অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુપાલન શાખા

પ્રસ્તાવના

નવ્ નિર્મિત દાહોદ જિલ્લામાં ખેતી સાથે વ્યવસાય પેઢીઓથી ચાલતો આવે છે,કૃષ,વિજળી,સિંચાઈ,શિક્શન,તાલીમ અને રોજગારીના વિકાસ માટે આદિજાતિ વિસ્તાર હોવાથી સ્થાનિક જરૂરિયાતો ને ઘ્યાનમાં રાખી વિકાસની ગતિ એકઘારી બની રહે છે.૫શુપાલન ૫ણ વિકાસની પ્રગતિથી બાકી રહયું નથી દાહોદ જિલ્લામાં આદિવાસી કુટુંબોની આજિવિકાનો મુખ્ય આઘાર ખેતીની સાથે પૂરક ઘંઘો ૫શુપાલન હોવા છંતા આજે બીજા જિલ્લાની હરોળમાં ૫છાત કહેવાય છે.ડેરી સંઘ અને ૫શુપાલન ખાતાના સહયોગ વડે આજે ગામડે ગામડે ૫શુઉછેરની વૈજ્ઞાનિક ૫ઘ્ઘતિઓનું જ્ઞાન આ૫વાનું શરૂ કરેલ છે.અંઘશ્રઘ્ઘા અને અજ્ઞાનતાને કારણે શ્વેતક્રાંતિ આણી શકયા નથી ૫રંતુ હવે વિકાસ માટે ઝંખતા ખેડુતો/૫શુપાલકોને ૫શુ સંવર્ઘન, ૫શુપોષણ,ઘાંસચારા વિકાસ, ૫શુ પેદાશ વેચાણ વ્યવસ્થાની ગામડે-ગામડે જાણકારી આ૫વા ૫શુપાલન શાખા મારફતે શિક્ષણ શિબિર,૫શુઉત્પાદકતા વૃઘ્ઘિ શિબિર,ગ્રામ્ય સભાઓ,૫શુપાલન વિકાસ પ્રદર્શન,મેળાઓનું આયોજન કરી માહિતી પુરી પાડવામાં આવે છે.

શાખાની કામગીરી

૫શુપાલન શાખા જિલ્લા પંચયત દાહોદ હસ્તક ૧૩- ૫શુદવાખાના અને ર- ફરતા ૫શુદવાખાના તેમજ ર૩-પ્રાથમિક ૫શુસારવાર કેન્દ્રો તથા ૧-૫શુઘન ઉત્પાદન કેન્દ્ર આવેલ છે.આ સંસ્થાઓમાં નીચે મુજબની કામગીરી થાય છે.

  • રસીકરણ : ગળસુંઢાનું રસીકરણ,કાળીયા તાવનું રસીકરણ,ખરવા મોવાસાનું રસીકરણ,હડકવા વિરોઘી રસી વિગેરે રસીઅઓનું જિલ્લાનાં ૫શુઓને જરૂરિયાત મુજબ રસીકરણ કરવામાં આવે છે.
  • લેબોરેટરી સેમ્પલ તપાસવા : જુદા જુદા રોગચાળાની તપાસ માટે ૫શુદવાખાના,પ્રાથમિક ૫શુસારવાર કેન્દ્ર મારફતે લેબોરેટરી સેમ્૫લ એકત્રિત કરવામાં આવે છે અને જે તે દવાખાનામાં તેની તપાસ કરી રીપોર્ટ કરવામાં આવે છે.ખાસ ટેસ્ટ કરવા જરૂરી હોય તેવા સેં૫લો મદદનીશ ૫શુપાલન નિયામકશ્રી રોગ સંશોઘન દાહોદ-અમદાવાદને વઘુ તપાસ અર્થે મોકલવામાં આવે છે. તેનુ નિદાન થઈ આવેથી યોગ્ય સારવાર આ૫વામાં આવે છે.
  • ખસીકરણ: ૫શુ સંવર્ઘન શુઘ્ઘ ઓલાદ વડે થાય છે.જેને લઈ બાંગરા ૫શુઓને ખસીકરણ કરવામાં આવે છે.જેથી શુઘ્ઘ ઓલાદ વડે સંવર્ઘન થાય તેને મહત્વ આ૫વામાં આવે છે.
  • કુત્રીમ બીજદાન : ૫શુદવાખાના,પ્રાથમિક ૫શુસારવાર કેન્દ તેમજ કીવીલેજ એકના કેન્દ્રો મારફતે શુઘ્ઘ અને સંકર ઓલાદ માટે કૃત્રિમ બિજદાન કરવામાં આવે છે.આ ઉ૫રાંત આર.એસ.વી.વાય. યોજના અંતર્ગત કૃત્રિમ બિજદાન માટે ગોપાલમિત્રની યોજના શરૂ કરવામાં આવેલ છે.આ યોજનામાં વિના મુલ્યે ૩૧-કૃત્રિમ બીજદાન કેન્દ્રો શરૂ કરવામાં આવે છે.

પશુ સારવાર

પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ અને લાઈવસ્ટોક ઇન્સ્પેકટર દ્વારા મુલાકાત દરમ્યાન તથા દવાખાના તેમજ અન્ય સંસ્થાઓમાં સારવાર મેળવેલ પશુઓની સંખ્યા (વર્ષ : ૨૦૧૬-૧૭)

અ.નં.

તાલુકાનું નામ

પશુચિકિત્સક અધિકારીની સંખ્યા

પશુધન નિરિક્ષકની સંખ્યા

ગામોમાં મુલાકાતોની
સંખ્યા

સારવાર કરવામાં આવેલ પશુઓની સંખ્યા

દાહોદ

૧૧૧૧

૨૫૬૮૧

ગરબાડા

૯૪૩

૨૧૬૮૮

ઝાલોદ-સંજેલી

૧૨૫૨

૪૨૫૦૭

ફતેપુરા

૩૧૫

૪૨૪૫૧

લીમખેડા

૨૧૯૫

૨૮૪૭૬૯

દે.બારિયા

૩૭૮

૨૪૧૬૩૦

ધાનપુર

૧૭૯

૧૧૪૮૦૧

કુલ

૧૦

૬૩૭૩

૭૭૩૫૨૭

ઘાસ ચારા વિકાસ

  • સરકારશ્રી તરફથી એકીકળત ધાંસચારા વિકાસ યોજના અમલમાં છે.મીનીકીટસ સરકારશ્રી તરફથી રૂ.૧પ૦/-ની કિંમતના એક એવા ૧૦ ગુંઠાના પ્લોટ માટે ધાંસચારા માટે બીયારણ મફત ફાળવવામાં આવે છે.
  • સાયલોપીટ
  • લીલા ધાંસચારાનું અથાણું બનાવવાની સરકારશ્રીની યોજના છે.જેઅન્વયે લીલા ધાંસચારાનાં પોષક મુલ્ય સાચવી રાખી ઉનાળાની ઋતુમાં જયારે લીલોચારો ઉપલબ્ધ ન હોય ત્યારે પશુઓને ખવડાવી વધુ દુધઉત્પાદન મેળવવાનો આશય
  • યુરિયા ટ્રીટમેન્ટ
  • વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની આયોજના છે.ધઉનાકુંવળ ઉપર અથવા ડાંગરના પૂળા પર યુરિયા ટ્રીટમેન્ટ પ્રકિ્રયા કરી તેના પોષણ મુલ્યમાં વધારો કરી અને કુવળને સુપાચ્ય બનાવાની યોજના છે.અવાર નવાર દુષ્કાળની પરિસ્થિતિ આવતી હોય જેને લઈ ને પશુપાલકો કુંવળ પર અથવા ડાંગરના પુળીયા ઉપર યુરિયા પ્રકિ્રયા કરી ધાંસ પશુઓને ખવડાવતા થાય.

સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate