જમીન અને તેની તૈયારી : શાકભાજીના પાકોમાં ટૂંકા સમયમાં વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા રહેલી હોવાથી આ પાકો ફળદ્રુપ, સારા નિતારવાળી અને ભેજ સંગ્રહ શકિત સારી હોય તેવી ગોરાડું, મધ્યમકાળી કે કાંપવાળી જમીન ખૂબ જ અનુકુળ છે. જમીનને જરૂરીયાત મુજબ હળ અને કરબથી ખેડકર્યા બાદ સમાર મારી જમીન સમતલ બનાવવી, અગાઉના પાકના જડીયા હોય તો વીણી લેવા. જુદા જુદા શાકભાજીની વાવણી માટે જે તે પાકની ખાસિયત, ૠતુ, જમીનનો પ્રકાર વિગેરે ધ્યાનમાં રાખી સપાટ/ગાદી કયારા, નીકપાળા અથવા ખામણાં અગાઉથી તૈયાર કરવા.
જાતોની પસંદગી : શાકભાજીના પાકોનું વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતરની ૠતુ, વિસ્તાર વપરાશકર્તાની જરૂરીયાત અને પિયતની સગવડતાની અનુરૂપ પાકની વધુ ઉત્પાદન આપતી, રોગ–જીવાત સામે રોગપ્રતિકારક શકિત ધરાવતી સુધારેલી/ સંકર જાતો પસંદ કરવી.
ધરૂ ઉછેર : (મરચી, રીંગણ, ટામેટી, ફૂલકોબી અને કોબી) : ધરૂવાડીયું હંમેશા અર્ધ છાયડાવાળી, ઉંચાણવાળી જગ્યા તથા સહેલાઈથી પિયત મળી રહે તેવી જગ્યાએ બનાવવું. એક હેકટરની ફેરબદલી માટે પ થી ૬ ગુંઠા ડુંગળીના વાવેતર અને અન્ય શાકભાજી માટે ૧.પ ગુંઠા વિસ્તારમાં ધરૂવાડીયુ બનાવવું. તંદુરસ્ત અને રોગમુકત ધરૂ મેળવવા માટે નીચેની કાળજી લેવી જરૂરી છે.
વાવણી અને વાવણીનું અંતર : શાકભાજીના પાકોની જાત અને ખાસિયત પ્રમાણે જુદી જુદી પધ્ધતિથી વાવેતર કરવામાં આવે છે. જેમકે રીંગણ, ટામેટી, મરચી, કોબી, ફુલ કોબી વિગેરે જેવા પાકોનું પ્રથમ ધરૂ ઉછેરીને ફેરરોપણીથી અગાઉથી તૈયાર કરેલ ખેતરમાં પાક મુજબ ભલામણ થયેલ અંતરે વાવણી કરવામાં આવે છે. જયારે મેથી, ધાણા જેવા શાકભાજીના પાકોનું બીજ કયારામાં છાંટીને અથવા પૂંખીને તથા દૂધી,કારેલા,કાકડી,તુરીયા,ગલકાં, ભીંડા, ચોળા, ગુવાર, પાપડી વિગેરે પાકોની વાવણી ઓરી/ થાણીને જે તે પાકને અનુરૂપ ભલામણ કરેલ અંતરે કરવામાં આવે છે.
સેન્દ્રીય / રાસાયણિક ખાતર : સામાન્ય રીતે શાકભાજીના જુદા જુદા પાકોની જરૂરીયાત મુજબ પાકના વૃધ્ધિ અને વિકાસના તબકકાને અનુરૂપ સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો આપવામાં આવે છે. આ માટે સામાન્ય રીતે ૧પ થી ર૦ ટન કાહોવાયેલું છાણિયું ખાતર / કંમ્પોસ્ટ જમીન તૈયારી વખતે આપવું. આ ઉપરાંત શાકભાજીના પાક અને જાત મુજબ ભલામણ કરેલ રાસાયણિક ખાતરોમાં નાઈટ્રોજનનો પ૦ ટકા તેમજ બધો જ ફોસ્ફરસ અને પોટાશ પાયાના ખાતર તરીકે મુળ વિસ્તારમાં આપવું, તેમજ બાકીનો પ૦ ટકા નાઈટ્રોજન નો જથ્થો પૂર્તિખાતર તરીકે પાક, તેની જરૂરીયાત અને વૃધ્ધિ ગાળાને અનુરૂપ જમીનમાં યોગ્ય પ્રમાણમાં ભેજ હોય ત્યારે છોડની ફરતે, થડથી પ સે.મી. દુર, એક/બે/ ત્રણ સરખા હપ્તામાં આપવા.
માવજત : સામાન્ય રીતે શાકભાજીના પાકોમાં નિંદણ નિયંત્રણ તેમજ આંતરખેડ ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. નિંદણથી પાક ઉત્પાદનમાં ઘટાડો અને રોગ–જીવાત ઉપદ્રવમાં વધારો થતાં ઉત્પાદકતા ઘટે છે. જેથી પાકને નિંદણ મુકત રાખવા જરૂરી છે. તે માટે પાકની જરૂરીયાત મુજબ આંતર ખેડ અને હાથ નિંદામણ કરવું. પરંતુ મજુરની અછતની પરિસ્થિતીમાં ભલામણ કરેલ રાસાયણિક નિંદણનાશક દવાઓનો સમજપૂર્વક ઉપયોગ કરીને પણ નિંદણ નિયંત્રણ કરી શકાય છે.
પાક |
નિંદામણનાશક દવા |
સક્રિય તત્વનો જથ્થો ( કીગ્રા/ હેકટર) |
માવજતનો સમય |
ભીંડા |
પેન્ડીમીથેલીન |
૧.૦૦૦ (મ. ગુજ.) ૦.૬૦૦ (સૈારાષ્ટ્ર) |
પ્રિ ઈમરજન્સ |
રીંગણ |
પેન્ડીમીથેલીન |
૦.પ૦૦ |
પ્રિ ઈમરજન્સ |
ટામેટા |
પેન્ડીમીથેલીન બ્યુટાકલોર ઓકઝીડાયેઝોન
|
૧.૦૦૦ ૧.૦૦૦ ૦.પ૦૦ |
રોપણી બાદ ર–૩ દિવસે |
મરચી |
પેન્ડીમીથેલીન ઓકઝીડાયેઝોન |
૧.૦૦૦ ૦.પ૦૦ |
ફેર રોપણી પહેલાં |
કોબી / ફુલકોબી |
પેન્ડીમીથેલીન |
૧.૦૦૦ |
ફેર રોપણી પહેલાં |
પિયત : પિયતની જરૂરિયાતનો આધાર પાક અને તેની જાત, જમીનનો પ્રકાર અને ૠતુ ઉપર આધારિત છે. સામાન્ય રીતે ચોમાસામાં વરસાદની અછતના સમયે દસ થી બાર દિવસના અંતરે અને શિયાળામાં ૧ર થી ૧પ દિવસના અંતરે તેમજ ઉનાળામાં જમીનમાં ૮ થી ૧૦ દિવસનાં અંતરે જમીનની પ્રત અનુસાર પિયત આપવું. શાકભાજીના પાકોમાં ટપક સિંચાઈ પધ્ધતીની સાથે ખાતર આપવાથી પાણી અને ખાતરનો બચાવ કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. મલ્ચીંગ (આવરણ) નો ઉપયોગ કરવાથી પાણીની જરૂરીયાત ઓછી કરી શકાય, બે પિયત વચ્ચેનો ગાળો ગુણવત્તાસભર વધારે ઉત્પાદન વધારો મેળવી શકાય છે. મલ્ચ (આવરણ) તરીકે શેરડીની સુકી પાતરી, ડાંગરનું પરાળ, ઘઉંનું ભુસુ, દિવેલાની ફોતરી, સુકુ ઘાસ અને પ્લાસ્ટિક શીટનો ઉપયોગ થઈ શકે છે. મલ્ચિંગ કરવાથી પાકમાં નિંદામણ, રોગ, અને જીવાતનો ઉપદ્રવ ઘટાડી શાકભાજીની ગુણવત્તા સારી મેળવી શકાય છે. આ પાકોમાં ફુવારા પિયત પધ્ધતિ અપનાવવાથી પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો મેવળી શકાય, તેમજ ઓછા પિયતથી સારી ગુણવત્તાવાળુ શાકભાજીનું વધારે ઉત્પાદન મેળવી શકાય છે.
વીણી અને ગ્રેડીંગ : શાકભાજીની વીણી જે તે પાકની જાત, બજારમાં માંગ, વિસ્તારને ધ્યાનમાં રાખીને ફળના રંગ, આકાર અને કદ પ્રમાણે કરવી જોઈએ. વધારે પડતા કુમળા કે પાકટ ફળો ઉતારવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય, બજારભાવ ઓછા મળે અંતે નફાકારકતામાં ઘટાડો થાય છે. નિકાસ માટેના શાકભાજી જે તે દેશની જરૂરીયાતન અને તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ. શાકભાજી ઉતાર્યા બાદ રોગ અને જીવાતવાળા ફળો દૂર કરીને જુદા જુદા વિભાગમાં ગ્રેડીંગ કરી બજારમાં મોકલવાથી સારા ભાવ મળતા હોય છે.
સ્ત્રોત: ર્ડા. ડી.બી. પ્રજાપતિ, પ્રો.એ.એમ.અમીન, ર્ડા. બી.જી. પ્રજાપતિ અને ર્ડા. એ.યુ.અમીન, શાકભાજી સંશોધન યોજના, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ., જગુદણ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/16/2019