অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘુંટણની ગાદી ઘસાઇ જાય એવી એની રચના જ હોતી નથી

ઘુંટણની ગાદી ઘસાઇ જાય એવી એની રચના જ હોતી નથી

આજકાલ સમાજમાં એવો ટ્રેન્ડ આવી ગયો છે કે કોઈપણ માણસને ઘુંટણમાં દુ: ખાવો થાય એટલે બધાં સામાન્ય રીતે એવું કે તમારે ગાદી ઘસાઈ ગઈ લાગે છે/ આટલું દુ:ખેતો તમે સર્જરી (ઘુંટણનું ઓપરેશન) કેમ નથી કરાવતા/ સમાજમાં ઘુંટણનો દુ:ખાવો એટલે અનો મતલબ ગાદી ઘસાઈ જવી. એવો થઈ ગયો છે અને લોકો એવી રીતે સલાહ આપતાં જોવાં મળતાં હોય છે કે આનો એક માત્ર ઇલાજ જાણે સર્જરી જ હોય?
ઘણી વખત તો એવું જોવા મળે છે કે આસપાસા કે પરિચિત લોકોએ ઘુંટણની સર્જરી કરાવી હોય તેઓ કોઇ ઉદાહગણો આપીને આપણને ઘુંટણના દુ:ખાવાની સર્જરી કરાવવી જ પડશે એવી સલાહ આપતા હોય છે. જેને કારણે ભલભલા ગભરાઇ જાય છે. પરંતુ હકીકતમાં દરેક ઘુંટણના દુ:ખાવા થાય એટલે સર્જરી (ઘુંટણનું ઓપરેશન) કરાવવું પડશે એ જરૂરી હોતું નથી. ગાદી ઘસાઈ ગઇ હશે એટલે સર્જરી કરાવી નાખવી એવી સમાજમાં ખૂબ જ મોટી ગેરમાન્યતાઓ ફેલાયેલી છે.
ઘુંટણમાં દુ:ખાવો એ એક પ્રકારનું લક્ષણ (સિમ્ટમ) છે. પરંતુ રોગ થવાનું મૂળ કારણ શોધીને જો તેની સારવાર કરવામાં આવેતો કોઈ પણ પ્રકારની સર્જરીની જરૂર હોતી નથી. ઘુંટણનાં હાડકાં એટલે કે ફીમર અને ટીબીયાની સરફેસ પર આવેલું ખૂબ જ પાતળું આવરણ જેને કાર્ટીલેઝ (ગાદી) કહેવામાં આવે છે. તે ઘસાઇ જવાનું મુખ્ય કારણ સાંધામાં આવતા વજનને ટ્રાન્ફર કરવાનું અને સાંધામાં થતી મુવમેન્ટ (ક્રિયા) ને સ્મૂધ(સુંવાળુ) બનાવવાનું હોય છે. જ્યારે દર્દીઓને એવું કહેવામાં આવતું હોય છે કે સાંધામાં ગાદી ઘસાઈ ગઈ છે. પરંતુ એક સાચી હકીકત એ છે કે આ ગાદીની જાડાઈ માત્ર અને માત્ર 0.73mm જ હોય છે. એટલે ગાદી આપણે ઘારીએ એવું કોઈ જાડી રચના નથી, જે ઘસાઈ જાય અને સર્જરી કરાવવી પડે! ઘુંટણની ગાદી(કાર્ટીલેજ) કોઈપણ પ્રકારના X-Rayમાં કોઈપણ ડોકટરને દેખાતી હોતી નથી. માત્ર ઘુંટણનાં હાડકાંની પોઝિશન (સ્થિતિ) જ જાણી શકાય છે. એક અભ્યાસ પ્રમાણે MRI Report પણ ગાદી ઘસાઈ ગયા પછી કેટલી બાકી છે તે જાણી શકાતું નથી. ઘુંટણનો સંપૂર્ણ સાંધો ઘસાઈ જાય તો પણ સાંધાની નીચે 0.36mm જેટલી ગાદી તો બચતી જ હોય છે. તેથી ગાદી ઘસાઈ ગઈ છે એ શબ્દથી ગભરાવવાની જરૂર હોતી નથી. કારણકે ગાદીમાં ઘસારો થવો અને તે પણ ઉમરની સાથે તે તદન નોર્મલ અને નેચરલ બાબત માનવામાં આવે છે અને કુદરતી રીતે થતી આ બાબત માટે સહેજ પણ ગભરાવાની જરૂર હોતી નથી.
ઘુંટણની ગાદી (કાર્ટીલેજ) વિશે ખૂબજ આશ્ચર્યની બાબત એ છે કે તેને કોઈપણ પ્રકારનો લોહીનો સપ્લાય હોતો નથી એટલે કે તેને ક્યારેય લોહી મળતું જ હોતું નથી. તેને નસનો સપ્લાય કે લસિકા ગ્રંથી (લિમ્પેટિક) નો સપ્લાય હોતો નથી. તેથી જ એવું કહેવાય કે દુનિયામાં જે માણસની ગાદી એકવાર ઘસાય એટલે ક્યારેય નવી બનતી નથી. ઘુંટણની ગાદીને લોહીનો સપ્લાય ન હોવાથી તેની રીપેર (સરખું થવાનું) કામ ખૂબ જ ઓછું થતું હોય છે. એટલે એ ખૂબ જ મહત્વનું છે કે કઈ રીતે આપણે આ ગાદીને ઘસાતા બચાવીએ! ઘુંટણની ગાદી મુખ્યત્વે પ્રાઈમરીલી, ટાઈપ-૧ અને ટાઈપ-૯ પ્રકારના કોલેજિયન ફાઈબરનો સમાવેશ થતો હોય છે અને ઘુંટણની ગાદીમાં પાણીનું પ્રમાણ પણ પુષ્કળ માત્રામાં હોય છે.આર્ટીકયુલર કાર્ટીલેજ (ગાદી)નો 80% ભાગમાં પાણીનું પ્રમાણ હોય છે તેથી ઉંમરની સાથે શરીરમાં પાણી પ્રમાણ પણ ઘટતું હોય છે. અને કાર્ટીલેજમાં (ગાદીમાં) ફેરફાર જોવા મળતા હોય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો
ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate