অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંગ્રહિત અનાજમાં નુકસાનકારક કીટકો માટે સંરક્ષણના સાધનો

સંગ્રહિત અનાજમાં નુકસાનકારક કીટકો માટે સંરક્ષણના સાધનો

સામાન્ય રીતે અનાજનો ઘરમાં દૈનિક વપરાશ માટે, સાર્વજનિક વિતરણ કરતી સંસ્થા તથા સરકારી ગોદામોમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે. આ પ્રકારના સંગ્રહ દરમ્યાન કીટકો દ્વારા અનાજને ઘણું નુક્સાન (૨૦ થી ૨૫ ટકા) થતું હોય છે જેના કારણે અનાજ અને દાળની ગુણવત્તા તથા માત્રાને માઠી અસર થતી હોય છે. મોટાભાગે ઢાલીયા કીટકો અને ફુદાની ઉપસ્થિતિ ત્યારે જ ખબર પડે છે જયારે તે આમતેમ ઉડતા નજરે પડે છે. ત્યાં સુધી અનાજને ઘણું નુકસાન થઈ ગયું હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે કીટકોને યોગ્ય સમયે ઓળખીને નાશ કરવાથી નુકસાન ઘટાડી શકાય છે. સંગ્રહ દરમ્યાન જોવા મળતા નુકસાનકારક કીટકોને દૂર કરવા કૃષિ કીટ વિજ્ઞાન વિભાગ, તામિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર ટીએનએયુ સ્ટોર્ડ ગ્રેન પેસ્ટ મેનેજમેન્ટ નામથી એક કીટ બનાવી છે જેની માહિતી અત્રે દર્શાવેલ છે જે રાષ્ટ્રીય અને રાજય સ્તર દ્વારા ખેડૂતો સાથે સંલગ્ન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પ્લાન્ટ ક્લિનિક, સેવ ગ્રેન સેન્ટર અને ખાનગી ગોદામો વગેરેને ઉપયોગી નિવડશે.

જાંચ જાળ (પ્રોબ ટ્રેપ):

આ ટ્રેપનો ઉપયોગ સંગ્રહિત અનાજમાં કીટકોની હાજરી જાણવા માટે થાય છે. જાંય જાળ મુળ ત્રણ ઘટકોના મહત્ત્વપૂર્ણ ભાગો મળીને બને છે. એક મુખ્ય નળી, કીટને ફસાવનારી નળી અને તળમાં એક અલગ થઈ શકે તેવો શંકુ જેમાં મુખ્ય નળી ૨ મિ.મી.વ્યાસના છિદ્રથી બનાવવામાં આવી છે. આપણે જાણીએ છીએ તેમ કીટક હવાને પસંદ કરે છે અને સામાન્ય રીતે હવા તરફ જાય છે. આ જાણકારીનો ફાયદો આ પદ્ધતિમાં ઉઠાવવામાં આવે છે. જાળ-ટ્રેપને ચોખા, ઘઉં જેવા અનાજમાં રાખવામાં આવે છે. સફેદ પ્લાસ્ટિક ખૂણાનો ભાગ ચોખા, ઘઉં જેવા અનાજમાં નીચેની તરફ રાખવામાં આવે છે. ઉપરની લાલ કેપને અનાજના સ્તર સુધી રાખવી જોઈએ. કીટક હવામાં મુખ્ય નળીની બાજુ જશે અને છિદ્ર દ્વારા અંદર જશે એકવાર કીટક અંદર આવી ગયા બાદ સફેદ પ્લાસ્ટિક ખૂણામાં સપડાઈને પડી જશે. ત્યારબાદ કીટકો પાસે બચવાનો કોઈ રસ્તો નહી રહેતાં તે ફસાઈ જાય છે. સફેદ ખૂણાના ભાગને એક અઠવાડિયામાં એક વાર ખોલી સાફ કરી કીટકોને નષ્ટ કરી શકાય છે. અનાજમાં કીટક ઓળખવા માટેની આ એક સરળ રીત છે. આનાથી સંગ્રહિત અનાજમાં વિશેષ પ્રકારના નુકસાનકારક કીટકો જેવા કે આંધળાં જીવડાં, ચોખાનું ચાંચવું અને રાતા સરસરીયાંને સપડાવા માટે ઘણું ઉપયોગી છે. અનાજ સંગ્રહના શરૂઆતના દિવસોમાં કીટકોની વધુ પ્રતિક્રિયા રહેતી હોવાથી અનાજના સ્તરથી ૬ ઈંચ ઉપર આ ટ્રેપનો ઉપયોગ કરવાથી ૧૦ થી ૨૦ દિવસની અંદર ૮૦ ટકા કીટકોને સમાપ્ત કરી શકાય છે. આ પદ્ધતિ રસાયણ અને જાળવણી ખર્ચ રહિત છે.

ખાડા છટક (પિટ ફોલ ટ્રેપ) :

પિટ ફોલ ટ્રેપને અનાજની ઉપર મ્સ દેખરેખ તથા પકડવા

માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પિટફોલ ટ્રેપના મોડલમાં બે ભાગ હોય છે. છિદ્રયુક્ત ઢાંકણ (૨ મિ.મી. કે ૩ મિ.મી.) અને એક કોણ (નાળચા) આકારનો તળીયાનો ભાગ જેને કારણે જીવાતો તેમાંથી છટકી શકતી નથી. કોમર્સિયલ મોડલ પ્લાસ્ટિકનું બનેલું હોય છે. આ સાધારણ સસ્તુ અને સંભાળવામાં સરળ પણ છે.

બેવડુ આદર્શ છટકુ (ટુ ઈન વન મોડેલ ટ્રેપ):

પ્રોબ ટ્રેપમાં છિદ્રયુક્ત નળી (પર્ફોરંટેડ ટયુબ), પિટફોલ યંત્રની રચના, નળીનું જોડાણ અને એક ભાગના રૂપમાં છિદ્રયુક્ત ઢાંકણ અને તળિયાનો કોણ ખૂણાના આકારનો પિટફોલ ટ્રેપ બનાવેલ છે. પ્રોબ અને પિટફોલને મેળવવાથી જીવાતોની પડકવાની ક્ષમતા વધી જાય

છે. આ બેવડું ટ્રેપ ઢાલીયા અને ફૂદા જીવાતોને પકડવામાં સૌથી વધુ પ્રભાવશાળી છે. આમા જીવાતોને પકડવાથી પહેલા ખૂણાને અંદરના ભાગમાં ચિપકવાળી પદાર્થ લગાવવાની જરૂર નથી પડતી. આ જાળમાં ભંગા જીવાતો પકડાય છે. આ ટ્રેપમાં સપડાયેલા ઢાલીયા અને ફંદા જીવાતો દ્વારા છોડાતા ફેરોમોનથી બીજા કીટકોને આકર્ષિક કરી તેને પણ પકડી શકાય છે.

સૂચક સાધન યંત્ર (ઈન્ડિકેટર ડીવાઈસ):

આમાં એક ખૂણાના આકારના છિદ્રયુક્ત કપ (૩ મિ.મી. ના છિદ્રવાળા) હોય છે. એની ઉપર એક ઢાંકણું લગાવેલું હોય છે. એક કપ તળ પર એક પાત્રને ગોળ ડિશની સાથે ચિપકાવેલું હોય છે જેને વેસેલીન જેવા કોઈ ચિકાશવાળા પદાર્થથી ચોટાડી દેવામાં આવે છે. દાળને સંગ્રહ કરતાં પહેલાં ખેડૂતોએ ર00 ગ્રામ દાળને કપમાં નાખવી જોઈએ. ઉડવાની ટેવ ધરાવતી જીવાત દાળોની ઉપર ઉડવાનું શરૂ કરે ત્યારે એ છિદ્રમાં જશે અને જાળવાળા ભાગમાં ફસાઈ જશે. જયારે તે ચિકાશવાળા ભાગ પર ચિપકી જાય તો ખેડૂતે એને આસાનીથી ખોલી શકે છે અને દાળને પ્રકાશમાં સુકવી શકે છે. ૨૨ મિ.મી. છિદ્રવાળા યંત્રને અનાજ માટે પ્રયોગ કરી શકાય છે. આ યંત્ર જીવાતોની શરૂઆતી સંખ્યામાં અને વસ્તી ઘટાડો કરવામાં સહાયતા કરે છે. આ પ્રકારે સમય સમય પર જીવાતોને કાઢવાની પ્રક્રિયા ખેડૂતોને પોતાની દાળોમાં થતુ નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.

જીવાતને રવયંસંચાલિત દૂર કરનાર પાત્ર (ઓટોમેટિક ઈન્સેકટ રીમૂવલ બિન) :

જીવાતને સ્વયં સંચાલિત દૂર કરનાર પાત્ર જીવાતોને પોતે જ હટાવી દે છે. આ યંત્રમાં મુખ્ય ભાગોમાં આગળનું પાત્ર, અંદર છિદ્રયુક્ત પાત્ર, સંગ્રહ પાત્ર અને ઢાંકણ સામેલ છે. સંગ્રહિત અનાજની ઉપર ઉડતી જીવાતોના ઉડવાની ટેવનો ફાયદો ઉઠાવી એને પકડી લે છે. અનાજને વિશેષ રૂપથી ડિઝાઈન કરેલા એક છિદ્રયુક્ત પાત્રમાં અંદર અને બહારની વચ્ચેની જગ્યા કીટકને હવામાં ઉડવા માટે ઉચિત રહે છે. ઉડતા કીટકો એ જગ્યામાં છિદ્રથી અંદર જાય છે. આમ કરવાથી ફસાઈને પિટફોલ યંત્રની કાર્યપદ્ધતિના માધ્યમથી સંગ્રહ પાત્રમાં પડી જાય છે. જેવા કીટકો પકડાઈ જાય તો એને ઝડપથી ભેગા કરવા માટે છિદ્રયુક્ત (૨ મિ.મી.) નળીને પાત્રની અંદર જોડવામં આવેલ છે. આ યંત્રમાં ચોખા, ઘઉં, દાળ જેવા અનાજનો સમાવેશ કરવાથી આંધળાં જીવડાં, ચોખાનું ચાંચવું અને રાતાં સરસરીયા, ઝીંઝણી જેવા કીટકોથી થતા નુકસાનથી છૂટકારો મેળવી શકાય છે. ૧૦ દિવસના ઓછા સમયમાં લગભગ ૯૦ ટકા જીવાતોને અનાજમાંથી કાઢી શકાય છે.

અનાજ સંગ્રહિત ગોદામમાં યુ.વી.-લાઈટ ટ્રેપ:

યુ.વી. લાઈટ ટ્રેપમાં એક અલ્ટા વાયોલેટ સ્ત્રોત (૪ વૉટ જર્મિસાઈડલ લેમ્પ) હોય છે. આ લેમ્પથી ર૫૦ નેનો મીટર સુધી અટ્રા વાયોલેટ કિરણો નીકળે છે. આ લાઈટ એક ગરણી પર લાગેલી હોય છે. જે ઉપરથી ૩૧૦ મિ.મી. વ્યાસની અને નીચેથી ૩૫ મિ.મી. વ્યાસની હોય છે. ગરણીની નીચેનો અંતિમ ભાગ એક પારદર્શી પ્લાસ્ટિક પાત્રથી જોડાયેલ હોય છે. જેમાં આ રીતે પકડેલી જીવાતોને એકઠી કરવમાં આવે છે. આથી ઉચિત સ્થાન પર ટીંગાડવા માટે ગરણીના બહારના ભાગ પર ત્રણ હૂક સામેલ કરવામાં આવ્યા છે. હૂકને ઊભા કરવા માટે ટ્રાઈપોડ સ્ટેન્ડ પણ સાથે મળે છે. યુ.વી. લાઈટ ટ્રેપને અનાજ સંગ્રહિત ગોદામોમાં જમીનથી ૧.૫ મીટરની ઊંચાઈ પર ગોદામના ખૂણાના ભાગ પર લગાવી શકાય છે. એમ પણ જોવામાં આવ્યું છે કે જીવાતો આ જગ્યા પર સાંજના સમયે વધારે રહે છે. યુ.વી. લાઈટ ટ્રેપને રાતના સમયે પ્રયોગ કરી શકાય છે. આ લાઈટ ટ્રેપ ઢાલીયા અને ફૂદાં જૂથની જીવાતોને મોટી સંખ્યામાં મારી નાખે છે. સાધારણ રીતે પમીટરની ઊંચાઈવાળારયુ.વી. લાઈટ ટ્રેપ પ્રતિ ૬૦ મીટર x૨૦ મીટરના ગોદામમાં રાખવી જોઈએ. આ ટ્રેપ ગોદામમાં વધુસમય સુધી સંગ્રહિત અનાજ માટે ઉપયોગી માનવામાં આવે છે. જ્યારે ગોદામમાં અનાજ આવે છે ત્યારે ટ્રેપ એમાંથી કીટકોને કાઢી નાખે છે અને એમાં કીટકોની વૃદ્ધિ થતી રોકે છે. જે ગોદામોમાં અનાજને વારંવાર લઈ જવામાં આવે છે ત્યાં પણ આ ટ્રેપ નિયંત્રણ અને સામૂહિક ટ્રેડિંગ માટે વાપરી શકાય છે.

સંગ્રહિત અનાજમાંથી જીવાતોના ઈંડા દૂર કરનાર યંત્ર:

દાળોનો સંગ્રહ કરવો અનાજ કરતાં પણ વધારે મુશ્કેલ છે. આ જીવાતો ખેતરોમાંથી જ ભંડાર સુધી આવવાની પ્રક્રિયા દરમ્યાન દાળોમાં ઘુસી જાય છે. આ યંત્રમાં અંદરના ભાગમાં એક પાત્ર (કન્ટેનર) હોય છે. વળી એક અંદર છિદ્રયુક્ત પાત્ર હોય છે જેમાં એક નળી હોય છે. જેમાં બન્ને બાજુ પ્લાસ્ટિક બ્રશ લગાવેલા હોય છે. ઈંડાવાળા બીજોને છિદ્રયુક્ત પાત્રમાં રાખવામાં આવે છે. આ નળીને દિવસમાં ત્રણવાર (સવાર, બપોરે, સાંજ) ૧૦ મિનિટ માટે ઘડિયાળની અને એની વિપરીત દિશા ફેરવવામાં આવે છે. ફરતી નળીના કારણે ઈંડા નષ્ટ થઈ જાય છે જેથી આ પ્રકારે દાળોને થનાર નુકસાનથી બચાવી શકાય છે. આ પ્રક્રિયાથી બીજના અંકુરણને પણ નુકસાન થતું નથી. વધુમાં એકવાર ઈંડા નષ્ટ થયા બાદ બીજના સંગ્રહ દરમ્યાન નવા કીટકો પેદા થતાં નથી જેથી કીટકોની સંખ્યા વધતી અટકે છે.

સ્ત્રોત:જુલાઈ-ર૦૧૮,વર્ષ:૭૧,અંક:૩,સળંગઅંક:૮૪૩,કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate