অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કૃષિ વૈવિધ્યપૂર્ણ પ્રોજેક્ટ યોજના

યોજનાનો ઉદ્દેશ:

  • આદિજાતિ વિસ્તારના આદિજાતિ લોકોને કૃષિ થકી વધુ આવક મેળવતા થઇ શકે. આ પ્રોજેક્ટની અંતર્ગત મકાઇ, કારેલા, દુધી, ટમેટા, ભીંડા અને રીંગણ જેવા પાક માટે બિયારણ તથા ખાતરની કીટનું વિતરણ અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવામાં આવે છે.

પાત્રતાના ધોરણો:

  • આ યોજના હેઠળ આદિજાતિના ખેતી ધરાવતા ખાતેદાર ખેડૂત કુટુંબો శ్రp थी। २O બીપીએલ સ્કોર ધરાવતા કુટુંબોઆ યોજનાના લાભાર્થી હોય છે.

યોજનાના ફાયદા/સહાય

  • આ પ્રોજેક્ટ અંતર્ગત મકાઈ, રીંગણ, ભીંડા, કારેલા તથા દુધી જેવા શાકભાજીના ગુણવતાના બિયારણ તથા પાકને અનુરૂપ રાસાયણીક ખાતરની કીટ તૈયાર કરી પૂરી પાડવામા  અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવમાં આવે છે.
  • આ યોજના હેઠળ લાભાર્થીએ રૂ. ૫૦૦ લોકફાળા તરીકે આપવાનો રહે છે.

પ્રક્રિયા

આ યોજના માટેના લાભાર્થીની પસંદગી  તથા ચકાસણી જિલ્લા કક્ષાએ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા કરવામાં આવે છે. આદિજાતિ વિસ્તારમાં ગરીબી રેખાનીચે જીવતા તથા ફોરેસ્ટ રાઈટ એકટ ધરાવતા આદિજાતિ ખેડૂતો પૈકી લાભાર્થીની પસંદગી કરવામાં આવે છે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા

તમામ આદિજાતિ જીલ્લાઓમાં પ્રાયોજના કચેરીના પરામર્શમાં રહી અમલીકરણ એજન્સી (એગ્રીકલ્યર સર્વિસ પ્રોવાઇડર) દ્વારા યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate