જમીન ની ફળદ્રુપતા જાળવવા દર ૧ વર્ષના અંતરે છાણિયું ખાતર ૪ ટન / એકર મુજબ આપો.
બિનપિયત ઘઉમાં ૧૦ કિલો નાઇટ્રોજન (૨૭ કિલો યુરિયા ) અને ૫ કિલો ફૉસ્ફરસ (૩૧ કિલો SSP) / એકર મુજબ વાવણી સમયે ચાસમાં આપવું. સમયસર એટલે કે ૧૫ થી ૨૫ નવેમ્બર સુધી વાવણી કરેલ પાકમાં ૨૪ કિલો નાઇટ્રોજન ( ૫૩ કિલો યુરિયા ) અને ૨૪ કિલો ફૉસ્ફરસ (૬૮ કિલો SSP) / એકર મુજબ વાવણી સમયે ચાસ માં આપવું. આ ઉપરાંત વાવણીના ૨૧ દિવસે મુકુટ મૂળ અવસ્થાએ ૨૪ કિલો નાઇટ્રોજન ( ૫૩ કિલો યુરિયા ) / એકર મુજબ ભારે જમીન માં પિયત પહેલા ને હલ્કી જમીનમાં પિયત પછી આપવું. મોડી એટલે કે ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી વાવણી કરેલ પાકમાં ૧૬ કિલો ફૉસ્ફરસ (૧૦૦ કિલો SSP) / એકર મુજબ વાવણી સમયે ચાસમાં આપવું. આ ઉપરાંત ૧૬ કિલો નાઇટ્રોજન (૩૫ કિલો યુરિયા) વાવણીના ૨૧ દિવસે અને ૩૫ દિવસે આપવું. જો ઝીંકની ઉણપ હોય તો ૩ કિલો ઝીંક સલ્ફટ / એકર મુજબ આપવું
ઉત્પાદન વધારવા રોપણીના ૩૦-૩૫ દિવસે ૧૨.૬૧:૦૦ (MAP) @ ૧૫૦ ગ્રામ + હ્યુમિક એસિડ ૧૨% @ ૬૦ ml + સ્ટિકર @ ૭.૫ ml / ૧૫ લીટર પાણી મુજબ છાંટો. આ ઉપરાંત વાવણીના ૩૫-૫૫ દિવસ દરમિયાન ગમે ત્યારે એસ્કોરબીક એસિડ (વિટામિન C) @ ૫૦૦ mg ૬ ગોળી + ગોળ નું દ્રાવણ @ ૧૦૦ ગ્રામ ૧૫ લીટર પાણી મુજબ છાંટી.
સારા વિકાસ અને ઉપજ માટે ૮ કિલો બાયોવિટી કે ૧૦ કિલો ટ્રાઇકંટેનોલ (વિપુલ) + ૫ કિલો મોનોજિક ૩૩% / એકર પ્રમાણે વાવણીના ૩૦-૩૫ દિવસ પછી આપો.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ૬ સેમી ઊંડાઈ ના ૮ પિયત આપવા. પ્રથમ પિયત ઓરવાણનું અને બાકીનો ૭ પિયત ૨૧, ૩૫, ૪૫, ૫૬, ૬૭, ૭૮ અને ૯૧ દિવસે આપવો.
સૌરાષ્ટ્રની મધ્યમ કાળી જમીનમાં ઘઉંના પાકને ૫ સેમી ઊંડાઈના ૧૦ પિયત આપવો. કોરામાં વાવેતર કરી પ્રથમ પિયત આપવું, ઉગાવા માટે બીજું પિયત આપવું. ત્યારબાદ ૮ પિયત ૮ થી ૧૦ દિવસના અંતરે આપવો.
કચ્છની હલ્કી જમીન માં ૫ સેમી ઊંડાઈ ના કુલ ૧૪ પિયત અઠવાડીયા ના ગાળે આપવો.
દક્ષિણ ગુજરાતની ભારે કોળી જમીનમાં ઘઉના પાકની ૬ સેમી ઊંડાઈના કુલ ૭ પિયત આપવો. પ્રથમ પિયત વાવણી બાદ તરત જ આપવું અને બાકીના ૫ પિયત ૧૨ થી ૧૮ દિવસના અંતરે આપવો.
ઘઉંના (wheat) પાકમાં ૬ કટોકટીની અવસ્થા હોય છે. આ ૬ અવસ્થામાં પાણી અચુક આપવું.
જો એક પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થાએ પિયત આપવું. જો બે પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થા અને ફૂલ અવસ્થાએ પિયત આપવું જે ૩ પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થા, ફૂલ અવસ્થા અને પોક અવસ્થાએ પિયત આપવું
ઊધઈનો ઉપદ્રવ રેતાળ જમીનમાં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊધઈનો ઉપદ્રવ ઘટાડવા પાછલા પાકના જડિયા મૂળિયાં વીણી ૪ થી ૫ ટન / એકર મુજબ સારૂ કહોવાયેલું છાણિયું ખાતર આપવું. દિવેલીનો કે લીમડાનો ખોળ પણ અસરકારક છે. પાણીની અછત આ જીવાતને માટે અનુકૂળ છે. શરૂવાતની અવસ્થાએ નિયંત્રણ માટે ૧૦૦ કિલો બીજને ફિપ્રોનિલ૫SC ( રિજટ, સલ્લો ) @ ૬૦૦ મિલી / ૫ લિટર પાણી ના દ્રાવણ વડે ભોયતળિયા પર પાથરી મોઈ નાખવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ૨૦EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન ) ૨ લિટર અથવા ૫૦૦ મિલી ફીપ્રોનીલ ૫%SC (રેજટ, સલ્લો ) પિયતના પાણી સાથે ૧ એકરમાં આપવી.
આ ઇયળ પંચરંગીયા ઇયળ તરીકે પણ ઓળખાય છે. લીલી ઇયળ નો ઉપદ્રવ જાન્યુઆરીના છેલ્લા અઠવાડીયાથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી વધુ દેખાય છે. તે દુધિયા દાણા ખાઈને નુકસાન કરે છે. દવાનો ખર્ચ ઘટાડવા પક્ષીઓ માટે ૮-૧૦ T આકારની રચના ગોઠવવાથી લીલી ઇયળનું કુદરતી રીતે નિયંત્રણ કરી શકાય છે. ઉંબીઓ આવવાની શરૂવાત થતાં જ ઝીણાવટભર્યું અવલોકન કરતાં રહેવું. જો ઝીણી ઇયળ દેખાય તો એઝોડીરેકટીન ૫EC ૧૦ મિલિ અથવા લીંબોળીના તેલ ૩૦ મિલિ / ૧૦ લિટર પાણી અથવા કવીનાલફોસ ૨૫ EC ૨૦ મિલિ / ૧૦ લીટર પાણી પ્રમાણે છાંટી. જો ઉપદ્રવ વધુ હોય તો સ્પીનોસેડ૪૫SC (સ્પીન્ટોર, ટ્રેસર ) @ ૭.૫ ml / ૧૫ લીટર પાણી અથવા ફિપ્રોનિલ૫SC ( યુનિપ્રો, રેબીડ, ફેકસ )@ ૩૦ m) / ૧૫ લીટર પાણી અથવા થાયોડીકાર્બ૭૫WP (લાવીન, ચેક ) @ ૪૦ ગ્રામ / ૧૫ લીટર પાણી મુજબ છાંટી.
આ જીવાત ભાલના બિનપિયત વિસ્તારમાં વધુ દેખાય છે. તે પહેલા શેઢાપાળા પર નીંદણને અને પછી ઘઉંના કુમળા છોડને ખાય છે. આગોતરા નિયંત્રણ માટે ફેનવેલરેટ ૨૦%EC (ટાટાફેન, ફેંક્રો) @૭.૫ મિલી / ૧૫ લિટર પાણી અથવા કલોરપાયરીફોસ૨૦EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન ) @ ૩૦ મિલી / ૧૫ લિટર પાણી મુજબ શેઢાપાળા પર છાંટી. જો ઉપદ્રવ વધુ હોય તો સ્પીનોસેડ૪૫SC ( સ્પીન્ટોર, ટ્રેસર) @ ૭.૫ ml / ૧૫ લીટર પાણી અથવા ફિપ્રોનિલ૫SC (યુનિપ્રો, રેબીડ, ફેકસ )@ ૩૦ ml / ૧૫ લીટર પાણી અથવા થાયોડીકાર્બ૭૫WP (લાવીન,ચેક ) @ ૪૦ગ્રામ/૧૫લીટરl પાણી મુજબ છાંટો.
ગાભમારીની ઇયળ થડની અંદરનો ગાભ ખાઈને નુકસાન કરે છે. જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડ ઉખાડી નાશ કરવો. જો ઉપદ્રવ વધુ હોય તો સ્પીનોસેડ૪૫SC ( સ્પીન્ટોર, ટ્રેસર) @ ૭.૫ ml / ૧૫ લીટર પાણી અથવા ફિપ્રોનિલ૫SC (યુનિપ્રો, રેબીડ, ફેકસ ) @ ૩૦ ml / ૧૫ લીટર પાણી અથવા થાયોડીકાર્બ૭૫WP (લાવીને,ચેક ) @ ૪૦ ગ્રામ / ૧૫ લીટર પાણી મુજબ છાંટો.
આ જીવાત પાન, થડ અને દાણામોથી રસ ચૂસી પ્રકાશસંષલેષણની ક્રિયાનો દર ઘટાડે છે. જો પરભક્ષી દાળીયા, લીલી પોપટી અને સીરફીડ ફલાઈ મોટી સંખ્યામાં હોય તો દવાનો છંટકાવ કરવો નહીં. જો જરૂર જણાય તો ઈમીડોકલોપ્રિડ (કોન્ફીડોર, ટાટામીડ ) @ ૩ ml / ૧૦ લીટર પાણી કે થાયોમેથોકઝામ (એકતારો / અનત ) @ ૪ ગ્રામ / ૧૦ લીટર પાણી અથવા એસિફેટ૫૦% + ઇમિડીકલોપ્રીડે૧.૮SC (લાન્સરગોલ્ડ ) @ ૫૦ ગ્રામ / ૧૫ લીટર પાણી મુજબ છાંટી.
આ રોગ પવન દ્વારા ફેલાય છે. આ રોગમાં પાન પર ગેરૂ રંગના ટપકા પડે છે. ગરમ અને ભેજવાળું હવામાન આ રોગને વધુ માફક આવે છે. વધુ ઉપદ્રવથી ડાળિયો સુકાય છે. નિયંત્રણ માટે રોગની શરૂઆત થતાં જ મેંકોજેબ @ ૨૫ ગ્રામ / ૧૦ લિટર પાણી મુજબ ૧૫ દિવસ ના અંતરે ૩ વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન૨૫WP (બાયકોર) @ ૩૦ ગ્રામ / ૧૫ લિટર પાણી અથવા કલોરોથેલોનીલ (કવચ, ડેકનીલ) @ ૩૦ ml / ૧૫ લીટર પાણી અથવા ટેબૂકાનાઝોલ૨૫૦EC ( ફોલિકુર, ટોર્ક ) @ ૧૫ ml / ૧૫ લીટર પાણી અથવા કાર્બડોઝીમ૧૨% + મેંકોઝેબ૬૩WP (સાફ કોમ્બીપ્લસ, ડેલમિકસ ) @ ૩૦ ગ્રામ / ૧૫ લીટર પાણી મુજબ છાંટો.
આ રોગ માર્ચ મહિના મહિના દરમિયાન તાપમાન વધતાં જોવા મળે છે. આ રોગમાં થડ પર ગેરૂ રંગના ટપકા પડે છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @ ૨૫ ગ્રામ / ૧૦ લિટર પાણી મુજબ ૧૫ દિવસ ના અંતરે ૩ વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન૨૫WP (બાયકાર ) @ ૩૦ ગદ્રામ / ૧૫ લિટર પાણી અથવા કલોરોથેલોનીલ (કવચ, ડેકનીલ) @ ૩૦ ml / ૧૫ લીટર પાણી અથવા ટેબૂકાનાઝોલ૨૫૦EC (ફોલિકુર, ટોર્ક ) @ ૧૫ ml / ૧૫ લીટર પાણી અથવા કાર્બડોઝીમ૧૨% + મેંકોઝેબ૬૩WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલ મિકસ ) @ ૩૦ ગ્રામ/૧૫લીટર પાણી મુજબ છાંટો.
આ રોગની શરૂવાત નીચેના પાન પર થાય છે. પાન પર તપખીરિયા ટપકા પડે છે. ઉપદ્રવ વધતાં પાન સુકાય છે. ગરમ અને ભેજવાળું હવામાન આ રોગ ને અનુકૂળ છે. મોડી વાવણી માં આ રોગ વધુ જોવા મળે છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @ ૨૫ ગ્રામ / ૧૦ લિટર પાણી મુજબ ૧૫ દિવસ ના અંતરે ૩ વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન૨૫WP (બાયકોર ) @ ૩૦ ગ્રામ / ૧૫ લિટર પાણી અથવા કલોરોથેલોનીલ (કવચ, ડેકનીલ ) @ ૩૦ ml / ૧૫ લીટર પાણી અથવા ટેબૂકનાઝીલ૨૫૦EC (ફોલિકુર, ટોર્ક ) @ ૧૫ ml / ૧૫ લીટર પાણી અથવા કાર્બડોઝીમ ૧૨% + મેંકોઝેબ૬૩WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિકસ ) @ ૩૦ ગ્રામ / ૧૫ લીટર પાણી મુજબ છાંટી.
આ રોગમાં, દાણા પર કાળા ટપકા પડે છે જેનાથી બજારભાવ ઓછા મળે છે. ઝાકળ અને વધુ ભેજ આ રોગ માટે અનુકૂળ છે. આ રોગનો ઉપદ્રવ ઓછો કરવા પાછલી અવસ્થાએ હલકું પિયત આપવું
આ રોગ ગુજરાતમાં જોવા મળતો નથી પરંતુ તેને ઓળખી ને તેનો પ્રવેશ નિષેધ કરવો જરૂરી છે. આ માટે કાળા ડાઘ પડેલા દાણા વાવણી માટે ઉપયોગમાં લેવા નહીં
આ રોગમાં ઉંબી ની અંદર દાણાની જગ્યાએ કાળા રંગની ભૂકી ઉત્પન્ન થતી હોય છે. જેથી ઉંબીમાં દાણા બેસતા નથી. આગોતરા નિયંત્રણ માટે બીજને એક કિલો બીજ દીઠ ૨ ગ્રામ થાઈરમ અથવા કેપ્ટન દવાનો પટ આપીને વાવેતર કરવું
પાક ૧૧૦-૧૧૫ દિવસ મા પાકી જાય છે.જયારે છોડ બદામી કલરના થઈ જાય ત્યારે કાપણી જમીન થી ૨-૩ ઈંચ ઉપરથી કરવી. દાણા ખરવાનું નુકસાન ઘટાડવા જયારે ઘઉં પીળા પડી જાય અને થડ સુકાઈ જાય ત્યારે વહેલી સવારે કે મોડી સાંજે કાપણી કરવી. સુરક્ષિત સંગ્રહ માટે થ્રેશરથી લણણી કર્યા બાદ,વિણાટ કરી,દાણામા ભેજનુ પ્રમાણ ૧૦% થી ઓછુ થાય તે માટે તડકોમા ૨-૩ દિવસ સુધી સુકવવો. ગુણવત્તા જાળવવા જુદી જુદી જાતોના ઘઉંને અલગ અલગ રાખવા જેથી તે મિશ્ર ના થઈ જાય. ઘઉંને સીધા સુર્ય પ્રકાશથી તથા વધારે સુકાવાથી બચાવવા. કાપણી પરિપકવ અવસ્થાના પહેલા કરવાથી ઓછું ઉત્પાદન થાય છે વધારે અપરિપકવ, તુટેલો અને ઓછી ગુણવત્તાવાળા દાણા મળે છે અને સંગ્રહ દરમ્યાન રોગ થવાની શકયતા વધે છે. દાણા એકદમ સારી ચોખી ગની બેગમાં પેક કરવો.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020