অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મિશન મંગલમ યોજના

 mm

ઉદ્દેશ

ગરીબી રેખા નીચે જીવતા પરિવારના સભ્યોને સખીમંડળો સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેમને બેંકો સાથે અને લઘુધિરાણ જોડી, સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્ય તાલીમ અને માર્કેટીંગ જોડાણ આપી કાયમી આજીવિકા સાથે જોડીને ગરીબીમાંથી બહાર લાવવા.

મળવાપાત્ર લાભ

ઉપરોક્ત ઉદ્દેશ પામવાની પ્રથમ ચરણ એટલે સખીમંડળો/સ્વસહાય જુથોને રૂ.50,000/- થી રૂ.1,00,000/- (પચાસ હજાર થી એક લાખ) સુધીની કેશ ક્રેડીટ આપવાનું આયોજન.

  • છ માસ પૂર્ણ કરેલ સ્વસહાય જુથ/સખીમંડળને છ માસ પૂર્ણ થયાના 30 દિવસની અંદર ગ્રેડીંગ કરવામાં આવશે.
  • ગ્રેડીંગમાં પાસ થતાં દરેક જુથને ઓછામાં ઓછા રૂ.50,000/- અને વધુમાં વધુ રૂ.1,00,000/- માઈક્રો ફાઈનાન્સ કેશ ક્રેડીટ દ્વારા આપવામાં આવશે.
  • આ રકમનો ઉપયોગ સખીમંડળ/સ્વસહાય જુથો વિવિધ આર્થિક પ્રવૃત્તિ કરવા કે અન્ય ઉદ્દેશ માટે કરી શકશે.
  • વધુમાં વધુ આ કેશ ક્રેડીટ છે એટલે કે સખીમંડળ ગમે ત્યારે જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકે છે અને જયારે પૈસાની સગવડ થાય ત્યારે બેંકમાં અનુકુળતા મુજબ જમા કરાવી શકે છે.
  • જેટલી રકમ જેટલા સમય માટે ઉપાડવામાં આવે તેટલી રકમ પર જ વ્યાજ આપવાનું રહેશે.

માર્ગદર્શિકા

સ્ત્રોત:  જીલ્લા  ગ્રામ વિકાસ એજન્સી, નડીયાદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate