অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘૂંટણની પીડા : સ્ટીકને શરમ-સંકોચ નહીં, સ્ટેટસ સિમ્બોલ બનાવો

ઘૂંટણમાં થતા દુ:ખાવા માટે પહેલેથી જ જો સાચી રીતે કાળજી રાખવામાં આવે તો તેનાથી બચી શકાય અથવા તે મટાડી પણ શકાય છે. ઘૂંટણએ આપણા શરીરનો એક એવો સાંધો છે, જે ઊઠવું, બેસવું, ચાલવું, સીડીઓ ચડવી વગેરે જેવી પ્રવૃત્તિઓ વખતે વજન લેતો હોય છે. એટલે જ ઉંમર વધતાં ઘૂંટણની આજુબાજુના સ્નાયુઓ નબળા પડતા હોય છે અને સાંધા પરનું ભારણ વધે છે. બે સાંધાઓની વચ્ચે આવેલો કનેક્ટિવ ટીસ્યુ જેવા કે મેનિસ્કસ, લિગામેન્ટમાં દબાણ, તણાવ અને સોજો આવે છે. જેમાંથી દુ:ખાવો થવાની શરૂઆત થાય છે. એટલે દરેક લોકોએ એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે ઘૂંટણમાં દુ:ખાવો થાય એટલે ઘૂંટણની ગાદી ઘસાઈ ગઈ હશે એવું માનવાની જરૂર નથી. ઘૂંટણની ગાદીમાં ઘસારો પડવો એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, જેને થવામાં ઘણો સમય લાગતો હોય છે. એટલે જો ઓસ્ટીઓ આર્થાઈટિસ (ઘૂંટણના દુ:ખાવા કે વા)માં વધારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. વા માટે શું કરવું અને શું ના કરવું પણ જોઇશું.

હંમેશા કમ્ફર્ટેબલ (આરામદાયક) શુઝ, કે ચંપલ પહેરવાં (બુટ,જૂતાં)

આજના સમયમાં જેમ આપણે કપડાં પર ખૂબ ધ્યાન આપીએ છીએ, એ જ રીતે ઘૂંટણનો દુ:ખાવો ઓછો કરવા તથા તેનાથી બચવા માટે આરામદાયક એટલે કે પગ માટે કમ્ફર્ટેબલ અને સપોર્ટિવ શુઝ (બુટ, જૂતાં) કે ચંપલ પહેરવાં. આપણાં ફુટવેર એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને જે લોકોને લાંબો સમય સુધી ઊભા રહેવાની કે ચાલવાની પ્રવૃત્તિ કરવાની હોય તેમનાં શુઝ કે ચંપલ આરામદાયક હશે તો તે ઘૂંટણ પર ભારણ અટકાવશે, નહીંતર ઘૂંટી (એડી)ની સૌથી પાસેનો સાંધો ઘૂંટણ હોય છે, ખોટા શુઝ કે ચંપલને કારણે તેના પર ભારણ વધે છે અને દુ:ખાવો થવાની અથવા વધવાની શરૂઆત થાય છે.ફ્લેક્સિબલ (આરામદાયક) ફુટવેર (ચંપલ, બુટ કે જૂતાં) પહેરવાથી પગનો નોર્મલ આકાર જળવાઇ રહે છે અને અને વજન લેવાની તેની ક્ષમતામાં પણ વધારો થાય છે. જેનાથી ઘૂંટણ પરનું ભારણ અને દુ:ખાવો ઓછો કરી શકાય છે.

ઘુંટણનાં બ્રેસ,ની-કેપ કે સ્ટીક નો સપોર્ટ લેતાં શરમાવું જોઇએ નહીં.

ઘણી બધી વાર લોકોને સ્ટીક (લાકડી)નો આધાર લેતાં એક પ્રકારની શરમનો અનુભવ થતો હોય છે. પરંતુ હકીકત એવી છે કે લોકોને ઘૂંટણનો એટલી તકલીફ ના હોય કે જેના ઓપરેશનની જરૂર હોય ત્યારે ઘૂંટણ પરનું ભારણ ઓછું કરવા લાકડી (સ્ટીક) નો આધાર લેવો જોઇએ. થોડાં સમય સુધી ઘૂંટણના સ્નાયુ કસરતથી મજબૂત ન થાય ત્યાં સુધી લાકડીનો આધાર લેવામાં શરમ અનુભવવી નહીં, કારણ કે આ પ્રકારે કરવાથી ઘણી બધી વાર ઓપરેશનથી બચી શકાય છે અને દુ:ખાવો પણ ઓછો થઈ જતો હોય છે. સ્ટીકનો ઉપયોગ જરૂરી હોય છે. તેને શરમ કે બોજો માનવાને બદલે સ્ટેટસ સિમ્બોલની જેમ ગણવાથી તે બોજો નહીં, ઉપયોગિતારૂપ બની રહે છે.

આ ઉપરાંત તેની સાથે ઘૂંટણનો બ્રેસ, ની-કેપ (ઘૂંટણનાં મોજા)નો ચાલતી વખતે, લાંબો સમય ઊભા રહેવાનું હોય ત્યારે અને સીડીઓ ચડતી વખતે ઉપયોગ કરવો જોઇએ આનો ઉપયોગ કરવાથી ઘૂંટણમાં જર્ક (આંચકો) લાગવાની શક્યતાઓ ઓછી થઈ જતી હોય છે અને ઘૂંટણને ખૂબ જ સારો આધાર મળી જતો હોય છે. કોઈપણ દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું કે ઘૂંટણમાં બ્રેસ અને મોજાની સાઈઝ પ્રોપર રાખવી જોઇએ. રાત્રે કે દિવસે સૂતી વખતે તે કાઢી નાખવાં જોઇએ, નહીંતર પગમાં સોજો આવવાની શક્યાતાઓ વધી જતી હોય છે.

ઓર્થોટીસ્ટી પોડીયાટ્રીસ્ટ આ ઘુંટીની પોઝીશનને ચરબી કરવામાં તથા સાચા અને સારા ફુટવરેથી ઘુંટણમાં આવતું ભારણ ઓછું કરવામાં મદદ કરે છે. ડાયેટીશીયન શરીરનું વજન ઓછું કરવામાં મદદ કરે છે જેનાથી નેચરલી જ ઘૂંટણપર આવતું ભારણ- વજન આછું થઈ જતું હોય છે અને દુખાવામાં રાહત થાય છે. એટલે જ જો આવી રીતે બઘાંજ ડોકટરનોની સાથે કોઓડીનેટીંગ સારવાર કરવામાં આવેતો ચોક્કસથી જ ઘુંટણમાં થતાં દુ:ખાવો મટાડી શકાય છે અને ઓરીજનલ સાંધાને બચાવી શકાય છે. અને ઘુંટણની કાર્યક્ષમતાં માં પણ વધારો કરી શકાય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/1/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate