অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભાલ વિસ્તારની ક્ષારયુક્ત જમીનની ખાસિયતો અને તેની સુધારણા

ભાલ વિસ્તારની ક્ષારયુક્ત જમીનની ખાસિયતો અને તેની સુધારણા

ભારત દેશની અંદાજે ૧૧૨ લાખ હેકટર જમીન ક્ષારીય અને ભાસ્મિક છે. ગુજરાત રાજયની કુલ જમીનનો લગભગ ૧૧ ટકા વિસ્તાર એટલે કે ૧૨ લાખ હેકટર જમીન ભાલ અને દરિયાકાંઠા હવામાન વિભાગમાં આવેલ છે. જેમાં મુખ્યત્વે નીચે જણાવેલ વિસ્તારોનો સમાવેશ થાય છે.
  1. ભરૂચ જીલ્લાના જંબુસર તથા વાગરા તાલુકાનો વિસ્તાર
  2. ખેડા જીલ્લાના માતર તાલુકો તથા તેની નજીકનો વિસ્તાર
  3. આણંદ જીલ્લાનો ખંભાત તાલુકો તથા તારાપુર આજુબાજુનો વિસ્તાર
  4. અમદાવાદ જીલ્લાના બાવળા, ધોળકા, ધંધુકા તથા ધોલેરા તાલુકા તથા તેની નજીકનો વિસ્તાર
  5. ભાવનગર જીલ્લાનો ભાવનગર તથા વલ્લભીપુર તાલુકાનો વિસ્તાર
  6. સુરેન્દ્રનગર જીલ્લાના લીમડી તાલુકો તથા તેની નજીકનો વિસ્તાર
  7. પોરબંદર જીલ્લાનો ઘેડ વિસ્તાર

ક્ષારયુક્ત જમીનોમાં પાક ઉત્પાદન ઉપર જોવા મળતી વિપરીત અસરો:

  1. જમીનમાં પૂરતો ભેજ હોવા છતાં પણ છોડને પાણી મળી શકતું નથી.
  2. જમીનમાં પોષક તત્વો હોવા છતાં પણ છોડ તેનું શોષણ કરી શકાતો નથી.
  3. જમીનમાં હવા અને પાણીની અવરજવર સંધાઈ જાય
  4. સૂક્ષ્મ જીવાણુઓની કામગીરીમાં વિક્ષેપ પડે છે.
  5. છોડ પર ક્ષારોની સીધી ઝેરી અસર જોવા મળે છે પરિણામે છોડના પાન દાઝી જાય છે અને છેવટે ખરી પડે છે.
  6. પાકની વૃદ્ધિ અને વિકાસ પર માઠી અસરો દેખાય છે.
  7. જમીનની સપાટી કઠણ થઈ જાય અને નિતારશક્તિમાં ઘટાડો થાય છે.
  8. જમીનનું ભૌતિક બંધારણ બદલાઈ જાય અને બીજના ઉગાવાના ટકામાં ઘટાડો થાય છે.
  9. આવી જમીનોમાં મુખ્યત્વે સોડિયમ, સલ્ફટ, કલોરાઈડ, બોરોન અને બાયકાર્બોનેટની ઝેરી અસર  વિવિધ પાકોમાં થાય છે.

ક્ષારયુક્ત જમીનના પ્રકાર :

ક્ષારીચ જમીન

આવી જમીનમાં મોટા પ્રમાણમાં દ્રાવ્ય ક્ષારો હોય છે. તેનો અમ્લતા આંક ૮.૫ થી ઓછો તથા વિસ્તાથપિત સોડિયમ કણો ૧૫ ટકાથી ઓછા હોય છે. આવી જમીનમાં માટીના રજકણો છૂટાછૂટા હોય છે જે ભેગા થઈ ને એક જથ્થો બને છે, પરંતુ એકબીજા સાથે જક્કડાતા નથી. ક્ષારને લીધે જમીનની સપાટી પર સફેદ છારી દેખાય છે.

ભારિક જમીન

આવી જમીનમાં કુલ દ્રાવ્ય ક્ષારોનો જથ્થો ઓછો જોવા મળે છે. જમીનનો અમ્લતા આંક ૮.૫ ટકા થી વધારે તથા વિસ્થાપિત સોડિયમના કણો ૧૫ ટકાથી વધુ હોય છે. જમીનમાં રજકણો છૂટા હોતા નથી. રજકણો સપ્તાઈથી એકબીજા સાથે જકડાઈ જનાય છે જેથી જમીન કઠણ થઈ જાય છે અને જમીન સૂકાય છે ત્યારે સપાટી પર કાળા રંગની છારી જોવા મળે છે તેમજ ટૂંકી, જાડી, ઊંડી તિરાડો જોવા મળે છે. જમીન ખેડતા મોટા ઢેફાં પડે છે.

ક્ષારીચ-ભાસ્મિક જમીન

આવી જમીનોમાં ખારી અને ભાસ્મિક જમીનમાં જોવા મળતા લક્ષણો જોવા મળે છે. જમીન સૂકી હોય ત્યારે સપાટી પરની પોચી હોય છે. અને નીચેની જમીન સખત થઈ જાય છે. ભીની જમીન ચીકણી બની જાય છે. આવી જમીનમાં ક્ષારો દૂર થઈ શકે છે પરંતુ સોડિયમ ક્ષારો દૂર થતા નથી.

જમીન સુધારણા :

આવી ક્ષતિગ્રસ્ત જમીનની ઉત્પાદકતા તથા ફળદ્રુપતા વધારવા જમીનને નવસાધ્ય કરવી ખાસ કરવી જરૂરી છે. જમીનની ઉત્પાદકતા કે ફળદ્રુપતા વધારવા માટે ત્રણ સિદ્ધાંતોને ધ્યાને લેવા જોઈએ.

  1. જમીનની ઉપર આવેલા ક્ષારોને એકઠા કરી દૂર કરવા તેમજ જમીનમાં ક્ષારોને એકત્ર થતા અટકાવવા.
  2. જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ ઓછું કરવા જમીનમાં લાંબો સમય સુધી પાણી ભરી રાખીને ક્ષારોનો નિતાર કરવો.
  3. જમીન સુધારકો જેવા કે જીપ્સમ, ફોસ્ફોજીપ્સમ તથા સેન્દ્રિય ખાતરોનો જમીનમાં વપરાશ વધારવો.

ક્ષારીચ જમીનની સુધારણા :

આ જમીનમાં છોડના મૂળ પ્રદેશોમાંથી ક્ષારને દૂર કરવા અથવા તેનાથી નીચે નિતાર કરવાથી ક્ષારોની  માઠી અસર ઘટાડી શકાય છે. સૂકી ખેતીમાં વરસાદના પાણી વડે દ્રાવ્ય ક્ષારોનો  તાર કરવાનો એક જ વિકલ્પ છે. તેથી ખેતરની ફરતે મજબૂત પાળા બાંધી વરસાદનું પાણી જમીનમાં ઉતારવાથી જમીનમાં રહેલા દ્રાવ્ય ક્ષારો છોડના મૂળ પ્રદશથી નીચે ઉતરી જાય છે. જો મીઠા પાણીની સગવડ હોય તો ઉનાળામાં મે મહિનામાં પાણી ભરીને દ્રાવ્ય સારો છોડના મૂળ પ્રદેશથી નીચે ઉતરી જાય છે. જો મીઠા પાણીની સગવડ હોય તો ઉનાળામાં મે મહિનામાં પાણી ભરીને દ્રાવ્ય ક્ષારોનો નિતાર કરી શકાય છે.

