অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મિશન મંગલમ

પ્રસ્તાવના

સેલ્ફ- હેલ્પ ગ્રુપ (સ્વસહાય જૂથો)ની રચનાનો ઉદ્દેશ્ય એ છે કે તેના ગરીબ અને નબળા વર્ગના તેના સભ્યોની સામાજિક સ્થિતિમાં હકારાત્મક સુધાર આવે અને તેમનું આર્થિક સશક્તિકરણ થાય. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની(જી.એલ.પી.સી)નું વિઝન નીચે મુજબ છે :

"સર્વ સમાવેશક વિકાસના અભિગમથી સમાજના નબળા અને વંચિત વર્ગ/ સમુદાય/જૂથોના સભ્યોનું સશક્તિકરણ કરીને તેમને સમ્માનભેર જીવન જીવવાની તકો આપવી, અને આ થકી ગુજરાત રાજયનો સામાજિક-આર્થિક વિકાસ સાધવો."

જી.એલ.પી.સી. મહિલા સશક્તિકરણના પડકારજનક ધ્યેયને સિધ્ધ કરવા કાર્યરત છે.આ ઉપરાંત સરકારની વિવિધ પ્રવર્તમાન યોજનાઓને એક છત્ર હેઠળ લાવીને તેમા મહિલાઓની સહભાગિતા સુનિશ્ચિત કરવાનો પણ કંપનીનું મિશન નીચે મુજબ છે :

"સમાજની ગરીબ તથા વંચિત મહિલાઓ અને નબળા અને વંચિત વર્ગ/ સમુદાયના લોકોને સાતત્પૂર્ણ રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવા અમે પ્રયત્નશીલ છીએ. સરકારના પ્રવર્તમાન વિકાસ કાર્યક્રમો અને યોજનાઓનો સમન્વય કરીને તથા અન્ય બિનસરકારી સંસ્થાઓ અને ઔધોગિક ગૃહો સાથે ભાગીદારી સાધીને આ જૂથના લોકોના સર્વસમાવેશ વિકાસના ઉદ્દેશ્યને ખાત્રીબધ્ધ કરવાનો અમારો નિર્ધાર છે. જૂથના સભ્યોને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા માટે અમે આર્થિક રીતે સદ્ધર અને સુરક્ષિત રહિએ તેવો અમારો પ્રયાસ છે. માનવીય મૂલ્યોને સમર્પિત એવા એક અનોખા સંસ્થાન તરીકે અમારી ઓળખ પ્રસ્થાપિત થાય તે દિશામાં અમારી પ્રયાસ છે."

મિશન મંગલમ વિઝન અને મિશન

માર્ચ ૨૦૦૯ માં પૂર્ણ થતા નાણાકિય વર્ષના અંતે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતનો વિકાસ દર ૧૧.૫% રહ્યો છે. નોંધપાત્ર આર્થિક વિકાસ ઉપંરાત સર્વસમાવેશક વિકાસની અગત્યતા કેટલી છે.તેનાથી પણ ગુજરાત સુપેરે પરિચિત છે.પ્રગતિની દિશામાં ગુજરાત સરકારની અનેકવિધ સિદ્ધિઓને કારણે પેદા થયેલ વિકાસની અનેક તકોને ઝડપી લેવા ૧ લી મે ૨૦૧૦ ના રોજ રાજયની સ્થાપનાની સુવર્ણ જ્યંતિ નિમિતે રાજય સરકારે એક સંકલિત ગરીબી નિર્મૂલન કાર્યક્રમ તરીકે 'મિશન મંગલમ'ની જાહેરાત કરી હતી.બેંક ,ઉધોગિક ભાગીદારો, માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને કૌશલ્ય વિકાસનું શિક્ષણ આપતી સંસ્થાઓ જેવા હિતધારકોને એક મંચ ઉપર લાવીને તેના માધ્યમથી ગરીબી નિવારણ માટે સામુહિક પ્રયાસો કરવાનો 'મિશન મંગલમ' નો ઉદ્દેશ્ય છે.

સ્વસહાય જૂથો અને તેમના મંડળોની મૂડીરોકાણકારો સાથે એક વેલ્યુ ચેઇન બનાવવી એ મિશન મંગલમ કાર્યક્રમની વિભાવના છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજયના બે લાખ સખીમંડળ/સ્વસહાય જૂથોની ૨૪ લાખ જેટ્લી નારીશક્તિને બેંક પૂરુ પાડવામાં આવ્યુ છે જે થકી તેઓ રૂપિયા ૧૦૦૦ કરોડની આર્થિક પ્રવૃત્તિઓ કરી રહી છે. આવી નોંધપાત્ર સિધ્ધિ મેળવ્યા બાદ રાજ્ય સરકાર નીચેના પાસાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

  • મહિલાઓને આર્થિક બબતોની જાણકાર બનાવવી કે જેથી તેઓ જરૂરી માહિતી મેળવીને યોગ્ય પંસદગીઓ કરી શકે.
  • સ્વસહાય જૂથોનો વ્યાપ વધારવો અને દરેક બીપીએલ પરીવારમાંથી એક સભ્ય સ્વસહાય જૂથોમાં જોડાયેલ હોય તે સુનિશ્ચિત કરવું.
  • સ્વસહાય જૂથોના મંડળ બનાવવા અને તેમની અધિકૃત સંસ્થાનો તરીકે નોંધણી કરવી.
  • એમ.આઇ.એસ. તથા અન્ય નવીન મોનિટરીંગ સિસ્ટમ્સ સ્થાપવી.

રાજ્ય અને દેશના સામુહિક ખાતર કામ કરવાની ગુજરાતના લોકોની ક્ષમતા ગુજરાતની સૌથી મૂલ્યવાન અકસ્યામત છે. લોકોના આ સામર્થ્યનો મહત્તમ ઉપયોગ કરવાની દિશામાં ગરીબી અવરોરૂપ છે. ગરીબીની સાથે અન્ય પાસાઓ પણ જોડાયેલા છે, જેમકે, નાની અને અસ્થાયી આવક ,નબળુ સ્વાસ્થ્ય, ઓછું ભણતર, અસુરક્ષિતતા, ન્યાય મેળવવા અંગેની અનિશ્ચિતતા અને સામાજિક-આર્થિક મુખ્ય પ્રવાહમાં ભળી ન શકવું. મિશન મંગલમ કર્યક્રમની વિવિધલક્ષી નીતિઓ થકી આ પ્રશ્નોનું કાયમી નિરાકરણ કરવાનું લક્ષ્ય છે. આ કાર્યક્રમ થકી રોજગારના અવસરોનું નિર્માણ કરવું, પોસાય તેવી કિંમતે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી અને કાયદાકીય સુરક્ષિતતા પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવે છે. આમ, 'મિશન મંગલમ' એ મહિલા સશક્તિકરણ અને ગરીબી નિવારણના તમામ પાસાઓને આવરી લેતી એક સંપૂર્ણ યોજના છે.

મિશન મંગલમના પાંચ પ્રાથમિક માર્ગદર્શક સિદ્ધાંતો નીચે મૂજબ છે :

  • ઉધોગોની ભાગીદારી અને કોર્પોરેટ્સ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર ભાર મૂકવો.લોકો કંપનીઓ સુધી પહોંચે તેના બદલે કંપનીઓ સમુદાય સુધી પહોંચે.
  • ગ્રામીણ પ્રોડક્ટ્સની માગ અને ગુણવત્તામાં સુધારો કરવો અને શહેરી બજારોમાં આ પ્રોડક્ટ્સ માટે માર્કેટ તૈયાર કરવું.
  • આધુનિક ટેકનોલોજી અને પ્રક્રિયાનો ઉપયોગ કરવો અને અર્થતંત્રના વર્તમાન માળખામાં ફેરફાર લાવવો.
  • સ્થાનિક પહેલને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવી.
  • અક્સયામતોની(ઉત્પાદન) માલીકી દ્ધારા ઉત્પાદકો અને ઉત્પાદક જૂથનું સશક્તિકરણ

માર્ગદર્શક સિદ્ધાંતો વાસ્તવિકતા પર આધારિત છે :

  • કંપનીનું અન્યો સાથે મજબૂત જોડાણ હોય છે, પરંતુ વિશાળ માત્રામાં ઉત્પાદન માટે તેને સુવિધાની જરૂર હોય છે. આ કંપનીઓ પાસે ગારમેન્ટ, મધ, મીઠું વગેરે જેવી પ્રોડક્ટસના મોટા પ્રમાણમાં ઉત્પાદન માટેની જરૂરી ક્ષમતાઓ હોતી નથી. સ્વસહાય જૂથ-ઉત્પાદક જૂથો આ નબળા જોડાણને સાંકળી શકે છે.
  • સ્વ સહાય જૂથને આર્થીક પ્રવૃતિઓ હાથ ધરવા માટે સારું વળતર અને સબસિડી મળતી હોવાને કારણે તેનાથી કંપનીઓના ખર્ચમાં નોંધપાત્ર બચત કરી શક્શે.

મિશન મંગલમની મજબૂતાઇ

  • બે લાખ કરતા વધુ સસહાય જૂથના નેટવર્કમાં તૈયાર અને વ્યવસ્થિત કૌશલ્યબળ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યનાં ૨૫ લાખ સભ્યો યોગ્ય રીતે ફેલાયેલા છે. આ લોકોને સાંકળીને, તાલીમ આપીને, નાણાંકીય બાબતોની જાણકારી આપીને બેન્કો પાસેથી માઇક્રો ફાઇનાન્સ ઉપલબ્ધ કરવામાં આવે છે.
  • આ એસએચજીના વિશાળ ક્રેડિટ મોબિલાઇઝેશન ક્ષમતા ૧૦,૦૦૦ કરોડથી પણ વધારે છે. યોગ્ય આવક પેદા કરતી પ્રવૃત્તિ હાથ ધરવા માટે પ્રત્યેક એસએચજી દીઠ તેઓ બેન્કો પાસેથી નીચા વ્યાજે આશરે રૂ. ૫-૧૦ લાખનું ધિરાણ લઇ શકે છે.

મિશન મંગલમ હેઠળ કોર્પોરેટ્સને થતાં લાભ

આ ખ્યાલને બ્રાન્ડનાં સ્વરૂપમાં તબદીલ કરી શકાય તેમ છે. મેશન મંગલમ જેવા ખ્યાલને આગળ ધપાવતી બ્રાન્ડને લાભ થશે.

  • વેલ્યુ ચેઇનમાં આ હિસાસા માટે મુડી ખર્ચ માટે ઉપલબ્ધ સબસીડી ૩ ટકા જેટલી નીચી હોઇ શકે છે.
  • નાના ઉદ્યોગ સાહસિકો – એસએચજી – ઉત્પાદન જૂથોનાં ચોપડા પર ઋણ રહેશે. આથી કોર્પોરેટ્સનાં માથે ઋણભાર ઓછો થશે નહી.
  • જરૂરિયાત પ્રમાણે ધિરાણ ગેરંટી બેન્ક અથવા નાના ઉદ્યોગ સાહસિક દ્વારા આપવામાં આ'શે.
  • ઝડપી મંજુરી અને અમલીકરણ માટે ગુજરાત સરકાર સુવિધા ઉપલબ્ધ કરાવશે.
  • નાના ઉદ્યોગ સાહસિક – એસએચજી – ઉત્પાદક જુથોને સરકાર દ્વારા જરૂરી કૌશલ્યો ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેનાથી અસરકારક કોર્પોરેટર કમ્યુનિકેશનમાં મદદ મળશે.
  • સરકારની કલ્યાણકારી યોજનાઓ સાથે સાંકળી લેવી.
  • એસએચજીના ધણા સભ્યો હસ્તકળા, હાથવણાંટ, ફુટ પ્રોસેસિંગ વગેરે ક્ષેત્રોમાં પુરતું જ્ઞાન અને કૌશલ્યો ધરાવે છે, જેનાથી કોર્પોરેટ્સને પણ લાભ થઇ શકે તેમ છે.
  • કોર્પોરેટ્સ એસએચજી સભ્યોનાં પોતાના કે સમુદાયની જમીન, સિંચાઇ, સ્ત્રોત, કન્વેઅન્ય સુવિધાઓ, માળખું, ગૌયર જમીન, વન ઉત્પાદકો વગેરેનો લાભ લઇ શકાશે. મિશન મંગલમ નફાનો હેતુ ધરાવતું સાહસ છે અને તે સીએસઆરને ટેકો આપવાનો કાર્યક્રમ નથી. જોકે, લોકોને ઉદ્યોગસાહસિકતાની તાલીમ આપવી, રોજગારની તકો જેવાં સીએસઆરના લાભો કોર્પોરેટ્સ લઇ શકે છે.

સ્ત્રોત કમિશ્નર ગ્રામ વિકાસની ક્ચેરી, ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/3/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate