অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કમરના દુખાવામાં સર્જરીની જરૂરીયાત નથી

બધી જાતના કમરના દુખાવામાં સર્જરીની જરૂર હોતી નથી

કમરનો દુ:ખાવો અલ્સર (પેટમાં પડતું છાલું) જેવો હોય છે. શરીરમાં તણાવ વધે એટલે દુ:ખાવો પણ વધે પણ એનો મતલબ એ પણ નથી કે તણાવ ઘટે એટલે દુ:ખાવો સંપૂર્ણપણે મટી જાય.

ઘણી બધી વખત કમરના દર્દથી પીડાતા દર્દીઓ ઉતાવળમાં સર્જરી કરાવવાનો નિર્ણય લેતા હોય છે, પરંતુ કમર એ જેટલી મનાય છે એવી બરડ (નાજુક) હોતી નથી એટલે તેમાં દુ:ખાવો થતાં બહુ ગભરાવવાની જરૂર હોતી નથી. એટલે સૌ પ્રથમ દુ:ખાવો થવાનું કારણ જાણી તેની સાચી અને સારી રીતે સારવાર થાય તો કોઇપણ પ્રકારની સર્જરી વિના તેમાં ખૂબ સારી રાહત મેળવી શકાય છે.

કયાં કારણોથી કમરનો દુ:ખાવો થતો નથી?

ઘણી ઘણી વખત X-ray, MRI જેવા રિપોર્ટ કરાવ્યા પછી પણ દર્દીના કમરના દુ:ખાવા અને રિપોર્ટમાં તફાવત હોય છે, એટલે જ દર્દીની સાચી અને સારી રીતે તપાસ કરવામાં આવે, તેમાં તેના કમરની આસપાસના સ્નાયુનો પાવર તથા તેમાં રહેલી ટેન્ડરનેસ (સોજો) તથા કમરમાંથી નીકળતી નવ્સ (Nerve) ના જુદા જુદા ટેસ્ટ કરીને પણ ચેક કરી શકાય છે. ખૂબ જ મહત્વનું એ છે કે કમરના મણકા એ એક પ્રકારનાં હાડકાં છે અને હાડકાંને પકડી રાખવા માટે તેની આસપાસના સ્નાયુઓ તેને મદદ કરે છે. તે સ્નાયુઓને એન્ટીગ્રેવિટી મસલ્સ પણ કહેવાય છે. જો એન્ટીગ્રેવિટી મશલ્સ (સ્નાયુ) નબળા પડે તો બે મણકા એકબીજા પાસે આવવાની શરૂઆત થાય છે તથા તે સ્નાયુમાં સોજો આવી જોય છે, જેનાથી કમરના દુ:ખાવાની શરૂઆત થતી હોય છે.

ઘણી બધી વાર કમરના દુ:ખાવા અંગે એવી ગેરમાન્યતાઓ હોય છે કે સ્ત્રીઓને ડીલીવરી પછી કમરનો દુ:ખાવો રહેશે જ. પરંતુ તે તદન ખોટું હોય છે. ડીલીવરી (પ્રસૂતિ) પછી સામાન્ય રીતે સ્ત્રીઓને બંને બાજુ સેકરોઇલિયાક જોઇન્ટર (SI joint) નો દુ:ખાવો થતો હોય છે. તેનું કારણ એ છે કે પ્રસૂતિ દરમિયાન પેટના ભાગમાં વધારો થાય એટલે પાછળ કમરની નજીકના સાંધા સેકરોઇલિયા જોઇન્ટર પર દબાણ તણાવ વધે છે. તેનાથી તેને પક્ડી રાખતા લિગામેન્ટમાં સોજો આવી જતો હોય છે. એ દુ:ખાવો સ્ત્રીઓને પજવે છે, નહીં કે કમરનાં મણકા... પરંતુ આ રોગનું નિદાન ન થાય તો તેની સારવાર થઈ શકતી હોતી નથી.

આ જ રીતે ઘણીવાર સ્ત્રીઓનું માનવું હોય છે કે C- સેક્શન (સિઝેરિયન) પછી કમરના મણકાનો દુ:ખાવો થતો હોય છે કારણકે તેમને મણકામાં ઈન્જેકશન આપવામાં આવ્યું હોય છે. પરંતુ તે પણ એક પ્રકારની ગેરમાન્યતા છે. કમર દુ:ખાવાનું કારણ એની આસપાસનાં સ્નાયુમાં આવેલો સોજો તથા તેની નબળાઈ હોય છે તથા ડીલીવરી (પ્રસૂતિ) દરમિયાન કમર પર તણાવ ખૂબ જ વધી જતો હોય છે, જેનાથી આ દુ:ખાવાની શરૂઆત થતી હોય છે.

ઘણી બધી વખત લોકો એવું કહેતા જોવા મળે છે કે કમરનો દુ:ખાવો તે મગજમાં રહે એ પ્રકારની સાયકોલોજિકલ ઇફેકટ હોય છે. પરંતુ એવું દરેક કિરસામાં સાચું હોતું નથી. કમરનો દુ:ખાવો અલ્સર (પેટમાં પડતું છાલું) જેવો હોય છે. શરીરમાં તણાવ વધે એટલે દુ:ખાવો પણ વધે પણ એનો મતલબ એ પણ નથી કે તણાવ ઘટે એટલે દુ:ખાવો સંપૂર્ણપણે મટી જાય.

આજ કાલ યોગા ને પણ કમરના દુ:ખાવા માટેની સારવાર ગણવામાં આવે છે. પરંતુ તે પૂર્ણ સાચું નથી, કારણ કે યોગાથી શરીર, મગજ અને આત્માનાં સંતોલનમાં ફેરફાર થાય છે તથા સ્નાયુમાં ફ્લેક્સિબિલિટી આવે છે અને તેનાથી તણાવ ઘટાડી શકાય છે, પરંતુ યોગાથી કમરના દુ:ખાવાની સારવાર સંપૂર્ણપણે થઇ શકે છે એવું હોતું નથી. હા, એ શક્ય છે સ્નાયુની સ્ટ્રેચિંગ કસરત કરવાથી રાહત મળી શકે છે ઘણી વાર તો દર્દીઓ યોગામાં સાચી રીતે આસન કરવાથી જ કમરનાં રોગોની શરૂઆત થઇ હોય એવું જોવા મળે છે. ઘણા બધા લોકો જ્યારે લાંબા સમયથી કમર દુ:ખતી હોય ત્યારે એવું માનતા હોય કે તેમને મણકામાં કેન્સર કે ટી.બી. જેવી ભયંકર બીમારીનો દુ:ખાવો તો નથી ને! સામાન્ય રીતે 1% લોકોમાં જ આવું જોવા મળતું હોય છે, પરંતુ તમને નીચેનામાંથી કોઇ ચિહ્નો જોવા મળે તો તમે આવી ભયંકર બીમારીનો શિકાર હોય અથવા આગળ કોઇ નિદાન કરાવવું :

  • જો તમને સતત ખરાબ રીતે કમરનો દુ:ખાવો 6(Six) અઠવાડિયાથી વધારે હેરાન કરતો હોય.
  • તમારા દુ:ખાવામાં સતત વધારો થતો હોય અને કોઇ પણ પ્રકારની રાહત ન મળતી હોય.
  • જો તમને સાથળ અને થાપાના ભાગમાં ખૂબ જ ઝણઝણાટી રહેતી હોય, ઝાડા પેશાબ કંટ્રોલ કરવામાં તકલીફ થતી હોય.
  • તમને ખૂબ જ ગંભીર અકસ્માત થયો હોય, જેમાં તમને મણકા પર ખૂબ જ વજન આવ્યું હોય તેનાથી મણકાનું ફ્રેક્ચર થવાની સંભાવના વધી જતી હોય છે.

આ ઉપરની કંડીશન (તકલીફો) સીવાય અગર તમને ગાદીની આસપાસ સોજો આવી ગયો હોય, પગમાં ઝણઝણાટી આવતી હોય (સાયટિકા) અથવા કમરની આસપાસ સતત દુ:ખાવો રહેતો હોય તો એ સારવાર ખૂબ જ સારી રીતે શક્ય હોય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate