શરીરનું વજન વધુ હોય તો ઘૂંટણમાં તણાવ ઉત્પન્ન થાય છે જેનાથી ઘૂંટણનો દુ:ખાવો વધવાની શક્યતાઓ વધી જાય છે. શરીરનું વજન ઘટવાથી ઘૂંટણની કામ-કરવાની ક્ષમતામાં વધારો થાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં થયેલા અભ્યાસમાં એ સાબિત થયું છે કે સીધી જમીન પર આપણા દરેક સ્ટેપ (પગલું) માં શરીરના કુલ વજનનું અડધું વજન ઘૂંટણ પર આવતું હોય છે. વજન વઘતાં આ ભાર બમણો કે ત્રણ ગણો થતો હોય છે. એટલા માટે જ વજન ઘટાડવું એ ખૂબ જ મહત્વનું છે. જો કોઈ દર્દી માટે વજન ઘટાવવું શક્યના હોય તો તેના ઘૂંટણની આસપાસનાં સ્નાયુઓને ખૂબ જ મજબૂત કરી નાખવામાં આવે તો પણ ઘૂંટણ પર આવતું દબાણ ઓછું થઈ જતું હોય છે અને દુખાવામાં સારી રાહત મેળવી શકાય છે.
આજકાલ લોકોને કસરત કરવામાં સૌથી વધારે આળસ આવતી હોય છે. ઘૂંટણની આસપાસના સ્નાયુની મજબુતાઈની કસરતો કરવાથી તેમાં લોહીનું પરિભ્રમણ સારું થતું હોય છે અને તેની સ્ટ્રેન્થ (મજબુતાઈ) માં પણ વધારો થાય છે અને સ્નાયુમાં આવતી નબળાઈથી પણ બચી શકાય છે. આરર્થાઈટીસ ફાઉન્ડેશન મુજબ કોઈપણ માણસે મીની-સ્કોટ થી કસરતથી શરૂઆત કરવી જોઇએ અને તેની સાથે કોડરીસેપ્સ અને હેમસ્ટ્રીગ સ્નાયુની કસરત કરવી જોઇએ. અને ધીમે ધીમે તેનાં રીપીટેશન વધારવાં જોઇએ. અને જો આનાથી પણ વધારે ચોક્કસાઈથી કસરતનાં પ્લાનની સલાહ માટે ફિઝિયોથેરાપિસ્ટસનો સંપર્ક કરવો જોઇએ. જે વધારે ચોક્કસાઈથી મજબુતાઈ (સ્ટ્રેન્ધનિંગ)ની કસરતો શીખવાડી શકે છે. પરિણામે ઘૂંટણના દુ:ખાવામાં રાહત થાય છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ક્યારેય પણ ઘૂંટણમાં દુ:ખાવો હોય ત્યારે કસરત કરવી જોઇએ નહીં.
ઘૂંટણના ઓસ્ટીઓ આરર્થાઈટીસ વા કે દુ:ખાવામાં મુખ્યત્વે સાંધામાં સોજો આવી જતો હોય છે. તેથી આપણા આહારમાં એવી વસ્તુ/ ખોરાકનો સમાવેશ કરવો જોઇએ, જેનાથી દુ:ખાવામાં તથા સોજામાં ઘટાડો થાય છે. સામાન્ય રીતે આ પ્રકારની તકલીફવાળા દર્દીઓએ વધારે પડતાં અલગ-અલગ ફળો તથા શાકભાજીનો ઉપયોગ કરવો જોઇએ. તેમાં પુષ્પક પ્રમાણમાં ન્યુટીયન્સ આવેલાં હોય છે. સોજો ઉતારવામાં મદદ કરે એવાં એન્ટીઓક્સિડન્ટ જેવાં વિટામીન C,D,E, તથા સિલિનિયમ આવેલું હોય છે. તેમાં કેલરી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. જેથી વજન વધવાની પણ શક્યતાઓ ઓછી થઈ જાય છે. આની સાથે-સાથે ઓમેલા ૩ ફેટી એસિડ દવા સ્વરૂપે પણ બજારમાં મળે છે, તેમાં રોજિંદા ઉપયોગથી પણ આ દુ:ખાવામાં ખાસ્સો ફાયદો થઈ શકે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020