অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ક્ષારીય જમીનમાં જળ અને જમીનનું વ્યવસ્થાપન

ક્ષારીય જમીનમાં જળ અને જમીનનું વ્યવસ્થાપન

જમીનમાં રહેલા ક્ષારો જમીનમાં બે રીતે અસર કરે છે.
  1. જમીનમાં પુરતો ભેજ હોવા છતાં છોડને પાણી મળી શકતું નથી તેવી જ રીતે જમીનમાં લભ્ય પોષક તત્વો હોવો છતાં છોડ તેનું શોષણ કરી શકતો કરી શકતો નથી અને
  2. છોડ ઉપર ક્ષારોની સીધી ઝેરી અસર જોવા મળે છે. આના ખાસ લક્ષણો તરીકે છોડના પાન બળે છે તથા પાન ખરી પડે છે. ક્ષારીય-ભાસ્મિક પ્રકારની જમીનમાં રહેલા મુખ્યત્વે સોડીયમ, સલ્ફટ, કલોરાઇડ, બોરોન અને બાયકાર્બોનેટના ક્ષારો ઝેરી અસર જુદા જુદામાં જુદી જુદી હોય છે.

જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે તે જમીનને ક્ષારીય જમીન કહે છે એટલે કે જમીનના નિષ્કર્ષણની વિધુતવાહકતા ૪.૦ ડેસી સાયમન મીટર થી વધારે વિનિમય પામતા સોડિયમ ૧૫ ટકા થી ઓછા અને અમ્લતા આંક ૮.૫ થી ઓછો હોય તેવી જમીનને ક્ષારીય અથવા સફેદ આલ્કલી જમીન કહે છે. જમીનની સપાટી ઉપર એકત્રિત થતા સફેદ ક્ષારો મોટે ભાગે કેલ્શિયમ, મેગ્નેશિયમ કલોરાઈડ, સલ્ફટ, કાર્બોનેટ અને બાયકાર્બોનેટના ક્ષારો હોય છે અને આ ક્ષારોને કારણે જમીન ઉપર સફેદ છારી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં જમીનના રજકણો છૂટા છૂટા રહે છે અને એ રજકણો ભેગા થઈ એક જથ્થો બને છે, પરંતુ એકબીજા સાથે જકડાતા નથી અને જમીન ભરભરી રહે છે. તેથી હવાને અને પાણી તેમની વચ્ચે સહેલાઈથી અવર જવર કરી શકે છે. વધારે પ્રમાણમાં દ્રાવ્ય ક્ષારોને કારણે જમીનમાં રસાકર્ષણ દાબ વધવાથી છોડ પાણી કે પોષક તત્વો લઈ શકતા ન હોવાને કારણે સૂકાઈ જાય છે.

ક્ષારમચ જમીન બનવાના મુખ્ય કારણોઃ

  • જમીન બનવાના ખડકોમાં ક્ષારનું પ્રમાણ વધુ ખારા પાણીના સતત પિયતથી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતું જાય
  • સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં બાષ્પીભવનથી જમીનના તળના ક્ષાર સપાટી પર જમા થાય સતત ઉલેચાતા ભૂગર્ભના મીઠા પાણીને લીધે સમુદ્રના ખારા પાણી મીઠા પાણીનું સ્થાન લઇ પાણીના ઊંચા તળને લીધે જમીનમાં ક્ષાર ઉપર આવે
  • નહેરોના પાણીનો વધુ પડતો ઉપયોગ તથા કેનાલના પાળામાંથી પાણીના જમણના પાણીના તળ ઊંચા આવવાના કારણે જમીનની નબળી નિતારશકિત દરિયાની ભરતીના પાણીનું જમીન પર ફરી વળવું પવનથી ક્ષારોનું સ્થળાંતર કારખાનાઓમાંથી નીકળેલ નકામા પાણીનો ખેતીમાં થતો ઉપયોગ.

ક્ષારમચ જમીનમાં ખેતી શા માટે મુશ્કેલ છે

આ પ્રશ્નનો ઉતર કોઈ એક વાક્યમાં અશક્ય છે. જમીનની ખારાશનું ધોરણ પ્રકાર,આબોહવા, ભૂસ્તરિય સ્થિતિ વગેરે અનેક બાબતો પ્રમાણે ક્ષારમય જમીનની ખેતીમાં વિવિધ અડચણો ઊભી થાય છે જેવી કે, બીજનું જલ્દી ફુરણ ન થવું,ઓછા પ્રમાણમાં ફુરણ થવું અને છોડની સંખ્યા જળવાતી નથી ખેતરમાં વરાપ મોડી આવે છે. જમીનની સપાટી પર કઠણ પોપડી થઈ જાય છે. જમીન ભીની હોય ત્યારે ચીકણી અને સૂકાય જાય ત્યારે કઠણ થઈ જાય છે. જમીન ખેડવાથી મોટા ઢેફાં પડે છે. જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની કાર્યક્ષમતા ઘટે છે. આંતરખેડ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. જમીનમાં રહેલા પોષક તત્વો અલભ્ય રૂપમાં ફેરવાઈ જતા હોવાથી પાકમાં પોષકતત્વોની ખામીના ચિન્હો જોવા મળે છે. જમીનની નિતાર શકિત ઓછી થઈ જાય છે જેના લીધે જળમગ્નતનો પશ્ન રહે છે. જમીનમાં પૂરતો ભેજ હોય તેવું જણાય અને પાક પીળો અને નિસ્તેજ જોવા મળે જેથી પાકનો વિકાસ રૂધાય છે. જમીનની ભૌતિક સ્થિત બગડે છે. પાકના મૂળ | વિસ્તારમાં ક્ષારનું પ્રમાણ વધવાથી રસાકર્ષણ દાબ વધે,

જેને કારણે છોડમાં રહેલ રસ પાછો ખેંચાઈ આવે છે અને પાક ચીમળાવા લાગે છે. વધુ ક્ષારવાળી જમીનમાં પાક ઉગી શકતો નથી છોડ ઠીંગણા રહેછોડના પાન નાના રહે, થડ અને ડાળીઓ ટૂંકી રહે અને પાનનો રંગ ભૂરાશ પડતો લીલો રહે ફૂલ ન બેસવા,ફળ ઓછા બેસે, વંધ્યત્વ અને દાણાનું કદ નાનું રહે.

ક્ષારમચ જમીનનું વ્યવસ્થાપન :

ક્ષારીય જમીનમાં ક્ષારોને સારી ગુણવત્તાવાળા પિયત પાણી અથવા વરસાદના પાણીથી નિતાર દ્રારા દૂર કરવા જોઈએ ક્ષારીય જમીનમાં જો પાણીનું તળ બહુ ઊંડુ હોય તો જમીનને સમતલ બનાવી નાની ક્યારીઓ બનાવવી,નિતાર શકિત વધારવા છાણીયું ખાતર અથવા ચોમાસામાં વરસાદનું પાણી ભરી રાખવાથી ક્ષાર નિતાર દ્રારા જમીનની અંદર ઉતરી જાય છે. કેટલાક વિસ્તારમાં પાણીનું તળ ઘણું જ ઊંચુ હોવાથી ઉપર પ્રમાણેની રીત કામમાં લાગતી નથી.આવા વિસ્તારમાં પાણીનો કરકસર ઉપયોગ કરી,ઝમણ, નીકો(૧ થી ૧.૫ મી ઊંડી) દ્વારા અથવા જમીનની અંદર કાણાંવાળી પીવીસી નિતાર પાઈપ ગોઠવી પાણીનું તળ નિયમિત કરી શકાય.

ક્ષારીય જમીનમાં વાવેતર પધ્ધતિમાં પણ થોડો સુધારા કરવાથી એટલે કે બ્રોડ બેડ ફરો પધ્ધતિથી વાવેતર કરવાથી પાકનો વિકાસ અને વૃધ્ધિ સારા થાય છે અને સરવાળે પાક ઉત્પાદકતામાં વધારો થાય છે.પહોળા માથાવાળા નીકપાળા બનાવી ઢાળની બન્ને બાજુએ છોડ ઉગાડવાથી ક્ષારની અસર ઘટાડી શકાય અને બીજનો ઉગાવો સારો મળે છે. આ ઉપરાંત ક્ષારીય જમીનમાં સેન્દ્રિય ખાતરો જેવા કે છાણિયુ ખાતર,પ્રેસમડ, કમ્પોસ્ટ, ઈકકડનો લીલો પડવાશ પાકના અવશેષોને જમીનમાં ઉમેરવાથી પણ આવી જમીનોની સુધારણા થઈ શકે છે. આવી જમીનોમાં ખેતી કરવા માટે તેને પ્રથમ સમતળ બનાવી,નાની નાની ક્યારીઓ અને નિતાર નીકો તૈયાર કરવી જોઈએ અને વરાપ હોય ત્યારે જ ખેડ કરી જમીન તૈયાર કરવી જોઈએ જમીનમાં સેન્દ્રિય ખાતર યોગ્ય રીતે મિશ્ર કર્યા પછી ચોમાસામાં વરસાદનું પાણી ભરી રાખવું જોઈએ. સામાન્ય રીતે ક્ષારીય જમીનોમાં ક્ષાર પ્રતિરોધક પાકો લેવાથી નફાકારક ઉત્પાદન મેળવી શકાય છે.

ક્ષારીય જમીનમાં કેવા પાકોની પસંદગી કરવી જોઈએ?

જુદા જુદા પાક તેમજ પાકની જાતની ક્ષાર સહન કરવાની શકિત અલગ અલગ હોય છે. જમીનની ક્ષારીયતા જાણી તેને અનુરૂપ પાકોની પસંદગી કરવી.

ક્ષારીય જમીનમાં પિયત વ્યવસ્થાપન

ક્ષારમય જમીન ભીની જણાતી હોય છે, પરંતુ પાકને લભ્ય પાણી ઓછું હોય છે. તેથી જમીનમાં દેખાતી ભીનાશ હોવા છતાં પાકને તે પાણી દેહધાર્મિક રીતે લભ્ય હોતું નથી. તેની ક્ષારમય જમીનોમાં પિયત વ્યવસ્થા મહત્ત્વની બની જાય છે. વળી આવી જમીનમાં પાકની પોતાની પાણીની જરૂરિયાત ઉપરાંત જમીનમાંથી ક્ષાર નીચે નિતરે તે માટે વધારાના પાણીનો જથ્થો આપવો પડે છે. સામાન્ય રીતે ક્ષારમય જમીનમાં પાકની પાણીની જરૂરિયાતનાં જથ્થા ઉપરાંત ૧/૪ ભાગ જેટલો વધારાનો જુથો પિયતમાં આપવો કે જે ખરેખર ક્ષારના નિતાર માટે જરૂરી છે. ક્ષારીય જમીનમાં ક્ષારો મૂળ વિસ્તારમાંથી નીચે રહે તે માટે વારંવાર પણ થોડા જથ્થામાં પાણી આપવું જોઈએ. તે માટે નાના સપાટ કયારામાં જમીન ઉપર વધારે છૂટું પાણી આપવાની પદ્ધતિથી જમીન સમતળ હોવાથી પાણીનું એકસરખુ પ્રસરણ અને નિતાર થતો હોઈ આ પદ્ધતિથી ક્ષારનું નિયંત્રણ સારું થાય છે. આ વધુ હોય તો પાકને હારમાં વાવીને નીકપાળા પદ્ધતિથી પિયત આપવું અને પાકને પાળા કે નીક પર ન વાવતાં પાળાના વચ્ચેના ભાગમાં વાવવો જોઈએ કારણ કે પાણીમાં રહેલા ક્ષારો નીકમાં અને પાળાની ટોચમાં જમા થાય છે જેથી પાક નિષ્ફળ જવાના સંજોગો વધી જાય છે. ક્ષારવાળું પાણી હોય તો તેને ટપક પદ્ધતિથી આપી શકાય પરંતુ ટપક પદ્ધતિની નળીઓને સમયાંતરે એસિડ ટ્રીટમેન્ટ આપીને સાફ કરવી જોઈએ.

ખારા પાણીથી પિયત કેવી રીતે કરશો?

  1. પિયત માટે એકાંતરે નીક પદ્ધતિનો ઉપયોગ કરવો. જે નીકમાં પાણી આપો તેની બન્ને બાજુના ઢોળાવ પર તળીયાથી સહેજ ઊંચે બીજનું વાવેતર કરવું.
  2. ભલામણ મુજબની સિંચાઈ, જરૂરિયાત પ્રમાણેનું વધારાનું પાણી દર બે કે ત્રણ પિયત વખતે એકાદ વખત આપવું જેથી ક્ષારો છોડનાં મૂળ વિસ્તારની જમીનમાંથી ઊંડે ઉતરી જશે, પરિણામે છોડને થતાં નુકસાનમાંથી બચાવી શકાય.
  3. ખૂબ જ સૂકા, રેતાળ કે રણ વિસ્તારમાં પાણીની બહુજ ખેંચ હોય ત્યાં સિંચાઈની ટપક પિયત પદ્ધતિ અપનાવવી જેથી લભ્ય પાણીનો મર્યાદિત અને કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય.
  4. પિયતનું પાણી પ્રમાણમાં થોડું પરંતુ ટુંકા ગાળે આપો, આવી જમીનમાં ભેજની ખેંચ થવા દેવી નહિ. આ માટે ટપક પિયત પદ્ધતિથી પિયત આપવું.

આવરણ (આચ્છાદાન) :

ક્ષારીય જમીનમાં આવરણ એટલે કે માત્ર બાષ્પીભવન ન ઘટાડતા સાથે સાથે જમીનમાં ઉપલા પડમાં જમા થતો ક્ષાર પણ ઘટાડે છે. આથી જ જમીનની સપાટી પર પાકના અવશેષો, માટીનું આવરણ કે પ્લાસ્ટિક સીટનું આવરણ મહત્ત્વનું છે. કચ્છ-વાગડમાં કપાસમાં કાલાનું આવરણ પ્રચલિત છે. બાગાયતી પાકોમાં ડાંગરનું પરાળ કે ઘઉંનું કુંવળ પણ આવરણમાં વાપરી શકાય. પહોળા પાટલે વવાતા પાકોમાં પથરાતા આંતરપાકો (ચોળા, મગ, મઠ, મગફળી) વગેરે વાવવાથી પણ જમીનની સપાટી ઢંકાયેલી રહેવાથી જમીનની ઉપલી સપાટી પર ક્ષાર ઓછો જમા થશે. આ રીતે લેવાયેલ પથરાતા પાકો જૈવિક આવરણનું કાર્ય કરે છે. અત્યારે બજારમાં મળતી પ્લાસ્ટિક સીટનો આવરણ તરીકે ઘણા પાકમાં ઉપયોગ થાય છે અને તેના પરિણામો ઘણા સારા માલૂમ પડેલ છે.

પિયત માટે ધ્યાનમાં લેવાની પાયાની બાબતો :

  • ઓછા પાણીની જરૂરિયાતવાળા પાકોની પસંદગી કરવી.
  • જે તે પાકને તેની કટોકટી અવસ્થાએ જ પિયત આપવું. પાણીનો બચાવ અને જમીનની તંદુરસ્તી જળવાય રહે તે માટે સૂક્ષ્મ પિયત જેવી કે ટપક, ફૂવારા પદ્ધતિઓ અપનાવવી. જમીનમાં પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જેથી જમીનની ભેજધારણ શક્તિ, ફળદ્રુપતા તેમજ ભૌતિક પરિસ્થિતિ સુધારી શકાય.
  • પાકને ક્ષારની અસર ઓછી કરવા આવરણનો ઉપયોગ કરવો. નિતાર વ્યવસ્થા અનિવાર્યપણે ગોઠવવી.

ક્ષારીય જમીનોમાં પિયત પદ્ધતિ ખૂબ જ અગત્યની છે તેથી જયાં પૂરતા પાણીની વ્યવસ્થા હોય ત્યાં ક્યારી બનાવી વધારે પાણી આપવાથી ક્ષારો નિતાર દ્વારા જમીનમાં નીચે ઉતરી જાય છે. પરંતુ જયાં મર્યાદિત પાણી હોય અને પાણીની ગુણવત્તા સારી ન હોય અને જમીનમાં પાણીનો નિતાર પણ નબળો હોય ત્યારે જમીનમાં વધારે પાણી આપવાથી છોડના મૂળ વિસ્તારમાં વધારે સારો જમા થાય તે અટકાવવા ટપક કે ફુવારા પદ્ધતિથી પિયત આપી ભેજનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાથી જમીનમાં ક્ષારોની સાંદ્રતા ઘટાડી શકાય છે અને તે રીતે પાક ઉપર ક્ષારની વિપરીત અસર ઓછી કરી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.

સ્ત્રોત : નવેમ્બર-ર૦૧૬,વર્ષ: ૬૯ અંક:૭ , સળંગ અંક: ૮૨૩, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate