অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શૈક્ષણિક સંસ્થાઓમાં વિકલાંગો માટે પ્રવેશમાં ૩ ટકા બેઠકો અનામત

શૈક્ષણિક સંસ્થાઓમાં વિકલાંગો માટે પ્રવેશમાં ૩ ટકા બેઠકો અનામત

શિક્ષણ વિભાગના તારીખ : ૧૦-૭-૨૦૦૧ના ઠરાવ નં. પરચ - ૧૫-૨૦૦૧-૧૧૭-રથી રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નીચે પ્રમાણેની વિકલાંગતા અનુસાર પ્રત્યેકની એક એક ટકા લેખે કુલ-૩ (ત્રણ) ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

  1. અંધત્વ અથવા અલ્પ દૃષ્ટિ
  2. મૂક બધિરની ખામી (બહેરા-મૂંગા)
    1. અસ્થિ વિષયક વિકલાંગ અથવા મગજનો લકવો (મંદ બુદ્ધિ)

ભારત સરકારના ધારાને અનુરૂપ હવે શારીરિક ક્ષતિ ત્રણ પ્રકારમાં વહેંચી તેની વ્યાખ્યા કરવામાં આવી છે, જેમાં એક કેટેગરીનો વિકલાંગ ઉમેદવાર ન મળે અને અન્ય કેટેગરીની વિકલાંગ ઉમેદવાર મળે કે જે ઉમેદવારોની વિકલાંગતા તેમના સમગ્ર અભ્યાસ કાળ દરમ્યાન શૈક્ષણિક કામગીરી માટે અવરોધક બને તેમ ન હોય તેવા ઉમેદવારથી જગ્યા ભરી શકાય. આમ કુલ ૩ ટકાની મર્યાદામાં રહીને એક કેટેગરીની અનામતને બીજી કેટેગરીની અનામતમાં અરસ-પરસ અદલા બદલીથી ભરી શકાશે. આ રીતે અનામતની ઈન્ટર ચેન્જબિલિટીથી વિકલાંગ માટે પ્રવેશમાં ત્રણ ટકાનું પ્રતિનિધિત્વ કાયમ જળવાઈ રહે. આ અંગેનો સ્વયં સ્પષ્ટ ઠરાવ પાન ૧૫૬ ઉપર જોવા વિનંતી આશ્રમ શાળાઓમાં પણ ત્રણ ટકા જગ્યાઓ અનુ. જનજાતિના વિકલાંગો માટે અનામત રાખવા આદિજાતિ વિકાસ વિભાગે તા.૨૧-૮-૦૬ના ઠરાવ ક્રમાંક એસએસ/૨૦૦૬ ૯૯/ઘથી જોગવાઈ કરી છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate