অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિકલાંગ વ્યક્તિઓને સંબંધકર્તા કાયદાઓ

વિકલાંગ વ્યક્તિઓને સંબંધકર્તા કાયદાઓ

દષ્ટિહીન, શ્રવણમંદ, અસ્થિવિષયક, માનસિક ક્ષતિ, નિરાધાર વૃદ્ધ ભાઈઓ-બહેનો તથા વિધવા બહેનો અનાથ બાળકો માટેની ગુજરાત ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓ
ગુજરાત સરકારે અને ભારત સરકારે સમાજના દરેક વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેમાં સમયાંતરે વધુ ઉદારતા બતાવી વધુ લોકોને આવરી લીધા છે. વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે અને વિકાસની મુખ્યધારામાં તેમની સહભાગિતાને સુનિશ્ચિત કરવા માટે વિવિધ કાયદાઓમાં વિવિધ જોગવાઈઓ થઈ છે.

વિકલાંગ વ્યક્તિઓને સંબંધકર્તા કાયદાઓ :

  1. વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ તથા સંપર્ણ ભાગીદારી) ધારો - ૧૯૯૫.The Person with disabilities (Equal opportunities, protection of rights and full participation) Act, 1995
  2. સ્વ-લીનતા, મગજનો પક્ષઘાત, મંદબુદ્ધિ અને બહુવિધ વિકલાંગતા પીડિતવ્યક્તિના કલ્યાણ માટેના રાષ્ટ્રીય ટ્રસ્ટ અંગેનો ધારો, ૧૯૯૯ (The National Trust for the welfare of persons with Autism, Cerebral Palisy, Mental Retardation And Multiple Disabilities”Act (Act 44 of 1999).
  3. માનસિક આરોગ્ય ધારો - ૧૯૮૭ The Mental health Act, 1987
  4. ભારતીય પુનર્વસન પરિષદ ધારો ૧૯૯૨ The Rehabilitation councilof India Act, 1992

વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ ભાગીદારી) ધારો- ૧૯૯૫. સામાન્ય રીતે આ કાયદો વિકલાંગતા ધારો કે પછી પીડબલ્યુ.ડી. એક્ટ તરીકે ઓળખાય છે. આ અધિનિયમ, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણની નેમ ધરાવે છે. સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા જેવા ત્રણ શબ્દ પ્રયોગ જ કાયદાના ઈરાદા વિશે સ્વયં બધુ જ કહી દે છે. વિકલાંગ વ્યક્તિને સમાન તકો મળતી થાય, તેમની સહભાગિતા વધે અને બીજી તરફ તમામ પ્રકારના ભેદભાવના વલણનો છેદ ઉડે તે પ્રકારની જોગવાઈઓ અમલી બનાવવા કાયદામાં પ્રયાસ થયો છે.

ભારતની સંસદે વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા) ધારો- ૧૯૯૫ ઘડ્યો છે અને તે ૭-ફેબ્રુઆરી, ૧૯૯૬થી અમલમાં આવ્યો છે. આ કાયદો વિકલાંગ વ્યક્તિઓને સમાન તકો પૂરી પાડવા માટે, તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે તથા તેમને સંપૂર્ણ સહભાગિતા પૂરા પાડવા માટેની એક પહેલ છે કે જેથી સમાજમાં તેમનો સમાવેશ થઈ શકે તથા તેઓ તેમના અધિકારો મેળવી શકે.

વિકલાંગ વ્યક્તિઓનું સશક્તિકરણ અને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા તે આ કાયદાનો ઉદ્દેશ છે. કાયદાનું નિયમન અને અમલ કરનાર તંત્ર, વિકલાંગતા રોકથામ, શિક્ષણ, રોજગારી, હકારાત્મક પગલાં, ભેદભાવવિહિન અભિગમ, સંશોધન અને માનવશક્તિ વિકાસ તેમજ વિકલાંગ વ્યક્તિઓ માટેની સંસ્થાઓને માન્યતા સંબંધી વ્યાપક જોગવાઈઓ આ કાયદામાં કરવામાં આવી છે.

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate