આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે વધારાનાં ઓજારો સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિઓ કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવા ૭૯ ટ્રેડમાં નાના કદના વેપાર ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૩૬,૦૦૦/- ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે રૂ. ૫૦૦૦-ની મર્યાદામાં જરૂરી સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે.
પાત્રતા :ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખા નીચેની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે. ૦ થી ૧૬ સ્કોરના લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી
અથવા
અરજદારના કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ. ૩૬,000/- હોવી જોઈએ તે અંગેનો મામલદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. બી.પી.એલ. લાભાર્થીને અગ્રતા આપવામાં આવશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020