অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મોડા વાવેતર માટેના ઉત્તમ પાકો : ગુવાર તથા દિવેલા

મોડા વાવેતર માટેના ઉત્તમ પાકો : ગુવાર તથા દિવેલા

ખેતકાર્યો

ગુવાર

દિવેલા

જમીન

ગુવારના પાકને સારા નિતારવાળી ગોરાડુ અને રેતાળ રતાળ જમીન ખૂબજ માફક આવે છે.

 

દિવેલાના પાકને સારા નિતારવાળી, ગોરાડુ અને રેતાળ જમીન ખૂબજ માફક આવે છે. પાણી ભરાઈ રહેતું હોય તેવી ભારે કાળી જમીન માફક આવતી નથી. કારીય જમીન ઝોછી માફક આવે છે. મધ્યમ અચ્છીય જમીનમાં

આ પાક લઈ શકાય છે.

વાવણી સમય

મધ્ય ગુજરાતમાં ઓગષ્ટના મધ્ય ભાગમાં કરવું હિતાવહ છે કારણ કે, આ વિસ્તારમાં ગુવારનું વાવેતર વહેલા કરવાથી વધુ વરસાદને કારણે ગુવારનો વાનસ્પતિક વિકાસ વધુ થાય છે અને શીંગોની સંખ્યા તેમજ લંબાઈમાં ઘડાટો થવાથી ઓછું ઉત્પાદન મળે છે.

પિયત દિવેલાનું વાવેતર ૧૫ ઓગષ્ટની આસપાસ કરવાથી વોડીયા ઈયળનો ઉપદ્રવ ઘટે છે. વધુમાં મધ્ય ગુજરાતમાં દિવેલાનું વાવેતર ઓગષ્ટ તથા સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડીયામાં કરવાથી છોડની વૃદ્ધિ નિયંત્રણમાં રાખી શકાય છે.

જાત

ગુજરાત ગવાર - ૧

 

જી. સી. એચ - ૭

વાવણી અંતર

૪૫ સે.મી. X ૧૦-૧૫ સે.મી.

 

પિયત દિવેલાનું હલ કી જમીનમાં વાવેતર કરવાનું હોય તો બે હાર વચ્ચે ત્રણ ફૂટ અને બે છોડ વચ્ચે બે ફૂટનું અંતર જાળવવું. જ્યારે ફળદ્રુપ જમીનમાં બે હાર વચ્ચે

૪ થી ૫ ફુટ અને બે છોડ વચ્ચે ૨ હટેનું અંતર રાખવું .

બિયારણનો દર

હેકટર દીઠ ૧૫-૨૦ કિ.ગ્રા.

 

થાણીને હેક્ટરે પ કિ.મા. અને

ઓરીને હેકટરે ૮ થી ૧૦ કિ.ગ્રા.

ખાતર વ્યવસ્થા

ગુવારનું વાવેતર હલકી રેતાળ જમીનમાં કરવામાં આવે ત્યારે હેક્ટરે ૧૦ થી ૧૨ ટન સારૂ કહોવાયેલું છાણિયું ખાતર આપવું જરૂરી છે.

ગુવારના પાકને હેકટર દીઠ અનુક્રમે ૨૦, ૪૦ અને ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ છે.

વધુ ઉત્પાદન મેળવવા હેકટરે ૨૦-૨૫ ગાડી સારૂ ખાતર ઉપલબ્ધ ન હોય તો શણનો લીલો પડવાશ કરી શકાય. પિયત દિવેલામાં હેકટરે ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને પ૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે જે પૈકી ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ફોસ્ફરસનો તમામ જથ્થો પાયાના ખાતર તરીકે જયારે બાકીનો નાઈટ્રોજન ત્રણ હપ્તામાં અનુક્રમે ૩૦,૩૦ અને ૨૦ કિ.મી. પ્રતિ હેક્ટર પ્રમાણે વાવણી બાદ ૩૦, ૭૦

અને દિવસે આપવો.

 

પિયત વ્યવસ્થા

ચોમાસા દરમ્યાન વરસાદનું પ્રમાણ અને વહેંચણી વ્યવસ્થિત હોય તો ગુવારના પાકને પાણીની જરૂરીયાત રહેતી નથી. વરસાદ અનિયમિતતાના સંજોગોમાં ડાળી અવસ્થા અને ગો બેસવાની અવસ્થાએ પૂરક પિયત આપવા જરૂરી બને છે.

 

મધ્ય ગુજરાતની કાળી જમીનમાં દિવેલાના પાકને ચાર પિયત આપવાની ભલામણ છે. જેમાં પ્રથમ પિયત વરસાદ બંધ થયા બાદ ૪ દિવસે, બીજે પિયત પ્રથમ પિયતબાદ ૨૦-૨૫ દિવસે અને બાકીના બે પિયત ૩૦ દિવસના ગાળે ઝાપવા. પાણીની તિવ્ર અછનવાળા વિસ્તારમાં ટપક પિયત પધ્ધતિનો ઉપયોગ કરતા ૨૪ ટકા પાણીની બચત સાથે ૩૬ ટકા વધુ ઉત્પાદન મળે છે.

આ પદ્ધતિમાં આંતરે દિવર્સ ઓક્ટોબર તેમજ નવેમ્બર માસમાં ૪૦ મિનિટ તથા ડિસેમ્બર તેમજ જન્યુઆરી માસમાં ૩0 મિનિટ પાણી આપવું.

 

 

 

નિંદણ નિયંત્રણ

આ માટે પાકને શરૂઆતના ૩૦ દિવસ સુધી નીંદણમુક્ત રાખવો જરૂરી છે. આ માટે એથી બે વખત હાથથી નીંદામણ તેમજ આંતરખેડ કરવી જરૂરી છે. ગુવારના પાકની વાવણી બાદ અને ઉગતા પહેલા નીંદણનાશક દવા પેન્ડીમીયાલીનનો ૦.૭પ કિ.મા. હેકટર સક્રિય તત્ત્વ પ૦લિટર પાણી પ્રમાણો. છંટકાવ કરવાથી પણ શરૂઆતની અવસ્થામાં પાકને નીંદણમુક્ત રાખી શકાય છે. દવાના છંટકાવ વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે

 

વાવણી પછી દિવેલાના પાકને શરૂઆતના ૬૦ દિવસ સુધી નીંદણમુક્ત રાખવો જરૂરી છે. આ માટે બે થી ત્રણ આંતરખેડ અને નીંદામણ કરવું જોઈએ. મજુરોની અછત હોય તેવા સંજોગોમાં હેક્ટરે એક કિ.ગ્રા.પેન્ડીમિથાલીન પ00 લિટર પાણીમાં ભેળવી દિવેલાની વાવણી બાદ અને ઉગતા પહેલા જમીન ઉપર છંટકાવ કરવો. દવાના છંટકાવ વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે.

 

પાક સંરક્ષણ

  • બેકટેરીયલ બ્લાઈટના નિયંત્રણ માટે બીજને વાવતાં પહેલા ટોસાઈકલીન (૨.૫ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) ના દ્રાવણમાં ૩૦ મિનિટ સુધી માવજત આપીને વાવણી કરવી. ઊભા પાકમાં રોગ જણાય તો સ્ટ્રેટોસાઈક્લીન 100 પીપીએમ (૧ ગ્રામ સ્ટ્રેટોસાઈક્લીન/૧૦ લિટર પાણીમાં નું દ્રાવણ છાંટવું. બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.
  • ભૂકી છારાના નિયંત્રણ માટે ઉપદ્રવની શરૂઆત થાય એટલે તુરંત જ કાર્બેન્ડેઝીમ પ0%  વેટેબલ પાઉડર ૫ ગ્રામ અથવા કેલેન્રીન ૮૦% એસ. સી. ૧૦ મિ.લિ. અથવા હેઝકોનાઝોલ પ% એસ.સી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.
  • ગુવારના પાકમાં સામાન્ય રીતે જીવાતનો ઉપદ્રવ જોવા મળતો નથી. પણ ગુવારના પાકની જીવાતો જેવી કે તડતડીયાં, થડની માખી, ગુવારની મીંજ, પાનનું ચાંચવું, ગુવારનું થડ કોરનાર ચાંચવું જેવી જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો તેના નિયંત્રણ માટે નીચે મુજબના પગલાં લેવા.
  • ઉપરોક્ત જીવાતોના નિયંત્રણ માટે શરૂઆતમાં લીમડાની લીંબોળીનો પર્દ નો અર્ક બનાવી છંટકાવ કરવો.
  • ચૂસિયા પ્રકારની જીવાતોના વધુ ઉપદ્રવ વખતે મિથાઈલ-ઓ ડીમેટોન ૨૫ ઈસી અથવા ડાયમીયોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.
  • મીંજ અને ચાંચવાના અસરકારક નિયંત્રણ માટે કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. સાયપરમેથ્રીન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

 

 

  • સુકારાનો રોગ જમીનજન્ય ફૂગથી થતો હોઈ તેના નિયંત્રણ માટે લાંબા ગાળાની ફેરબદલી અપનાવી તથા સુકારા સામે સંપૂર્ણ પ્રતિકારક જાત ગુજરાત દિવેલા સંકર-૩નું વાવેતર કરવું.
  • સુકારા અને મૂળના કોહવારા રોગના નિયંત્રણ. માટે ઉનાળામાં હળની ઊંડી ખેડ કરી જમીન તપવા દેવી તથા છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવો. રોગિષ્ટ છોડને મૂળ સાથે ઉપાડી બાળીને નાશ કરવો.
  • મૂળના કહોવારાના રોગના નિયંત્રણ માટે પાકને જરૂરિયાત મુજબ પાણી આપવું અને પાણી ખેંચ પડવા દેવી નહીં. બીજને વાવતાં પહેલા ફુગનાશક દવા થાયરમ કે કેપ્ટાન ૩ ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ પટ આપવો. મૂળના કહોવારાના રોગની શરૂઆત થતાં તાંબાયુક્ત ફુગનાશક (પO% વે.પા.) ૪૦ ગ્રામ પ્રમાણે દ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા વધારે ઘટાડી શકાય છે.
  • ઝાળના રોગની શરૂઆત થતાની સાથે ૭ ૧૦ લિટર પાણીમાં મેન્કોઝેબ ૭૫% વે.પા. ૨૫ ગ્રામ પ્રમાણે અથવા તાંબાયુક્ત દવા કોપર ઓકઝીકલોરાઈડ (૫૦ % વે.પા.) ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૧૦ મિ.લિ. પ્રમાણે મિશ્ર કરી પાન ઉપર છંટકાવ કરવો. રોગની તીવ્રતા વધારે હોય તો બીજો છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવો. ઘોડીયા ઈયળ, ડોડવા કોરી ખાનારી ઈયળ, કાતરા, લશ્કરી ઈયળ એ દવેલાના પાકની મુખ્ય વાતો છે. આ જીવાતોના નિયંત્રણ માટે સંકલિત નિયંત્રણ પધ્ધતિ અપનાવવી જેમા...
  • ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી કોશેટાનો નાશ થાય તેમજ ડોઢાપાળા ચોખ્ખા રાખવા.
  • ઉપદ્રવ ઓછો હોય તો ઈયળો હાથથી વીણી લેવી.
  • દિવેલાનું વાવેતર ૧૫ ઓગષ્ટની આસપાસ કરવું.
  • ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવી લશ્કરી ઈયળ, ઘોડીયા ઈયળ તેમજ કાતરાની ફૂદીઓને આકર્ષી નાશ કરવો.
  • લશ્કરી ઈયળના નર ફૂદાને આકર્ષવા ફેરોમોન ટ્રેપનો. હેકટરે પ૦ ની સંખ્યામાં ઉપયોગ કરવો. લ્યુર ૨૦ દિવસે બદલવી.
  • પક્ષીઓને બેસવા બર્ડ પર્ચર ગોઠવવા.
  • લશ્કરી ઈયળ નાની અવસ્થા સામે વિષાણયુક્ત દવા એસ.એન.પી.વી. ૨૫૦ લાર્વલ યુનિટ/હેકટર પ્રમાણે પ૦૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે ૧૫ દિવસના અંતરે બે વખત છંટકાવ કરવો.
  • ઘોડીયા ઈયળના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૫ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૩ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • ડોડવા કોરી ખાનારી ઈયળ તેમજ કાતરાનો ઉપદ્રવ જાય તો ડાયક્લોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અથવા ક્લોરપાયરીસ ૨૦ ઈસી ૨૫ મિ.લિ. દવાનો દર ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો અથવા મીયાઈલ પેરાથીયોન ૨ ટકા ભૂકીનો હેક્ટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો.
  • લશ્કરી ઈયળના નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨ મિ.લિ., પૈકી કોઈ એક દવાનો છંટકાવ કરવો.
  • મોટી ઈયળોના નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૦ મિ.લિ. - ફેનીટ્રોથીઓન ૫૦ ઈસી પ મિલિ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

 

 

કાપણી અને સંગ્રહ

  • ગુવારનો પાક સામાન્ય રીતે ૧૦૦ થી ૧૧૦ દિવસમાં તૈયાર થાય છે. ગુવારની સગો સુકાઈને ભુખરા રંગની થાય ત્યારે કાપણી સવારના સમયે કરવી જોઈએ. બપોર બાદ કાપણી કરવાથી સીંગો ખરવાનું પ્રમાણ વધે છે. કાપણી બાદ પાથરા ૩ થી ૪ દિવસ ખેતરમાં તપાવવા જેથી દેસર દ્વારા ક્રેસિંગ કરવાથી સ્ત્રીછા સમયમાં ઝડપથી સિંગા. કરી શકાય છે અને ગોતરની ગુણવત્તા પણ સારી મળે. શ્રેસિંગ બાદ ઉપક્ષી અથવા તો પેટી પંખો દ્વારા સાફ કરી સંગ્રહ કરવો.

 

  • દિવેલાની માળામાં પ૦ ટકા જેટલા ગોગટા પીળા થાય ત્યારે કાપણી હાથ ધરવી જોઈએ. ત્યારબાદ માળો ખળામાં સુકવી, થ્રેસર દ્વારા શ્રેસિંગ કરી અને પેટ પંખા દ્વારા સાફ કરી સંગ્રહ કરવો.

 

સ્ત્રોત : શ્રી આર.વી.હજારી, શ્રી એસ.ડી.પટેલ, શ્રી એ.કે.મહિડા, ડૉ. વી.વી.સોનાની

કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી,આણંદ

કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/10/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate