વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે ગુજરાત સરકારે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ દાખલ કરી છે, જેથી વિકલાંગ વ્યક્તિ શિક્ષણ, તાલીમ મેળવી સમાજમાં માનભેર જીવી શકે. તેઓના આરોગ્ય માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે.
વિવિધ પ્રકારનાં વિકલાંગો માટે સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યરત છે. વિકલાંગોને સંસ્થાગત રીતે તાલીમ અને શિક્ષણ આપવા હાલમાં ૧૩૫ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓને અનુદાન આપવામાં આવે છે, જેમાં પગારના ૧૦૦ ટકા તથા અન્ય નિભાવ ખર્ચ માટે ૯૦ ટકા અનુદાન આપવામાં આવે છે. આ ઉપરાંત ૧૦ જેટલી સંસ્થાઓ અનુદાન સિવાય પોતે સ્વૈચ્છિક ધોરણે કાર્યરત છે અને ૧૧ સંસ્થાઓ સરકાર મારફતે ચલાવવામાં આવે છે.
મોટી ઉંમરની માનસિક પડકારીતાવાળી મહિલાઓ માટે રાજ્યમાં ચાર સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે.
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020