অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (વૃદ્ધ પેન્શન યોજના- રાજ્ય સરકાર)

યોજનાનો ઉદ્દેશ:

નિરાધાર વૃદ્ધો અને અપંગ નિરાધારોને નિભાવ માટે નાણાંકીય સહાય આપવી.

પાત્રતાના ધોરણો

  • અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ. અપંગ અરજદારના કિસ્સામાં ઊંમર ૪પ વર્ષથી વધુ અને અપંગતાની ટકાવારી ૭૫% થી વધુ હોવી જોઈએ
  • ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. પુત્ર હોય પરંતુ શારીરિક, માનસિક અપંગતા ધરાવતો કે કેન્સર, ટી. વી ગંભીર માંદગીથી પીડાતો હોય.
  • અરજદારની વાર્ષિક આવક
    • ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.૪૭,૦૦૦/-
    • શહેરી વિસ્તાર માટે રૂા.૬૮,૦૦૦ થી વધુ ન હોય

યોજનાના ફાયદા/સહાય:

રૂ. ૪૦૦/- માસિક (રાજ્ય સરકારનો ફાળો)

પ્રક્રિયા :

તાલુકા મામલતદારે નમૂનામાં અરજી કરવાની હોય છે.

અમલીકરણ કચેરી/એજન્સી/સંસ્થા

મહેસુલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ.

અન્ય શરતો

છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઈએ.

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate