ટ્રેપેઝાઈટીસ એ એક પ્રકારનો ટ્રેપેઝીયસ સ્નાયુમાં આવતો સોજો છે જેનાં કારણે ગરદનની આસપાસ દુ:ખાવો તથા સ્ટીફનેસ (જડતા) આવી જતી હોય છે,
આ પ્રકારનો દુ:ખાવો મુખ્યત્વે કોમ્પ્યુટર પર બેસીને થતી જોબ (નોકરી)નો લીધે, વધારે પડતા વાંચન અને મુસાફરીને લીધે તથા ગૃહિણીઓને વધારે પડતા કામને લીધે પણ થતો જોવા મળે છે. ટ્રેપેઝીયસ નામના સ્નાયુના ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. આ સ્નાયુ મુખ્યત્વે ડોકના મણકા પરથી ખભા પર જતા હોય છે, તેથી ખભાની વધારે પડતી મુવમેન્ટને કારણે પણ ગરદનના આ સ્નાયુમાં સોજો આવી જતો હોય છે. વધારે પડતું બેસી રહેવું ખભામાં સાંધાનો ઉપયોગ, ઊંઘમાં કે ટીવી જોતી વખતે બે ઓશિકાનો ઉપયોગ કરવાથી અને બેસવાની ખરાબ પદ્ધતિ (પોશ્વચર)ને કારણે પણ આ દુ:ખાવામાં વધારો થતો હોય છે.સામાન્ય રીતે જે વ્યક્તિઓની જોબમાં એક જ પોઝીશનમાં ગરદન રાખવાની થતી હોય ત્યારે આ સ્નાયુ પર ભારણ વધી જતું હોય છે અને તેમાં સોજો આવી જતો હોય છે, જે લોકોને લાંબા સમય સુધી કાર અથવા વાહનની મુસાફરી કરવાની મુખ્યત્વે ચલાવવાનું આવતું હોય છે તેમને ટ્રેપેઝીયસમાં સોજો આવી જતો હોય છે.
ટ્રેપેઝીયસ નામના સ્નાયુનું મુખ્ય કામ ખભાને ઉપર કરવું ગરદનને સાઈડમાં ફેરવવી, ગરદનને ઉપર નીચે કરવી તથા હાથને ઉપર કરવામાં હોય છે આ મુવમેન્ટ વધુ પડતી કરવામાં આવે તો આ સ્નાયુમાં સોજો આવી જતો હોય છે
આવાં બધાં કારણોનો લીધે ટ્રેપેઝીયશ નામના સ્નાયુનો ઉપયોગ વધી જતો હોય છે, તેથી તે સતત તણાવમાં રહે છે જેને કારણે તેમાં લેક્ટિક-એસિડ ભરાઈ જતું હોય છે અને ગરદનમાં દુ:ખાવાની શરૂઆત થતી હોય છે, જેથી તે રોજિંદા જીવનમાં તકલીફ કરે છે. આગળના એકમાં વધુ રોગનાં લક્ષણો સારવાર વિશે જાણીશું.
વધુ માહિતી માટે સંપર્ક કરો
ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020