વિકલાંગતાનો દાખલો મેળવવા પોતાના પાસપોર્ટ સાઇઝના બે ફોટા તથા રેશનકાર્ડ સાથે જે તે જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલોમાં રૂબરૂ જઈ કેસ કઢાવી, સંબધકર્તા (હાડકાના-આંખના-કાન-નાકના કે માનસિક રોગના) ડૉક્ટર પાસે જવાથી વિકલાંગ વ્યક્તિઓને તેમની વિકલાંગતા રૂબરૂમાં જોઈ વિકલાંગતા કેટલા ટકા છે તે બાબતનો દાખલો સિવિલ સર્જન તરફથી આપવામાં આવે છે. આવી વ્યક્તિઓમાં વિકલાંગતા ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે.
આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : હસપ/૧૦૨૦૦૨/ જીઓઆઈ/૩૬/અ તારીખ ૬-૬-૨૦૦૯ અને તારીખ ૨૬-૧૦-૨૦૧૦ના ઠરાવમાં સૂચવ્યા મૂજબ કાર્યવાહી કરવા વિનંતી.
વિકલાંગતા અંગેનો દાખલો તેઓને ઓળખપત્ર / એસ.ટી. બસમાં મફત મુસાફરી/ સ્કોલરશીપ / લોન તથા અન્ય લાભ મેળવવા માટે ઉપયોગી બને છે. તેથી વિકલાંગ વ્યક્તિઓએઆવો દાખલો મેળવી લેવો જરૂરી છે, જેથી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી વિકલાંગોનેમળતી સવલતો તેઓને ઝડપથી મળી શકે અને દરેક વખતે પ્રમાણપત્ર મેળવવું ન પડે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/30/2020