অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સખી મંડળ

આ પુસ્તિકા સામાન્ય શિક્ષણ પામેલ અને મદદરુપ થઈ શકેતવી સ્થાનિક વ્યકિતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેથી આ વ્યકિત સખી મંડળો રચવામાં મદદરુપ થઈ શકે.

પ્રસ્તાવના

આપણે ઘણીવાર સ્વસહાય જુથ વિશે વાંચીએ અને સાંભળીએ છીએ. અત્યંત ગરીબ લોકો સ્વસહાય જુથો રચે છે. તેઓ ઘણી નાની-નાની રકમની બચત કરે છે. તેઓ સ્વસહાય જુથમાં આ નાની રકમો એકબીજાને ધીરે છે.

  • શું સ્વસહાય જુથોની રચના આપણાં પોતાના ગામડામાં થઈ શકે છે?
  • શું આપણે બહેનોના સ્વસહાય જુથો એટલે કે સખી મંડળો રચવામાં મદદ કરી શકીએ?
  • આપણે તેને મદદ કરવા શું કરવું જોઈએ?

સખી મંડળો રચવા માટે કેવી રીતે મદદ કરવી એ આ પુસ્તિકા તમને સાદા શબ્દોમાં કહે છે

સ્વ સહાય શું છે?

  • છેક આપણા બાળપણથી આપણે કહેવતો સાંભળીએ છીએ જેવી કે,
  • 'સ્વસહાય એ શ્રેષ્ઠ સહાય છે'
  • "એકતામાં તાકાત છ"
  • સંપ હશે તો આપણે ઉભાં રહી શકીશું . સામનો કરી શકીશું, કુસંપ હશે તો આપણે નિષ્ફળ જશુ, નાશ પામીશું .

આપણે પક્ષીઓ જાળમાં સપડાઈ ગયા તેની વાર્તા સાંભળી છે.તેઓ પોતાના અલગ અલગ પ્રયત્નો ધ્વારા છટકી શકે તેમ ન હતા. પણ જયારે જુથમાં એક સાથે ઉડયા ત્યારે છટકી આપણે જાણીએ છીએ કે એક એક લાકડી સહેલાઈથી તૂટી શકે છે, પણ લાકડીઓના એક ભારાને ભાંગવો મુશ્કેલ છે.

સ્વહાય જુથો આપણને બતાવે છે કે એકતા કેવી રીતે તાકાત બને છે. તો બતાવે છે સ્વસહાય કેવી રીતે શ્રેષ્ઠ મદદ છે. આવો આપણે બહેનોને સખી મંડળો રચવા માટે પ્રોત્સાહીત કરીએ.

સખી મંડળો કેવી સાકાર પામે છે?

સખી મંડળો રચના કરતા પહેલાં સમાજના અગ્રણીઓ અને ગામડાના વડીલોની એક મીટીંગોનુ આયોજન કરો તેઓને સખી મંડળોની રચના કરવાની તમારી યોજના સમજાવો તમને તેઓનો ટેકો મળશે. આ ઘણુ મહત્વનું છે.

  • આને સમાજની ભાગીદારી કહેવાય છે.
  • આના કારણે ગામડામાં તમામ કામગરીને પણ સ્વીકૃતિ મળશે.

આ મીટીંગને આશય કંઈક આપવા માટેની નથી પણ ગરીબ કુટુંબો એક સાથે મળી શકે તે અને એક બીજાને મદદરૂપ થઈ શકે તેવું વાતાવરણ ઉભું કરવાનો છે. આ મીટીંગમાં તમે સખી મંડળના પાયાના સિધ્ધાંતો સમજાવશો તો તે ઘણા ઉપયોગી થઈ પડશે.

લાંબી મુસાફીરીનો આરંભ પણ એક ડગલું આગળ ભરીને થાય છે.

  • એક સખી મંડળ રચના માટેનુ પહેલું પગલું સરળ છે.
  • તમારા ગામના ગરીબ ધરોની મુલાકાત લ્યો.
  • તેઓની સાથે વાત કરો.
  • જો લોકો તમને ન ઓળખતા હોય તો પહેલા તેઓની સાથે તમારા વિશે વાત કરો.
  • લોકોમા જાણીતા થવું અને તેઓનો વિરવાસ જીતવો તે મહત્વનું છે.

જયારે તમે એક ગરીબ કુટુંબની મુલાકાત ૯યો ત્યારે

  • મહિલા વર્ગ સાથે વાત કરો.
  • કુટુંબનો સૌથી મહત્વનો પ્રશન શું છે તે પૂછો.

નીચે કરેલ યાદી મુજબની તમામ વિગતો નોટબુકમાં લખો.

  • શું કુટુંબમાં ફકત એક જ કમાનાર સભ્ય છે?
  • શું કુટુંબ પીવાનું પાણી દૂરના સ્થળેથી લાવે છે?
  • જાજરુ ન હોવાના કારણે ઘરની મહિલાઓને શું દૂર ખુલ્લી જગ્યાએ જાજરુ કરવા જવું
  • શુ કુટુંબમાં વૃધ્ધ નિરક્ષર વ્યકિતઓ છે?
  • શું કુટુંબમાં કાયમી માંદા રહે તેવા સભ્યો છે?
  • શું કુટુંબમાં શાળાએ ન જતા બાળકો છે? .
  • શું કુટુંબમાં કોઈ નશાનો વ્યસની સભ્ય છે?
  • શું તેમનું ધર કાચી સામગ્રીનું બનેલું છે?
  • શું તેઓ નિયમિત પણે વ્યાજે નાણાં ધીરનાર પાસેથી પૈસા લે છે?
  • શું તેઓને રોજનુ બે ટંકનુ ખાવાનું પણ નથી મળતું?.
  • શું તેઓ અનુસુચિત જાતિ કે અનુસુચિત જન જાતિના છે?

આ પ્રારંભિક સર્વેક્ષણ કહેવાય . આ સર્વે તમને દરેક વ્યકિતગત કુટુંબની જરૂરીયાતો સમજવામાં મદદરૂપ થશે.

જયારે તમે કોઈ પણ એક વિસ્તારમાં કુંટુંબો સાથે વાત કરશો ત્યારે તેમના ધણાની વચ્ચે અમુક પ્રમાણની પારસ્પરીક લાગણી તમને જોવા મળશે, આ પારસ્પરીક સંબંધના અમુક જાણીતા કારણો આ મુજબ છે.

  • ગરીબીનો એક સરખો અનુભવ
  • એક સરખી રહેણીકરણી
  • જીવનનિર્વાહના એક સરખા સાધનો
  • એક જ સમુદાય કે જાત
  • પૂર્વજો એક જ સ્થળના

તમારે એજ કુટુંબોની ફરીથી મુલાકાત લેવી પડશે તમે બીજા વાર મુલાકાત લ્યો ત્યારે તમે દરેક કુટુંબને કહી શકશો કે તમે કેવી રીતે બીજા કુટુંબોની મુલાકાત લઈ તેઓ સાથે વાત કરી હતી, તેમની સમસ્યાઓમાં શુ સમાનતાઓ જોવા મળી આવી મુલાકાતો બાદ તમે જાણી શકશો કે આમા ના કયા કયા કુટુંબો સખી મંડળોમાં એક સાથે જોડાઈ શકશે. તમે એ પણ સમજી શકશો કે તેમની સમાન જરૂરીયાત અને સમસ્યાઓ વડીલો અને સામાજના અગ્રણીઓને મળ્યા બાદ તથા બધા કુટુંબોની મુલાકાત લીધા બાદ હવે તમે સખી મંડળોના સભ્યોની મીટીંગ બોલાવવા માટે તૈયાર છો. પસંદ કરવામાં આવેલ દરેક કુટુંબની એક મહીલા સભ્ય અનુકુળ દિવસે ગોઠવવામાં આવેલ મીટીંગમાં હાજરી આપે તેવું આયોજન કરવું. આને શરુઆતની મીટીંગ કહી શકાય. આ મીટીંગ દરમ્યાન તમને અનેક પ્રશ્નનો પુછવામાં આવશે. તમારા જવાબો તેઓને સખી મંડળની પરીકલ્પના સમજાવામાં ધીરે ધીરે મદદરૂપ થશે. મંડળની રચના જુદા જુદા પાસાઓ સમજવા માટે સભ્યોને પુરતો સમય આપવો જરૂરી છે.

  • મંડળોની રચના કરવાની પ્રક્રિયા સામાન્ય રીતે પાંચથી છ અઠવાડીયાને સમય લેશે.
  • એકવાર મંડળની રચના થયા બાદ સ્થિરતા મેળવવા માટે તેને એકથી દોઢ વર્ષનો સમય લાગે છે.
  • મંડળની પ્રારંભીક મીટીંગો દરમ્યાન નીચે જણાવેલ વસ્તુઓ બની શકે છે.
  • અમુક સભ્યો મંડળ છોડી જાય.
  • અમુક નવા સભ્યો મંડળમાં જોડાય.
  • મીટીંગના વિષયો કેવી રીતે નકકી કરવા તે ધીરે ધીરે શીખે.

તેઓ મીટીંગનુ સંચાલન કેવી રીતે કરવું તે શીખે. - તેઓ મીટીંગની નોધ , અહેવાલ અને દસ્તાવેજોનુ મહત્વ સમજે.

  • તેઓ એક સાથે રહીને એક બીજાને મદદરૂપ થવા ઈચ્છે.
  • આ સામાન્ય તબકકાઓ છે. આ બાબતો તમને વિશવાસ આપશે કે તમે ખરી દિશામાં જઈ રહયો છો.

નેતૃત્વ

મંડળના એક સભ્ય એ આગેવાની લેવાની જરૂર છે .

આ વ્યકિત કેવી રીતે ઓળખી કાઢીશું?. આ માટે શ્રેષ્ઠ માર્ગ મંડળના સભ્યોને નીચે જણાવેલ પ્રરનો પુછવાનો છે.

પ્રશ્નો અને  જવાબ

મંડળ માટે બધુ કોણ નકકી કરે? તમામ સભ્યોએ કામ વહેચી લેવું જોઈએ

મંડળનો લાભ કોને મળે છે? તમામ સભ્યોએ નકકી કરવું.

કોણે કામ કરવું જોઈએ? તમામ સભ્યોને લાભ મળે છે

કામ કેવી રીતે વહેચવું? દરેક સભ્ય વારાફરતી કામની જવાબદારી પોતાની માથે લે તે અંગે સહમત થવું

આ રીતે સભ્યો જવાબદારી વારાફરતી લેવાના કારણો સમજશે. આ રીતે હિસાબ કિતાબ તથા મીટીંગોનુ આયોજન કરવા માટે સભ્યોની પસંદગી કરવાની કામગીરી સરળ બનશે.

સખી મંડળો કેવી રીતે કામ કરે છે?

સખી મંડળો ને કામ કરવા માટે નીચે પ્રમાણે સાદા નિયમો જરૂરી છે.

  • મીટીંગોનુ આયોજન (અઠવાડીક પખવાડીક માસિક)
  • મીટીંગોનો સમય અને સ્થળ
  • ગેરહાજરી માટે દંડ
  • બચતની રકમ સભ્યોને લોન આપવા માટેના નિયમો જેમ કે હેતુઓ , વ્યાજ હપ્તા વિગેરે ,
  • બેન્કો પાસેથી લોન મેળવવાના નિયમો

સ્વસહાય જુથો યોગ્ય રીતે કામ કરે તે માટે સભ્યોને તાલીમ આપવી તે મહત્વની જરુરીયાત છે. નિમન લિખિત તાલીમ સભ્યો માટે લાભપ્રદ રહેશે.

  • પાયાનું ગણિત
  • હિસાબોની જાળવણી
  • મીટીંગોનુ આયોજન અને સંચાલન મહિલા સશકિતકરણ જેવા સામાજીક પાસાઓ.
  • લોન આપવી લોન લેવી, વિગેરેના પાયાના સિધ્ધાંતો વિશે મંડળોના સભ્યોને તાલીમ પુરી પાડવાની સૌથી અસરકાર પધ્ધતિ તેમને એક સારુ કામ કરતા સ્વસહાય જુથમાં લઈ જવાની અને આ જુથના સભ્યો સાથે મુકત વાર્તાલાપ કરાવવાની છે

ચાલો હવે એક મંડળને નજીકથી જોઈએ અને તેની લાક્ષણિકતાઓ અને કામગીરીઓ સમજીએ

સખી મંડળોની લાક્ષણિકતાઓ અને કામગીરી.

લાક્ષણિકતાઓ

  • એક મંડળનું આદર્શ કદ ૧૦ થી ૨૦ સભ્યોનું હોવું જોઈએ. ( માટે જુથમાં સભ્યો સક્રિયપણે ભાગ ન લઈ શકે.)
  • આ મંડળની કાયદાકીય રીતે નોધણી કરવી જરૂરી નથી.
  • એક કુટુંબમાંથી ફકત એક સભ્ય ( આ રીતે સ્વસહાય જુથમાં વધુ કુટુંબો જોડાઈ શકે છે.)
  • જુથ મહિલાઓનુ બનેલું હોવું જોઈએ.
  • સભ્યના સામાજીક અને આર્થિક સ્તરમાં સમાનતા.(આવા સભ્યો છુટથી હળી મળી શકશે.)
  • મંડળની મીટીંગો નિયમિત પણે યોજાવી જોઈએ. ( જો સભ્ય અઠવાડીયામાં એક વાર મળે તો તેઓ એક બીજાને વધુ સારી રીતે સમજી શકે.)
  • ફરજીયાત હાજરી,(સધન ભાગીદારી માટે પુરી હાજરી)
  • મંડળના સભ્યોની ઉમંર ૧૮ વર્ષથી વધારે હોવી જોઈએ.

હિસાબ કિતાબ

  • તમામ વ્યવહાર, લેવડ દેવડ માટે સાદા અને સ્પષ્ટ ચોપડાઓ જાળવવા. - જો મંડળના કોઈ પણ સભ્યો હિસાબ કિતાબ રાખી ન શકતા હોય તો આ કામ માટે મંડળે કોઈ વ્યકિતને રોકવી.

મીટીંગ રજીસ્ટ્રાર(મીટીંગોની કાર્યવાહી તથા ઠરાવો આ બુકમાં નોધવામાં આવે છે.)

િસાબી રજીસ્ટર

  • સભ્યોની બચત તથા જુથની એકંદર બચત વ્યકિતગત લોનો , લોનોની પુનઃ ચુકવણી, વસુલ કરાયેલ વ્યાજ અને દંડ, બાકી સિલક વગેરેની આ રજીસ્ટરમાં નોધ કરવામાં આવે છે.

સભ્યોની પાસબુકો

  • દરેક સભ્યોની વ્યકિતગત પાસબુકોમાં બચત, લોન તથા તેની પુનઃ ચુકવણીની વિગતો નોધવામાં આવે છે.

મંડળ કામગીરી બચત અને કરકસર

રકમ ભલે નાની હોય પણ બચત તે દરેક સભ્યોની નિયમિત અને સળંગ આદત હોવી જરૂરી છે. '' પહેલા બચત- પછી લોન એ પ્રત્યેક જુથ સભ્યોનો નિરચય હોવો જોઈએ. બચતો ધ્વારા મોટી રોકડ રકમનું સંચાલન કેવી રીતે કરવુ તે મંડળના સભ્યો શીખે છે આ અનુભવ તેઓને ભવિષ્યમાં બેક લોનના સંચાલનમાં મદદરૂપ થશે.

  • મંડળના નામે બેંકમાં ખાતુ ખોલાવવું.
  • અંદરોઅંદર ધિરાણ કરવું (આાંતરિક લોન)
  • બચત ઉપયોગ સભ્યોને લોન આપવા માટે કરવો.
  • લોનના હેતુઓ રકમ, વ્યાજનો દર, વગેરે
  • મંડળ ધ્વારા સ્વયં જ નકકી કરવામાં આવે છે. મંડળ દ્વારા યોગ્ય હિસાબો રાખવામાં આવે છે.
  • બેંક પાસેથી લોન મેળવતા પહેલા મંડળે આંતરિક લોનનો અનુભવ મેળવવો જરૂરી છે.
  • સમસ્યાઓની ચર્ચા વિચારણા કરવી.
  • દરેક મીટીંગમાં મંડળ સભ્યોની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ ચર્ચા ધ્વારા કરવામાં આવશે.

પગલું ૧ સખી મંડળ માટે બચત બેંક ખાતુ ખોલાવવું.

ભારતીય રીઝર્વે બેંકે તથા રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકે તમામ વાણીજય બેંકો, સહકારી બેંકો તથા પ્રાદેશિક ગ્રામિણ બેંકોને રજીસ્ટર્ડ કે રજીસ્ટર્ડ ન કરાયેલ હોય તેવા સ્વ સહાય જુથોના બચત ખાતાઓ ખોલાવવાની મંજુરી આપી છે. મંડળના નામે બચત ખાતુ ખોલાવતી વખતે નીચે જણાવેલ દસ્તાવેજો બેંકમાં આપવાના રહેશે.

મંડળનો ઠરાવ : મંડળે બેંકમાં ખાતુ ખોલાવવા અંગે લીધેલ નિર્ણય દર્શાવતો અને તમામ સભ્યોની સહી ધરાવતો ઠરાવ પસાર કરવો જરુરી છે. આ ઠરાવની નકલ બેંકને આપવી. ( આ ઠરાવનો નમુનો બિડાણ-૧ પ્રમાણે રહેશે.)

ઓળખ પત્ર :આઈસીડીએસ ના સુપરવાઈઝર, ACDPO અથવા CDPO ના હસ્તાક્ષરથી મંડળ વિશે ઓળખ પત્ર બેંકને આપવાનું રહેશે. ( આ ઓળખપત્રનો નમુનો બિડાણ-ર પ્રમાણે રહેશે.)

ફોટા:- મંડળના બચત ખાતાનુ સંચાલન કરનારી બે અથવા ત્રણ બહેનો ( ઠરાવ પ્રમાણે) ના સંયુકત અથવા અલગ અલગ એવા બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ બેંકમાં આપવાના રહેશે.

બેંક બચત ખાતાની પાસબુક મંડળને આપવામાં આવે છે આ પાસબુક મંડળના નામે આપવામાં આવે છે નહી કે કોઈ સભ્યના વ્યકિતગત નામે બેંકોને ખાસ વિનંતી કે મંડળના બચત ખાતા ખોલવા માટે રબર સ્ટેમ્પ, મંડળની બહેનોના રેશન કાર્ડની નકલ વગેરે જવી બિન જરૂરી બાબતોનો આગ્રહ ન રાખે.

પગલું –ર સખી મંડળ ધ્વારા આંતરિક ધિરાણનું સંચાલન

  • બે થી ત્રણ મહિના સુધી સભ્યોની બચત એકઠી કર્યા બાદ તેનો ઉપયોગ મંડળ ધ્વારા પોતાના સભ્યોને લોન આપવામાં કરે છે. લોન અંગેની શરતો, વ્યાજનો દર વગેરે મંડળ તેની બેઠકમાં ચર્ચા દરમ્યાન નકકી કરે છે. ( વ્યાજ સામાન્ય પણે દર ૧૦૦ રુપિયા દીઠ રુ. ર|- નું રાખવામાં આવે છે. ગામડાઓમાં લોકો માસિક વ્યાજનો દર વાર્ષિક વ્યાજના દર થી વધુ સારી રીતે સમજે છે.)
  • બચતો અને ધિરાણોના ખાતાઓના સરળ અને સ્પષ્ટ ચોપડાઓ મંડળે  જાળવવા જોઈએ. આંતરિક લોન ધ્વારા મંડળના સભ્યો લોનની રકમના સદઉપયોગ અને પુનઃ ચુકવણી વિષે શીખશે તેઓ જયારે ભવિષ્યમાં બેંક પાસેથી લોન લેશે ત્યારે આ અનુભવ મદદરૂપ થશે.

પગલુ ૩- સખી મંડળોનું ગ્રેડીંગ

મંડળ સારૂ કામ કરે છે કે નહી તે જાણવુ જરુરી છે. નીચે આપવામાં આવેલ તપાસ સુચિ દરેક મંડળનું ગ્રેડીંગ સરળ અસરકારક રીતે કરવામાં મદદરૂપ થશે.

સખી મંડળની કામગીરીનુ ગ્રેડીંગ કરવા માટેના મુદ્દાઓ:-

તપાસવા માટેના મુદ્દા

સારુ

નબળું

સભ્ય સંખ્યા

૧૫ થી ૨O

૧૫ થી ઓછા

સભ્યોનો પ્રકાર

બધા ગરીબ સભ્યો

ઘણા ગરીબ ન હોય તેવા સભ્યો

બેઠકોની સંખ્યા

મહિનામાં એક અથવા વધારે બેઠકો

મહિનામાં એક કરતા ઓછી બેઠકો

સભ્યોની હાજરી

૯૦% થી વધુ

૯૦% થી ઓછી

સભ્યોની ભાગીદારી

ભાગીદારીનુ અતિ ઉચું સ્તર

ભાગીદારીનું નીચુ સ્તર

બચત ની કાર્યવાહી

મીટીગ દરમ્યાન

મિટીગ સિવાય

આંતરિક લોન પરનું વ્યાજ

હેતુ પર આધારિત

બધા હેતુઓ માટે સરખુ

બચત રકમનો ઉપયોગ

સભ્યોને લોન આપવામાં પુરો ઉપયોગ

નજીવો ઉપયોગ

લોન વસુલાત

૧૦૦%

૧૦૦% થી ઓછી

ચોપડાની જાળવણી

તમામ ચોપડાઓની નિયમિત પણે પૂર્ણ જાળવણી

ચોપડાઓની જાળવણીમાં અનિયમિતતા તથા જાળવણી પૂર્ણતાનો અભાવ

એકત્રીત બચત

રુ. ૩૦૦૦/- થી વધુ

રુ.૩OOO|- થી ઓછી

મંડળ કાયદાઓની જાણકારી

તમામ જાણતા હોય

તમામ ન જાણતા હોય

પગલુ -૪ મંડળને લોનની મંજુરી

  • લોન કોના નામે મંજૂર કરવામાં આવે.
  • લોન હંમેશા મંડળના નામે મંજૂર કરીને મંડળના ખાતામાં જમા કરવામાં આવે છે (વ્યકિતગત સભ્યોના નામે નહી)
  • લોનનુ પ્રમાણે કેટલું ? આ આંકડો કેવી રીતે નકકી કરાય?
  • મંડળને અપાતી લોનની રકમ આ મંડળની બચતોના ત્રણથી ચાર ગણા જેટલી હોય છે. જુથની બચત નકકી કરતા ઘટકો કયા છે?
  1. જુથની બચત બેંક ખાતામાંની સિલક
  2. અધિકૃત વ્યકિત (પ્રતિનિધિ) પાસે રહેલ રોકડ રકમ
  3. આંતરિકપણે સભ્યોને ધિરવામાં આવેલ રકમ
  4. લોન પર વ્યાજ તરીકે મળેલ રકમ - મંડળને સહાય, દાન વગેરે તરીકે મળેલ કોઈ પણ અન્ય રકમ
  • મંડળોને કયા પ્રયોજનો માટે લોન આપી શકાય છે: મંડળ તેના સભ્યોને વિવિધ પ્રયોજનો માટે લોન મંજુર કરી શકે છે. મંડળે તેના સભ્યોને કયા કામ માટે લોન આપવી તે બેંક નકકી ન કરી શકે. પ્રયોજનમાં કુટુંબમાં માંદગી, લગ્ન વગેરે જેવી તાકીદની જરુરીયાતો અથવા આવક સર્જન માટે મિલકત સંપાદન વગેરે હોઈ શકે. મંડળે તેના વ્યકિતગત સભ્યોને કયા પ્રયોજન માટે લોન આપવી તેની ચર્ચા કરીને નકકી કરશે.
  • પુનઃ ચૂકવણી કોણ કરે છે : મંડળ બેકને લોન પુનઃ ચુકવણી કરે છે (લોન પુનઃ ચૂકવણી માટે મંડળ સંયુકત પણે જવાબદાર હોય છે.)
  • બેંક માટેની કોલેટરલ જામીનગીરી શું છે: આરબીઆઈ/ નાબાર્ડના કાયદાઓ અનુસાર બેંક સ્વસહાય જુથો પાસેથી કોઈ પણ કોલેટરલ સીકયોરીટી લઈ ન શકે.
  • મંડળો મંજુર કરવામાં આવેલ લોન માટે કોલેટરલ જામીનગીરી જરુરી નથી. કારણકે,
  • મંડળના સભ્યો જાણે છે કે બેંક લોનની રકમ તેઓ માટે પોતાની બચતની રકમ જેવી જ મહત્વની છે. તેઓ જાણે છે કે લોનની પુનઃ ચુકવણી માટે તેઓ સંયુકતપણે જવાબદાર છે.
  • તેથી તેઓ લોન લેનાર સભ્યો પર પુનઃ ચુકવણી માટે નૈતિક દબાણ લાવે છે.
  • આના કારણે બેંકોને મંડળો પાસેથી ઘણી સારી પુનઃ ચુકવણી મળી રહે છે.
  • શું બેક મંડળ ના બચત ખાતાની સિલક જામીનગીરી તરીકે અટકાવી શકે છે? ના, આના કારણે મંડળ તેની આંતરિક બચતમાંથી સભ્યોને ધિરાણ ન કરી શકે.
  • બેંક ધ્વારા મંડળને આપવામાં આવેલ લોન પર વ્યાજનો દર કેટલો હોવો જોઈએ? ભારતીય રીઝર્વે બેંક મંડળ પાસેથી લેવાનારો વ્યાજનો દર બેંકોને નકકી કરવાની સ્વતંત્રતા આપી છે.

મંડળોએ તેના સભ્યો પાસેથી કેટલા ટકા વ્યાજ લેવુ જોઈએ?

  • મંડળો દ્વારા તેના સભ્યો પાસેથી લેવાનારા વ્યાજના દરો મંડળે પોતે નકકી કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ આ દરો સામાન્યપણે દર ૧૦૦|- રુપિયે માસિક રુ. ર|- હોય છે.
  • મંડળોએ લોન મેળવવા માટે બેકને આપવાના જરુરી દસ્તાવેજોની યાદી.
  1. મંડળના તમામ સભ્યોનો આંતરિક કરાર આ કરાર ધ્વારા મંડળના સભ્યો પોતાના બે અથવા ત્રણ પ્રતિનિધિઓને બેંક સાથે વ્યવહાર કરવાની સત્તા આપે છે. તથા પ્રતિનિધિઓની કાર્યાવહીની સંપૂર્ણ જવાબદારી બધાની રહેશે એવી બાહેધરી આપે છે. ( બિડાણ-૩)
  2. મંડળ દ્વારા બેંક લોન માટેની અરજી (બિડાણ- ૪)
  3. લોન કરાર( બેંક અને મંડળ વચ્ચે સ્ટેમ્પ પેપર ઉપર થયેલા કરાર મુજબ બંને પક્ષા તેમાં દર્શાવેલ શરતોનો અમલ કરવા સહમત થાય છે.) (બિડાણ-પ)

મંડળના સભ્યો બેંકની લોનની પુન: ચૂકવણી માટે સંયુકતપણે જવાબદાર છે.

બિડાણ સખી મંડળનું આંતરીક બંધારણ |ઠરાવ

સખીમંડળનું નામ .................................................. સખી મંડળ

ગામ ............ ફળિયું........... તાલુકા  ........... જીલ્લો.....................

યુનિક કોડ નંબર ...........

સખીમંડળના હેતુંઓ :

  1. કરકસર યુકત બચતની ટેવ પાડી સામુહિક મિલકત ઉભી કરવી.
  2. બચતની રકમનો ઉપયોગ સભ્યોના આર્થિક વિકાસ તેમજ આકસ્મિક ખર્ચ માટે કરવો.
  3. શરાફી દેવામાંથી બહાર નીકળવું.
  4. મિલકત ધ્વારા સ્વરોજગારીનું સાધન ઉત્પન્ન કરી આત્મનિર્ભર બનવું.
  5. સામુહિક તાકાતથી સામાજીક અને આર્થિક વિકાસ તેમજ સમાજમાં થતા અન્યાય અને અત્યાચાર સામે ન્યાય મેળવવો.

સખીમંડળના નિયમો :

  1. આજ રોજ તા.............. “ ............................................................. સખી મંડળ બનાવીએ છીએ. જેમાં અમો સર્વાનુમતે નીચેના સભ્યો સ્વ ઈચ્છાથી સભ્યપદ નોંધાવીએ છીએ, અને નીચે મુજબનું બંધારણ /નિયમો સર્વાનુમતે મંજુર કરીએ છીએ.
  2. સખીમંડળનુ બચત ખાતું............................... બેંકની........... શાખામાં ખોલવામાં આવશે.
  3. 3. પ્રતિ માસ રૂ............... પ્રતિ સભ્ય દીઠ બચત તરીકે આપવાના રહેશે. જે દર માસની. · તારીખ પહેલા જમા કરવાના રહેશે.
  4. 4. સખીમંડળનું ખાતુ સામુહિક ખાતુ રહેશે પરંતુ સગવડ ખાતર બે કે તેથી વધુ સભ્યો તેની લેવડ દેવડ કરશે.
  5. પુખ્તવયની વ્યકિત તેમજ માનસિક આર્થિકતા ન હોય તેવી વ્યકિત આ સખી મંડળનું સભ્ય પદ ધારણ કરી શકશે.
  6. માસમાં ઓછામાં ઓછી એક મીટીગ અવશ્ય મળશે.
  7. સતત ત્રણ મીટીંગમાં વ્યાજબી કારણોવગર ગેરહાજર રહેનાર વ્યકિતનું સભ્ય સભ્યપદ રદ કરવામાં આવશે.
  8. જરૂરીયાત મુજબ પ્રથમ બચતમાંથી ધિરાણ આપવામાં આવશે. તેમજ વધુ જરૂરીયાત જણાશે તો બેંકમાંથી જે ધિરાણ મળે તે સભ્યોની જરૂરીયાત મુજબ વિતરણ કરવામાં આવશે.
  9. ધિરાણ પર વ્યાજનો દર............. % રહેશે.

10. જો કોઈ સભ્ય વસુલાત આપવામાં વિલંબ કરશે તો તેના પર પ્રતિ હપ્તા દીઠ રૂ....... દંડ તરીકે વસુલ કરવામાં આવશે.

11. દરેક સભ્ય સખી મંડળના લીડર નેતાને સહકાર આપી દરેક કાર્યમાં મદદરૂપ થશે.

સખીમંડળ લીડર /નેતા /કાર્યકર્તાની ફરજો :

  1. સખી મંડળની બેઠકો નિયમિત બોલાવશે.
  2. સખીમંડળની મીટીંગ ની નોંધ કરશે.
  3. સખીમંડળ ની બચત અને ધિરાણની લેવડ દેવડ અંગેના હિસાબો રાખશે.
  4. કોઈ સખીમંડળના સભ્યો હિસાબો જોવા માંગે તો હિસાબો બતાવવાના રહેશે.
  5. સખીમંડળ માં એકતા જાળવવા પ્રયત્નો કરશે.
  6. સખીમંડળ જુથ જે કાંઈ ફરજો સુપ્રત કરે તે .

સખીમંડળના લીડરના નામ :

નામ ૧ ....................

નામ ૨ ...................

 

બિડાણ: ર સખી બચત ખાતુ ખોલવા માટે ઓળખપત્ર

પ્રતિ શાખા મેનેજર

સાહેબશ્રી

ઉપરોકત સખી મંડળનું ગઠન ગુજરાત સરકારના સખી મંડળ પ્રોજેકટ હેઠળ કરાયેલ છે. આ મંડળની વિગતો નીચે પ્રમાણે છે.

  1. મંડળનુ નામ
  2. ગામનુ નામ
  3. મંડળના અધિકૃત પ્રતિનિધિઓના નામ
  4. મંડળની નિર્ધારીત માસીક બચત

આથી આપને વિનંતી છે કે ઉપરોકત મંડળનુ બચત ખાતુ આપની શાખામાં ખોલી આપશો. આ સાથે મંડળના ઠરાવની નકલ તથા પ્રતિનિધિના ફોટાઓ બિડેલ છે.

આપની વિશવાસુ,

 

બિડાણ:- ૩ સખીમંડળના સભ્યો ધ્વારા અમલમાં મુકાનાર આંતરિક -કરાર

૧. શ્રીમતિ, કુમારી પત્ની/પુત્રી ----- ઉમંર વર્ષ રહેણાંક

ર. શ્રીમતિ કુમારી પત્ની/પુત્રી ----- ઉમંર વર્ષ રહેણાંક

ઉલ્લેખ મંડળના સભ્યો તરીકે કરવામાં આવશે. આ ઉચ્ચારણ સંદર્ભે કે અર્થમાં પ્રતિકુળ ન હોય તો તેમા ઉપરોકત મંડળના તમામ સભ્યો અને તેના વ્યકિતગત રીતે કાયદેસરના વારસો, અમલમાં મુકનારાઓ અને વહીવટકર્તાઓનો સમાવેશ થાય છે. અને વચ્ચે કરવામાં આવ્યો છે.

હકીકત ધ્યાનમાં લેતા તમામ મંડળના સભ્યો............. ગામ.................. તાલુકો...... જીલ્લાના રહેવાસી છે અને એકબીજાને ઓળખે છે.

હકીકત ધ્યાનમાં લેતા ઉપર નામો જણાવેલ છે તે મંડળના તમામ સભ્યોએ પારસ્પરિક લાભ મેળવવા માટે બચત લોન અને અન્ય આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવાના પ્રયોજન સાથે સ્વચ્છાએ એક સાથે મળીને આ મંડળની રચના કરી છે.જે હવે પછી ઉપસ્થિત થનાર શરતોને આધીન રહેશે.

હવે તેથી કાયદેસર કરાર પ્રમાણિત કરે છે કે:-

મંડળનો દરેક સભ્ય કુલ રુ........... ( રૂપિયા. · ) અથવા જુથ દવારા નકકી કરવામાં આવેલ રકમની બચત અઠવાડીક/પખવાડીક/માસીક ધોરણે કરશે જે જુથની અધિકૃત સભ્યને સોપવામાં આવશે. દરેક સભ્ય મંડળની સફળતા માટે પ્રયત્નો કરશે. અને મંડળના વેપારી હીતને હાનીકારક ન હોય તે રીતે વર્તશે. મંડળના સભ્યો મંડળ ધ્વારા લેવામાં આવેલ તમામ ઋણ માટે સંયુકતપણે અને વ્યકિતગત રીતે જવાબદાર રહેશે. મંડળ ધ્વારા મેળવવામાં આવેલ તમામ અસ્કયામતો અને વસ્તુઓ મંડળના તમામ સભ્યોની સંયુકત માલીકીની રહેશે. અને તે મંડળ ધ્વારા અધિકૃત કરવામાં આવેલ સભ્યોના કબજામાં નિયત સ્થળે રહેશે. અને તે મંડળના સભ્યોની સંમતિ વિના બદલવામાં નહી આવે

અમો મંડળના સભ્યો આથી વિધિવત પસંદગી કરીને

શ્રીમતિ | કુમારી ................................ ની નિમણૂંક પ્રતિનિધિ તરીકે

શ્રીમતિ, કુમારી................................. ની નિમણૂંક પ્રતિનિધિ તરીકે

શ્રીમતિ, કુમારી.................................... ની નિમણૂંક પ્રતિનિધિ તરીકે

કરીએ છીએ. તેઓ મંડળની પ્રવૃત્તિઓની રોજ બરોજની બાબતો તથા અન્ય સંલગ્ન બાબતો જોશે અને તેનુ સંચાલન કરશે. આ અધિકૃત પ્રતિનિધિઓને કોઈ પણ સમયે મંડળના સભ્યોની બહુમતિના મતે દૂર કરી શકાય છે. અને નવા પ્રતિનિધિઓની પસંદગી થઈ શકે છે.

મંડળ જુથનો પ્રત્યેક સભ્ય મંડળ અધિકૃત પ્રતિનિધિઓને ઉપરોકત પ્રવૃત્તિઓની હીતમાં કરેલ તમામ કૃત્ય દસ્તાવેજો અને બાબતોને બહાલી આપવા આથી વચનબધ્ધ થાય છે. અધિકૃત પ્રતિનિધિઓ મંડળની રોજબરોજની પ્રવૃત્તિઓ અંગે નિર્ણયો લેશે અને પ્રત્યેક પ્રતિનિધિ પોતે સકીયપણે ભાગ લેશે અને મંડળની રોજ બરોજની બાબતો પર ધ્યાન આપવામાં સહકાર આપશે ખાસ કરીને નીચે જણાવેલ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપશે.

મંડળના દરેક સભ્યો આથી પ્રતિનિધિઓને મંડળના હીતમાં લોન માટે અરજી કરવાની અને તે માટે જરુરી કરારો/દસ્તાવેજો અમલમાં મુકવાની સત્તા આપે છે. અધિકૃત પ્રતિનિધિને મંડળના હીતમાં બેંક પાસેથી લોન મેળવાની, મંડળના નિર્ણયના અનુસંધાનમાં સભ્યોને લોને આપવા માટે બચત ખાતામાં જમા કરાવવાની અને સભ્યોના લોન હપ્તાની વસુલાત બેંક સાથે મંડળના લોન ખાતામાં જમા કરાવવાની સત્તા આપે છે.

મંડળના સભ્યો આથી પ્રતિનિધિઓને

  1. . . . . . . . . . . . . . . . . . . . . . . . . બેકમાં બચત /ફીકસ ડીપોઝીટ અને અન્ય ખાતા ખોલાવવાની અને તે ખાતાઓનું સંચાલન ત્રણ સભ્યોમાંથી કોઈ પણ બે અધિકૃત પ્રતિનિધિઓને કરવાની સત્તા બક્ષે છે.
  2. મડળના સભ્યો ધ્વારા કરવામાં આવેલ બચતોના યોગ્ય હિસાબી ચોપડાઓ,સભ્યોને મંજુર કરવામાં આવેલ લોનની રકમો અને સભ્યો પાસેથી કરવામાં આવેલ વસુલાતના ચોપડાઓ જાળવવા કે તે માટે માણસ રોકવાની વ્યવસ્થા કરવાની અને દર વર્ષ મંડળના સભ્યોને બધાજ ખાતાઓ તેઓની મંજુરી અને સ્વીકૃતિ માટે રજુ  કરવા
  3. મડળના સભ્યો તરફથી કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા શરુ કરવાની અને તેના ધ્વારા આ મંડળ પ્રત્યેક સભ્યના હિતોની રક્ષા કરવાની અને આ પ્રયોજન માટે કોઈ પણ ધારાશાસ્ત્રી, વકીલ કે એજન્ટને રોકવાની કે છુટા કરવાની અને તે માટે જરુરી કાયદાકીય ખર્ચ કરવાની.

મંડળના કોઈ  પણ સભ્યના મૃત્યુના ઉપલક્ષમાં તેણીનો કાયદાકીય વારસ આ સભ્યને મળવાપાત્ર લાભો મેળવવાને તેમજ આ સભ્યની ફરજો| જવાબદારીઓનું વહન કરવા આ કરાર મુજબ બંધાયેલ છે. મંડળના તમામ સભ્યોની સહમતિ વિના કોઈ પણ સભ્યને આ મંડળમાં પ્રવેશ નહી અપાય તેવો નિર્ણય લેવાયો છે. જેથી મંડળના ઉપર દર્શાવેલ અને સાક્ષીઓ તેની સહીઓ/અંગુઠાની છાપ આ કરાર પર મૂકે છે.

સ્થળ .............   તારીખ------------

મહિના ...........   વર્ષ ...................

સ્વ સહાય જુથના સભ્યનું નામ સહી/ અંગુઠાની છાપ

  1. .......................
  2. ........................
  3. .......................

 

સાક્ષીઓ

  1. .....................
  2. ....................

બિડાણ:- ૪ લોન માટે મંડળ દવારા બેંકની શાખાને કરાનારી અરજીનો નમૂનો

મડળનુ નામ

સરનામુ:

રચવામાં આવ્યું / સ્થાપના તારીખ

મંડળના સભ્યોની સંખ્યા

મંડળને સહાય કરતી એનજીઓ/ આાંગણવાડી બેન .

પ્રતિ

શાખા મેનેજર

સાહેબશ્રી

લોન અરજી

અમો ઉપરોકત મંડળના વિધિવત સભ્યો આથી એકંદર રુ........................... ) લોનની અરજી કરીએ છીએ. આ લોન રકમનો ઉપયોગ અમારા સભ્યોને લોન આપવા માટે કરવામાં આવશે મંડળની નાણાંકીય વિગતો..................... આ સાથેના જોડાણમાં આપવામાં આવેલ છે.

  • અમે બેંક ધ્વારા નકકી કરવામાં આવેલ પુનઃ ચુકવણી સમય પત્રક મુજબ પુનઃ ચુકવણી કરવા સંમત થઈએ છીએ.
  • મંડળના તમામ સભ્યો અમલમાં મુકાનાર આંતરિક કરારની એક નકલ જેમાં અમને મંડળ તરફથી લોન લેવાની સત્તા આપવામાં આવી છે તે સાથે બીડીએ છીએ.
  • અમે આથી જાહેર કરીએ છીએ કે ઉપરની વિગતો અમારી જાણ અને માન્યતા પ્રમાણે ખરી અને દોષરહિત છે.
  • અમે આથી બેંકને સત્તા આપીએ છીએ કે તે બેંક સાથેના અમારા લોન ખાતાને લગતી તમામ કે કોઈ ખાસ વિગતો અથવા સવિસ્તાર માહીતી નાબાર્ડ, સરકાર કે બેકને જરુરી લાગે તેવી કોઈ અન્ય એજન્સીની સહિતની કોઈ પણ નાણાંકીય સંસ્થાને જણાવી શકે છે. જો અત્રે આપવામા આવેલ જુથને લગતી માહીતી કે વિગત ખોટી ઠરે અથવા હકીકતોની ખોટી રજુઆત મંડળ ધરાવતી હોય તો બેંકને કોઈ પણ જાતની શાખ સવલતો મેળવવા માટે ગેરલાયક ઠેરવી શકે છે અને આ અરજી પર મંજુર કરવામાં આવેલ લોનની રકમ કેતેનો કોઈ પણ ભાગ પાછો મંગાવી શકે છે.

તમારો વિશવાસુ,

(અધિકૃત પ્રતિનિધિઓ)

સખી મંડળ

નાણાંકીય વિગતો.................................... તારીખે,......................

ક્રમાંક: વિગતો

  1. સભ્યોની બચતો
  2. ભરપાઈ કર્યા વિનાનુ ત્રકુણ (સ્ત્રોત દર્શાવો)
  3. સભ્યોની બાકી રહેતી લોન
  4. વસુલાત ન આવતી રકમનો આંકડો જો કોઈ સભ્યો સામે બાકી હોયતો
  5. વસુલાતની ટકાવારી રોકડ બેંક બેલેન્સ

બિડાણ:-૫ મંડળને જુથને નાણાં ધીરતી સમયે બેંકો ધ્વારા ઉપયોગમાં લેવાનારા કરારનામાની રુપરેખા

....................... ના રોજ · સખી મંડળનું નામ) વ્યકિતઓનું વણનોધાયેલું એસોસિએશન જે ફળિયુ..................ગામ..............તાલુકા..........જિલ્લાનું છે જેનુ પ્રતિનિધિત્વ તેના અધિકૃત પ્રતિનિધિ

શ્રીમતિ, કુમારી...----------------------------------------------- · અને

શ્રીમતિ, કુમારી. · કરે છે તથા તેઓ મંડળના તમામ સભ્યો ધ્વારા અધિકૃત કરવામાં આવ્યા છે ( આંતરીક કરારની એક નકલ અત્રે બિડવામાં આવે છે બિડાણ-૩ મુજબ.) જે કરારનો એક ભાગ બને છે) જેના ઉલ્લેખ હવે પછી જો વિષય તથા અથવા સંદર્ભને પ્રતિકુળ ન હોયતો લોન લેનાર '' ( બોરોવર) વહીવટ કર્તાઓ અને એસાઈનીઓ એક ભાગ અને ....................... ( બેંકનું નામ )....................... કાયદા હેઠળ રચવામાં આવેલ એક કોર્પોરેટર બોડી જે તે તેની મુખ્ય કચેરી................... એ ધરાવે છે અને તેની એક શાખા...........................  ધરાવે છે તેને હવે પછી બેંક કહેવામાં આવશે, જો ઉચ્ચારણ વિષય કે સંદર્ભને પ્રતિકુળ ન હોય તો હવે પછી જેમાં ભાગ બે ના અનુગામીઓ અને એસાઈનીઓના સમાવેશ કરાશે તે બીજા ભાગમાં વચ્ચે આ લોન કરાર કરવામાં આવે છે. આથી લોન લેનાર ( બોરોવર) વ્યકિતઓએ એક બીજાને સહાય કરવાના આશયથી અને તેના સભ્યોની સામાજીક આર્થિક સ્થિતિનો વિકાસ કરવા અને સુધારવાના પ્રયોજન સાથે વ્યકિતઓના એક વણ નોધાયેલ એસોસિએશનની (સખી મંડળ) રચના કરી છે. આથી મંડળ તરીકે એસોસીએશનની રચના કર્યા બાદ લોન લેનાર તારીખ................. ની અરજી શ્રીમતિ, કુમારી...........................................................

શ્રીમતિ, કુમારી. · અને શ્રીમતિ, કુમારી........................................................... આ પ્રતિનિધિઓને તારીખ................... ના રોજ કરવામાં આવેલ ઠરાવની શરતો અનુસાર વિધવત સત્તા આપવામાં આવી છે. ( નકલ બીડી છે) આ અરજી બેંકને લોન મંજુર કરવાની શાખ સવલતોની મર્યાદા રુ......................... જેથી વધારીને રુ......................

કરવાનો અનુરોધ કરે છે. જેથી તેનો સભ્યોને ધિરાણ કરી શકાય. અને હકીકતને ધ્યાનમાં લેતા બેંક અને બોરોવર જયારે સંમત થયેલ શરતોને લખાણમાં ફેરવવા ઈચ્છે છે ત્યારે:

  1. બેંક મંજુર કરવા અને મંડળમુદ્દતી લોન, કેશ કેડીટ (ચોખ્ખી) રુ...............ના રુપમાં લોન લેવા સંમત થાય છે અને બેંક (લોન ખાતાનો પ્રકાર દર્શાવો) એકાઉન્ટ નં..... તારીખ................. મંડળના નામે તેની એકાઉન્ટસની બુકમાં ખોલે 3)

જો લોન કેશક્રેડીટ ના રુપમાં લેવામાં આવી હોય તો બોરોવર કેશ કેડીટ ખાતુ સંતોષજનક રીતે અને મર્યાદામાં રહી ચલાવવાનું રહેશે અને બોરોવર એકાઉન્ટમાં રહેલ ભરપાઈ કરવાની રકમ જેમાં વખતો વખત ઉધારવામાં આવેલ વ્યાજ અને અન્ય ચાર્જીસનો પણ સમાવેશ થાય છે, તે કોઈ પણ જાતના વાંધાવચકા વિના સમયસર ભરવાની રહેશે. જો લેવામાં આવેલ લોન ડીમાન્ડ લોન હોય તો બેંક ધીરાણ પાછુ માંગવાનાં અધિકારને સામે કોઈ પણ પૂર્વગ્રહ દાખવ્યા વિના બોરોવર લોનની રકમ વ્યાજ સાથે પુનઃ ચુકવવાની આપેલ મર્યાદામાં કરવાની બાહેધરી આપે છે.

જો બોરોવર ધ્વારા લેવામાં આવેલ લોન મુદ્દતી લોન રુપમાં હોય તો તેની પુનઃ ચકવણી સમયપત્રક મુજબ હપ્તાવાર ચુકવવાની રહેશે. ( જે દર્શાવાવમાં આવશે) આ ઉપરાંત બોરોવર વ્યાજ ની ચુકવણી વખતે વખત ઠરાવવામાં આવેલ દરો પ્રમાણે કરશે.

જે બોરોવર લોન નો ઉપયોગ જે પ્રયોજન માટે બેંક ધ્વારા તેને મંજુર કરવામાં આવ્યો હોય તે પ્રયોજન માટે કરવામાં નિષ્ફળ જાય તો બોરોવરે તેની પુનઃ ચુકવણી ઓન ડીમાન્ડ બેંકને વ્યાજ સાથે કોઈ પણ જાતના વાંધાવચકા કે બેંકના કાયદેસરની અન્ય કાર્યવાહી કરવાના અધિકાર સામે પુર્વગ્રહ દર્શાવ્યા વિના કરવાની રહેશે. બોરોવર લોન એકાઉન્ટસની દૈનિક સિલક પર ગણતરી કરવામાં આવેલ વ્યાજ આપવાનું રહેશે અને તે દર ત્રણ મહિને અથવા બેંક નકકી કરે ત્યારે લોન એકાઉન્ટમાં રકમજમા કરાવવાની રહેશે. બોરોવરે લોનની રકમનો ઉપયોગ તેના સભ્યોને લોન આપવાના પ્રયોજન માટે કરવાનો રહેશે. જેથી તેના સભ્યો અને સભ્યોના કુટુંબોની સામાજીક આર્થિક પરિસ્થિતિ સુધરે. બોરોવરે લોનની રકમ અને વખતો વખત રીઝર્વ બેંકી નાબાર્ડ ધ્વારા આ પ્રકારની લોન લાગુ પાડવામાં આવેલ દરે વ્યાજની રકમ પુન: ચૂકવવાની રહેશે. બોરોવર તેને આપવામાં આવેલ લોન સવલત બેંક દ્વારા પાછી ખેચી લેવામાં આવે તો લોનની રકમની પૂનઃ ચુકવણી માટે તથા વ્યાજ અને બેંકના કાયદાઓ મુજબ થતા અન્ય ચાર્જાસ ચુકવવાને બંધાયેલ છે.

પૂન: ચુકવણી સમય પત્રક (મહેરબાની કરીને સવિસ્તાર વર્ણવો)

ઉપરોકત લખાણ માટે બંને પક્ષે તા.................. ના રોજ પોતાની સહીઓ કરે છે. મંડળ માટે બેંક માટે

1.  અધિકૃત પ્રતિનિધિ મેનેજર

  1. અધિકૃત પ્રતિનિધિ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate