આ માટે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા તૈયાર કરાયેલ વિડીયો ફિલ્મ જુવા માટે અહી ક્લિક કરો
કપાસના પાકને સારા નીતારવાળી, મધ્યમ કાળી, બેસર, ગોરાડુ તથા સાધારણ રેતાળ જમીન વધુ અનુકૂળ આવે છે.
જયાં પિયતની સગવડ હોય ત્યાં વાવણી લાયક વરસાદ થતાં અગાઉ ૧પ થી ર૦ દિવસ પહેલા અર્થાત મે - જૂન મહિનામાં પિયત આપી સંકર કપાસનું વાવેતર કરી શકાય. તેને કપાસનું આગોતરું વાવેતર કરી શકાય
ભારતના જુદા જુદા રાજયોમાં કપાસમાં ૧પ થી ર૦ દિવસ વહેલી વાવણી કરવાથી તેની સામાન્ય સમયે વાવણી કરવા કરતાં વધુ ઉત્પાદન મળેલ છે. સુરત અને તલોદ ખાતે કપાસની વધુ ઉત્પાદન આપતી સંકર જાતો પર થયેલ અખતરાઓના પરિણામો પરથી ફલિત થાય છે કે કપાસના સામાન્ય વાવણીનાં સમય કરતાં આગોતરુ વાવેતર કરવાથી સામાન્ય સમયે વાવણી કરેલ કપાસ કરતાં સાર્થક રીતે વધુ ઉત્પાદન મળેલ છે.
જમીનની ભૌગોલિક પરિસ્થિતિતી અને આબોહવાના આધારે દક્ષિાણ ગુજરાત વિભાગ નર્મદા નદીથી દક્ષિાણ ગુજરાતનાં પ્રદેશનો સમાવેશ થાય છે. આ વિભાગની જમીન મધ્યમ કાળીથી ભારે કાળી છે. સરેરાશ વરસાદ ૧૦૦૦ થી ૧પ૦૦ મી.મી. છે. આ વિભાગ માટે ગુજરાત સંકર કપાસ -૧૦ ગુજરાત સંકર કપાસ -૧ર ગુજરાત સંકર કપાસ -૧૪ ગુજરાત કપાસ -રપ ગુજરાત એન કપાસ -રર ની ભલામણ થયેલ છે. આ ઉપરાંત ગુજરાત સંકર કપાસ -૮ (બીજી-ર પિયત અને બિનપિયત ) ગુજરાત સંકર કપાસ -૬(બીજી-ર પિયત ) તેમજ ખુલ્લા કાલાની હરબેશ્યમ જાતો જેવીકે દિગ્વિજય અનેગુજરાત કપાસ સંકર-૧૧ વાવેતર માન્ય થયેલી છે.
ગુજરાતમાંથી દર વર્ષે રુની નિકાસ થાય છે. પરંતુ ગુજરાતમાં ૭૩% વિસ્તારમાં કપાસ બિનપિયત હેઠળ વવાય છે. ખાસ કરીને વાગડ કપાસ વિભાગ દા.ત. સુરેન્દ્રનગર, અમદાવાદ અને કચ્છ જીલ્લામાં વવાતી વી-૭૯૭, ગુ.કપાસ-૧૩ અને ગુ.કપાસ-ર૧ અને ઘેડ વિસ્તારમાં વવાતી ધુમડ કપાસ જાત મોટાભાગના વિસ્તારમાં ''કુદરતી કપાસ'' તરીકે જ વવાય છે. આ કપાસનું ઉત્પાદન, તેનું જીનીંગ સેન્ટર ઉપર એકત્રીકરણ, જીનીંગ અને વેચાણ વ્યવસ્થા માટે સહકારી સંસ્થાઓ ખાસ કરીને ઉત્તર ગુજરાત કોટન માર્કેટિંગ યુનિયન લિ. અને ગુજરાત કોટન ફેડરેશન અમદાવાદ સંયુકત રીતે રસપૂર્વક આગેવાની લઈ યોગ્ય વ્યવસ્થા કરે તો પરદેશમાં આર્ગેનિક કપાસની માંગ મુજબ વ્યવસ્થિત રીતે નિકાસને વેગ મળે અને ખેડૂતોને પણ પોષણક્ષામ ભાવો મળી રહે.
જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે કે વખતોવખત જમીન સુધારણા માટે છાણિયા ખાતરનો ઉપયોગ, અળસિયાનો ઉપયોગ, લીલો પડવાશ, પાકની ફેરબદલી અને જમીનમાં જરૂરી તત્વો ઉમેરે તેવા પાકોનું વાવેતર-પાક ફેરબદલી, આર્ગેનિક ખેતી માટે આવશ્યક છે.
આર્ગેનિક કપાસને સરળ ભાષામાં કહીએ તો ''રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, નિંદામણનાશક દવા કે અન્ય રસાયણોના ઉપયોગ વિના જે કપાસની ખેતી કરવામાં આવે તેને આર્ગેનિક કપાસ કે કુદરતી કપાસ કહેવામાં આવે છે''.
રાસાયણિક નિંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા/હે.પેન્ડીમેથાલીન વાવણી પહેલા કે વાવણી પછી તુરત જ પ૦૦-૬૦૦ લીટર પાણીમાં ભેળવીને છાંટવું. જો એકલા ચાસ પર જ છાંટવું હોય તો એક લીટર/હેકટર મુજબ બજારૂ ઉત્પાદક દવા વાપરવી. દસ લીટર પાણીમાં ૪૦ મીલી પ્રમાણે જ દવાનું પ્રમાણ રાખવું. વાવણી બાદ કવીઝાલોફોપ-પી-બ્યુટાઈલ ૦.૦પ૦ કિ.ગ્રા/હે.ર૦ થી રપ દિવસે છંટકાવ કરવાથી ઘાસવર્ગના નિંદણ નિયંત્રણ થઈ શકે છે. નિંદામણ નાશક દવાના છંટકાવ વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરુરી છે.
હાલમાં વરસાદ આધારીત ખેતીમાં આંતરપાક પધ્ધતિ ખૂબ જ પ્રચલિત બની છે. કપાસ સાથે મગફળી, અડદ, સોયાબીન અથવા મગ આંતર પાક તરીકે લેવાથી એકલા કપાસ કરતાં વધુ નફો મળે અને આ રીતે જોખમ ઘટાડી શકાય છે સાથે જમીનની ફળદ્રુપતા પણ વધે છે.
(અ) પરભક્ષી કીટકો
કેટલાંક કીટકો પાકને નુકશાન કરતાં કીટકોનું ભક્ષાણ કરીને નભતાં હોય છે. આવા કીટકોને પરભક્ષી કીટકો કહેવાય છે. દા.ત. ક્રાયસોપા, દાળિયા, પીળી માખી વગેરે.કેટલાક પક્ષીઓ પણ લીલી ઈયળો વીણી ખાતા હોય છે.
(બ) પરજીવી કીટકો
કેટલાક કીટકો યજમાન કીટકના ઈંડા, ઈયળ અથવા કોશેટોમાં પોતાના ઈંડા મુકી જીવન ગુજારતા હોય છે. આવા કીટકોને પરજીવી કીટકો કહેવાય છે. દા.ત. ટ્રાયકોગ્રામા
(ક) જીવાણુનો ઉપયોગ
બી.ટી. (બેસીલસ થુરીનજનેસીસ)
બી.ટી. નામના જીવાણુઓ ઈયળોમાં રોગ પેદા કરી તેનો નાશ કરે છે. હેકટરે ૧ થી ૧.પ કિલો બી.ટી. જીવાણુંનો પાઉડર છાંટવાથી લીલી ઈયળોનું નિયંત્રણ થઈ શકે.
(ડ) વિષાણુનો ઉપયોગ
દા. ત. એન.પી.વી. (ન્યુકલીયર પોલીહેડ્રોસીસ વાયરસ)
ખુણીયા ટપકાંનો રોગ : રોગનું પ્રથમ લક્ષાણ બીજપત્ર ઉપર વર્તુળ આકારના ગાઢા લીલા રંગના પાણી પોચા ટપકાં દેખાય છે, જે પાછળથી કથ્થાઈ અથવા કાળા રંગના થાય છે.ટપકાં ભેગા થતાં પાનનો વિસ્તાર કથ્થાઈ કે કાળો પડી જાય છે.
ઉપાયો: સ્ટ્રેપ્ટોસાઈકલીન ૦.૦૦પ% અને કોપર ઓકિસકલોરાઈડ ૦.રપ% દવાના મિશ્રણનો ૧પ દિવસના આંતરે ર- ૩ વખત છંટકાવ કરવો.
મૂળખાઈ: છોડ એકાએક પૂરેપૂરો ચીમળાઈ જાય છે. રોગ ગોળાકાળ વિસ્તારમાં વધે છે. રોગિષ્ટ મૂળ સડવાથી છોડ સહેલાઈથી ખેંચી કાઢી શકાય છે.
ઉપાયો :પાકની લાંબાગાળાની ફેરબદલી, લીલો પડવાશ, ટ્રુકા ગાળે પિયત, સેન્દ્રીય ખાતરનો વપરાશ, મિશ્ર પાક તરીકે મઠનું વોવેતર કરવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે. કોપરઓકસીકલોરાઈડ દવાનું ૦.ર ટકાનું દ્રાવણ સુકાતા છોડ ફરતે રેડવું ત્યાર બાદ યુરીયા ખાતર આપવું.
સુકારો: શરુઆતમાં થોડી ડાળીઓના પાન ચીમળાઈ જાય છે. રોગ ધીમે ધીમે ટોચ તરફ વધતાં પાન ખરી જાય છે. થડના અંદરના ભાગમાં કથ્થાઈ રંગ જોવા મળે છે.
ઉપાયો: બીજ ની માવજત, પાકની લાંબાગાળાની ફેરબદલી, સારુ કહોવાયેલુ છાણીયુ ખાતર જરુરી પોટાશ સાથે આપવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
બળીયા ટપકાંનો રોગ: રોગ પાછલી અવસ્થાએ પાકટ અને નીચેના પાન ઉપર આક્રમણ કરે છે.પાન ઉપર નાનાં બદામી, અનિયમિત આકારના ટપકાં દેખાય છે. પાનની ધાર ઉપર ઝાળ લાગે છે.
ઉપાયો: બીજને માવજત આપવી તેમજ રોગની શરુઆત થતાં મેન્કોઝેબ દવા ૧પ દિવસે ર - ૩ વખત છાંટવી.
દહિયો: પાકા પાન ઉપર શરૂઆતમાં ઉપલી સપાટીએ પીળાશ પડતાં ધાબા દેખાય છે. પાછળથી નીચેની સપાટી ઉપર બદામી, અનિયમિત અથવા રાખોડી રંગના ખુણીયા આકારના ટપકા દેખાય છે.
ઉપાયો: રોગની શરુઆત થતાં કાર્બેન્ડીઝમ અથવા વેટેબલ સલ્ફર ૦.રપ ટકા દવાનો છંટકાવ ૧પ દિવસના અંતરે બે વખત કરવો.
ભારત સરકારશ્રી દવારા અત્યાર સુધીમા ગુજરાત રાજય માટેં ર૬ કંપનીઓની જુદા જુદા પાંચ પ્રકારના જીન ધરાવતી ૧૪૭ બી.ટી. જાતોને માન્યતા આપવામાં આવેલ છે. જે જાતના બીજની જરૂરિયાત હોય તે જાત જે તે કંપનીના ઓથોરાઈઝડ ડીલર પાસેથી બીજ ખરીદવું હિતાવહ છે. બીજ લેતી વખતે બીજનું પેકીંગ તૂટેલુ કે ફાટેલુ નથી તેની ખાતરી કરી લેવી. બીજ લેતી વખતે પાકુ બીલ લેવાનો આગ્રહ રાખવો.
જીંડવાનો વિકાસ સારો થાય અને કપાસનું વધુ ઉત્પાદન મળે તે માટે કપાસમાં ફૂલ ભમરી બેસવાની અવસ્થાએ પોટેીશ્ય્મ્ નાઈટ્રેટનું ૩ % દ્રાવણ ૧પ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
સામાન્ય બી.ટી. કપાસમાં કાબરી, લીલી અને ગુલાબી ઈયળો નીયંત્રણમાં રાખતો એક જ બી.ટી. જીન દાખલ કરેલ હોય છે. જયારેબોલગાર્ડ-ઢયય માં આ ત્રણ જીવાતો ઉપરાંત લશ્કરી ઈયળને નિયંત્રિત કરતું જીન પણ ઉમેરેલુ હોય છે. બોલગાર્ડ-ઢયય મા કપાસની મુખ્ય ચારેય જીવાતનો ઉપદ્રવ ઓછો થતો હોય છે. આમ છતાં જે વિસ્તારમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ બહુ ઓછો રહેતો હોય તેવા વિસ્તારમાં ખેડૂતોએ જો બોલગાર્ડ-ઢય કપાસનું વાવેતર કરેલ હોય તો ચિંતા કરવાની જરૂર નથી.
હાલમાં વરસાદ આધારિત ખેતીમાં આંતરપાક પધ્ધતિ ખૂબ જ પ્રચલિત બની છે. કપાસ સાથે મગફળી, અડદ, સોયાબીન અથવા મગ આંતર પાક તરીકે લેવાથી એકલા કપાસ કરતાં વધુ નફો મળે છે.
ખેડૂતોમાં મીલી બગ જીવાતની ઓળખ, તેના જીવન અભ્યાસનો પરિચય ખૂબજ આવશ્યક છે. આ જીવાતના નિયંત્રણ માટે પાકની સીઝન ન હોય તે દરમિયાન શેઢા-પાળા કે તેની આજુબાજુના નિંદામણો ઉપર જીવન ટકાવી રાખતા મીલીબગના ઉપદ્રવ શોધી, યજમાન પાકો ઉપરથી તેનો નાશ કરીને કાંસ્કા, ગાડર, જંગલી ભીંડા વગેરેનો નાશ કરતા રહેવું . પાકની શરૂઆતની અવસ્થામાં એકલ-દોકલ જોવા મળતા મીલીબગની હાજરીની તપાસ કરી દવાના છંટકાવ દ્વારા અથવા અસરગ્રસ્ત છોડ ઉપાડી બાળી નાશ કરવો. કુદરતી દુશ્મનોની હાજરી જોવા મળતી હોય તો લીમડાયુકત અથવા જૈવિક દવાનો ૮-૧૦ દિવસના અંતરે છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય તો વાતાવરણને ઓછી હાનિકારક દવાઓ જેવી કે એસીફેટ, કલોરપાયરીફોસ, કવીનાલફોસ, પ્રોફેનોફોસ વગેરે વાપરી શકાય.
કપાસના છોડમાં જનિન ઈજનેરી પધ્ધતિનો ઉપયોગ કરી તેમાં જીંડવાની ઈયળો માટે ઘાતક ઝેર પેદા કરનાર જનિન દાખલ કરી વિકસાવેલ છોડને 'બીટી કપાસ' કહેવામાં આવે છે.
જે તે પાકની અવસ્થાએ આવતા કિટકોની માહિતી ઓળખ તેમજ જીવન ક્રમ વિષેનો અભ્યાસ કરવો ખાસ જરૂરી છે. પાકની શરૂઆતની અવસ્થામાં ચુસીયા પ્રકારની જીવાતો આવતી હોય છે તે માટે ચિકણા પીળા પીંજર (૧૦ પ્રતિ હેકટરે સફેદ માખી અને થ્રીપ્સ પુખ્ત) સતતા મોજણી યાંત્રિક નિયંત્રણ કુદરતી દુશ્મનોની જાળવણી માટેના પગલા વ્યાપારિક ઉપ્લભ્યતાના આધારે પરભક્ષીનો ઉપયોગ અઠવાડિક અવલોકન આધારિત ક્ષામ્ય માત્રા મુજબ લીમડાયુકત દવા અથવા જૈવિક દવાઓના ઉપયોગથી નિયંત્રણ કરી શકાય. જીંડવાની ઈંયળોના ઉપદ્રવની જાણકારી તેમજ નિયંત્રણ માટે દરેક જીવાતના પ્રતિ હેકટર પાંચ પ્રમાણે ૩૦ મીટરના અંતરે ફેરોમોન ટ્રેપ લગાવવા. ઉપદ્રવીત ભાગોના ઈંડા/ ઈંયળો સહિત બાળી નાશ કરવો અને આર્થિક ક્ષામ્ય માત્રાએ લીમડાયુકત દવા અથવા જૈવિક દવાઓનો ઉપયોગ કરવો.
ખાતર :ગુજરાતની જમીનમાં ફોસ્ફરસ તથા પોટાશ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે જ. છતાં કપાસની વાવણી પહેલા જમીનનું પૃથકકરણ કરાવી આ તત્વોની ઉણપ જણાય તો જ આવા રાસાયણિક ખાતરો આપવા. પિયત વિસ્તારમાં નાઈટ્રોજનની કુલ જરૂરિયાતનો રપ% જથ્થો પાયાના ખાતર તરીકે પાક ર૦ થી રપ દિવસનો થાય ત્યારે અને બાકીનો ૭પ% જથ્થો એક મહીનાને આંતરે ત્રણ હપ્તામાં આપવો. બીન પિયત વિસ્તારમાં નાઈટ્રોજનની કુલ જરૂરિયાતનો પ૦% જથ્થો પાયમાં અને બાકીનો પ૦% જથ્થો એક મહીના પછી આપવો.રાસાયણિક ખાતર આપતી વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ.
પિયત : છેલ્લા અસરકારક વરસાદ બાદ ર૦ થી રપ દિવસ પછી પ્રથમ પિયત આપવું. કાળી જમીનમાં સામાન્ય રીતે ર૦-રપ દિવસના અંતરે પાણી આપવું. ગોરાડું જમીન માટે સામાન્ય રીતે ૧પ દિવસના આંતરે પિયત આપવું. માહે ડીસે-જાન્યુ. માં પિયતનો ગાળો જમીનની પ્રત મુજબ લંબાવવો. એકાંતરે પાટલે પાણી આપવાથી પાણીનો ૩પ% જેટલો બચાવ થાય છે અને ઉત્પાદનમાં ફેર પડતો નથી. ટપક સિંચાઈ પધ્ધતિના ઉપયોગથી પિયતના પાણીમાં ૪૧% જેટલો બચાવ થાય છે.
બી.ટી.કપાસ ફકત જે તે ઈયળો સામે જ રક્ષાણ આપે છે. તેમ છતાં જે તે જીવાત ક્ષામ્યમાત્રાની હદ વટાવી જાય ત્યારે જે તે જીવાત માટે ભલામણ કરેલ જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ચુસિયા પ્રકારની જીવાતોના ઉપદ્રવ માટે ભલામણ કરેલ દવાઓનો છંટકાવ કરવો જરુરી છે.
આ નોન બીટી લાઈનો સંરક્ષાણ પટી તરીકે કામ કરે છે. આનાથી કપાસની જીવાતોમાં બી.ટી. કપાસ પત્યે પ્રતિકારકતા ઓછી વિકાસ પામે છે.
બી.ટી. જાતોની ખેતી પધ્ધતિ સામાન્ય કપાસના જેવી જ અપનાવી શકાય પરંતુ તેની વાવેતર માટેની પધ્ધતિ જુદા પ્રકારની છે.
(અ) એક એકર માટે
બી.ટી. કપાસની ફરતે પાંચ લાઈન તે જ જાતની બી.ટી. રહિત કપાસની વાવણી કરવી.
(બ) એક એકર કરતા વધુ વાવેતર માટે
જે ખેતરમાં બી.ટી. કપાસનું વાવેતર કર્યું હોય તેની ચારેય બાજુ બી.ટી. કપાસની તે જ જાતની સંરક્ષાણ પટી તરીકે ઓછામાં ઓછી પાંચ લાઈન અથવા કુલ વાવેતરનાં ર૦% ક્ષોત્રફળ બેમાંથી જે વધુ હોય તેટલા વિસ્તારમાં વાવણી કરવી.આ સંરક્ષાણ પટીના વાવેતરથી કપાસની જીવાતોમાં બી.ટી.કપાસ પ્રત્યે પ્રતિકારકતા ઓછી વિકાસ પામે છે. બી.ટી. કપાસનું બિયારણ આપનાર કંપની તે જ જાતનું બી.ટી. રહિત બીજ ખેડૂતને આપે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020