অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિરાધાર વિધવા બહેનો માટેની આર્થિક સહાયની યોજના

નિરાધાર વિધવા બહેનો માટેની આર્થિક સહાયની યોજના

જો ૨૧ વર્ષથી ઉપરની ઉંમરનો પુત્ર ન હોય તો નિરાધાર વિધવાઓને દર માસે રૂ. ૭૫૦/- અને બાળકદીઠ રૂ. ૧૦૦ પ્રમાણે સહાય (૨ બાળકોની મર્યાદામાં) ચૂકવવાનું રાજય સરકારે નક્કી કર્યું હતું. તેમાં હવે રાજ્ય સરકારે સુધારો કરી હવેથી તા. ૧-૧૧૨૦૧૬થી વિધવા લાભાર્થી મહિલાઓને એક સરખા દરે રૂ. ૧૦૦૦-૦૦ની સહાય દર માસે ચૂકવવાનું ઠરાવ્યું છે. (તા. ૧૯-૧૦-૨૦૧૬નો મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ) (નોંધ - તા. ૪-૩-૨૦૧૬ના ઠરાવની અન્ય સર્વે બાબતો/શરતો યથાવત રહેશે.)

અરજદાર વિધવાની પોતાની જંગમ તથા સ્થાવર મિલકતના રોકાણમાંથી વ્યાજ સહિત બધા સાધનોમાંથી (૧) ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ. ૪૭,OOO/- અને (૨) શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ. ૬૮,૦૦૦/-થી ઓછી હોય તેવી નિરાધાર વિધવા મહિલા (કોઈનું ઘરકામ કરતી હોય તેની આવક ગણવાની નથી.) આ સહાય મેળવવા પાત્ર ગણાશે.

વિધવા થયાની તારીખથી ૨ (બે) વર્ષની સમયમર્યાદામાં વિધવા સહાય મેળવવા ફોર્મ ભરવાની સમય મર્યાદા જે હતી તે હવે તા. ૧-૪-૨૦૧૨ની અસરથી રદ કરવામાં આવી છે પરંતુ સહાયનો લાભ ફક્ત ફોર્મ ભર્યાની તારીખથી મળવાપાત્ર થશે. આમ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતી અને ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેવી નિરાધાર વિધવા બહેનો આ યોજનાનો લાભ લઈ શક્યું.

તા. ૧-૪-૨૦૧૨થી જે વિધવા મહિલા લાભાર્થીઓએ ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરી હશે અને તેઓ જો નિયમોનુસાર પાત્રતા ધરાવતા હશે તો મળવાપાત્ર થશે. જે લાભાર્થીઓની ઉંમર ઠરાવના અમલની તારીખે ૧૮થી ૪૦ વર્ષની વયજુથના એટલે કે ૪૦ વર્ષ કરતા ઓછી ઉંમર હોય તેવા તમામ લાભાર્થીઓએ બે વર્ષની અંદર તાલીમમાં જોડાવવાનું રહેશે અને બે વર્ષની અંદર તાલીમ પૂર્ણ કરી લેવાની રહેશે. આ સહાય અરજદારની નજીકની પોસ્ટ ઓફિસના બચતખાતા (ડબલ્યુએફએ-વિડો ફાઈનાન્સિસ આસિસ્ટન્ટ) દ્વારા ચૂકવવામાં આવશે.

આ યોજનાના લાભાર્થી વિધવા બહેનોએ દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુનઃ લગ્ન કર્યા નથી તે મતલબનું મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કર્યા પછી જ બીજા વર્ષની સહાય મળવાપાત્ર થશે.

આ અંગેના અરજીપત્રકો તાલુકા મામલતદારશ્રીઓની કચેરીઓમાંથી વિના મૂલ્ય મળી શકશે. અરજી પત્રકો સંપૂર્ણરીતે ભરી માગ્યા મુજબના જરૂરી બિડાણો એટલે કે રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ, પતિના મરણના દાખલાની ઝેરોક્ષ નકલ, પોતાના તથા બાળકોના ઉંમરના દાખલાના ઝેરોક્ષ નકલ, મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રી તરફથી મળેલ આવકનો તથા પુનઃલગ્ન કર્યા નથી તે બાબતનો દાખલો તથા ફોર્મ ઉપર અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાડી અરજીપત્રક પોતાના તાલુકાના મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે.

નોંધ : કોઈ નિરાધાર વિધવા બહેનનો પુત્ર ૨૧ વર્ષનો હોય પરંતુ તે માતાનું ભરણપોષણ કરવા માટે સક્ષમ ન હોય જેમ કે, પાગપણ, શારીરિક અપંગતા, આજીવન કારાવાસ(કેદ), અથવા પુત્રનું મૃત્યુ થાય વગેરે કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate