પ્રેષક :
ગુજરાત સાહિત્ય અકાદમી
અભિલેખાગાર ભવન,
ગુલાબ ઉદ્યાન સામે, સેકટર-૧૭,
ગાંધીનગર-૩૮૨૦૧૭
વિષય : ઉત્તમ મોલિક બાલસાહિત્યના નિમણ અને પ્રકાશનના પ્રોત્સાહન માટેની યોજનાનું આવેદનપત્ર મોકલવા બાબત.
ક્રમાંક : ગસઅ/ બાલસાહિત્ય
શ્રીમાન,
આપના તા. ..........ના પત્રના અનુસંધાને સવિનય નિવેદન કે, ઉત્તમ મૌલિક બાલસાહિત્યના નિર્માણ અને પ્રકાશનના પ્રોત્સાહન માટે લેખકને આર્થિક સહાય આપવાની યોજના અંગેનું આવેદનપત્ર આ સાથે
મોકલું છું. આવેદનપત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ છે, ત્યારબાદ આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહીં.
મહાપાત્ર
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર
ઉત્તમ મોલિક બાલસાહિત્યના નિમણ અને પ્રકાશનના પ્રોત્સાહન માટેની યોજનાના નિયમો :
(૧) રાષ્ટ્રિય પુસ્તક-નીતિ માટેની સમિતિની ભલામણ અન્ય ઉત્તમ મૌલિક પ્રકારના બાલસાહિત્યનાં પુસ્તકોના નિર્માણ અને પ્રકાશનને પ્રોત્સાહન આપવાની આ યોજના છે.
(ર) ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તા ધરાવતી કૃતિઓ પસંદગીપાત્ર ગણવામાં આવશે. આ અંગેનો અકાદમીનો નિર્ણય આખરી રહેશે.
(૩) અગાઉના વર્ષોમાં સહાય માટે અસ્વીકૃત થયેલી કૃતિ પ્રકાશન માટે આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્ર રહેશે નહીં. '',
(૪) સહાય માટે પાત્ર ઠરેલી હસ્તપ્રત અંગે મંજૂર થનાર સહાયની રકમ, હસ્તપ્રતની પOO નકલોના મુદ્રણ અંગે કરેલા ખરેખર ખર્ચના ૭૫ % અથવા રૂ. ૫૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પૂરા) એ બેમાંથી જે રકમ ઓછી હશે તે સહાયની રકમ કૃતિ પ્રકાશિત કરી તેના મુદ્રણ અંગેના ખર્ચના વાઉચર ગુજરાત સાહિત્ય અકાદમીને રજૂ કરતાં ચૂકવવાપાત્ર થશે. અકાદમીએ નિયત કર્યા મુજબ પ્રકાશન ખર્ચ માટે ફમાં દીઠ ક્રાઉન સાઇઝ કાચુંપૂઠું રૂ. ૧૩OO|- પાકુંપૂટું રૂ. ૧૪૦૦|- તેમજ ડેમીસાઈઝ માટે કાચુંપૂટું રૂા. ૧ ૬OO/- પાકા પૂંઠા માટે રૂા. ૧૭OO/- નક્કી કરેલ છે. જેમાં તમામ પ્રકારના ખર્ચનો સમાવેશ થયેલ છે.
(પ) હસ્તપ્રતની પ્રગટ કરેલી પુસ્તકની નકલોની સંખ્યા પ૦૦ કરતાં ઓછી હોવી જોઈએ નહીં. (૬) પ્રકાશિત પુસ્તકની ૧૫ (પંદર) નકલ લેખકે ગુજરાત સાહિત્ય અકાદમીને ભેટ મોકલવાની રહેશે.
(૭) પ્રકાશિત પુસ્તકની મુખપૃષ્ઠની પાછળની બાજુએ અથવા પ્રસ્તાવનામાં સ્પષ્ટ રીતે “ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત” એવી ઋણ સ્વીકારની પંક્તિ મુકવાની રહેશે.
(૮) પ્રકાશિત પુસ્તકની જોડણી સરકાર માન્ય સાર્થ ગુજરાતી જોડણીકોશ પ્રમાણે રાખવાની રહેશે.
(૯) જે કૃતિના પ્રકાશન માટે સહાયક ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હોય, તેનો હુકમ થયા બાદ ૧ વર્ષમાં પુસ્તક પ્રગટ કરવાનું રહેશે. આ મુદત દરમિયાન પુસ્તક પ્રકાશિત નહીં કરનારની આર્થિક સહાય આપોઆપ રદ થયેલી ગણાશે.
(૧૦) લેખકે પોતાની સંપૂર્ણ હસ્તપ્રત નિયમ તારીખ સુધીમાં મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમીની કચેરીમાં યોગ્ય અધિકારીને રૂબરૂ અથવા રજિસ્ટર્ડ ટપાલથી મોકલવાની રહેશે. હસ્તપ્રત ટાઈપ કરેલી અથવા કાગળની એક બાજુએ ચોખા અક્ષરે લખેલી અને પાનાના નંબર સાથે વ્યવસ્થિત રીતે બાંધેલી હોવી જરૂરી છે. હસ્તપ્રતના છૂટાં પાનાં સ્વીકારવામાં આવશે નહીં, હસ્તપ્રતમાં મુખપૃષ્ઠ પર લેખકે પોતાનું નામ અને સરનામું સ્પષ્ટ રીતે દર્શાવવું. ગ્રંથની હસ્તપ્રત રજૂ કરાયા બાદ તેનું નામ-શીર્ષક બદલી શકાશે નહીં. હસ્તપ્રત મંજૂર થયા બાદ એની સામગ્રીમાં કોઈ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં.
(૧૧) સહાયક ગ્રાન્ટ હેઠળ પ્રગટ થતાં પુસ્તકોમાં જાહેરખબર લઈ શકાશે નહીં.
(૧ર) આ યોજના અંગેની પદ્ધતિ અને અન્ય નીતિ-નિયમો તથા નિર્ણય કરવાની સત્તા અકાદમીની કાર્યવાહક સમિતિને રહેશે.
(૧૩) આ યોજના હેઠળ લેખકે જે તે વર્ષમાં એક જ હસ્તપ્રત રજૂ કરવાની રહેશે.
(૧૪) જે લેખકોને આ યોજનામાં પાંચ વખત સહાય મળી ચૂકી હોય તેઓ હસ્તપ્રત રજૂ કરી શકશે નહીં.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020