অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હળપતિઓને સગવડ

હળપતિઓને સગવડ

હળપતિ જાતિ એ ગુજરાતની અત્યંત પછાત અનુસૂચિત જનજાતિ છે. તેઓ દક્ષિણ ગુજરાતના મેદાની વિસ્તારોમાં રહે છે અને બિન આદિજાતિ કુટુંબોની વચ્ચે જ છૂટાછવાયા વસે છે. તેઓ અન્ય આદિવાસીઓની જેમ રાજ્યની પૂર્વીય પ્રદેશમાં ઘનિષ્ઠ રીતે વસતા નથી. હળપતિ જાતિની વસતિ રાજ્યની આદિજાતિ વસતિમાં ૬.૭% જેટલી છે. તેઓ મુખ્યત્વે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં વસે છે અને જમીન વિહોણા ખેતમજૂરો છે. તેથી તેમની આર્થિક પરિસ્થિતિ નબળી રહે છે. માત્ર ૧૦% જેટલા હળપતિ જ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસાય જેમકે નોકરી અને નાના મોટા કામમાં જોડાયેલા છે. સરકારે તેમના તા. ૨૫-૧૧-૨૦૧૩ ના ઠરાવથી હળપતિઓને છ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ઠરાવ કર્યો. આ યોજના અંતર્ગત આવાસ, વીજળી, રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ અને આર્થિક વિકાસ વગેરે પાયાની જરૂરિયાતો હળપતિ જાતિના લોકોને ઉપલબ્ધ કરવાનું નક્કી કર્યું છે. આવાસ | આ યોજનામાં નવા ઘર બનાવવા માટે અગર હાલના નિવાસોમાં સુધારો કરવા માટે સહાય આપવાની જોગવાઈ છે. વીજળી | ઘરમાં વીજળીનું જોડાણ. માર્ગ | આંતરિક રસ્તાઓ, એપ્રોચ રસ્તાઓ અને મુખ્ય માર્ગો સાથે જોડાણ રસ્તાઓ. પીવાનું પાણી | સલામત પીવાનું પાણી અન્ય શક્ય હોય ત્યાં પાઈપલાઈન સાથે જોડાણ. શિક્ષણ | ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષણ પર ઝોક. આર્થિક વિકાસ | આજીવિકા પૂરી પાડતી યોજનાઓના લાભ.

 

સ્ત્રોત-આદિજાતી વિકાસ વિભાગ

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate