অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બિનપિયત ઘઉંનો છૂપો દુશ્મન : કલીક બીટલ (વાયરવમૅ)

બિનપિયત ઘઉંનો છૂપો દુશ્મન : કલીક બીટલ (વાયરવમૅ)

ઘઉં એ દુનિયામાં બીજા નંબરે ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતો મુખ્ય ધાન્યપાક છે. તેમાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટસ અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. ઘઉંની. બેકિંગ ગુણવત્તા અન્ય ધાન્ય પાકોની સરખામણીમાં વધુ હોય છે જેથી બેકરી ઉત્પાદનોમાં તેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ઘઉં પકવતા રાજ્યોમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

નવીન જાતો યાંત્રિકરણ, રાસાયણિક જૈવિક ખાતરો, દવાઓ તથા માહિતી તજજ્ઞતા ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓના લીધે આપણો દેશ વસ્તી માટે પૂરતું અનાજ તથા જરૂરી અનામત જથ્થો પણ ધરાવે છે. ઘઉંના ઉત્પાદન ક્ષેત્રે ભારતે ખૂબ ઝડપી પ્રગતિ સાધીને અચોક્કસ વસ્તીના થતા વધારા માટે ખાદ્યાન્ન પુરા પાડી દેશમાં સામાજીક અને આર્થિક વિકાસમાં અદ્વિતીય સિદ્ધિ મેળવેલ છે. રાષ્ટ્રીય ઉત્પાદકતાની સરખામણીમાં આપણા રાજયની ઉત્પાદક્તા બમણી છે. આપણા રાજ્યમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જીલ્લાઓ ઘઉંના વાવેતરમાં મોખરે છે.

ઘઉંના પાકમાં લગભગ ૨૪ જેટલી જુદી જુદી જીવાતો નોંધાયેલ છે જેમાંની ઊધઈ, લીલી ઈયળ, ખપૈડી, મોલો-મશી, ગાભમારાની ઈયળ તથા કલીક બીટલ (વાયરવર્મ) જેવી જીવાતો રાજયના વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે.

ક્લીક બીટલ એ જમીનજન્ય નુકસાનકારક જીવાત છે જે પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે. આ જીવાતથી લગભગ ૬૦ થી ૭૦ ટકા જેટલુ નુક્સાન નોંધાયેલ છે. આ જીવાતના પુણને સામાન્ય રીતે સ્પર્શ કરતા તે હવામાં એકાદ ફૂટ ફૂદકો લગાવે છે. તે સમય ટક-ટક (ક્લીક) જેવો અવાજ પેદા કરે છે જેથી ક્લીક બીટલ તરીકે ઓળખાય છે. રાજ્યના ભાલ વિસ્તારમાં બિનપિયત ઘઉંના પાકમાં આ જીવાતથી થતા નુકસાનની માત્રા વધારે જોવા મળે છે, જેથી તેને કાબૂમાં લેવા માટેના યોગ્ય પગલાં વિષેની માહિતી આ લેખમાં દર્શાવેલ છે.

ઓળખ :

આ જીવાતનું પુષ પાતળું, નળાકાર અને કાળાશ પડતા ભૂખરા રંગનું ચપટું આવરણ તેમજ ૩ જોડ પગ ધરાવે છે. આ જીવાતના ઇંડા સફેદ રંગના અને ૦.૫ મિ.મી. નો વ્યાસ ધરાવે છે જે સહેલાઈથી નરી આંખે જોઈ શકાતા નથી. ઈંડામાંથી નીકળતી ઈયળ સફેદ રંગની તથા પૂર્ણ વિકસિત ઈયળ ૧૪ થી ૧૯ મિ.મી. લંબાઈ ધરાવે છે તેમજ શરીર પર સૂમ વાળની રચના હોય છે જે વાયરવર્મ તરીકે ઓળખાય છે, કોશેટા પણ સફેદ રંગના અને ૧.૨ સે.મી. જેટલી લંબાઈ ધરાવે છે.

જીવનચક :

માદા કીટક સમાગમ બાદ ૨-૪ દિવસમાં પ, થી ૩૫૦ ની સંખ્યામાં છૂટાછવાયા અથવા જૂથમાં ૨.૫ થી ૧૫ સે.મી.ની ઊંડાઈએ જમીનમાં ઈંડાં મૂકે છે. સાનુકૂળ વાતાવરણમાં ઈંડા ૩ થી ૪ અઠવાડીયા બાદ સેવાય છે.

ઈયળ અવસ્થા ૨ થી ૫ વર્ષ સુધી જમીનમાં જીવી શકે છે તથા બીજ અને પાકનો જમીનની અંદરનો ભાગ ખાય છે.

ઈયળ જમીનમાં ૧ થી ૫ ફૂટની ઊંડાઈએ જોવા મળે છે. | ઉનાળાના મધ્ય ભાગમાં પૂર્ણ વિકસિત ઈયળ જમીનમાં કોશેટો બનાવે છે જેની અવસ્થા ૩ અઠવાડીયા જેટલી હોય છે, ઉનાળાના અંત ભાગમાં કોશેટામાંથી પુH (બીટલ) બહાર આવે છે.

યજમાન પાકો :

બટાટા, ઘઉં, ગાજર, સ્ટ્રોબેરી, જવ, હલકા ધાન્યપાકો, તડબૂચ શક્કરટેટી વગેરે.

નુકસાન :

આ જીવાતની ઈયળ અવસ્થા શરૂઆતમાં બીજને ખાઈને નુકસાન કરે છે, જેથી ઉગાવો ઘટે છે. ઈયળ પાકના મૂળ અને થડનો જમીનની નજીકનો ભાગ ખાઈને નુક્સાન કરે છે, અંકુરણ પામતા બીજને વધુ નુકસાન કરે છે, પુH (બીટલ) નહિવત નુક્સાન કરે છે. આ જીવાતનું નુક્સાન પાકની શરૂઆતની અવસ્થાએ જોવા મળે છે જે ઘણીવાર ખેડૂતો તેને ઊધઈથી થતું નુકસાન માની લે છે. ઘણીવાર ઈયળ પાકના જમીનથી નજીકના ભાગમાં કાણું પાડી ઉપર બાજુ થડમાં ગેલેરી ભૂંગળી) બનાવે છે, ઓમ, મૂળ તેમજ થડને નુકસાન થવાથી છોડની વૃદ્ધિ અટકી પડે છે અને છેવટે સૂકાઈને નાશ પામે છે.

સંકલિત જીવાત વ્યવસ્થાપન :

  • સમયાંતરે રજકો, ડુંગળી, સૂર્યમુખી જેવા પાકોની હેરબદલી કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
  • ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ ઈંડા, ઈયળ અને કોશેટાઓ બહાર આવવાથી કીટનાશી પક્ષીઓ દ્વારા નિયંત્રણ થાય છે.
  • વાવણી સમયે પાયામાં રાયડાનો ખોળ ૩ થી ૬ ટન પ્રતિ હેકટરે આપવો.
  • પાણીની ખેંચવાળી જમીનમાં ઉપદ્રવ વધારે થાય છે જેથી સતત ભેજ જળવાઈ રહે તે રીતે પિયતની વ્યવસ્થા કરી, તે માટે ટપક ફુવારા સિંચાઈ ખૂબ જ લાભદાયી જણાયેલ છે.
  • જમીનની સામાન્ય ખેડ કરતાં રોટાવેટરથી ખેડ કરવાથી જીવાત નિયંત્રણમાં ફાયદો થાય છે.
  • પાકની વાવણી માટે જમીનમાં સારા કહોવાયેલા કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવો.
  • બીજની વાવણી ૧ થી ૨ ઈંચની ઊંડાઈએ કરવી.
  • પાક વાવતાં પહેલાં બીજને થાયોમેથોકઝામ ૭૦ ડબલ્યુએસ ૩ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ 600 એફએસ ૧૦ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૫ એસસી પ મિ.લિ. પ્રતિ એક કિલો બીજ પ્રમાણે માવજત આપવી.
  • જીવાતની હાજરી જાણવા માટે વેનોપ બીટલ ટ્રેપનો. ઉપયોગ કરવો જેથી જીવાતની સક્રિયતા જાણી સમયસર નિયંત્રણના પગલાં લઈ શકાય.

શ્રી સિદ્ધવ જે. ચૌધરી, શ્રી નિરવ જે. ચૌધરી , ડૉ. એફ. કે. ચૌધરી ચી.૫. કૃષિ મહાવિદ્યાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદારકૃષિનગર-૩૮૫૫૦૬ ફોન: (૦૨૭૪૯) ૨૩૮૪૧૩,કૃષિગોવિધા, નવેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૭ સળંગ અંક : ૮૪૭

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate