|
|
હેતુ |
- આ યોજના વ્યવસાયિક શિક્ષણ / પ્રશિક્ષણ પાપ્ત કરનાર ઠાકોર અથવા કોળી જાતિના યુવાનોમાં આત્મઓનિર્ભરતાની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નિગમ પાત્રતા ધરાવતા યુવાનોને સ્વ રોજગાર ઉભો કરવા માટે ઓછા વ્યાજદરે લોન સહાય પુરી પાડે છે.
|
લોન મેળવવાની પાત્રતા |
- અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઇએ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક, (અ) ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૯૮,૦૦૦/- અને, (બ) શહેરી વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઇએ.
- અરજદારે વ્યાવસાયિક શિક્ષણ / તાલીમ પ્રાપ્તા કરેલી હોવી
- અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષ થી ૩પ વર્ષ સુધીની હોવી જોઇએ.
|
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ |
- આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧૦,૦૦,૦૦૦ સુધીની છે.
- આ યોજનાઓમાં વ્યાજનો દર રૂા.૫,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષિક ૬ ટકા અને રૂા.૫,૦૦,૦૦૦/- થી ઉપર અને રૂા.૧૦,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષિક ૮ ટકાનો રહેશે.
- આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૮૫ ટકા કેન્દ્દીય નિગમના,૧૦ ટકા રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
- આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે
સ્ત્રોત- ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ની વેબસાઈટ
|
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/15/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.