ગુજરાતની આદિજાતિ વસતિ
ગુજરાતનું અર્થતંત્ર મજબૂત વિશાળ પાયો ધરાવે છે. અને અગિયારમી પંચવર્ષીય યોજનાની રાજ્યની સિધ્ધિ સરાહનીય છે. આની અસર આદિવાસી વિસ્તારો પર પણ પડી છે અને તે વિસ્તારોનો વિકાસ ઝડપી બન્યો છે. અલબત્ત, આ વિકાસગાથામાં કેટલીક નબળાઈઓ પણ રહેલી છે, જેનો ઉપચાર કરવાની જરૂર છે. કેટલાક નવા પડકારો પણ ઝીલવાના રહે છે. આદિવાસી વિસ્તારોના વિકાસનું માપ કાઢવું કંઈક મુશ્કેલ છે. કારણ કે આ વિભાવનાનાં વિવિધ પાસાંઓ જોવાનાં રહે છે.
૨૦૧૧ ની વસતિ ગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં અસરકારક સાક્ષરતા દર ૬૨.૫% હતો. જે ૨૦૦૧ ની તુલનાએ ૧૪.૮% વધારે હતો. વળી, મહિલા સાક્ષરતા દરમાં તો ખૂબ જ પ્રભાવક સુધારો જોવા મળ્યો, જે ૨૦૦૧ ની તુલનાએ ૧૭.૨% વધુ હતો. ખૂબ જ ટૂંકા સમયગાળામાં સાક્ષરતા દર વચ્ચે જે ખાઈ ૨૧% હતી તે ઘટીને ૧૫% થઈ. આકૃતિ - ૨ રાજ્યની અન્ય વસતિની સરખામણીમાં અનુસૂચિત જનજાતિમાં સાક્ષરતા દર
સ્ત્રોત: આદિજાતિ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020