જન્મ -મરણ નોંધણી અધિનિયમ - ૧૯૬૯ ગુજરાત રાજય માં તા. ૦૧/૦૪/૧૯૭૦ થી અમલમાં આવેલ છે. આ કાયદાની કલમ ૩૦ અન્વયેના નિયમો તા. ૧૮/૦૪/૧૯૭૩ થી અમલી બનેલા હતા. જન્મ -મરણ નોંધણી અધિનિયમ -૧૯૬૯ હેઠળ સમગ્ર દેશમાં જન્મ મરણ અને મૃત જન્મ ની નોંધણી ફરજીયાત કરવામાં આવે છે.
નોંધણી બાબતની કેટલી જરૂરી સુચનાઓ
- કુટુંબમા થયેલ જન્મ અને મરણ કુટુંબની મુખ્ય વ્યકિત અથવા તેના નજીકના સગા.
- કુટુંબ બહાર થયેલ જન્મ અને મરણ સંસ્થાનો તબીબી અધિકારી અથવા તેના ઘ્વારા અધિકૃત કરેલી વ્યકિત
- હોસ્પીટલ / પ્રા. આ. કેન્દ્ર ઘ્ નર્સિગ હોમ વગેરે જેવી સંસ્થાઓ વ્યક્તિ
- જેલમાં જેલર
- બીડિંગ / લોજીંગ / ધર્મશાળા વિગેરે જેવી સાર્વજનિક સંસ્થાઓ સંસ્થાનો મેનેજર
- સાર્વજનિક જગ્યાએ ગામનો મુખી
નોંઘણી કયા કરાવવી
ગ્રામ વિસ્તાર
|
તલાટી કમ મંત્રી
|
શહેરી વિસ્તારઃ
|
મહાનગર પાલીકા વિસ્તાર , આરોગ્ય અધિકારી , મ્યુનસી પાલીટી વિસ્તાર , મુખ્ય અધિકારી / આરોગ્ય અધિકારી , જંગલ વિસ્તાર , રેન્જર અને ફોરેષ્ટર
|
નોંધણી કયારે કરાવવી
જન્મ અને મરણ ના બનાવની નિસચિત સમય મર્યાદા બનાવ બન્યાની તારીખ થી ર૧ દિવસ ની અંદર સ્થાનિક જન્મ મરણ રજીસ્ટા્રર ની નોંધણી કચેરી એ અવશ્ય કરાવવી
ખાસ સંજોગોમાં મોડેથી આપવામાં આવેલી માહિતી બાબતે વિલંબીત નોંધણી પણ કરાવી શકાય છે.
બાળક ના નામ ની નોંધણી કરાવવી.
- જન્મ-મરણ નોંધણીનું મહત્વ જન્મ ના બનાવ નોંધણી નિચેના હેતુ માટે પુરાવા રૂપ છે
- શાળામાં દાખલ થવા માટે
- નોકરી મેળવવા માટે
- મત આપવાનો અધિકાર મેળવવા માટે
- સામાજીક સુરક્ષાના લાભો મેળવવા માટે
- પાસપોર્ટ મેળવવા માટે
- ડ્રાઈવીંગ લાઈસંસ મેળવવા માટે
- વિમા પોલીસી લેવા માટે .અન્ય હેતુ ઓ કે જયા વય મર્યાદા નકકી કરેલ છે
- મરણ ના બનાવની નોંધણી આ બાબતો માટે જરૂરી છે.
- પેન્શન તેમજ વિમાના કેસોની પતાવટ માટે
- મિલ્કત તેમજ માલીક હકક ટ્રાન્સપર કરવા માટે.
- મૃત્યુનો ચોકકસ દિવસ નકકી કરવા માટે .
- હોસ્પીટલ આરોગ્ય કેન્દ્ર , નર્સિગ હોમ , વિગેરે જેવી સંસ્થાઓ માટે રોગ પ્રતિ રક્ષણ અને તેના ઉપાયો શાધવા માટે.
- મૃત્યુદય ની જાણકારી મેળવવા માટે
- જન્મ-મરણ નોંધણી ના પ્રચાર -પ્રસાર માટે અગત્યના સુત્રો
- જન્મ મરણ નોંધણી ફરજીયાત છે.
- તમારા કુટુંબમાં થતા દરેક જન્મ મરણ ના બનાવની નોંધણી અવશ્ય કરાવો.
- બાળકનાં જન્મની નોંધણી રેકર્ડ માં નામ ઉમેરવાનું સરળ બનાવે છે.
- જન્મ અને મૃત્યુની ત્વરીત નોંધણી એવ્યકિત , રાજય અને રાષ્ટ્રની સેવા છે.
- જન્મ મરણના બનાવની જાણ નોંધણી માટે કરાવી કાયદેસર તથા જરૂરી છે. જે વ્યકિત, કુટુંબ અને રાષ્ટ્ર ના હિત માં છે .
- ભવિષ્યની મુશ્કેલી ઓથી બચવા માટે દરેક જન્મ અને મૃત્યુની નોંધણી કરાવો .
- શું તમે તમારા પરિવારમાં થયેલ જન્મ મરણ ની નોંધણી કરાવી છે. ?
- આંપણુ લક્ષ છે ૧૦૦% નોંધણી.
- જન્મ મરણ નોંધણી પ્રજા અને સરકારની વચ્ચે એક સાકળ છે.ચાલો આ સંયુકત પ્રયાસને સફળ બનાવીએ.
- શું તમે તમારી ઉંમરની સાબીતી આપી શકો છો ? હા - જન્મ પ્રમાણ પત્ર ની મદદથી આમ કરી શકાય છે.
મરણનો ઠરાવ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/25/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.