Accessibility options

રંગ વિપરિત
ટેક્સ્ટ સાઇઝ
સામગ્રીને હાઇલાઇટ કરો
ઝૂમ કરો

Accessibility options

રંગ વિપરિત
ટેક્સ્ટ સાઇઝ
સામગ્રીને હાઇલાઇટ કરો
ઝૂમ કરો
india_flag

Government of India



MeitY LogoVikaspedia
gu
gu

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના

Open

Contributor  : utthan21/06/2020

Empower Your Reading with Vikas AI 

Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.

ગુજરાત સરકારે રાજ્યના ખેડુતોના લાભાર્થે ખાતેદાર ખેડુત આકસ્મિક મૃત્યુ /કાયમી અપંગતતા સહાય યોજના ૨૬મી જાન્યુઆરી ૧૯૯૬ ના શુભ દિવસથી આરંભ કરેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડુતનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના ૧૦૦ % રાજ્ય સરકારના સહાયની યોજના છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રીમીયમ ચુકવવામાં આવે છે.

ખેડુત ખાતેદારને વીમાનો લાભ આપી તેના પરીવારને આર્થિક રક્ષણ પુરું પાડવાની યોજના હાલમાં ગુજરાત સામુહિક જૂથ (જનતા અકસ્માત વીમા યોજના) હેઠળ તા. ૦૧/૦૪/૨૦૦૮ થી વિમા નિયામકશ્રી મારફત અમલમાં છે.

રાજય સરકારશ્રી દ્વારા તા.૦૧/૪/૨૦૧૨થી ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત વારસદાર (પુત્ર/પુત્રી)નો સમાવેશ કરવામાં આવેલ છે.

યોજનાનો લાભ મેળવવા માટેની શરતો

  • મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિએ પોતાના નામે સંયુક્ત કે વ્યક્તિગત નામે જમીન ધારણ કરેલી હોવી જોઇએ.
  • મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે ઉપસ્થિત થયેલ હોવી જોઇએ.
  • કુદરતી મૃત્યુ અને આપધાતના કિસ્સાનો સમાવેશ યોજના નીચે કરવામાં આવેલ નથી.
  • વારસદારના કિસ્સામાં મૃતક ખાતેદાર ખેડૂતનો પ્રથમ હયાત વારસદાર (પુત્ર/પુત્રી) હોવા જોઇએ

યોજનાનો લાભ

આ યોજનામાં જો ખાતેદાર ખેડૂતનુ મૃત્યુ થાય તો તેનો લાભ મૃતક ખાતેદાર ખેડૂતના વારસદારને અને જો ખાતેદાર ખેડૂત અપંગ થાય તો તેનો લાભ ખાતેદાર ખેડૂત ને નીચેની વિગતે લાભ મળે .

  • અકસ્માતનાં કારણે મૃત્યુ/કાયમી , સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ. ૧,૦૦,૦૦૦/-
  • અકસ્માતને કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/પગ ગુમાવવાના કિસ્સામાં રૂ. ૧,૦૦,૦૦૦/- (આંખનાં કિસ્સામાં આંખની સંપૂર્ણ ૧૦૦% દૃષ્ટિ જવી, હાથનાં કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગનાં કિસ્સામાં ઘૂંટણ ઉપરથી તદ્દન કપાયેલ હોવો જરૂરી છે.)
  • અકસ્માતને કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. ૧,૦૦,૦૦૦/-
  • અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. પ૦,૦૦૦/-

આ વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબ વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.

  • પતિ અથવા પત્ની : તેમની ગેરહયાતીમાં
  • તેમના બાળક-પુત્ર/પુત્રી : તેમની ગેરહયાતીમાં
  • તેમના મા-બાપ : તેમની ગેરહયાતીમાં
  • તેમના પૌત્ર/પૌત્રી : ઉક્ત અ,બ,ક ની ગેરહયાતીમાં
  • લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન
  • ઉપરોક્ત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.

આ યોજનાનો લાભ કેવી રીતે મળે

ખાતેદાર ખેડૂતનુ મૃત્યુ થાય તો ખાતેદાર ખેડૂતના વારસદારએ અને અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં નીચે મુજબના સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી ૯૦ દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે રૂબરૂ કરવાની રહેશે ૯૦ દિવસબાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં

દાવા અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો યાદી

  • અકસ્માત મૃત્યુ વળતર મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્‍ટ- ૧,ર,૩, ૩(A),૪,અને ૫
  • ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક), {મૃત્યુ તારીખ પછીના પછીના પ્રમાણિત ઉતારા)
  • પી.એમ. રીપોર્ટ
  • એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ
  • મૃતકનુ મરણનુ પ્રમાણપત્ર
  • સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રીપોર્ટ
  • કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ
  • મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સ,
  • રૂ. ૧૦૦/-ના સ્ટેમ્પ પેપર્સ પર નોટરી/રજીસ્ટ્રર વાળુ ઇન્ડેમ્નીટી બોન્ડ
  • પેઢીનામુ
  • વારસદારના કેસમાં અસલ પેઢીનામુ

યોજનામાં આપેલ સહાય અંગેની વિગત

આ યોજના હેઠળ ૨૬મી જાન્યુઆરી, ૧૯૯૬ થી વર્ષ ૨૦૧૨-૧૩ સુધીમાં કુલ ૧૫,૨૩૭ દાવાઓ મંજૂર કર્યા અને રૂ. ૧૩૧૩૫.૦૦ લાખ વીમા સહાય ખાતેદાર ખેડૂતના વારસદારોને ચુકવવામાં આવી છે.

ફોર્મ અને ઠરાવ

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના ઠરાવો ૨૦૧૫-૨૦૧૬

ક્રમ

ઠરાવ તારીખ

ઠરાવ ક્રમાંક

ઠરાવનો વિષય

ડાઉનલોડ્સ

1

13-04-2016

કૃષમ​-૧૧-૨૦૧૫-૧૫૧૮-ક​.૯

આંતર માળખાકીય સુવિધા ઉભી કર્વા માટે ૬% વ્યાજ સહાયની યોજના વર્ષ ૨૦૧૬-૧૭ માટેની ન​વી બાબતની વહીવટી મંજુરી બાબત​

ડાઉનલોડ

2

13-04-2016

બજટ​-૧૦-૨૦૧૫-૧૨૩૩-ક​.૫

સને ૨૦૧૬-૧૭માં સબ મિશન ઓન એગ્રીકલ્ચર મીકેનાઇઝેશન યોજનાની ચાલુ બાબતને વહીવટી મંજુરી આપ​વા બાબત​

ડાઉનલોડ

3

19-03-2016

જવય-૧૦૨૦૧૧-ઓ-૩૦૮ (IWDMS No. 186826)-ન

ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્‍માત વીમા યોજનામાં સુધારો કરવા બાબત

ડાઉનલોડ

4

04-01-2016

BJT/302014/1120/k6

નેશનલ મિશન ઓન ઓઈલ સીડ એન્ડઓઈલ પામ યોજના પ્લાન અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને સામાન્ય ખેડૂત  માટે –ફ્લેક્ષી ફંડ અને સ્પ્રીંકલર  સેટ

ડાઉનલોડ

5

09-12-2015

બજટ-૧૦૨૦૧૪-૨૧૬૨-ક-૭

કૃષિ યાંત્રીકરણનો ઉપયોગ કરી ખેતી વધુ નફાકારક બની શકે તે હેતુ માટે એગ્રો સર્વિસ પ્રોવાઇડરની નવી યોજનાને વહિવટી મંજૂરી આપવા બાબત. વર્ષ ૨૦૧૫-૧૬

ડાઉનલોડ

6

30-10-2015

બજટ​-૧૦૨૦૧૪-૧૦૦૯-ક-૫

સને ૨૦૧૫-૧૬ ચાલુ બાબત​, નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના (નોર્મલ ખેડૂતો માટે, અનુસૂચિત જાતિના ખેટૂતો માટે, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે) અંતર્ગત કરેલ ઓન ફાર્મ વોટર મેનેજમેન્ટ​ ઘટકની જોગ​વાઇ પ્રધાનમંત્રી ક્રુષિ સિંચાઇ યોજના હેઠળ કરવા બાબત​

ડાઉનલોડ

7

29-09-2015

કૃષમ - ૧૧-૨૦૧૫-૧૧૪-ક.૯

આંતર માળખાકીય સુવિધા ઉભી કરવા માટે ૬ ટકા વ્‍યાજ સહાયની યોજના વર્ષ ૨૦૧૫-૧૬ માટેની નવી બાબતની વહીવટી મંજુરી બાબત.

ડાઉનલોડ

સ્ત્રોત: ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય

Related Articles
ખેતીવાડી
ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના

ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના

ખેતીવાડી
રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના

ખેડૂતોના આર્થિક હિતના રક્ષણ માટે કેન્દ્ર સરકાર કૃષિ વીમા પોલિસી ની માહિતી આપેલ છે

ખેતીવાડી
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFYB)

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વિશેની માહિતી

ખેતીવાડી
પ્રધાનમંત્રી પાક વિમા યોજના

કૃષિ ક્ષેત્રને જબરદસ્ત પ્રોત્સાહન આપવા માટે ની યોજના

ખેતીવાડી
પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના

આ વિભાગમાં પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના વિશેની માહિતી આપેલ છે

ખેતીવાડી
ધિરાણ અને વસુલાત

ધિરાણ અને વસુલાત માટે ની માહિતી આપેલ છે

સહદેવ ચૌધરી , ડીસા , બનાસકાંઠા ગુજરાત

5/17/2021, 3:05:40 AM

મારા પિતા નું આકસ્મિક અવસાન થયું છે અને અમારું દેના બેન્ક ઝેરડાં શાખા મો પાક ધિરાણ છે તો પાક ધિરાણ મો અમને કોઈ સહાય મળે મહેરબાની કરી ને યોગ્ય સલાહ આપજો મારો મોબાઈલ ન 98241***** છે

લાલાભાઈ

11/19/2019, 12:43:08 AM

આજે રોજ આવી તકલીફ કોઈ સ્વીકાર તું નથી

ઠાકોર નિતિનકુમાર રમણસિંહ

11/9/2019, 6:10:03 AM

<p>હેલો સર મારા પિતાજી નું મૃત્યુ અકસ્માતમાં થયો હતો.અમે બધા જ ડોક્યુમેન્ટ આપી દીધા છે.આંજે બધા ડોક્યુમેન્ટ આપ્યા 9 મહીના થઇ ગયા પણ હજુ સુધી વીમાં નો લાભ મળેલ નથી<br /><br /><br />તો આપ જાણવી શકો છો. કે એ વીમા નો લાભ કેટલા સમય માં અમને<br />આ વીમાં નો લાભ મળશે ????</p>

K

Kiran

2/5/2019, 8:08:39 PM

= ખાતેદાર ખેડૂત અકસ્માત બાદ મૃત્યુ થાય તો આ યોજનાનો લાભ લેવા માટેનુ ફૉમ. કયાંથી લાવવું .તે ફોર્મ નું નામ બતાવો સર

તાવીયા ભરતભાઈ

12/24/2017, 1:42:14 AM

<p>નમસ્તે<br /> શ્રીમાન મારા પીતાજી ની ખેતરે થી આવતા હત્યારો દ્વારા હુમલો કરીને મોત નીપજાવેલ છે જેથી અમોએ યોજનાનો લાભ મળી શકે ? માહિતી આપવા વિનંતી.<br />70963*****</p>

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના

Contributor : utthan21/06/2020


Empower Your Reading with Vikas AI 

Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.



Related Articles
ખેતીવાડી
ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના

ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના

ખેતીવાડી
રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના

ખેડૂતોના આર્થિક હિતના રક્ષણ માટે કેન્દ્ર સરકાર કૃષિ વીમા પોલિસી ની માહિતી આપેલ છે

ખેતીવાડી
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFYB)

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વિશેની માહિતી

ખેતીવાડી
પ્રધાનમંત્રી પાક વિમા યોજના

કૃષિ ક્ષેત્રને જબરદસ્ત પ્રોત્સાહન આપવા માટે ની યોજના

ખેતીવાડી
પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના

આ વિભાગમાં પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના વિશેની માહિતી આપેલ છે

ખેતીવાડી
ધિરાણ અને વસુલાત

ધિરાણ અને વસુલાત માટે ની માહિતી આપેલ છે

Lets Connect
Facebook
Instagram
LinkedIn
Twitter
WhatsApp
YouTube
Download
AppStore
PlayStore

MeitY
C-DAC
Digital India

Phone Icon

+91-7382053730

Email Icon

vikaspedia[at]cdac[dot]in

Copyright © C-DAC
vikasAi