પાત્રતાના માપદંડો: ધો. ૧૦ જાહેર પરીક્ષામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પૈકીના પ્રથમ ક્રમ, દ્રિતીય ક્રમ અને તૃતીય ક્રમ મેળવનાર તથા ધોરણ-૧૨માં દરેક પ્રવાહમાં પ્રથમ ક્રમ, દ્રિતીયક્રમ અને તૃતીયક્રમ મેળવનારને ઈનામ આપવામાં આવશે.
સહાયનું ધોરણ: એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને રૂ.૪૧,૦૦૦/- દ્રિતીય ક્રમે આવનારને રૂ.૨૧,૦૦૦/- અને તૃતીય ક્રમે આવનારને રૂ.૧૧,૦૦૦/- ઈનામ આપવામાં આવશે. બોર્ડની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષમાં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાય લક્ષી એમ કરીને પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને રૂ.૩૧,૦૦૦/- દ્રિતીય ક્રમે આવનારને રૂ.૨૧,૦૦૦/- અને તૃતીય ક્રમે આવનારને રૂ.૧૧,૦૦૦/- ઈનામ આપવામાં આવશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/19/2019