Accessibility options
Accessibility options
Government of India
Contributor : Mayur Raj25/05/2020
Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.
આપણા પૂર્વજો દ્વારા પહેલાં સજીવ ખેતી કરવામાં આવતી હતી. ધીરે ધીરે ૨સાયણોનો વપરાશ ચાલુ થવાથી સજીવ ખેતી ધીરે ધીરે લુપ્ત થવાના આરે આવીને ઉભી છે. પરંતુ સભાન લોકોની ઉદાત્ત ભાવના, દીર્ઘદ્રષ્ટિ અને સતત પ્રયત્નોથી ધરતીમાતા અને માનવ વચ્ચેના કુદ૨તી. સંબંધો પુનઃપ્રસ્થાપિત કરીને સજીવ ખેતીમાં નવેસરથી પ્રાણ પુરવાનો પ્રયત્નો થઈ ૨હ્યા છે. સજીવ ખેતી માટે આજે મુખ્ય બે પડકારો છે.
છેલ્લા બે દશકાથી પર્યાવરણની જાળવણી અને અન્ન/ખોરાકની ગુણવત્તાની ખાતરી માટે વૈશ્વિક સમુદાય સંવેદનશીલ અને સભાન બન્યો છે. સજીવ ખેતીને હવે વ્યાપક સ્વીકૃતિ મળવા લાગી છે અને તે દ્વારા વાણિજ્યીક, સામાજિક અને પર્યાવરણ પ્રત્યેની વચનબધ્ધતા ઉભી થઈ ૨હી છે. સજીવ ખેતી માટે ચિંતાનો વિષય પર્યાવરણની જાળવણી અને જમીનની ઉત્પાદક્તા લાંબા ગાળા સુધી ટકાવી રાખવી તે છે.
આ માટે આપણે પ્રકૃતિનું શોષણ કરવાની જગ્યાએ તેનું દોહન અને જતન કરવાની નૈસર્ગિક મૂલ્યો આધારિત કૃષિનો વિકાસ કરવાની જરૂરિયાત છે. જેને આપણે સેન્દ્રિય ખેતી, સજીવ ખેતી, ટકાઉ ખેતી, જીવંત ખેતી વગેરે જુદા જુદા નામોથી ઓળખીએ છીએ. સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને બીજા ૨સાયણોનો વપરાશ કર્યા સિવાય સેન્દ્રિય ખાતરો, મિશ્રપાક પધ્ધતિ, પાકની ફેરબદલી, લીલો પડવાશ કરી જમીનની ફળદ્રુપતા જાળવવી, કુદ૨તી જીવાતો અને રોગ નિયંત્રણ કરતા કીટકોનું સંરક્ષણ કરવું તથા રસાયણોના વપરાશ વગર નિંદણ નિયંત્રણ કરી ઉત્પાદન મેળવવાની પધ્ધતિ છે. જેમાં વધુ ઉત્પાદન એ લક્ષ્ય નથી પરંતુ ૨સાયણોના અવશેષ વગરનું ગુણવત્તાયુકત ઉત્પાદન થાય તેને મહત્વ આપવામાં આવે છે.
દેશની આઝાદી પછી ૧૯૫૦ થી ૧૯૬૦ ના દશકામાં ખેતીમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો ક૨વાનો સમય હતો. દેશની વસ્તી સામે ખેત ઉત્પાદનમાં ઘટાડાના પરિણામે દેશમાં અનાજની ગંભીર સમસ્યા ઉભી થઈ. આ અનાજની તંગીને પહોંચી વળવા વિદેશમાંથી અનાજની આયાત કરવામાં આવી, આ અનાજની સાથે-સાથે દેશની અનાજની જરૂરીયાતને પહોંચી વળવા માટે રસાયણ આધારિત ખેતી શરૂ થઇ. રાસાયણિક ખાતર, કિટનાશક, હાઈબ્રીડ બિયારણનો ઉપયોગ થવા લાગ્યો અને ભારત સરકારે ૧૯૬૬-૬૭ માં હરિયાળી ક્રાન્તિ જાહેર કરી. પરિણામ સ્વરૂપ દેશમાં જોર શોરથી વિદેશી ખેતી પધ્ધતિથી ખેતી થવા લાગી. સરકાર મારફતે સિંચાઈ માટે મોટા બંધો અને કેનાલોનું નિર્માણ થવા લાગ્યું. રાસાયણિક ખાતર અને કિટનાશકો બનાવવા ઉદ્યોગોની સ્થાપના થવા લાગી.
હરિયાળી ક્રાન્તિથી થોડા જ સમયમાં ઉત્પાદનમાં મોટો વધારો મળવા લાગ્યો. રાસાયણિક ખાતર અને કિટનાશકનો ઉપયોગ વધારવા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું. એકમ વિસ્તારમાં જરૂરીયાત ક૨તાં રાસાયણિક પદાર્થોનો અનેક ઘણો ઉપયોગ થવા લાગ્યો.
સ્ત્રોત : સ. દા. કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
સેન્દ્રીય ખેતી નીતિ વિષે જાણો
સેન્દ્રિય ખેતીની પ્રાથમિક અને પાયાની બાબતો વિશેની માહિતી આપવામાં આવી છે
સજીવ ખેતી એક એવું લાંબાગાળાનું આયોજન વિષે માહિતી
ઘાસચારા
ડાંગરની સંકલિત ખેતી પધ્ધતિ :''શ્રી'' પધ્ધતિ એસ.આર.આઈ.(સીસ્ટીમ ઓફ રાઈસ ઈન્ટેન્સીફીકેશન)
આ વિભાગમાં ગુજરાત સેન્દ્રિય ખેતી નીતિ -૨૦૧૫ વિશેની માહિતી આપેલ છે
Contributor : Mayur Raj25/05/2020
Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.
38
સેન્દ્રીય ખેતી નીતિ વિષે જાણો
સેન્દ્રિય ખેતીની પ્રાથમિક અને પાયાની બાબતો વિશેની માહિતી આપવામાં આવી છે
સજીવ ખેતી એક એવું લાંબાગાળાનું આયોજન વિષે માહિતી
ઘાસચારા
ડાંગરની સંકલિત ખેતી પધ્ધતિ :''શ્રી'' પધ્ધતિ એસ.આર.આઈ.(સીસ્ટીમ ઓફ રાઈસ ઈન્ટેન્સીફીકેશન)
આ વિભાગમાં ગુજરાત સેન્દ્રિય ખેતી નીતિ -૨૦૧૫ વિશેની માહિતી આપેલ છે