ભાસ્મિક જમીન સુધારણા :

આવી જમીનમાં વિનિમય પામતા સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. સોડિયમના પ્રમાણને ઓછું કરવા જમીનમાં રાસાયણિક જમીન સુધારકો ઉમેરીને અથવા મીઠું પાણી ભરીને જમીનનું બંધારણ સુધારવાની રીતો અપનાવી સફળ પાક ઉત્પાદન લઈ શકાય છે. જમીન સુધારકો જેવા કે જીપ્સમ (ચિરોડી) જે બજારમાં સસ્તુ અને સરળતાથી મળી રહે છે. જીપ્સમ પ્રતિ હેકટર બે ટન ચોમાસા પહેલાં જમીનમાં ભેળવી જમીનમાં ક્ષારો ઘટાડી શકાય છે. દર ચાર વર્ષે જીપ્સમ જમીનમાં ઉમેરવું જોઈએ. ક્ષારો છોડના મૂળ પ્રદશથી નીચે ઉતરી જાય છે. જો મીઠા પાણીની સગવડ હોય તો ઉનાળામાં મે મહિનામાં પાણી ભરીને દ્રાવ્ય સારો છોડના મૂળ પ્રદેશથી નીચે ઉતરી જાય છે. જો મીઠા પાણીની સગવડ હોય તો ઉનાળામાં મે મહિનામાં પાણી ભરીને દ્રાવ્ય ક્ષારોનો નિતાર કરી શકાય છે.

ક્ષારીચ-ભાસ્મિક જમીન સુધારણા :

આ પ્રકારની જમીનને નવસાધ્ય કરવા માટે તથા સફળ પાક ઉત્પાદન લેવા માટે પિયતની સગવડ હોય તો જમીન અને પાણીનું પૃથક્કરણ કરવું જરૂરી છે, કારણ કે રેતાળ જમીનમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તો તે પાકને નુકસાન કરે છે. જયારે ભારે કાળી જમીનમાં ક્ષારોનું પ્રમાણ હોવા છતાં સફળ પાક ઉત્પાદન લઈ શકાય છે. પિયત પાણીમાં તથા જમીનમાં રહેલા ક્ષારો જાણવા માટે પૃથક્કરણ રિપોર્ટ કઢાવવો જરૂરી છે, ત્યારબાદ આવી જમીનને નવસાધ્ય કરવા માટે જરૂરી પગલાં લઈ શકાય.

જમીનનું બંધારણ સુધારવું:

ઉપરોક્ત ક્ષારયુક્ત જમીનનું બંધારણ સુધારવા માટે સેન્દ્રિય ખાતરો જેવા કે ગળત્યુ છાણિયું ખાતર, દિવેલીનો ખોળ, લીલો પડવાશ તથા મરઘાંની ચરકનું ખાતર (પોસ્ટ્રી મેન્યુર) જમીનમાં ઉમેરવા જોઈએ. ઉપરાંત શેરડીના કારખાનામાંથી નીકળતી ઉપપેદાશો જેવી કે પ્રેસમડ, તેમજ મોલાસીસ પણ જમીનના બંધારણના સુધારક તરીકે કામ કરે છે. આ ઉપરાંત નદી-તળાવનો  કાંપ જમીનમાં ઉમેરવાથી જમીન સુધરે છે.

રાસાયણિક ખાતરોની પસંદગી :

જમીનનું પૃથક્કરણ કરાવીને જે પોષક તત્વો ઉમેરવાની જરૂરિયાત હોય તે પોષકતત્વો ધરાવતા ખાતરો પસંદ કરવા જોઈએ. જમીનમાં જે પાક લેવાનો હોય તે પાક માટે ભલામણ કરેલ માત્રામાં ખાતરો આપવા તથા આડેધડ ખાતરોનો વપરાશ બંધ કરવો જોઈએ. સામાન્ય રીતે ક્ષારવાળી જમીનમાં ગંધયુક્ત ખાતરો ઉમેરવા વધુ ફાયદાકારક છે. યુરિયા જેવા ખાતરનો પાયાના ખાતરને બદલે પૂર્તિ ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ.

ખેડ પદ્ધતિ :

ખેડનો આધાર જમીનની ભૌતિક સ્થિતિ તથા જમીનના પ્રકાર પર રહે છે. જો જમીનનું નિચલું પડ સખત હોય તો જમીનની નિતારશક્તિ વધારવા હળવી ઊંડી ખેડ દર ત્રણ વર્ષે કરવી જોઈએ. ખેડ કરતી વખતે જમીનને ઉલટસુલટ કરવી નહી કારણ કે તળની જમીનમાં રહેલા ક્ષારો ઉપલા પડમાં આવી જાય છે તેથી ફક્ત ઊંડી ખેડ જ કરવી.

જમીન સુધારક જીપ્સમ ફોસ્ફોજીપ્સમથી થતા ફાયદાઓ :

  1. જમીનની ભૌતિક સ્થિતિ (બાંધો) સુધારે છે તથા જમીનમાં રહેલા લભ્ય સૂક્ષ્મ જીવાણુઓને વધુ સક્રિય બનાવે છે જે જમીનમાં રહેલ સેન્દ્રિય તત્વોનું વિઘટન કરી તેમાં રહેલા પોષક તત્વો છૂટા પાડે છે અને પાકને લભ્ય બનાવે છે.
  2. જમીનની ભેજ ધારણ કરવાની શક્તિ વધારે છે તથા જમીનની છિદ્રાળુતામાં વધારો કરે છે જેથી પાકના મૂળતંત્ર સુધી હવા તથા પાણી પુરતા પ્રમાણમાં જઈ શકે છે.
  3. જમીનનો અમ્લતા આંક (પીએચ)માં ઘટાડો કરે છે અને બાંધો સુધારો છે જેથી વાવણી કરેલ બિયારણનો એકસરખો સારો ઉગાવો થાય છે. ઉપરાંત જમીન પોચી અને ભરભરી થવાથી ખેતીકામો સહેલાઈથી થઈ શકે છે.
  4. જમીનના અગત્યના પોષક તત્વો જેવા કે કેલ્શિયમ અને ગંધક જીપ્સમમાં હોય છે જે છૂટા પડી ઉમેરાય છે આથી જીપ્સમ રાસાયણિક ખાતરની ગરજ સારે છે.
  5. જીપ્સમના અભ્યાસ અને અખતરાના પરિણામોથી જાણવા મળેલ છે કે ભાસ્મિક જમીનમાં જીપ્સમ ઉમેરવાની વિવિધ પાકોમાં ઉત્પાદનમાં વધારો થયેલ
  6. ગુજરાત ૩૮ ટકા જમીનમાં ગંધકની ઉણપ છે.

વૈજ્ઞાનિક તારણો મુજબ ધાન્યપાકો, કઠોળપાકો તેમજ તેલીબિયાં પાકો જમીનમાંથી સારા પ્રમાણમાં ગંધકનું શોષણ કરે છે. જમીનમાં જીપ્સમ આપવાથી ૧૫ થી ૨૦ ટકા ગંધક જમીનમાં ઉમેરાય છે જે વધુ પાક ઉત્પાદનમાં તથા ગુણવત્તામાં ઉપયોગી નિવડે છે.

જીપ્સમને જમીનમાં ઉમેરતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ :

  1. જમીનના નમૂનાની ચકાસણી જમીન ચકાસણી પ્રયોગશાળામાં કરાવવી.
  2. જમીનનું સોઈલ હેલ્થ કાર્ડ અથવા પૃથક્કરણ રિપોર્ટના આધારે જરૂર મુજબ જીપ્સમ આપવું. અંદાજીત એક એકર જમીનમાં એક ટન જેટલું જીપ્સમ ભેળવવું જોઈએ. જીપ્સમ જમીનમાં ઊંડે ન આપતા ફકત આખા ખેતરમાં જમીનના ઉપલા પડમાં સરખા ભાગે વેરીને હળવી ખેડ કરીને માટી સાથે ભેળવી દેવું.
  3. જમીન તૈયાર કરતા પહેલાં મે મહિનામાં જીપ્સમ આપવું વધુ ફાયદાકારક છે.
  4. જીપ્સમ જમીનમાં બરાબર ભેળવ્યા બાદ ચોમાસામાંવરસાદનું પાણી ખેતરમાં ભરી રાખવું ત્યારબાદ પાણીનો નિતાર દ્વારા નિકાલ કરવો. જમીન બરાબર વરાપે આવે પછી જ પાકનું વાવેતર કરવું જોઈએ.

સ્ત્રોત : જુલાઈ-૨૦૧૭, વર્ષ :૭૦, સળંગ અંક :૮૩૧, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate