વૃધ્ધિ નિયંત્રકો કે જેને અંગ્રેજીમાં ગ્રોથ રેગ્યુલેટર્સ કહેવામાં આવે છે તે એક કાર્બોદિત પદાર્થ છે, જે ખૂબ જ અલ્પમાત્રામાં વનસ્પતિની દેહધાર્મિક તેમજ જીવરાસાયણિક ક્રિયાઓનું નિયમન કરી છોડની વૃધ્ધિ અને વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. તેનો અલ્પમાત્રામાં છંટકાવ વનસ્પતિની દેહધાર્મિક અને જીવરાસાયણિક ક્રિયામાં વધારો/ઘટાડો/ફેરફાર કરવાને શકિતમાન છે. સામાન્ય રીતે વૃધ્ધિ નિયંત્રકો કુદરતી અને કૃત્રિમ બે પ્રકારના હોય છે. આ વૃધ્ધિ નિયંત્રકો ઓછી માત્રામાં વનસ્પતિમાં પણ ઉત્પન્ન થાય છે અને કૃત્રિમ રીતે બનાવી, બહારથી છોડના વિકાસના ચોકકસ તબકકે, નિયત જથ્થામાં આપી ઈચ્છિત ફેરફાર કરી શકાય છે જેને વૃધ્ધિ નિયંત્રકો કહેવાય છે.જેના દવારા વૃધ્ધિ અને વિકાસ સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આવા વિવિધ પદાથોને વિજ્ઞાનની ભાષામાં વૃધ્ધિ અંતઃસ્ત્રાવો, વૃધ્ધિ ઉત્તેજકો, વૃધ્ધિ નિયંત્રકો અને વૃધ્ધિ પ્રતિરોધકો તરીકે ઓળખાય છે. આ વૃધ્ધિ અંતઃસ્ત્રાવો ને મુખ્ય બે વિભાગોમાં વહેચવામાં આવે છે.
જે પદાર્થનું વનસ્પતિની વૃધ્ધિ તથા વનસ્પતિની જેવી કે ક્રિયાઓ અભિક્રિયા અને ચયાપચયની ક્રિયા અટકાવવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાથોને વૃધ્ધિ પ્રતિરોધકો કહેવામા આવે છે. દા.ત. ર–૪–ડી, એમ.એચ.,ફોસ્ફીન ડી, ર–૪–પ–ટી, સાયકોસીલ વગેરે. સામાન્ય રીતે તેના રાસાયણિક બંધારણ અને નિયત કાર્યસૂચિને આધારે પાંચ વર્ગમાં વહેચવામાં આવેલ છે.
(૧) ઓકઝીન (ર) જીબ્રેલીન (૩) સાયટોકાઈનીન (૪) ઈથેલીન (પ) એબ્સીસીક એસિડ
વનસ્પતિની સર્વાગી વૃધ્ધિ માટે અગત્યનો છે. તે કોષ વિભાજનને પણ ઉત્તેજીત કરે છે. ડાળી અને થડના કોષની લંબાઈમાં વધારો કરવામાં ઓકઝીન મહત્વનો ભાગ ભજવે છે. ઓકઝીન ગૃપમાં મુખ્યત્વે ઈન્ડોલ એસિટીક એસિડ (આઈ.એ.એ.), ઈન્ડોલ બ્યુટારીક એસિડ (આઈ.બી.એ.), ર,૪,પ–ટ્રાય કલોરો ફિનોકસી એસિટીક એસિડ (ર,૪,પ–ટી), ર–૪–ડી, નેપ્થેલીન એસિટીક એસિડ(એન.એ.એ.), મીથાઈલ ઈસ્ટર (એમ.ઈ.), ર–મિથાઈલ૪–કલોરોફિનોકસીએસિટીકએસિડ(એમ.સી.પી.એ.),ર,૪,પ–ટ્રાયકલોરોફીનોકસી પ્રોપયોનિક–એસિડ(ર,૪,પ–ટી.પી.) અને ૪ કલોરો ફિનોકસી એસીટીક એસિડ(૪–સી.પી.એ.)નો સમાવેશ થાય છે. ઉપરોકત ઓકઝીનમાં આઈ.એ.એ. વનસ્પતિ જાતે જ તૈયાર કરે છે તથા તે બીજા કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે.
ઉપયોગ :
જીબ્રેલીનનો છંટકાવ કરવાથી છોડની ઉંચાઈમાં અસામાન્ય વધારો જોવા મળે છે. આ ઉપરાંત બીજ /કંદની સુષુપ્તા અવસ્થા ટુંકાવવામાં, ફળની વૃધ્ધિ વધારવા, ફળો વહેલા લાવવા અને તેને ખરતા અટકાવવામાં જીબ્રેલીન ઉપયોગી છે. જીબ્રેલીન વનસ્પતિમાં તૈયાર થાય છે તેમજ કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. જીબ્રેલીન ઘણા છે પરંતુ જી એ–૩ (જીબ્રેલીક એસિડ–૩) ખેતીમાં સૌથી વધુ પ્રચલિત છે અને વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે.
ઉપયોગ :
સાયટોકાયનીનનું મુખ્ય કાર્ય કોષ વિભાજનને વધારવાનું છે. મુખ્ય સાયટોકાયનીનમાં કાયનેટીન, ઝીયાટીન અને ૬–બેન્ઝાઈલ એમીનો પ્યુરાઈન(બી.એ.)નો સમાવેશ થાય છે. બીજ / કંદની સુષુપ્ત અવસ્થા પુરી કરવા, ફળ ધારણ વધારવા, ફળો ખરી પડતા અટકાવવા, તેમજ ઘા રૂઝાવવામાં સાયટોકાયનીન ઘણું જ ઉપયોગી છે. ઝીયાટીન પ્રાકૃતિક સાયટોકાયનીન છે. જે નાળીયેરના પાણીમાં ઘણા પ્રમાણમાં હોય છે. કાયનેટીન અને બી.એ. અગત્યના સાયટોકાયનીન છે. તેને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે.
ઉપયોગ :
ઈથીલીન એ એક માત્ર વાયુના સ્વરૂપમાં જોવા મળતો વૃધ્ધિ નિયંત્રક છે. ફળોને પકવવામાં મહત્તમ ભાગ ભજવે છે. શાકભાજી પાક તથા બાગાયતી પાકોમાં ઈથીલીન, ઈથરેલ અને ઈથેફોનના સ્વરૂપમાં અપાય છે. તેમાંથી ઈથીલીન વાયુ ઉત્પન્ન થાય છે. જે કોષોમાં પ્રવેશી પોતાનું કાર્ય કરે છે. બધી જ વાનસ્પતિક પેશીઓમાં ઈથીલીન તૈયાર થાય છે.
ઉપયોગ :
વાનસ્પતિક અંગો જેવા કે પર્ણો, ફળો અને ફુલોને ખેરવવામાં મહત્તમ ભાગ ભજવે છે. તેને 'સ્ટ્રેસહોર્મોન' પણ કહેવાય છે, કારણ કે જયારે છોડ તાણ અનુભવતો હોય, જેમ કે પાણીની ખેચ, ઉંચુ કે નીચું તાપમાન, જમીનની ખારાશ, અલ્ટ્રા વાયોલેટ વિકિરણો વગેરે, ત્યારે એ.બી.એ. નું પ્રમાણ વધી જાય છે અને છોડ આ તાણની પરિસ્થિતીમાં પોતાની દેહધાર્મિક ક્રિયાઓ સારી રીતે ચલાવી જીવી શકે છે.
ઉપયોગ :
ક્રમ |
દેહધાર્મિક ક્રિયા |
દેહધાર્મિક ક્રિયાને અસર કરતા વૃધ્ધિ નિયંત્રકો |
૧ |
બીજ/કંદની સુષુપ્ત અવસ્થા ટુંકાવવી/બીજનો ઉગાવો વધારવો |
જી એ–૩, સાયટોકાયનેટીન, ઈથીલીન |
ર |
કલીકાની સુષુપ્ત અવસ્થા લંબાવવી |
એ.બી.એ., સી.સી.સી. |
૩ |
વધારાના પીલા નીકળતા અટકાવવા |
ર,૪–ડી, એન.એ.એ. |
૪ |
ફુલ વહેલા મેળવવા |
જીએ–૩, એન.એ.એ.,સી.સી.સી., ર,૪,પ–ટી, ૪–ડી, ઈથીલીન |
પ |
લિંગ પરિવર્તન |
જીએ–૩, પી.બી.એ., અલાર, ઈથેફોન |
૬ |
ફળધારણ અને ફળની વૃધ્ધિ માટે |
એન.એ.એ.,ર,૪–ડી,ર,૪,પ–ટી,૪–સી.,પી.એ.,જીએ–૩ |
૭ |
અસ્થાનિક મુળ પેદા કરવા |
એન.એ.એ.,આઈ.બી.એ.,આઈ.એ.એ., ર,૪–ડી |
૮ |
ફળ વહેલાં પકવવા (ટામેટા) |
ઈથેફોન, ઈથીલીન |
૯ |
પાન/ફુલ/ફળ ખરતા અટકાવવા |
એન.એ.એ., ર,૪,પ–ટી.પી., જીએ–૩, ર,૪–ડી |
૧૦ |
ફળોની સંખ્યા ઘટાડવા |
એમ.એચ., ઈથેફોન, મેલિક હાઈડે્રઝાઈડ |
૧૧ |
વાનસ્પતિક વૃધ્ધિ પર નિયંત્રણ |
સી.સી.સી., કલ્ટાર |
૧ર |
કંદનો સંગ્રહકાળ લંબાવવો |
એમ.એચ., એમ.ઈ.એન.એ., ર,૪પ–ટી,એ.બી.એ. |
૧૩ |
(સંગ્રહ દરમ્યાન સ્ફુરણ અટકાવવું) |
બી.એ., સી.સી.સી., ર,૪–ડી |
૧૪ |
પાનવાળા શાકભાજીનો સંગ્રહકાળ લંબાવવો |
એ.બી.એ., મેલિક હાઈડે્રઝાઈડ |
૧પ |
બીજની સુષુપ્ત અવસ્થા વધારવા |
ર,૪–ડી, એમ.સી.પી.એ. |
ક્રમ |
શાકભાજી પાક |
વૃધ્ધિ નિયંત્રક |
મિગ્રા/લિપાણી |
છંટકાવનો હેતું |
છંટકાવનો સમય |
૧ |
બટાટા |
જીબ્રેલિક એસિડ |
રપ |
કલિકાની સુષુપ્તા તોડીઝડપી સ્ફુરણ માટે |
બટાટાના વાવવાનાટુકડાને વાવતા પહેલા માવજત આપવી |
ર |
ટામેટા |
એન.એ.એ. |
ર૦ |
ફુલો વધારવા |
ફુલ આવવાની શરૂઆત થતાં |
૩ |
ટામેટા |
જીબ્રેલિક એસિડ |
રપ |
મોટા ફળો મેળવવા |
ફળ બોર જેવડા થાય ત્યારે |
૪ |
રીંગણ/ટામેટા/ |
એન.એ.એ.+ યુરિયા |
ર૦ મિ.ગ્રા. |
ફળો ખરતા અટકાવવા તથા વજન અને કદ વધારવા |
ફળો બેસી ગયા બાદ ર૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા |
પ |
મરચા |
જીબ્રેલિક એસિડ |
+ર૦ ગ્રામ |
ઝડપી ધરૂ તૈયાર કરવા |
બીજ વાવતા પહેલા માવજત આપવી |
૬ |
રીંગણ/ટામેટા/ |
જીબ્રેલિક એસિડ |
૧૦ |
નર ફુલ વધારવા માટે હાઈબ્રીડ બીજ ઉત્પાદન |
ચાર પાંદડે છોડ હોય ત્યારે છંટકાવ કરવો |
૭ |
મરચા |
ઈથેફોન |
૧૦૦૦ |
માદા ફુલોનું પ્રમાણ વધારવા |
ચાર પાંદડે હોય ત્યારે છંટકાવ કરવો |
૮ |
કાકડી વર્ગના વેલાવાળા |
મેલિક હાઈડે્રઝાઈડ |
પ૦૦ |
સંગ્રહશકિત વધારવા દિવસે છંટકાવ કરવો |
લણણી પહેલા ૧પ દિવસે છંટકાવ કરવો |
૯ |
શાકભાજી માટે ઉપયોગી |
ઈથેફોન |
૧પ૦૦ |
માદા ફુલો વધુ બેસાડવા |
ફળ બોર જેવડા થાય ત્યારે |
૧૦ |
લસણ /ડુંગળી |
ઈથરલ |
પ૦૦ |
માદા ફુલો વધુ બેસાડવા |
વાવેતરના ૧પ દિવસ પછી અઠવાડિયાના અંતરે ચાર છંટકાવ કરવા. |
સામાન્ય પરિસ્થિતિમાં ૩ થી ૪ દિવસ સુધી ઓરડાના તાપમાને સંગ્રહ કરી શકાય છે.
વૃધ્ધિ નિયંત્રકોનો જુદા જુદા પ્રમાણમાં છંટકાવ કરવાથી જુદુ જદુ પરિણામ મળે છે જેથી નીચે મુજબની કાળજી રાખવી જરૂરી છે.
સ્ત્રોત : ર્ડા. ડી.બી. પ્રજાપતિ, પ્રો. ડી. એમ. ઠાકોર અને શિવાંગીની એ.ગુપ્તા, બીજ મસાલા સંશોધન કેન્દ્ર,સ.દાં.કૃ.યુ.,જગુદણ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020