অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સેન્દ્રિય ખેતીના મૂળભૂત અંગો, ધારાધોરણો અને પ્રમાણન

સેન્દ્રિય ખેતીના મૂળભૂત અંગો, ધારાધોરણો અને પ્રમાણન

  1. વિશ્વ કક્ષાએ સેન્દ્રિય ખેતી:
  2. સેન્દ્રિય ખેતીનાં મુળભૂત અંગો:
    1. પાક અને જમીન વ્યવસ્થા :
    2. પાક અવશેષોનો પુનઃ ઉપયોગ :
    3. બિનરાસાયણિક નીંદણ નિયંત્રણ :
    4. બિનરાસાયણિક રોગ-જીવાત નિયંત્રણના ઉપાયો :
    5. જેવિક ખાતરો :
    6. લીલો પડવાશ :
    7. અળસિયાનું ખાતર :
    8. સંકલિત પોષણ વ્યવસ્થા :
  3. સેન્દ્રિય ખેતીમાં પાક ઉત્પાદન :
  4. સેન્દ્રિય પેદાશ અને તેની ગુણવત્તા :
  5. સેન્દ્રિય ખેતીને અવરોધરૂપ પરિબળો
  6. સેન્દ્રિય ખેતીના ધારાધોરણો:
  7. સેન્દ્રિય ખેતીના ધારાધોરણોનું વર્ગીકરણ :
  8. ધારાધોરણોના પ્રકાર :
    1. પાકની જાતની પસંદગીના ધારાધોરણો :
    2. સેન્દ્રિય પોષક તત્વો માટેનાં ધારાધોરણો :
    3. પાકની ફેરબદલીના ધારાધોરણો :
    4. નીંદણ, રોગ/ જીવાત વ્યવસ્થાપનના ધારાધોરણો:
    5. પાક સંરક્ષણને લગતાં ઉત્પાદનોના ધારાધોરણો :
    6. સેન્દ્રિય પોષક તત્વો માટેનાં ધારાધોરણો :
    7. જળ અને જમીન સંરક્ષણના ધારાધોરણો:
    8. પેકેજીંગ માટેના ધારાધોરણો :
    9. લેબલિંગ માટેનાં ધારાધોરણો :
  9. પ્રમાણપત્ર / જૂથ પ્રમાણપત્ર માટેની પ્રક્રિયા :
  10. ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફિકેટ એજન્સી :
  11. સેન્દ્રિય ખેતી પ્રમાણનના તબક્કાઓ :
  12. સેન્દ્રિય ખેતી માટેનું સર્ટિફિકેટ ક્યાંથી મેળવશો?

વિશ્વ કક્ષાએ સેન્દ્રિય ખેતી:

વિશ્વમાં મુખ્યત્વે અમેરિકા, યુરોપ, જાપાન, ક્યુબા અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં સેન્દ્રિય ખેતીનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. વિશ્વમાં મુખ્યત્વે અમેરિકા, યુરોપ, જાપાનમાં સેન્દ્રિય પેદાશનું બજાર છે. સને ૧૯૯૭ માં ૧૦.૫ બિલિયન ડોલરનું બજાર હતું જે ૨૦૦૬ માં ૧૦૦ બિલિયન ડોલરનું થયેલ છે. સેન્દ્રિય પેદાશોનો વપરાશ વધે તેથી સ્વાભાવિક છે કે સેન્દ્રિય ખેતીનો વિસ્તાર પણ વધે જ. યુરોપ દેશોમાં ખેડૂતોને સબસિડી આપીને સેન્દ્રિય ખેતીનો વ્યાપ વધારાય છે. સને ૧૯૮૯ માં ૧૭ દેશોમાં કુલ ૩૫,૦૦૦ સેન્દ્રિય ફાર્મ હતા. તાજેતરમાં થયેલ સર્વે પ્રમાણે અમેરિકા અને જર્મનીમાં ૬ થી ૭ ટકા ફાર્મ તરીકે રજીસ્ટર્ડ થયેલાં છે. ક્યુબાની ખેતી સંપૂર્ણ સેન્દ્રિય ખેતી તરફ જઈ રહી છે. ક્યુબાના સેન્દ્રિય ખેતી સંગઠનને વેકલ્પિક નોબલ પુરસ્કાર સમો રાઈટ લાઈવલીહૂડ એવોર્ડ એનાયત કરાયો છે.

ભારતમાંથી હાલ કોફી, મરી-મસાલાના પાક તથા બામસતી ચોખાની આશરે ૧ થી ૨ કરોડની સેન્દ્રિય પેદાશ તરીકે નિકાસ થાય છે. ભારતમાં અમુક વિસ્તારો સેન્દ્રિય ખેતી માટે મળી શકે તેમ છે જેમકે મધ્ય પ્રદેશનો માળવા પ્રદેશ, ગુજરાતનો ભાલ અને ઘેડ પ્રદેશ કે જે બિનપિયત ઘઉંના મોટો વિસ્તાર ધરાવે છે. પંજાબ હરિયાણામાં સેન્દ્રિય બાસમતી ચોખા તથા હિમાચલ પ્રદેશમાં ફળો અને શાકભાજી સેન્દ્રિય ખેતીના વિસ્તારો જોવા મળે છે.

સેન્દ્રિય ખેતીનાં મુળભૂત અંગો:

પાક અને જમીન વ્યવસ્થા :

સેન્દ્રિય ખેતીમાં ખાસ કરીને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પાક ફેરબદલી ઉપર ભાર મુકવામાં આવે છે અને સેન્દ્રિય ખાતરોનો વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે.

પાક અવશેષોનો પુનઃ ઉપયોગ :

સને ૧૯૯૯-૨૦૦૦ માં અનાજનું ૨,૦૬૦ લાખ ટન ઉત્પાદન થયું હતું જે માટેઅંદાજે ૨૮૦ લાખ ટન પોષક તત્વો (નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ)નું જમીનમાંથી શોષણ થાય. આમાંથી ૧૮૩.૭ લાખ ટન રાસાયણિક ખાતરોમાંથી પુરા પડે જયારે ૪૦ લાખ ટન સેન્દ્રિય ત્રોતમાંથી પુરા પડે છે. આ હિસાબે ૫૬.૩ લાખ ટન પોષક તત્વોની ચોપ્ખી ખાધ રહે છે. આ ખાધ્ય વધે નહી તેમજ જમીનનું બંધારણ જળવાઈ રહે તે માટે પાક અવશેષોનો પુનઃ ઉપયોગ રવો ખુબ જ જરૂરી છે.પાક અવશેષોનો પુનઃઉપયોગની મુખ્ય પાંચ રીતો છે :

  • ગળતીયુ કે છાણીયુ ખાતર બનાવીને : ઈન્દોર, બેગ્લોર અથવા નેડેપ અથવા વર્મિકમ્પોસ્ટ પધ્ધતિ વગેરેમાંથી અનુકૂળ પધ્ધતિ પસંદ કરી ગળતીયુ ખાતર તેયાર કરી પાકને આપવું જોઈએ. આ ઉપરાંત આદર્શ છાણીયુ ખાતર તેયાક કરી પાકને આપવું જોઈએ.
  • પાક અવશેષોનું કમ્પોસ્ટ બનાવીને : ઘણી વખત ઘઉંનું કુંવળ. કપાસ, એરંડાની સાંઠી, શેરડીની પાતરી, વગેરેના પાક અવશેષોને ખેડૂતો જમીન ઉપર બાળી નાશ કરતા હોય છે. આ રીત બરાબર નથી. તેથી આવા પાકના અવશેષો ન બાળતાં આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિથી ગળતીયુ ખાતર તૈયાર કરી આપવું જોઈએ.
  • પાક અવશેષો જમીનમાં દાટીને :વર્તમાન સમયમાં ઘઉં જેવા પાકની કાપણી માટે કમ્બાઈન હાર્વેસ્ટરનો ઉપયોગ મોટા ભાગે થાય છે જેથી પાકના ૫૦% અવશેષો જમીનમાં રહે છે. વળી શેરડી, કપાસ, એરંડા, જુવાર, બાજરી જેવા પાકોની કાપણી પછી જમીન પરના પાક અવશેષો રોટાવેટર નામનાં સાધનથી તેના નાના નાના ટુકડા કરી જમીનમાં સીધા ભેળવી શકાય છે.
  • જમીનની સપાટી ઉપર આવરણ તરીકે ઉપયોગ : પાકના અવશેષો વાવેતર કરેલ પાકની બે હાર વચ્ચે પાથરવામાં આવે તો જમીનનું ધોવાણ અટકે છે, જમીનમાંથી થતું બાષ્પીભવન અટકે છે, નીંદણનું નિયંત્રણ થાય છે, જમીનનું ઉષ્ણતામાન જળવાઈ રહે છે અને જમીનમાં સુક્ષ્મ જીવોનું પ્રમાણ વધે છે. સરવાળે જમીનની ઉત્પાદકતામાં વધારો થાય છે.
  • (ચ) ખોળનો સીધો ઉપયોગ : દિવેલીના ખોળ જેવા અખાધ ખોળનો સીધો ઉપયોગ વિવિધ પાકોમાં કરી શકાય છે. તેમાં ૫.૭% નાઈટ્રોજન, ૦.૭૮% ફોસ્ફરસ અને ૧.૪૦ ટકા પોટાશ રહેલું છે.

બિનરાસાયણિક નીંદણ નિયંત્રણ :

રસાયણોનો ઉપયોગ કર્યા સિવાય પાક ફેરબદલીથી ખાસ કરીને પરોપજીવી પ્રકારનાં તેમજ અમુક પાક સાથે જ થતાં નીંદણોનું નિયંત્રણ સારી રીતે કરી શકાય છે. આ ઉપરાંત નીંદણ સાથે હરિફાઈ કરતાં પાકોનું વાવેતર નીંદણનું નિયંત્રણ સારી રીતે કરી શકાય છે.

ખેતી કાર્યો જેવાકે પાકના વાવેતર પહેલાંની ખેડ, ઊભા પાકમાં કરવામાં આવતી આંતરખેડ તથા પાક પુરો થાય પછીની પાછોતરી ખેડ દ્વારા ઉપરાંત ઊભા પાકમાં હાથ નીંદામણ દ્વારા પણ રસાયણોનો ઉપયોગ કર્યા સિવાય નીંદણોનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.

કાર્યક્ષમ પિયત પધ્ધતિ જેવી ટપક પધ્ધતિનો ઉપયોગ કરવાથી નીંદણનો ઉપદ્રવ લગભગ ૬૦ થી ૭૦% સુધી ઘટાડી શકાય છે. જેવિક નીંદણનાશક કે જેમાં સુક્ષ્મ જીવાણુનુ કલ્ચર બનાવી (બાયો હરબીસાઈડ) અથવા કૃગના બીજાણુ અથવા માયસેલીનું કીટકો દ્વારા પણ નીંદણનું નિયંત્રણ કરી શકાય છે. દા.ત. લેન્ટેનાનું નિયંત્રણ ટેલેનોમીઆ સ્કુપ્યુલોસા કીટકથી કરી શકાય છે.

બિનરાસાયણિક રોગ-જીવાત નિયંત્રણના ઉપાયો :

  1. ઉનાળામાં ઊંડી ખેડ કરવી કે જેથી સખત ગરમીથી જમીનમાં રહેલા કીટકોનાં ઈંડાં , કોશેટાનો નાશ થાય છે.
  2. રોગ અને જીવાતનો પ્રતિકાર કરતાં પાક અને તેની જાતોનું વાવેતર કરવું. દા.ત. કપાસની હાઈબ્રિડ-૮ જાત તડતડીયાં સામે પ્રતિકારક છે, જયારે ચણાની આઈસીસીસી-૩૭ જાત સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
  3. પિંજર પાક દ્ર્રેપ ક્રોપ) નું વાવેતર કરવું.
  4. ફેરોમોન ટ્રેપ અથવા લાઈટ ટ્રેપનો ઉપયોગ કરવો.
  5. પરજીવી અને પરભક્ષીઓ છોડીને દા.ત. દાળીયા કીટકથી મોલો-મશીનું નિયંત્રણ થાય છે.
  6. જેવિક રસાયણો જેવાકે લીંબોળીનું તેલ, તમાકુનો ઉકાળો વગેરેથી જીવાત નિયંત્રણ.
  7. કેટલાંક બેક્ટેરીયા જેવાકે બેસિલસ થુરેન્જીએન્સીસ (બીટી)થી કેટરપીલર અને બીટલ ગ્રબ્સનું નિયંત્રણ.
  8. ન્યુક્લીયસ પોલી હાઈડ્રોસીસ વાયરસ (એન.પી. વી.) દ્વારા લીલી ઈયળ, સ્પોડોપ્ટેરા, દિવેલાની ઘોડીયા ઈયળ અને શણના કાતરાનું નિયંત્રણ.
  9. ટ્રાયકોડર્મા વીરીડી, ટ્રાયકોડર્મા હાર્જીયાનમ વગેરેથી મગફળી, ટામેટા, સુગરબીટ, શેરડીમાં સુકારા રોગનું નિયંત્રણ કરી શકાય છે.

જેવિક ખાતરો :

નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવા જેવિક ખાતરોમાં જુદા જુદા પ્રકારના જીવાણુંઓ જેવાકે (૧) રાઈઝોબિયમ અને બ્રેડીરાયઝોબિયમ (૨) એઝેટોબેકટર (૩) એઝોસ્પારીલમ (૪) અઝોલા અને (૫) બ્લ્યુ ગ્રીન આલ્ગીનો ઉપયોગ થાય છે. ફોસ્ફરસને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવા માટે શ્યૂડોમોનાસ જેવા જીવાણુના જેવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પોટાશ તેમજ સુક્ષ્મ તત્વોને દ્વાવ્ય કરતાં અસરકારક બેકટેરીયા પણ જાણવા મળેલ છે. જેવિક ખાતરોના ઉપયોગથી રાસાયણિક ખાતરના વપરાશમાં રપ થી ૩૦% નો ઘટાડો કરી શકાય છે.

લીલો પડવાશ :

લીલો પડવાશ જમીનની ફળટ્ટુપતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે. આમાં કઠોળ વર્ગના પાકો જેવા કે શણ, ઈક્કડ, ગુવાર, ચોળા વગેરેનો સમાવેશ થાય છે. આ પાકો દ્વારા ૪૦ થી ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેકટરે ઉમેરાય છે.

અળસિયાનું ખાતર :

વિઘટનશીલ કાર્બનિક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મિકમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨પ૫% નાઈટ્રોજન, ૧.૫૦-૨.રપ% ફોસ્ફરસ અને ૧.૨રપ૫-ર.૦૦% પોટાશ તત્વ હોય છે. અળસિયાનું ખાતર ૧ થી ૨.૫ ટન પ્રમાણે પાકના વાવેતર સમયે આપી શકાય છે અથવા બાગાયતી પિયત પાકોમાં અળસિયા ૧ થી ર લાખ પ્રતિ હેકટર સંખ્યા પ્રમાણે સીધા જમીનમાં આપીને વર્મિકલ્ચરથી ફાયદો મેળવી શકાય છે.

સંકલિત પોષણ વ્યવસ્થા :

સંકલિત પોષણ વ્યવસ્થા અપનાવી સેન્દ્રિય ખાતરો , જેવિક ખાતરો તેમજ રાસાયણિક ખાતરોનો સમન્વય કરી પાકનું ઉત્પાદન લેવું હિતાવહ છે.

સેન્દ્રિય ખેતીમાં પાક ઉત્પાદન :

પાક ઉત્પાદનનો આધાર જમીનની ફળદ્રુપતા કરતાં તેની ઉત્પાદકત્તા ઉપર વધુ રહે છે. લાંબાગાળાના સંશોધન અખતરાના તારણો ઉપરથી જાણી શકાયેલ છે કે એકલા રાસાયણિક ખાતરોના વપરાશથી શરૂઆતમાં પાક ઉત્પાદન સેન્દ્રિય ખાતરોની સરખામણીમાં વધારે મળે છે, પરંતુ લાંબા ગાળામાં રાસાયણિક ખાતરના ઉપયોગથી પાક ઉત્પાદનમાં સતત ઘટાડો થતો જોવા મળે છે. જયારે એકલા સેન્દ્રિય અથવા છાણીયા ખાતરના ઉપયોગથી શરૂઆતમાં પાક ઉત્પાદન રાસાયણિક ખાતરોની સરખામણીમાં ઓછુ મળે છે, પરંતુ લાંબે ગાળે પાક ઉત્પાદન વધવાની સાથે એકધારૂ મળે છે.

સેન્દ્રિય પેદાશ અને તેની ગુણવત્તા :

સેન્દ્રિય ખેતીથી ઉત્પાદિત થયેલ ખાઘપદાર્થો ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં, સારા સ્વાદવાળા અને તંદુરસ્ત મળે છે, જેમાં મનુષ્યની તંદુરસ્તીને નુકશાનરૂપ રસાયણો ન હોઈ, આવા સેષ્દ્રિય ઉત્પાદનનો માંગ દેશ અને વિદેશમાં સતત વધતી જોવા મળે છે અને ગ્રાહકો તેના વધારે ભાવ આપવા પણ રાજી છે.

સેન્દ્રિય ખેતીને અવરોધરૂપ પરિબળો

  1. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે.
  2. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પુરતા ભાવો મળતા નથી - સરકારનાં હસ્તક્ષેપની જરૂર છે.
  3. રોગ અને જીવાતનાં જેવિક નિયંત્રણ માટે પુરતી અસકારક જૈવિક દવાઓ ઉપલબ્ધ નથી.
  4. ખેડૂતો પાસે ખેતીના એકમો નાના હોઈ અને સેન્દ્રિય ખેતીમાં શરૂઆતમાં પાક ઉત્પાદન ઘટતુ હોઈ ખેડૂતો સેન્દ્રિય અપનાવતા અચકાય છે.
  5. આપણા દેશમાં અને ગુજરાતમાં ખેતીમાં મોટા પ્રમાણમાં પધ્ધતિ કે ભાગીયા પધ્ધતિ અમલમાં છે. આવા ગણોતીયા કે ભાગીયાઓ સેન્દ્રિય ખેતી અપનાવવા અવરોધ રૂપ બવે છે.
  6. પાકમાં સહાયરૂપ થતા માળખાનો અભાવ.

સેન્દ્રિય ખેતીના ધારાધોરણો:

સેન્દ્રિય ખેતી પધ્ધતિ બરાબર કાર્યરત થાય તે માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલાંક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, જેને સેન્દ્રિય ખેતીના ધારાધોરણો કહે છે.

ભારત સરકારના વાણિજય વિભાગ તરફથી વર્ષ ૨૦૦૦ માં સેન્દ્રિય ખેત પેદાશોના ધારાધોરણો નક્કી કરવા માટે રાષ્ટ્રીય સેન્દ્રિય ઉત્પાદન યોજના (National Project on Organic Production -NPOP) શરૂ કરવામાં આવી. આ યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતીની માધ્યમથી ઉત્પન્ન થતી ખેત તેમજ પશુ પેદાશોના ધારાધોરણ (National Standards for Organic Production -NSOP) નક્કી કરવામાં આવે છે.

સેન્દ્રિય ખેતીના ધારાધોરણોનું વર્ગીકરણ :

  • આંતરરાષ્ટ્રીય ધારાધોરણો :   IFOAM (International Federation of Organic Agriculture Movements), Codex જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ / કાનૂની સત્તાઓ દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણો.
  • પ્રાદેશિક ધારાધોરણો : વિશ્વના જદા જુદા ખંડોએ પણ પોતાનાં અલગ ધારાધોરણો વિકસાવ્યા છે જેવા કે એશિયન ધોરણો, યુરોપિયન ધોરણો વગેરે.
  • રાષ્ટ્રીય ધારાધોરણો : જે તે દેશ દ્વારા નક્કી કરવામાં આવતાં રાષ્ટ્રીય ધારાધોરણો જેવાંકે યુએસડીએ પ્રમાણન, કેનેડીયન સેન્દ્રિય પ્રમાણન, એન.એસ.ઓ.પી. વગેરે.

ધારાધોરણોના પ્રકાર :

તબદીલીનો સમયગાળો :ખેડૂત જ્યારે રાસાયણિક ખેતીમાંથી તેની ખેતીને સેન્દ્રિય ખેતીમાં તબદીલ કરે છે ત્યારે આ તબદીલી માટે પાક, જમીન, હવામાન વગેરે પરિબળો ધ્યાનમાં રાખીને તબદીલીનો સમયગાળો નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે સેન્દ્રિય ખેતી હેઠળ પાકની વાવણીના બે વર્ષ પહેલાં સુધીનો સમય તબદીલી સમયગાળો ગણવામાં આવે છે. તેમાં પણ ઘાસચારા સિવાયના બહુવર્ષાયુ પાકોની વાવણી થયેલ હોય તો આ સમયગાળો ત્રણ વર્ષનો ગણવામાં આવે છે. જમીનના પાછલા વપરાશ અને પરિસ્થિતિના આધારે પ્રમાણન એજન્સી તબદીલીના સમયગાળામાં વધારો-ઘટાડો કરી શકે છે. આ સમયગાળા દરમ્યાનની કૃષિ પેદાશોને “તબદીલી કાર્યવાહી' નું લેબલ લગાવી બજારમાં વેચી શકાય છે.

પાકની જાતની પસંદગીના ધારાધોરણો :

પસંદ કરેલ જાતનું બીજ “સેન્દ્રિય ખેતી' પ્રમાણન સંસ્થા દ્વારા પ્રમાણિત હોવુ જોઈએ, જે સ્થાનિક પરિસ્થિતિમાં અનુકૂળ હોય તેમજ રોગ-જીવાત પ્રતિકારક હોય.

  • પસંદ કરેલ બીજ “જીનેટિક્લી એન્જિનિયર્ડ, પોલન, ટ્રાન્સજેનિક' હોવુ જોઈએ નહિ. દા.ત. બીટી કપાસ
  • પ્રમાણિત બીજ અપ્રાપ્ય હોય તો રાસાયણિક માવજત વગરનું સ્થાનિક જાતના બીજનો ઉપયોગ થઈ શકે.

સેન્દ્રિય પોષક તત્વો માટેનાં ધારાધોરણો :

  • સ્થાનિક રીતે તેયાર કરેલ કમ્પોસ્ટ/વર્મિકમ્પોસ્ટ વાપરી શકાય.
  • બહારથી લાવેલ સેન્દ્રિય પોષક તત્વો કે કૃત્રિમ (રાસાયણિક) પોષક પદાર્થોનો ઉપયોગ ન થઈ શકે.
  • બહારથી લાવેલ સેન્દ્રિય ખાતર, જો “સેન્દ્રિય ખેતી પ્રમાણન સંસ્થા/ખેતર' માં તેયાર કરેલુ હોય તો ઉપયોગમાં લઈ શકાય.
  • પોષક તત્વોનો વ્યય ઓછો થાય, ભારે ધાતુઓ વધે  નહીં અને જમીનનો પી.એચ. જળવાઈ રહે તેવી ખાતર વ્યવસ્થા હોવી જોઈએ. વધુ પડતાં ખાતરનો વપરાશ ટાળવો.
  • પોષક દ્રવ્યમાં રહેલ ભારે ધાતુઓને દૂર કરવા તેમજ અકાર્બનિક તત્વોના સમૃદ્ધિકરણ (મિનરલ એનરીચમેન્ટ) માટે રાસાયણિક માવજત આપવા પૂરતી રોક ફોસ્ફેટ અને બેઝીક સ્લેગના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
  • માનવ વપરાશમાં લેવાના શાકભાજીના પાકોમાં માનવ મળ-મૂત્ર ધરાવતા સેન્દ્રિય ખાતરોનો વપરાશ ન થઈ શકે.
  • જેવિક ખાતરોનો ઉપયોગ દરેક પરિસ્થિતિ અને દરેક પાક માટે કરી શકાય છે.

પાકની ફેરબદલીના ધારાધોરણો :

  • જમીનની ફળટ્ટુપતા વધારવા માટે પાકની ફેરબદલીમાં કઠોળ પાકને સ્થાન આપવું.
  • પાક ફેરબદલી / આંતરપાક વ્યવસ્થામાં એવા ફેરફાર કરવા કે જેથી જમીનની ફળડ્ઠુપતા વધે, નીદણ, રોગ અને જીવાતનો ઉપદ્રવ ઘટે અને પાણીનો ભરાવો તથા પોષક તત્વો (નાઈટ્રેટ) નું જજીનમાં અંદર ઉતરવુ ઘટે.
  • વેવિધ્યતાપૂર્ણ પાક ઉત્પાદન માટે વૈવિધ્ય પાક ફેરબદલી અપનાવવી.

નીંદણ, રોગ/ જીવાત વ્યવસ્થાપનના ધારાધોરણો:

  • કૃત્રિમ નીદણનાશકો, જીવાતનાશકો, ફૃગનાશકો, વૃદ્ધિ નિયંત્રકો, “જેન્ટીકલી એન્જિનીયર્ડ ઓર્ગેનિઝમ કે પેદાશ' વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ.
  • આરક્ષિત ખેતી પધ્ધતિઓ અપનાવવી જેવી કે : સાનુકુળ પાક ફેરબદલી, લીલો પડવાશ, સંતુલિત ખાતર વ્યવસ્થા, આવરણનો ઉપયોગ, યાંત્રિક નિયંત્રણ, ફેરોમેન ટ્રેપ/પ્રકાશ પિંજરનો ઉપયોગ, સોઈલ સોલેરાઈઝેશન, વાનસ્પતિક જંતુનાશક તથા જેવિક નિયંત્રકોનો ઉપયોગ.

પાક સંરક્ષણને લગતાં ઉત્પાદનોના ધારાધોરણો :

માન્ય સ્ત્રોત : ફેરોમેન, કૃત્રિમ જંતુનાશકો, ક્રોમેટીક ટ્રેપ, ફુગ/વાઈરલ/બેકટેરીયલ પ્રિપરેશન, મધમાખીના મીણનો ઉપયોગ કેલ્શિયમ હાઈકસાઈડ, કોફી પાઉડર, ઈથાઈલ આલ્કોહોલ, આવરણ, લીમડો, પ્લાસ્ટિક આવરણ, પરજીવી પરભક્ષી વગેરે

પ્રતિબંધિત સ્ત્રોત : કૃત્રિમ જંતુનાશકો, પ્લાસ્ટિક આવરણ વગેરે

સેન્દ્રિય પોષક તત્વો માટેનાં ધારાધોરણો :

  • સંસાધન
  • સ્વ-નિર્મિત
  • પર-નિર્મિત
  • રસાયણિક ખાતર
  • પ્રતિબંધિત
  • પ્રતિબંધિત
  • છાણિયું ખાતર, સ્લરી, મુત્ર
  • કમ્પોસ્ટ/વર્મિકમ્પોસ્ટ, પાનનુ
  • ખાતર, અઝોલા, જૈવિક ખાતર, શેરડીની ચમરીનું આવરણ
  • માન્ય
  • પ્રતિબંધિત
  • માનવ મળ – મૂત્રનું ખાતર
  • પ્રતિબંધિત
  • પ્રતિબંધિત
  • તૈલી કેક /પાક અવશેષો, લાકડાનો વ્હેર, હાડકા/માસનું ખાતર, બેઝીક સ્લેગ/રોક ફોસ્ફેટ, જીપ્સમ / લાઈમસ્ટોન
  • પ્રતિબંધિત

જળ અને જમીન સંરક્ષણના ધારાધોરણો:

  • જળ અને જમીનની જાળવણી થાય તે રીતે માવજત કરવી.
  • અતિશય ઉપયોગ ટાળવો.
  • ક્ષારીયતા અને ધોવાણ અટકાવવું.
  • પાણીનો વધુ પડતો અને અયોગ્ય ટાળવો તેમજ પાણીનું પ્રદૂષણ અટકાવવું.
  • પાક અવશેષો બાળીને જમીનને ચોખ્ખી કરવા પર પ્રતિબંધ.
  • જંગલને બાળીને જમીનને કૃષિ યોગ્ય બનાવવા પર નિષેધ.

પેકેજીંગ માટેના ધારાધોરણો :

  • પેકેજીંગ માટેની વસ્તુઓ પર્યાવરણ- મિત્ર (ઈકો-કફ્રેન્ડલી) હોવી જોઈએ.
  • અનાવશ્યક પેકેજીંગ સાધનોનો ઉપયોગ ટાળવો.
  • પેકેજીગમાં વપરાતી વસ્તુઓ પેદાશને દૂષિત કરે તેવી ના હોવી જોઈએ.

લેબલિંગ માટેનાં ધારાધોરણો :

જયારે પ્રમાણિત એજન્સીને ઉત્પાદિત પેદાશો સંપૂર્ણ ધારાધારોણો અનુસાર પેદા થયાનાં પુરાવા  મળે ત્યારે તેને “સેન્દ્રિય” તરીકે પ્રમાણિત કરવામાં આવે છે. આ લેબલિંગ સે્દ્રિય પેદાશોને અન્ય પેદાશોથી અલગ તારવી શકે તેવું હોવું જરૂરી છે.

(ડ) સંગ્રહ અને પરિવહન માટેનાં ધારાધોરણો :

પેદાશોની ગુણવત્તા જળવાવી જોઈએ.

અન્ય પેદાશો જોડે મિશ્રિત થઈ દૂષિત ન થાય તેનું ધ્યાન રાખેલું હોવું જોઈએ.

સેન્દ્રિય પેદાશોની આગવી ઓળખ જળવાવી જોઈએ.

પેદાશોની તાજગી અને ગુણવત્તા જાળવી રાખવા માટે યોગ્ય માધ્યમ અને પધ્ધતિઓનો ઉપયોગ થયેલો હોવો જોઈએ.

પ્રમાણપત્ર / જૂથ પ્રમાણપત્ર માટેની પ્રક્રિયા :

  1. ખેડૂત અથવા ઉદ્યોગકારોએ સૌ પ્રથમ તો તેમની કૃષિ/ઉધોગની પધ્ધતિમાં જે સંસાધનો વાપરેલ હોય તેના દસ્તાવેજો, જમીન પૃથક્કરણનો અહેવાલ, અગાઉ જે ખેતી કાર્યો કરેલ હોય તેની સંપૂર્ણ વિગતો સાથેની અરજી માન્ય ચકાસણી એજન્સીને કરવી કે જેથી એજન્સી ખેડૂત અને માન્ય પ્રમાણન એજન્સી વચ્ચેનું એગ્રીમેન્ટ ફોર્મ મોકલી શકે.
  2. પ્રાથમિક માહિતીને આધારે પ્રમાણન એજન્સી ખેડૂત / ઉદ્યોગસાહિસકને સંપક ફોર્મ મોકલે છે.
  3. ચકાસણીની ફી, ચકાસણીની સંખ્યા તેમજ અન્ય જરૂરી શરતો અંગેની સ્વીકૃતિ બદલની સહી કરીને ખેડૂત સંપક ફોર્મ માન્ય પ્રમાણન એજન્સીને મોકલી આપે છે.
  4. ઓર્ગનિક ફોર્મની સાથે ખેડૂત કૃષિ પેદાશો પ્રમાણિત કરવાની રકમની ૫૦% રકમ ભરવી પડે છે, જે મળે પ્રમાણિત એજન્સી તેમનો ચકાસણી કાર્યક્રમ અને રાષ્ટ્રીય ધારાધોરણ અંગેની જાણ ખેડૂતને કરે છે.
  5. ત્યારબાદ, ચકાસણી એજન્સી નક્કી થયેલ કાર્યક્રમ મુજબ તેના નિરીક્ષકો મોકલે છે. કેટલાક કિસ્સાઓમાં નિરીક્ષકો કાર્યક્રમ સિવાય પણ યુનિટની અચાનક મુલાકાત લઈને ચકાસણી કરે છે.
  6. જરૂર પડે ચકાસણી એજન્સી નીચે દર્શાવેલ દસ્તાવેજોની ચકાસણી કરે છેઃતબદીલ સમયગાળા પૂર્વેનો અને ત્યારબાદનો જમીન પૃથક્કરણનો અહેવાલ 9 માન્ય લેબોરેટરીમાંથી અવશેષ જંતુનાશકો અને સેન્દ્રિય ઉપજોના નમૂનાઓનો અહેવાલ સેન્દ્રિય પદાર્થો / વપરાશી વસ્તુઓ / ચીજ વગેરેના સંબંધિત દસ્તાવેજો
  7. ત્યારબાદ, ચકાસણી એજન્સી તેના સંપૂર્ણ અહેવાલ પ્રમાણન એજન્સીને મોકલે છે જેના આધારે પ્રમાણન એજન્સી અરજદાર ખેડૂત ઉદ્યોગસાહિસકને તેની પેદાશો માટે “સેન્દ્રિય પેદાશ' અંગેનું પ્રમાણપત્ર આપે છે.

જૂથ પ્રમાણપત્ર મેળવવા માટે ખેડૂતોએ મંડળીની રચના કરવી અને મંડળીના સભ્ય ખેડૂતો માટે ઉપર મુજબની જ કાર્યવાહી હાથ ધરવી.

જૂથ પ્રમાણપત્ર માટે ચકાસણી નિરીક્ષક વર્ગમૂળની સંખ્યામાં ખેડૂતોના ખેતર / દસ્તાવેજોની ચકાસણી કરે છે  (દા.ત. ૧૬ સભ્યોની મંડળી હોય તો ૪ અને ૪૯ સભ્યો હોય તો ૭ એ મુજબ). આનાથી પ્રમાણપત્ર મેળવવાના ખર્ચમાં ઘણો જ ઘટાડો થાય છે.

ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફિકેટ એજન્સી :

ગુજરાતમાં સેન્દ્રિય ખેતપેદાશોને પ્રમાણિત કરવા માટે ગુજરાત સરકારે ગુજરાત આર્ગેનિક પ્રોડકેસ સર્ટિફેકેશન એજન્સીની સ્થાપના કરેલ છે. આ એજન્સીની હેડ આફિસ અમદાવાદ ખાતે કાર્યરત છે, જે ગુજરાત સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ ૧૯૬૦ અંતર્ગત નોંધાયેલ રાજ્ય સરકારની સ્વાયત સંસ્થા છે. આ સંસ્થા ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલ રાષ્ટ્રીય સેન્દ્રિય ઉત્પાદન કાર્યક્રમ (૫5૦૩) નિયમો અનુસાર સેન્દ્રિય ઉત્પાદનના નિરીક્ષણ અને પ્રમાણનની કામગીરી કરે છે. સંસ્થાનો હેતુ સેન્દ્રિય ખેતી કરતા ખેડૂતો અને વપરાશકર્તાઓ વચ્ચે એક વિશ્વાસનું વાતાવરણ ઊભુ કરવાનો તેમજ અરસપરસના હિતોનું રક્ષણ કરવાનો છે. આ સંસ્થા દેશમાં અન્ય સેન્દ્રિય પ્રમાણન કરતી ખાનગી સંસ્થાઓની સરખામણીમાં સસ્તા દરે સેન્દ્રિય ઉત્પાદનોનું પ્રમાણન કરે છે. જેનાથી રાજ્ય અને દેશના પ્રગતિશીલ ખેડૂતો સાથે સાથે નાનાં અને સીમાંત અને આર્થિક રીતે નબળા ખેડૂતો પણ સેન્દ્રિય ખેતી અપનાવી શકે અને સેન્દ્રિય ઉત્પાદનોનું પ્રમાણન કરાવી શકે.

સેન્દ્રિય ખેતી પ્રમાણનના તબક્કાઓ :

ખેડૂત દ્વારા અરજી કરવી. ૧. અરજીની ચકાસણી અને અરજીની તપાસ ૨. નોંધણી ૩. ક્ષેત્રિય નિરીક્ષણ ૪. મૂલ્યાંકન ૫. પ્રમાણિકરણ માટે ભલામણ ૬. પ્રમાણિકરણ સ્વિકૃતિ ૭. પ્રમાણપત્ર જારી કરવું ૮. અપીલ અને નિરાકરણ

સેન્દ્રિય ખેતી માટેનું સર્ટિફિકેટ ક્યાંથી મેળવશો?

નિયામકશ્રી, ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફેકેટ એજન્સી, ‘બીજ પ્રમાણન ભવન’, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ ફોન : (૦૭૯) ૨૬૭૪૦૦૩૧

email : dirgopca@gmail.com

આપણા દેશમાં કુલ ૧૧૦૦ લાખ ખેડૂત પરિવારો છે,આમાંના ૭૦% પરિવાર એક હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવે છે,એટલે કે ૭૦% ખેડૂતો સીમાંત ખેડૂતો તરીકે ઓળખાય છે અને હજુ પણ આપણા દેશમાં માથાદીઠ ખેતીલાયક જમીનનું પ્રમાણ પ્રતિદિન ઘટી રહ્યું છે. વધારે અન્ન તથા કૃષિ પેદાશો મેળવવા માટે વધારે પડતાં કૃષિ રસાયણોનો આડેધડ ઉપયોગના કારણે જમીનની ઉત્પાદકતા અને પર્યાવરણ પ્રદૂષિત થયું છે. કૃષિ પેદાશોની ગુણવત્તા બગડી છે ત્યારે તેમાંથી બચવા સેન્દ્રિય ખેતી કે આશાનું કિરણ જણાયું છે. યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં આજે સજીવ ખેતીનો નવો પવન ફુંકાયો છે. પરંતુ સેન્દ્રિય ખેતીને સમજીને તેમાં આજનાં આધુનિક કૃષિ વિજ્ઞાનને ઉમેરીને નવા દ્રષ્ટિકોણથી અને વૈજ્ઞાનિક આયોજનથી સેન્દ્રિય ખેતી કરવાની જરૂર છે.

સ્ત્રોત: બી. કે. સાગરક, ડો. આર. કે. માથુકિયા અને પ્રો. ડી. એમ. પનાર કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિધાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ -૩૬૨ ૦૦૧, કૃષિગોવિધા,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮ કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આનંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate