অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સડન કાર્ડિયાક એરેસ્ટથી બચવા શું કરવું?

મનુષ્યનું અચાનક થતું મૃત્યુ સ્વજનોને ગંભીર આંચકો આપી જાય છે. આવું અચાનક અણધાર્યું તત્કાલ મૃત્યુ મોટાભાગના કિસ્સાઓમાં હૃદય બંધ પડી જવાથી થાય છે, જેને ‘સડન કાર્ડિયાક એરેસ્ટ’ કહેવાય છે.

સડન કાર્ડિયાક એરેસ્ટ વિશે

  • દર વર્ષે સડન કાર્ડિયાક એરેસ્ટના પરિણામે ૩૫૦૦૦૦થી વધુ દર્દીઓ મોતને ભેટે છે.
  • સડન કાર્ડિયાક અરેસ્ટના કારણે દર બે મિનિટે એક જીવનનો અંત આવે છે, જે સ્તન કેન્સર, ફેફસાંના કેન્સર કે એઈડ્સથી દર વર્ષે થતા મૃત્યુના કરતા વધુ સંખ્યા છે.
  • સડન કાર્ડિયાક અરેસ્ટના લીધે મૃત્યુનો દર ઘટાડવા માટે સડન કાર્ડિયાક અરેસ્ટ શું છે એ જાણવું મહત્વનું છે, તેના સંકેતો અને સડન કાર્ડિયાક એરેસ્ટને રોકવા અને તેની સામે શું ઉપાયો કરવા એ સમજવું મહત્વનું છે.
  • સડન કાર્ડિયાક એરેસ્ટ (SCA) ત્યારે થાય છે જ્યારે હૃદય ધબકવાનું બંધ કરી દે છે, જે અચાનક અને કોઈ સંકેત આપ્યા વિના જ બને છે. જા આવું થાય તો લોહીનો પ્રવાહ મગજ અને અન્ય મહત્વના અંગો સુધી પહોંચતો નથી. આ ઉપરાંત, જો હૃદયના ધબકારા તાત્કાલિક ઈલેક્ટ્રીકલ શોકથી ફરી શરૂ ન થાય તો થોડી મિનિટોમાં મૃત્યુ થાય છે. કમનસીબે, ૯૫ ટકા લોકો કે જેઓ સડન કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બને છે તેઓ મોતને ભેટે છે કેમકે થોડી મિનિટોમાં સારવાર ઉપલબ્ધ હોતી નથી.

સડન કાર્ડિયાક અરેસ્ટ VS હાર્ટ એટેક

મોટાભાગના લોકો સડન કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક વચ્ચેનો તફાવત જાણતા નથી. કારણ કે સડન કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બનનારનું જીવન બચાવવામાં સમય મહત્વપૂર્ણ છે, તેથી જ આ તફાવત સમજવો જરૂરી છે.હૃદયની ઈલેક્ટ્રીકલ સિસ્ટમ છે કે જે સડન કાર્ડિયાક એરેસ્ટના કારણે અસર પામે છે. સડન કાર્ડિયાક એરેસ્ટ વખતે, હૃદય ધબકવાનું બંધ કરી દે છે અને બાકીના શરીર સુધી લોહી પહોંચતુ નથી. આ તમારા ઘરમાં વીજળી ગુલ થાય તેના જેવી વાત છે. હાર્ટ ‘ઈલેક્ટ્રીસીટી’ ફરીથી ચાલુ થવી જરૂરી છે, જે સામાન્ય રીતે ઈલેક્ટ્રીકલ શોકથી થઈ શકે છે.

હાર્ટ એટેક કે જેને સામાન્ય રીતે માયોકાર્ડિયલ ઈન્ફાર્કશન (MI) કહે છે જે હૃદયના પમ્પિંગને અસર કરે છે. હાર્ટ એટેક રક્તવાહિનીમાં અવરોધ આવવાથી આવે છે જે લોહીનો પ્રવાહ અટકાવે છે અને જેના કારણે હૃદયના સ્નાયુઓ નષ્ટ થવા લાગે છે. આનાથી બ્લડનું બ્લોકેજ હૃદયમાં સર્જાય છે, જે ઘરમાં પ્લમ્બિંગ લાઈનમાં જે રીતે પાણી પાછું ફરે તેના જેવી સ્થિતિ હોય છે. હૃદયમાં જામેલા ગઠ્ઠા ને દૂર કરવા માટે ડ્રગ થેરાપી કે સર્જરીની જરૂર પડે છે જેથી શરીરના અન્ય ભાગોમાં લોહીનો પ્રવાહ વ્યવસ્થિત રીતે પહોંચી શકે છે.

જ્યારે બંનેના કારણે ગંભીર સમસ્યા થાય છે અને સંભવિત રીતે મૃત્યુ થાય છે, જેમાં સડન કાર્ડિયાક એરેસ્ટ અચાનક અને કોઈ સંકેત વિના થાય છે. વાસ્તવમાં, સડન કાર્ડિયાક એરેસ્ટથી થતાં બેતૃતિયાંશ મૃત્યુમાં હૃદયરોગના કોઈ આગોતરા લક્ષણો જોવા મળતા નથી, જ્યારે હાર્ટ એટેકમાં આગોતરા સંકેતો કે લક્ષણો જોવા મળતા હોય છે.

સડન કાર્ડિયાક એરેસ્ટ (SCA) શા કારણથી થાય છે?

સડન કાર્ડિયાક એરેસ્ટ થવાનું સૌથી સામાન્ય કારણ જોખમી અને અસામાન્ય હૃદયના ધબકારા છે જેને વેન્ટ્રીક્યુલર ફિબ્રિલેશન (VF) કહે છે. VF માં, ઈલેક્ટ્રીકલ સિગ્નલ્સ કે જે હૃદયની નીચેની ચેમ્બર્સ (વેન્ટ્રીકલ્સ)ને અંકુશિત કરે છે તેમાં દખલ શરૂ થાય છે. તે વેન્ટ્રીકલ્સને ફિબ્રિલેશનમાં મોકલે છે, જે અત્યંત ઝડપથી અને અનિયમિત રીતે ધ્રુજારી અનુભવે છે જેથી શરીરના અન્ય ભાગો સુધી અસરકારક રીતે લોહી પહોંચાડી શકતું નથી.

મગજને લોહી પહોંચતું બંધ થતા, વ્યક્તિ VF (વેન્ટીક્યુલર ફિબ્રિલેશન) અનુભવે છે અને થોડી સેકન્ડોમાં અજાગૃત બને છે. સડન કાર્ડિયાક એરેસ્ટ અને મૃત્યુ થોડી જ મિનિટોમાં જ થાય છે સિવાય કે ઝડપથી શોક આપીને તેના હૃદયના ધબકારા સામાન્ય કરવામાં આવે. આ ડિફિબ્રિલેટર દ્વારા (એવું મશીન કે જેનાથી હૃદયને ઈલેક્ટ્રીક શોક મળે છે) થાય છે. SCA લીધે VFનો ભોગ બનેલા મોટાભાગના લોકો હોસ્પિટલે પહોંચે એ પહેલા જ મૃત્યુ પામે છે. જો કે, આસપાસમાં રહેલા લોકો દ્વારા જો તાત્કાલિક ફર્સ્ટ રિસ્પોન્ડર્સને જાણ કરાય અને સીપીઆર શરૂ કરવામાં આવે તો પરિણામમાં સુધારો શક્ય બની શકે છે.

સડન કાર્ડિયાક એરેસ્ટ (SCA) - કોને જોખમ રહેલું છે?

સડન કાર્ડિયાક એરેસ્ટ (એસસીએ) અચાનક અને કોઈ ચેતવણી વિના થાય છે અને હૃદયરોગના આગોતરા કોઈ સંકેતો વિના જ સડન કાર્ડિયાક એરેસ્ટના કારણે બેતૃતિયાંશ લોકોનાં મોત થાય છે. વાસ્તવમાં, સડન કાર્ડિયાક એરેસ્ટ તમામ વયજૂથના અને આરોગ્ય સ્થિતિના લોકોને આવી શકે છે. જ્યારે કોઈ ચોક્કસ સંકેતો કે લક્ષણો જોવા ન મળતા હોય ત્યારે પણ સડન કાર્ડિયાક એરેસ્ટના કેટલાક જોખમી પરિબળો રહેલા છે, જેમાં સામેલ છેઃ

  • અગાઉ હાર્ટ એટેક આવ્યો હોયઃ મોટાભાગના લોકો કે જેઓ સડન કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ પામે છે તેમને અગાઉ હાર્ટ એટેક  આવેલો હોય છે.
  • ફેમિલી હિસ્ટ્રી જેવી કે અચાનક મૃત્યુ, હાર્ટ
  • ફેઈલ્યોર કે મેસિવ હાર્ટ એટેક
  • કોઈ કારણ વિના અસામાન્ય હૃદયનાધબકારા કે રિધમ
  • અસામાન્ય રીતે  ઝડપથી ચાલતા હૃદયના ધબકારા જે આવ-જા કરે છે
  • કોઈ કારણ વિના ખેંચ આવવી
  • સર્જિકલ રિપેર અગાઉ કે પછી કેટલીક કનજેનિટલ હાર્ટ ડિફેક્ટ
  • લો ઈજેક્શન ફ્રેક્શન (EAF) - ઈજેક્શન ફ્રેક્શન એ માપ છે જેનાથી જાણવા મળે છે કે દરેક ધબકારા સાથે વેન્ટ્રીકલ્સ કેટલું લોહી પમ્પ કરે છે. સ્વસ્થ હૃદય દરેક ધબકારામાં ૫૫% કે તેથી વધુ લોહી પમ્પ કરે છે અને જ્યારે લોહી પમ્પ થવાનું પ્રમાણ ૩૫%થી ઓછું જોવા મળે તો તે સડન કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધ્યું હોવાનું દર્શાવે છે.

સડન કાર્ડિયાક એરેસ્ટ (SCA)ની રોકથામ મિનિટો મહત્વપૂર્ણ છે.

સડન કાર્ડિયાક એરેસ્ટ દરમિયાન જીવન અને મરણની સ્થિતિનો આધાર મદદ અને સારવાર મળવામાં લાગતા સમય પર રહેલો છે. ૯૫ ટકા લોકો કે જેમને સડન કાર્ડિયાક એરેસ્ટની સમસ્યા થાય છે તેઓ એટલા માટે મૃત્યુ પામે છે કેમકે તેઓને ચાર કે છ મિનિટમાં લાઈફ સેવિંગ ડિફિબ્રીલેશન, બ્રેઈન કે પર્મેનન્ટ ડેથ થાય એ પહેલા મળતું નથી.

જો સડન કાર્ડિયાક એરેસ્ટ ઈમર્જન્સી હોવાનું લાગે તો નીચે મુજબના પગલાં લેવા જોઈએઃ

  1. સડન કાર્ડિયાક એરેસ્ટના લક્ષણો જાણો અને તે માટે તરત પ્રતિક્રિયા આપો. સડન કાર્ડિયાક એરેસ્ટનો હુમલો અચાનક આવે છે અને કોઈ ચેતવણી વિના આવે છે. દર્દી જમીન  પર પડી જાય છે /કોલેપ્સ થઈ જાય છે, તે કોઈ પ્રતિક્રિયા આપતો નથી અને શ્વાસ સામાન્ય રીતે ચાલતો નથી.
  2. ૧૦૮ને તાત્કાલિક કોલ કરો.
  3. શક્ય  એટલી ઝડપે CPR શરૂ કરો. જો તમને સીપીઆર કેમ આપવું એ ખ્યાલ ન હોય તો, માત્ર હાથથી સીપીઆર આપો જેનાથી દર્દીની છાતીની વચ્ચે ઝડપથી અને જોરથી દબાણ આપવામાં આવે છે. જે પ્રતિ મિનિટ ૧૦૦ ધબકારાની ઝડપે પ્રક્રિયા કરો. વાસ્તવિક ઈમર્જન્સીનો અભ્યાસ દર્શાવે છે કે હેન્ડસ ઓનલી સીપીઆર(માત્ર હાથથી આપેલું), પરંપરાગત સીપીઆર જેટલું કે તેનાથી વધુ અસરકારક નિવડી શકે છે.
  4. જો ઉપલબ્ધ હોય તો, ઓટોમેટેડ બાહ્ય ડિફિબ્રિલેટર (AED) શક્ય એટલી ઝડપથી ઉપયોગમાં લો. AED એ કમ્પ્યુટરાઈઝ્ડ મેડિકલ ડિવાઈસ છે કે જે વ્યક્તિના હૃદયના ધબકારાની ગતિ ચકાસે છે અને તે જાણીને એ મુજબ હૃદયને શોક આવશ્યકતા પ્રમાણે આપે છે.

AED હવે જાહેર સ્થળોએ ઉપલબ્ધ થવા લાગ્યા છે, જેમકે એરપોર્ટસ, જિમ, મોલ્સ અને ઓફિસ બિલ્ડીંગ્સમાં તે હોય છે. આ ડિવાઈસ જ્યારે હૃદયના ધબકારા અનિયમિત હોવાનું જણાય ત્યારે શોક આપે છે અને સામાન્ય રીતે આ શોકના કારણે કોઈ મોટી હાનિ થતી નથી.

રોકથામ અને સારવાર

  • જ્યારે સડન કાર્ડિયાક એરેસ્ટ અગાઉ કોઈ સંકેતો કે લક્ષણો વારંવાર જોવા ન મળે ત્યારે પણ સડન કાર્ડિયાક એરેસ્ટનો અનુભવ ટાળવા માટે લોકોએ કેટલીક ચીજો કરવી જોઈએ.
  • નિયમિત રૂપે સ્વસ્થ જીવનશૈલી જીવો
  • કસરત, આરોગ્યપ્રદ આહાર લેવો, સ્વસ્થ પ્રમાણમાં વજન જાળવવું અને ધુમ્રપાન છોડવું.
  • તમામ આરોગ્ય સ્થિતિની સારવાર લેવી અને દેખરેખ રાખવી કે જેમાં હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ પણ સામેલ છે. ડોક્ટરને ઈજેક્શન ફ્રેક્શન મોનિટર કરવા માટે કહો કે જેથી કોઈ જોખમની સ્થિતિ નથી એ જાણી શકાય.
  • અનિયમિત હૃદયના ધબકારાની સમસ્યા પર અંકુશ કે તે દૂર કરવા માટે યોગ્ય દવા લઈ શકાય છે, ઈમ્પ્લાન્ટ કરી શકાય એવા કાર્ડિયોવર્ટર ડિફિબ્રિલેટર્સ (આઈસીડી)નો ઉપયોગ કરી  શકાય છે અને કેટલાક કિસ્સામાં સર્જિકલ પ્રક્રિયા કરવામાં આવે છે.
  • તમારા પરિવારનો હાર્ટ હિસ્ટ્રી જાણો અને અન્ય કાર્ડિયોવાસ્ક્યુલર સંબંધિત સ્થિતિઓનું જોખમ સમજો, જેમકે હાર્ટ ફેઈલ્યોર વગેરે. આ અંગે ફિઝિશિયનને વાત કરો.
  • જ્યારે ટ્રીટમેન્ટ ગાઈડલાઈન્સમાં આઈસીડીને એસસીએનું જોખમ ધરાવતા દર્દીઓની યોગ્ય સારવાર માટે ભલામણ કરવામાં આવી છે પરંતુ સડન કાર્ડિયાક એરેસ્ટનું જોખમ ધરાવતા મોટી સંખ્યામાં દર્દીઓ આ સારવાર મેળવતા નથી.

સડન કાર્ડિયાક એરેસ્ટ (એસસીએ) અચાનક અને કોઈ ચેતવણી વિના થાય છે અને હૃદયરોગના આગોતરા કોઈ સંકેતો વિના જ સડન કાર્ડિયાક એરેસ્ટના કારણે બેતૃતિયાંશ લોકોનાં મોત થાય છે

લેખ : ડો.સમીર દાણી(ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate