অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એસ.ટી. બસમાં મફત મુસાફરી

હેતુ

વિકલાંગ વ્યક્તિઓ, બાળકોને તબીબી સારવાર, સામાજિક કામો પર જવા,અભ્યાસ અર્થે તથા અન્ય કામે કરવી પડતી બસની મુસાફરી ખર્ચમાં આર્થિક રાહત આપવાના હેતુથી આ યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી છે.જે દ્વારા તેઓ ગુજરાત રાજ્યની હદમાં એસ.ટી.નિગમ ની બસોમાં મફત મુસાફરી કરી શકે છે.

એસ.ટી.માં મફત મુસાફરી કરવાની પાત્રતા

  • વિકલાંગ વ્યકિતએ વિકલાંગ ઓળખકાર્ડ કઢાવેલ હોવું જોઈએ.
  • ૪૦ % કે તેથી વધુ વિકલાંગ હોવી જોઈએ.
  • ૧૦૦ % દ્રષ્ટિહીન વ્યકિતને.
  • ૧૦૦ % શ્રવણમંદ વ્યકિતને.
  • ૭૦ % કે તેથી ઓછો બુધ્ધિઆંક ધરાવતી મંદબુધ્ધિવાળી વ્યકિત.
  • ગુજરાત રાજયના કાયમી વસવાટ હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ વિકલાંગ વ્યક્તિઓ માટે રૂ. ૨,૫૦,૦૦૦/- જ્યારે સરકારી/અર્ધ સરકારી/ ગ્રાન્ટ ઇન એઇડ સસ્થાનાં કર્મચારીઓ માટે પણ રૂ. ૨,૫૦,૦૦૦/- આવક મર્યાદા નક્કી કરવામા આવેલ છે.

વિકલાંગ વ્યકિત સાથે સાથીદારને એસ.ટી.માં મળવાપાત્ર રાહત

  • ૭૫ % કે તેથી વધુ શારીરીક વિકલાંગતા ધરાવતી વ્યકિતના સાથીદારને ૫૦ % રાહત.
  • દ્રષ્ટિહીન વ્યકિતના સાથીદારને એસ.ટી.માં ૧૦૦ % રાહત.
  • મંદબુધ્ધિવાળી વ્યકિતના સાથીદારને ૫૦ % રાહત આપવામાં આવે છે.

વિકલાંગ ઓળખકાર્ડ ખોવાઈ જાય કે રદ કરવા પાત્ર થતા ડુપ્લીકેટ કાર્ડ કઢાવવા અંગે

  • વિકલાંગ ઓળખકાર્ડ ગુમ થયાથી સાદા કાગળ પર અરજી કરવાથી મળી રહેશે.
  • રદ કરવા પાત્ર ઓળખકાર્ડ કચેરીમાં જમા કરાવાથી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવામાં આવે છે.
જિલ્લા સમાજસુરક્ષા અધિકારીની કચેરી, ને સંપૂર્ણ વિગતો સાથે અરજીપત્રક રજુ કરતા મફત મુસાફરી પાસ ઈસ્યુ કરવામાં આવે છે.

સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate