧ હેક્ટર દીઠ પાતળા દાણાવાળી જાતો માટે ૨૫ કિલો અને જાડા દાણાવાળી જાતો માટે ૩૦ કિલો બિયારણ રાખવું. (૬) સુકારાના રોગ સામે રક્ષણ માટે ૧ હેક્ટરની રોપણી માટે જોઈતા બીજના જથ્થાને ૨૪ લિ. પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીન + ૧૨ ગ્રામ પારાયુક્ત દવા(એમિસાન)ના દ્રાવણમાં બોળીને બીજને છાંયડે સુકવી કોરા કરવા. અને પછી વાવણી માટે ઉપયોગ કરવો. (૭) જમીનજન્ય અને બીજજન્ય રોગોથી રક્ષણ મેળવવા માટે થાયરમ, એમિસાન, કેપ્ટાન જેવી પારાયુક્ત ફૂગનાશક દવાઓ ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩ ગ્રામ દવા લઈ પટ આપવો. (૮) ડાંગરને બીજને જૈવિક ખાતર એઝેટોબેક્ટર/એઝોસ્પીરીલીમ અને ફોસ્ફરસ સોલ્યુબિલાઈઝીંગ બેક્ટેરીયા(પીએસબી) કલ્ચરનો પટ આપવો. (૯) ધરૂ પીળું પડે (કોલાટ) ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧૫૦ ગ્રામ ફેરસ સલ્ફેટને ૮૦ ગ્રામ ફૂટ્યા વગરના ચૂના સાથે દ્રાવણ બનાવી છંટકાવ કરવો તથા ક્યારા દીઠ ૧૦૦ ગ્રામ યુરિયા આપવું. (૧૦) ૨૫ થી ૩૦ દિવસે ફેરરોપણી માટે ધરૂ ઉપાડવું.
ડાંગરના એક હેક્ટર વિસ્તારમાં ફેરરોપણી માટે ૧૦ ગુંઠામાં ધરૂવાડીયું ઉછેરવું જોઈએ. ધરૂવાડીયા માટે ૧૦ મીટર લાંબા, ૧ મીટર પહોળા, અને ૧૦-૧૫ સે.મી. ઉંચાઈના ૮૦ થી ૧૦૦ ક્યારા થાય. ક્યારાદીઠ પાયાના ખાતર તરીકે સારૂ કોહવાયેલુ ૨૦ કિલો(૧ ટોપલો) છાણિયું ખાતર, ૫૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ, ૫૦૦ ગ્રામ, સિંગલ સુપર સલ્ફેટ અને એક કિલો દિવેલીનો ખોળ વાવણી કરતાં પહેલાં જમીનમાં ભેળવી દેવો જોઈએ. ધરૂ ૧૨ દિવસનું થાય ત્યારે ક્યારાદીઠ ૨૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ પૂર્તિ ખાતર તરીકે આપવું.
ડાંગરના ધરૂવાડીયામાં ડાંગર પૂંખ્યા પછી ૧૫ અને ૨૫ દિવસે એમ બે વખત હાથ નીંદામણ કરવાની રહે છે. મજૂરોની અછત હોય ત્યારે પેન્ડીમીથાલીન હેક્ટરદીઠ ૧ કિલો પ્રમાણે અથવા ઓક્ઝાડાયાઝોન હેક્ટરદીઠ ૦.૫૦કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરો અથવા રેતી સાથે મિશ્ર કરી ધરૂવાડીયામાં વાવણી પછી ૬ દિવસમાં આપવું.
ડાંગરનું ધરૂ પીળું પડવાનું કારણ લોહ તત્વની ખામી છે જે માટે જમીનમાં હેક્ટરદીઠ ૨૫ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ આપવું અથવા ૦.૫ ટકા ફેરસ સલ્ફેટ+૦.૨૫ ટકા ચૂનાનું મિશ્ર દ્વાવણ છાંટવું.
ઓરાણ ડાંગરમાં ૩૦ સે.મી. ના અંતરે વાવેતર કરવું જોઈએ.
ઓરાણ ડાંગરમાં નીંદણ વ્યવસ્થા માટે બ્યુટાક્લોર હેક્ટરદીઠ ૧.૫ કિ.ગ્રા. પ્રી- ઈમરજન્સ (પાકની વાવણી બાદ તથા નીંદણના સ્ફૂરલ પહેલાં) છાંટવાની તેમજ પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદણ કરવાની સલાહ છે.
શ્રી' પધ્ધતિમાં ડાંગરના ધરૂવાડીયાનો વિસ્તાર ૧૦૦ ચો.મી.(૧ ગુંઠો) એક હેક્ટરના વિસ્તારની રોપણી માટે કરવો. તે માટે ગાદી ક્યારા(૧:૧ છાણિયું ખાતર : માટી) બનાવવા. એક હેક્ટર ડાંગરની રોપણી માટે ૫ થી ૬ કિલો ડાંગરના બિયારણની જરુર પડે છે. ૮ થી ૧૦ દિવસની ઉંમરનું ધરૂં માટી સાથે ઉપાડી ૨૫ સે.મી. ×૨૫ સે.મી. ના પહોળા અંતરે ફેરરોપણી કરવી. જમીનને વારાફરતી ભીની અને કોરી રાખી પાણીનું નિયમન જીવ પડવાની અવસ્થા સુધી જાળવવું. કોનોવીડરનો ઉપયોગ કરી બે હાર વચ્ચેનું નીંદામણ દબાવી દેવું. આ પધ્ધતિના ઉપયોગથી ઓછા પાણીએ અને ઓછા ખર્ચે ડાંગરનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. એસ.આર.આઈ. ડાંગરની ખેતી પધ્ધતિનું નિદર્શન, માહિતી તથા સાહિત્ય માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(ચોખા), મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ તા.માતર જી.ખેડા,(ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો.
અનુભવ પ્રવાહી જૈવિક ખાતર પાકમાં બિયારણને પટ, ધરૂને માવજત,ચાસમાં ઓરીને, ટપક પિયત પધ્ધતિ તથા છોડ ઉપર છંટકાવ માટે વાપરી શકાય છે. ૩ થી ૫ મિ.લિ. પ્રવાહી જૈવિક ખાતર પ્રતિ લિટર ચોખ્ખા પાણીમાં ભેળવીને છોડના પાન ઉપર વહેલી સવારે કે મોડી સાંજે છંટકાવ કરી શકાય છે આ ખાતર મેળવવા તેમજ તેની વધુ વિગત માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, બાયોફર્ટિલાઈઝર્સ પ્રોજેક્ટ, આકૃયુ, આણંદ- ૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨ ૨૨૫૮૧૩ /૨૨૫૮૧૪/ ૨૬૦૨૧૧) ખાતે સંપર્ક સાધવો.
ડાંગરમાં ફૂગથી થતા રોગોના નિયંત્રણ માટે એક કિ.ગ્રા. બીજદીઠ ૩ ગ્રામ થાયરમ, એમિસાન, કેપ્ટાન પૈકી ગમે તે એક પારાયુક્ત દવાનો પટ આપવો. તથા સુકારા જેવા રોગના નિયંત્રણ માટે ૨૪ લિટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીન અને ૧૨ ગ્રામ પારાયુક્ત (એમીસાન) દવાના મિશ્રણમાં બીજને ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.
(૧) ડાંગરમાં સુકારાના નિયંત્રણ માટે અગાઉ જણાવ્યા મુજબ બીજ માવજત આપવી. (૨) ઉભા પાકમાં રોગની શરૂઆત થાય કે તરત જ ૨૦ લિટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીન + ૧૦ ગ્રામ તાંબાયુક્ત દવા(કોપર ઓક્ઝીક્લોરાઈડ) મિશ્ર કરી છંટકાવ કરવો.(૩) નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરો પ્રમાણસર વાપરવા. રોગિષ્ટ પાન/છોડ ઉખાડી બાળીને નાશ કરવો. (૪) રોગવાળા ખેતરનું પાણી બાજુના તંદુરસ્ત ખેતરમાં ન જાય તેની કાળજી રાખવી.
(૧) રોગમુકત બીજની પસંદગી કરવી (૨) નાઇટ્રોજનયુકત ખાતરોનો ભલામણ પ્રમાણે ઉપયોગ કરવો. (૩) મીઠાના ર ટકા દ્વાવણમાં બીજ બોળવાથી ઉપર તરતા હલકા અને રોગિષ્ટ બીજ દૂર કરવા. (૪) ૫૦% ફૂલ આવવાના સમયે કંટી નીકળે ત્યારે મેન્કોઝેબ ૨૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝિમ ૫૦% વે.પા.૧૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫% વે.પા. ૧૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈસી ૧ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
રોપાણ ડાંગરમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદણ કરવું અને શક્ય ન હોય તો ફેરરોપણી બાદ પાંચમા દિવસે બેન્થિઓકોર્બ હેક્ટર દીઠ ૧ કિ.ગ્રા.સક્રિય તત્વ પ્રમાણે આપવું. દવા આપતી વખતે ક્યારીમાં પૂરતું પાણી હોવું આવશ્યક છે તેમજ દવા આપ્યા બાદ ૩ દિવસ પાણી જળવાઈ રહે તે જરૂરી છે.
ડાંગરના પાકમાં જીવાત નિયંત્રણ માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવવું જોઈએ. (૧) જીવાત સામે પ્રતિકાર કરી શકે તેવી જાતો જેવી કે, ગુર્જરી નર્મદા, જીઆર-૧૦૨,જીઆર-૧૨ ની પસંદગી વાવણી માટે કરવી. (૨) ફૂદાં વર્ગની જીવાતોને આકર્ષવા માટે પ્રકાશપિંજરનો ઉપયોગ કરવો (૩) ભલામણ મુજબ જ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો. વધુ પડતા નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરો વાપરવા નહિ. (૪) ડાંગરની ક્યારીમાં માફકસરનું જરૂરિયાત મુજબનું પાણી ભરવું. (૫) ડાંગરની ફેરરોપણી શક્ય હોય તો વહેલી જુલાઈના પ્રથમ અઠવાડીયામાં કરવી. (૬) ચૂસિયાનાં ઉપદ્રવ માટે ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ ઝોસ. એલ. ૩ મિ.લિ.૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. (૭) ડાંગરમાં ગાભમારાની ઈયળના નરફૂંદાને આકર્ષવા હેક્ટરદીઠ ૪૦ ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવો. (૮) ગાભમારાની ઈયળના ઉપદ્વવ સામે હેક્ટરદીઠ ૩૦ કિલો કાર્બોફ્યુરાન ૩જી બે હપ્તે(રોપણી બાદ ૩૦-૩૫ દિવસે અને ત્યારબાદ ૧૫-૨૦ દિવસે) આપવાની ભલામણ છે. (૯) લશ્કરી ઈયળનો ઉપદ્રવ જણાય તો કાર્બારીલ ૧૦ ટકા અથવા ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકીરૂપ દવા (૨૦-૨૫ કિગ્રા./હે.) નો છંટકાવ સાંજના સમયે કરવો. વધુ માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી (ચોખા), મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ તા.ખેડા જી.ખેડા,(ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો.
કાર્બોફ્યુરાન ૩જી (૩૦કિલો/હે.)અથવા કારટાપ હાઈડ્રો ક્લોરાઈડ ૪જી(૨૫કિલો/હે.) બે હપ્તે (પ્રથમ હપ્તો વાવણી પછી ૨૫-૩૦ દિવસે અને બીજો હપ્તો ત્યારબાદ ૧૫-૨૦ દિવસે આપવો. ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ (૩મિલિ/૧૦લિ.પાણી)નો છંટ્કાવ કરવો.
પાનકથીરીના નિયંત્રણ માટે ડાયકોફોલ અથવા પ્રોપરગાઇટ દવા ૧૦ મિ.લિ./૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
ડાંગરના પાકમાં કન્ટીના ચૂસિયાંનો વધુ ઉપદ્રવ હોય તો કન્ટી ઉપર દાણાને બદલે ડાંગરના ખાલી ખોખાં જ રહે છે. આ જીવાતનો ઉપદ્રવ થતાંની શરૂઆત સાથે ક્લોરપાયરીફોસ ૨૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. ગાભમારાની ઈયળનો ઉપદ્રવ પાકની પાછલી અવસ્થાએ જોવા મળે તો આખી કંટી સફેદ પીંછા જેવી દાણા વગરની જોવા મળે છે.
ડાંગરમાં રોપાણ મશીનના નિદર્શન અને વધુ માર્ગદશન માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(ચોખા), મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ તા.માતર જી.ખેડા,(ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો.
ડાંગર અને ઘઉં બન્ને ધાન્યવર્ગના પાક છે જે જમીનનાં ઉપરના સ્તરમાંથી પોષકતત્વો મેળવે છે. પરિણામે ડાંગર પછી ઘઉંનો પાક લેવામાં આવે ત્યારે જો જમીન તૈયાર કરતી વખતે છાણિયું ખાતર આપેલ ન હોય તેમજ ભલામણ કરેલ રાસાયણિક ખાતરો આપેલ ના હોય ત્યારે ઘઉંના પાકમાં ઓછો ઉતાર થવા સંભવ છે.
પાણી ખારૂ હોય તો ડાંગરનું ધરૂઉછેર કરવામાં મુશ્કેલી પડે. આ માટે વિશેષ માર્ગદર્શન મેળવવા માટે નવાગામ તા.માતર જી.ખેડા, (ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો.
આપણા રાજયમાં ડાંગરની ખેતી અંદાજે ૬.પ૦ થી ૭.પ૦ લાખ હેકટરમાં કરવામાં આવે છે. જેમાંથી અંદાજે ૧ર લાખ ટન ડાંગરનું ઉત્પાદન મળે છે. એટલે રાજયની ઉત્પાદકતા હેકટરે ફકત ૧૯૦૦ કિ.ગ્રા. જેટલી થાય છે. દેશમાં પંજાબ રાજય હેકટર દીઠ ૩૮૦૦ કિ.ગ્રા. ઉત્પાદકતા સાથે પ્રથમ નંબરે છે. જે જોતા આપણા રાજયની ડાંગરની ઉત્પાદકતા ઘણી ઓછી હોઈ તે વધારવાની ખાસ જરૂર છે.આપણા રાજયમાં મધ્ય ગુજરાત અને દક્ષિાણ ગુજરાતમાં ડાંગરનું વાવેતર થાય છે તેમાં કુલ વિસ્તાર પૈકી ૪પ થી પ૦ ટકા રોપાણ અને પ૦ થી પપ ટકા ઓરાણ ડાંગર હેઠળ છે. એમાં પિયત વિસ્તાર લગભગ ૪૦% જેટલો છે.
વહેલી પાકતી જાતો
જનિનિક રીતે ભિન્ન એવા બે અલગ અલગ પિતૃ જાતોના સંકરણથી તૈયાર કરેલ પ્રથમ પેઢીના બિયારણને સંકર ડાંગર કહે છે. સંકર જાતોમાં માતા અને પિતા બંને પિતૃઓના સારા ગુણોનું સંકલન થાય છે. જેથી મહદ અંશે સંકર જાતોના જુસ્સો તથા ઉત્પાદન પિતૃ જાતો કરતાં તથા અન્ય વધુ ઉત્પાદન આપતી સુધારેલ જાતો કરતાં વધારે જોવા મળેલ છે.
હાલની પરિસ્થિતિ સંકર જાતો અને વધુ ઉત્પાદન આપતી સંશોધિત જાતોની પેદાશની કિંમત સરખી જ છે. છતાં દક્ષિાણ ભારતમાં સંકર ડાંગરની પેદાશની બજાર કિંમત વેપારીઓ ધ્વારા થોડી ઓછી આપવામાં આવે છે, કારણ કે આ પ્રદેશમાં ચોખાની ગુણવત્તામાં મધ્યમ પાતળા દાણાને અગિ્રમતા આપવામાં આવે છે.
ડાંગરનું બિયારણ સુધારેલ જાતનું હોવું જોઈએ. ડાંગરનું બિયારણ શુધ્ધ હોવું જોઈએ. ડાંગરનું બિયારણ પ્રમાણિત હોવું ઈચ્છનીય છે પરંતુ ઘરનું શુધ્ધ અને સંતોષકારક ઉગાવો ધરાવતું બિયારણ પણ વાપરી શકાય. જે તે વિસ્તારની જમીન, આબોહવા, પિયતની સગવડ, વરસાદ, બજાર માંગની પરિસ્થિતિને અનુરૂપ જાતની પસંદવી કરવી જોઈએ.
સંકર જાતમાં ચાફિનેસનું પ્રમાણ સુધારેલી જાતો કરતા વધુ હોય છે, કારણ કે સંકર ડાંગરમાં પ્રત્યેક કંટી દીઠ દાણાની સરેરાશ સંખ્યા સુધારેલી જાતોની સરખામણીમાં વધારે હોય છે. જેથી પાકની ભલામણ કરતા ઓછી દેખરેખ હેઠળ સંકર જાતમાં ડુંડા દીઠ ખાલી દાણાની સંખ્યા સુધારેલી જાતો કરતા વધારે હેાય છે.
હા, સુયોગ્ય વ્યવસ્થાપન, સમયસર અને પુરતા પોષકતત્વો, પિયત તથા ખૂબ ઉંચા કે નીચા તાપમાન દરમ્યાન ડાંગરના ફુલ ન આવે તેની કાળજી રાખવાથી સંકર ડાંગરમાં થોડા ઘણા પ્રમાણમાં ચાફીનેશનું પ્રમાણ ઘટાડી શકાય.
ના, સંકર ડાંગરમાં વધુ ઉત્પાદન તથા સંકર જુસ્સો ફકત પ્રથમ પેઢીમાં જ પ્રદર્શિત થાય છે જો સંકર ડાંગરની બીજી પેઢીનું બિયારણ ફરીથી વાવેતરમાં ઉપયોગ કરવામાં આવે તો પાકમાં સેગ્રીકેશનના કારણે ખૂબ જ પ્રમાણમાં વિવિધતા જોવા મળે અને ઉત્પાદન પર ખૂબ જ માઠી અસર થાય
વાયરવર્મ (ઓલીગોકીટ)ના ઉપદ્રવના કારણે છુટાછવાયા ધાબામાં છોડ બેસી જાય છે. ઓલીગોકીટનો ઉપદ્રવ જણાય તો કયારીમાંથી પાણી નિતારી કાર્બોફયુરાન ૩ ટકા દાણાદાર દવા ૧૮ કિલો/હેકટર પ્રમાણે જમીનમાં આપવું. દવા આપ્યા બાદ ત્રીજે દિવસે નાઈટ્રોજન યુકત ખાતર આપવું.
કુલ રોપાણ વિસ્તારના ૧/૧૦ મા ભાગ જેટલા વિસ્તારમાં ધરૂવાડિયું બનાવવું જોઈએ.
આમ થવાનું કારણ જસત તત્વોની ખામી છે. આ માટે જમીનમાં ઝિંક સલ્ફેટ રપ કિ./હે. પ્રમાણે આપવું અથવા ૦.પ% ઝિંક સલ્ફેટ+૦.રપ ટકા ચૂનાનું પાણીનું મિશ્રણ છાંટવુ. ફેરરોપણી કરેલ ડાંગરમાં માણસો ચલાવી જમીન ખોદાવવી. કયારીમાં જૂનું પાણી કાઢી તાજુ પાણી ભરવું.
ગાભમારાના ઉપદ્રવને કારણે ડાંગરની કંટી સફેદ થઈ જાય છે. તેનાથી બચવા માટે ધરૂવાડિયામાં ધરૂ નાખ્યાના ૧પ દિવસ બાદ કાર્બોફયુરાન ૩ જી દાણાદાર દવા ૧ ગુંઠે ૧ કિલો તથા રોપણી બાદ ૧પ થી ર૦ દિવસે રપ કિલો/હેકટર આપવાથી ગાભમારાના ઉપદ્રવ સામે રક્ષાણ મળે છે.
બદામી તડતડીયાના નિયંત્રણ માટે રોપણીના ૪૦ દિવસ બાદ વખતો વખત કયારીમાં નિગાહ રાખવી. થૂંમડા દીઠ પાંચ અથવા તેથી વધુ બચ્ચાં જણાય તો મિથાઈલ પેરાથીઓન ર % ભુકી રપ કિ./હે. પ્રમાણે થૂંમડાં ઉપર પડે તે રીતે છાંટવી. પ્રવાહીરૂપ દવામાં ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ %, ૩ મિ.લી. અથવા ફેનોબુકાબ” પ૦ %, ર૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છાંટવું.
ઉનાળુ ડાંગરમાં કંટીનો દાહ (નેક બ્લાસ્ટ) રોગ ખૂબ જ આવે છે ચોમાસામાં ખાસ કરીને ડાંગ, ધરમપુર અને કપરાડા વિસ્તારમાં પણ આ રોગ આવે છે. તેના નિયંત્રણ માટે કંટી નિકળે ત્યારે એડીફેનફોસ (૧૦ મિ.લી. / ૧૦ લિ અથવા ટ્રાયસાયકલોઝોલ (૧૦ મિ.લી. /૧૦ લિ) અથવા કાર્બેન્ડાઝીમ (પ ગ્રા/૧૦ લિ.) અથવા થાયોફેનેટ મિથાઈલ (૧૦ ગ્રા/૧૦ લિ)ના દ્રાવણનો છંટકાવ કરવો.
ગલત આંજીયાનો રોગ ચોમાસું ડાંગરમાં આવે છે તેના નિયંત્રણ માટે કંટી નિકળે ત્યારે મેન્કોઝેબ(રપ ગ્રામ/૧૦ લિ) અથવા કેપ્ટાફોલ (રપ ગ્રા/૧૦ લિ.)નો છંટકાવ કરવો.
પાકની કાપણી પછી તુરત જ ખેડ કરી જડીયાં એકત્ર કરી નાશ કરવો તથા શેઢા પાળા સાફ રાખી યજમાન છોડનો નાશ કરવો. ડાંગરની ગુર્જરી, નર્મદા, આઈ.આર.-રર, જી.આર.૧૦ર, જેવી જાતો ચૂસિયા તથા ગાભમારા સામે મહદઅંશે પ્રતિકારક શકિત ધરાવે છે તેમાંથી જાતની પસંદગી કરવી. ધરૂવાડીયામાં કાર્બોફયુરાન ૩%ની અથવા કારટેપ હાઈડ્રોકલોરાઈડ ૪ જી, ૧ કિ.ગ્રા/૧૦૦ ચો.મી. પ્રમાણે ધરૂ નાંખ્યા બાદ પ દિવસે અને ધરૂ ને રોપતા પહેલા ટોચ કાપી નાંખવી, ધરૂવાડિયામાં કયારીમાં વારંવાર ગાભમારાની તેમજ જૂથી ઈયળના ઈંડાના સમુહને ભેગા કરી નાશ કરવો. ગાભમારાથી નુકશાન પામેલા 'ડેડહાર્ટ' ભેગાં કરી નાશ કરવો.
મિથાઈલ પેરાથીઓન પાવડર રપ કિલો પ્રતિ હેકટર આપવાથી નિયંત્રણ કરી શકાય છે.
૧.ધરૂ નાંખતા પહેલા બીજ ને એક કિલો દીઠ ૩ ગ્રામ એમીસાન-૬ અથવા થાયરમ અથવા કેપ્ટાન ફુગ નાશન દવાનો પટ આપો.
ર. ધરૂ નાખ્યા બાદ રોગ દેખાય તો ટ્રાયસાયકલોઝોલ ૭પ% ઈસી ૬ મિલી દવા અથવા કાબેન્ડેઝીમ પ૦ વે.પા. ૧૦ ગ્રામ દવા અથવા એડીફેનફોસ પ૦ ઈસી ૧૦ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૩. જીવ પડવા કે ગાભ ડોળા સમયે અને કંટી નીકળવાના સમયે રોગ આવે તો ઉપર દર્શાવેલ કોઈપણ એક દવાનો છંટકવા કરવો.
૪. રોગ પ્રતિકારક જાતો જેવી કે આઈ.આર. ર૮, જી.આર.-૭, જી.આર.૧૦૧, જી.આર.૧૦ર, જી.આર.૬ વાવેતર કરવું.
પ. કરમોડીના જૈવિક નિયંત્રણ માટે સુડોમોનાસ(પ મિલી/૧૦ લી.)નો છંટકાવ કરવો.
૧. બીજને ધરૂ નાંખતા પહેલા ર૪ લિટર પાણીમાં ૬.૦ ગ્રામ સ્ટ્રપ્ટોસાયકલીન + ૧ર ગ્રામ પારાયુકત દવા (એમિસાન-૬)ના મિશ્રણમાં ૮ થી ૧૦ કલાક બોળીને છાંયડે સુકવ્યા બાદ વાપરવું.
ર. ઝાળનો રોગ દેખાય તો તાત્કાલિક રોગિષ્ટ છોડને ઉખેડી નાશ કરવો. નાઈટ્રોજન ખાતરનો ઉપયોગ બંધ કરવો અને ૦.પ ગ્રામ સ્ટ્રપ્ટોસાયકલીન + પ ગ્રામ કોપર ઓકિસકલોરાઈડ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૦ થી ૧ર દિવસના અંતરે બે છંટકાવ કરવા.
૩. પાકમાં ભલામણ કરતા વધારે ખાતરનો ઉપયોગ કરવો નહી.
૪. રોગ પ્રતિકારક જાતો જેવી કે આઈ.આર.-રર, આઈ.આર.-ર૮, મસુરી, ગુર્જરી, નર્મદા વાવેતર કરવુ.
ડાંગરમાં લીલા, ભુખરા અને સફેદ પીઠવાળા ચુસીયા જોવા મળે છે. તે છોડના થડમાંથી રસ ચુસે છે. જેથી છોડ બળી ગયો હોય તેવું લાગે છે તેના નિયંત્રણ માટે ઉપદ્રવની શરૂઆત થાય કે તુરંત જ ઈમિડાકલોપિ્રડ દવા ૧૦ લિટર પાણીમાં ૩ મીલી દવા થડ પર પડે તે રીતે છંટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મળે છે.
ઝીંક તત્વની ઉણપથી થતા રોગમાં જે વિસ્તારમાં રોગ દર વર્ષે આવતો હોય ત્યાં ઘાવલ કરતી વખતે હેકટરે રપ થી ૩૦ કિલો ઝીંક સલ્ફેટ આપવું. રોપણી પહેલા ઝીંક સલ્ફેટ આપી શકાયું ન હોય તો ઉભા પાકમાં ઝીંક સલ્ફેટ પ૦ ગ્રામ + રપ ગ્રામ ચુનાનું મિશ્રણ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા હેકટરે રપ કિલો ઝીંક સલ્ફેટ રોપણી બાદ ૬૦ દિવસ સુધીમાં પૂંખીને આપવું.
સામાન્ય રીતે શોષ્ાક પ્રકારની દવાઓ જેવી કે, ડાયમિથોએટ(૧૦ લી. પાણીમાં ૧૦ મી.લી), ઈમિડાકલોપિ્રડ દવા(૧૦ લીટર પાણીમાં ૩ મી.લી.) પ્રમાણે છંટકાવ કરવાથી નિયંત્રણ કરી શકાય.
ડાંગરના પાન પર ચોમાસામાં ત્રાકીયા ટપકાં પડે છે અને પાન સુકાઈ જાય છે તેને દાહ રોગ (લીફ બ્લાસ્ટ) કહેવામાં આવે છે તેના નિયંત્રણ માટે કંટી નિકળે ત્યારે એડીફેનફોસ (૧૦ મિ.લી./૧૦ લિ.) અથવા ટ્રાયસાયકલોઝોલ (૧૦ મિ.લી. / ૧૦ લિ.) અથવા કાર્બેન્ડાઝીમ(પ ગ્રામ /૧૦ લિ.) અથવા થાયોફેનેટ મિથાઈલ (૧૦ ગ્રામ/૧૦ લિ.) ના દ્રાવણનો છંટકાવ કરવો
ડાંગરમાં એઝોસ્પીરીલમ, એઝોટોબેકટર અને અઝોલા નાઈટ્રોજન માટે, જયારે પીએસબી ફોસ્ફરસ માટે આપી શકાય. આ ખાતરોના પ્રવાહી દ્રાવણમાં કે માટીમાં રગડો બનાવી (ર થી ૩ કિ.ગ્રા/હે)ધરૂના મૂળ બોળીને વાપરી શકાય અથવા જમીનમાં પણ આપી શકાય.
પાણી વગર પાક સુકાય નહી તે ધ્યાનમાં રાખવું સામાન્ય રીતે ડાંગરની પાણીની જરૂરત વધારે રહે છે પરંતુ તેમ છતા માફકસરનું પાણી કયારીમાં ભરવામાં આવે તો પાણીની બચત કરી ડાંગર પાક લઈ શકાય છે.
ડાંગરના પાકને રોપણી બાદ ૧પ થી ૪પ દિવસ સુધી નિંદણ મુકત રાખવો ફેરરોપણી બાદ ૧પ દિવસે આંતરખેડ કરવી અને ર થી ૩ નિંદણ કરવા અને મજૂરોની અછત હોય તો નિંદણનાશક દવાનો ઉપયોગ કરી શકાય આ માટે પિ્રટીલાકલોર અથવા બેનથીયોકાર્બ ૧.રપ૦ થી ૧.પ૦૦ લીટર/હે. અથવા પેન્ડીમેથાલીન ૧.૦ કિલો/હે. સકિ્રય તત્વ પ૦૦ ગ્રામ પાણીમાં ઓગાળી છાંટવું અથવા કયારીમાંથી પાણી નિતારી લીધા બાદ ૧૦૦ કિલો રેતી સાથે દવાને ભેળવી કયારીમાં વ્યવસ્થિત પૂંખવું, કયારીમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવવાથી નિંદણ ઓછું થાય છે.
પાક પીળો પડે અને દાણા પરિપકવ થાય ત્યારે કાપણી કરવી ડાંગરના પાકમાં કાપણીનો સમય ખાસ સાચવવો, કાપણીનો સમય જાળવવામાં ડાંગરના દાણા ખરી પડવાનો અને ચોખામાં કણકીનું પ્રમાણ ઘટે છે. સામાન્ય રીતે ડાંગરના પાકમાંથી કંટી નીકળ્યા બાદ ૩૦ દિવસે ડાંગરનો પાક લણવાને લાયક બને છે, જેથી આ સમયે ડાંગરની સમયસર કાપણી કરવાથી ચોખાનુ પ્રમાણ વધુ મળે છે.
સ્ત્રોત: I-ખેડૂત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020