ઘૂંટણના સાંધાના દુ:ખાવાનું કોઇ એક કારણ નથી, તેમ તેના ઇલાજ માટેનો પણ કોઇ એક ઉપાય નથી. અનેક બિનપરંપરાગત ઉપાયો-ઇલાજો વડે ઘૂંટણના સાંધાના દુ:ખાવામાં રાહત મેળવી શકાય છે. આજકાલ આવા બિનપરંપરાગત ઉપાયો વધુ અગ્રતા પામી રહ્યા છે. ઘૂંટણ બદલાવાની સર્જરી તો સાવ એક અંતિમ અને અનિવાર્યરૂપ ઇલાજ છે. એક્યુપંક્ચર પદ્ધતિ, સપ્લીમેન્ટ થેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સાઇડ ઇફેક્ટ્સ કે પીડા વિનાની કેટલીક પદ્ધતિઓ વિષે આપણે અગાઉ જોયું. હવે આજે આવી બીજી કેટલીક પદ્ધતિઓ વિષે જોઇશું. આવી પદ્ધતિમાં ફિઝિયોથેરાપી અને મસાજ થેરાપી ઘણી લોકપ્રિય અને પરિણામદાયી છે.
ફિઝિયોથેરાપી:
આજકાલ ફિઝિયોથેરાપી માટેની જાગૃતિ ખૂબ વધતી જાય છે. ફિઝિયોથેરાપીનો મતલબ માત્ર કસરત એવો થતો નથી. પરંતુ શરીરની ઘણી બધી તકલીફોમાં ફિઝિયોથેરાપી મદદરૂપ થઈ શકે છે. અમેરિકા,યુ.કે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેનો ખૂબ જ વિકાસ થયો છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ થેરાપીમાં થતી સારવારોમાં કોઈ સાઈડઇફેકટસ હોતી નથી વળી તેમાં મળેલું રિઝલ્ટ ચોક્કસ હોય છે. ઘુંટણના દુ:ખાવા/ ઓસ્ટીઓ આરર્થાટીસમાં ફિઝિયોથેરાપિસ્ટની મદદ દ્વારા ઘુંટણના સાંધાને ફલેક્સિબિલિટી વધારવાની મજબૂતાઈ વધારવાની તથા સાંધાનાં કામ કરવાની ક્ષમતા વધારવાની કસરતો ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.
- ફિઝિયોથેરાપિસ્ટ તથા તેઓ ઘરે કઈ રીતે કસરતો કરવી?
- ક્યારે બરફનો શેક કરવો?
- તથા આપણી જીવનજીવવાની પદ્ધતિમાં કઈ ભૂલો થઈ રહી છે ?
- તેને કેવી રીતે સુધારવી?
- કઈ રીતે દુ:ખતાં ઘૂંટણ પરનું ભારણ ઘટાડવું?
- ઘૂંટણનો દુ:ખાવો ન થાય તે માટે કયાં મદદરૂપ સાધનોનો ઉપયોગ કરવો?
- ઘૂંટણમાં ન દુ:ખે ત્યારે બેસતાં ઊઠતાં, સીડી ચડતાં- ઉતરતાં અને ચાલતાં કઈ બાબતનું ધ્યાન આપવું?
તે તમારા શરીર, વજન અને સ્નાયુઓની તાકાત ને ચકાસીને ખૂબજ સારી રીતે સલાહ પણ આપી શકે છે.
માત્ર અને માત્ર એક ઘૂંટણની કસરત જેવી કે ઓશિકું રાખી પગ દબાવવો. એનાથી ઘુંટણનાં સ્નાયું મજબુત થાય અથવા દુ:ખાવો મટી શકે છે એ માન્યતા તદન ખોટી છે, કારણ કે ઘૂંટણની આસપાસ આશરે ૧૦-૧૨ ખૂબ જ મોટા સ્નાયુ આવેલા છે. આ સ્નાયુને મજબૂત કરવાની આશરે ૧૫-૨૦ કસરતો કરવામાં આવે તો જ સારું પરિણામ મેળવી શકાય છે.
મસાજ થેરાપી:
મસાજ થેરાપીથી ઘૂંટણના દુ:ખાવામાં રાહત મેળવી શકાય છે. પરંતુ આની સાથે કસરતો કરવાથી ખૂબ જ સારો ફાયદો થતો હોય છે. સામાન્ય રીતે આપણે ઘૂંટણ દુ:ખે એટલે કોઈ પ્રકારની દવા કે તેલનો માલીશ કરતા હોઈએ છીએ. આ પ્રકારની માલીશ/ મસાજએ આપણા શરીરમાં ન્ચુરોટ્રાન્સમીટર (સબસ્નસ )જે દુ:ખાવાં સાથે સંકાળાયેલ હોય છે. તેનું ઉત્યાદન ઘટાડે છે. જેનાથી આપણને દુખાવામાંથી રાહતનો અનુભવ થાય છે. તથા એ સાંધાની આસપાસનો તળાવ પણ ઓછો થઈ જતો હોય છે. જેનાથી દુ:ખાવામાં રાહત થાય છે. અને ઊંઘવામાં મદદ થાય છે સારી ઊંધ પણ આવતી હોય છે. એટલે આ પ્રકારની સારવાર પણ મદદરૂપ બની શકે છે. મહત્વની બાબત કે કોઈપણ દવા કે તેલ વધારે પડતું ચોળીને/ઘસીને ક્યારેય લગાડવું નહીં. જેનાથી દુ:ખાવો વધી જતો હોય છે. એટલેજ હલકા હાથે માલીશ મસાજ કરવું જોઇએ.
વધુ માહિતી માટે સંપર્ક કરો
ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041