অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉંમર થાય કે વજન વધુ હોય તો પણ ઘુંટણમાં દુખાવો થાય

ઉંમર થાય કે વજન વધુ હોય તો પણ ઘુંટણમાં દુખાવો થાય

ઘુંટણનાં દર્દ ભલભલાને પરેશાન કરતાં હોય છે. તેને માટે ખોટી સારવાર કે ખોટાં નિદાનને કારણે પણ ઓપરેશન કરવા સુધી જવું પડે છે. ઘુંટણના દુ:ખવા માટે સાંધાના ઘસારા સિવાય અન્ય પણ કેટલીક તકલીફો હોય છે. એટલે અગાઉ (આગળનાં અંકોમાં) આપણે જાણ્યું કે ઘુંટણ દુ:ખે એટલે ગાદી ઘસાઈ ગઈ છે કે સર્જરી (ઓપરેશન) કરવું પડશે એવું માનવું યોગ્ય નથી તથા માત્ર અને X-Ray ને ધ્યાનમાં રાખી સર્જરી કરાવવી એવો નિર્ણય કરવો પણ યોગ્ય નથી કારણકે ઘુંટણથી આસપાસ ઘણા બધા સ્નાયુઓ, લિગામેન્ટ, ટેન્ડન તથા મેનિસ્કસ આવેલા હોય છે. જેમાં કોઈપણ પ્રકારની તકલીફ થાય તો પણ ઘુંટણમાં દુ:ખાવો થતો હોય છે. તેથી સૌ પ્રથમ રોગનું સાચું નિદાન કરવું ખૂબ જ જરૂરી હોય છે. સાંધા વચ્ચે જે જગ્યા ઓછી થઈ ગઈ હોય તે પણ ચોક્કસ પ્રકારની એન્ટી ગ્રેવિટી મસલ્સ (સ્નાયુ)ની કસરત કરવાથી ઘણા બધા અંશે ખૂલી જતી હોય છે આ પ્રકારે ઘુંટણમાં થતા દુ:ખાવા અન્ય કારણોસર પણ થતા હોય છે. આવા દુ:ખાવા શા માટે થતા હોય છે તેને વિષે જાણવું ઘણું ઉપયોગી અને મહત્વનું છે. આવા દુ:ખાવા આ મુજબ છે :

ઢીંચણમાં પાણી ભરાઈ જવું:

ઘુંટણનાં સાંધામાં થતો આ દુ:ખાવો ખૂબ જ સામાન્ય છે, જે ઉંમર વધતાંની સાથે જોવા મળતો હોય છે. આ રોગમાં સાંધાની આજુબાજુ ફલ્યુઈડ (પ્રવાહી) ભરાઈ જતું હોય છે. સાંધાના વા (ઓસ્ટીઓ આર્થાઈટિસ), લિગામેન્ટ તથા થેનિસ્કસમાં ઈજા અને ઘુંટણનાં સ્નાયુ (કોડરિસેપ્સ)માં પણ ઈજા થાય તો આ તકલીફ થતી હોય છે. આ રોગને મેડિકલ ટર્મિનોલોજીમાં પ્રિપટેલર બર્સાઈટિસ પણ કહેવામાં આવે છે. આનું મુખ્યકારણ એ છે કે ઘુંટણનાં હાડકાં (ફીમર) અને ઘુંટણનાં સ્નાયુ (કોડરિસોસ) વચ્ચે ખૂબ જ મોટી બર્સા (સાંધો) આવેલી હોય છે. નીચે બેઠેલા હોઇએ તેમાં ઊભા થવામાં, સોફા કે ખુરશી પરથી ઊભા થવામાં અથવા તો ઘુંટણમાં કોઈ પ્રકારનો જર્ક (આંચકો ) લાગવાથી તેમાં ફલ્યુઈડ (પ્રવાહી) ભરાઈ જતું હોય છે, જે ઘુંટણમાં રોજિંદી ક્રિયામાં સતત દુ:ખાવો કરતું હોય છે.
આ રોગની લાક્ષણિકતા એ છે કે ઘુંટણનાં હાડકાંમાં કોઈપણ પ્રકારની તકલીફ હોતી નથી, એટલે X-Ray થી આ રોગનું નિદાન યોગ્ય રીતે થઈ શકતું નથી. પરંતુ ઘુંટણની આસપાસ પુષ્કળ પ્રમાણમાં સોજો આવી ગયેલો હોય છે અને આ દુ:ખાવો પગ વાળવાથી તથા ચાલવાથી વધી જતો હોય છે. જો કે આરામ કરવાથી ઓછો થઈ જતો હોય છે. જ્યારે દુ:ખાવાવાળા ઘુંટણને અન્ય ઘુંટણ સાથે સરખાવામાં આવે ત્યારે ખૂબજ મોટો તફાવત જોવા મળતો હોય છે.
આ રોગ થવાનું કારણ એ ઘુંટણના વા (ઓસ્ટીઓઆર્થાઈટીસ) ઘુંટણની આસપાસનાં લિગામેન્ટસ તથા મેનિસ્કસમાં ઈજા અથવા ઘુંટણનાં સ્નાયુમાં થયેલી ઈજા છે. આપણા શરીરની એક તદન સામાન્ય પ્રતિક્રિયા હોય છે. જેનાથી તે ફલ્યુઈડ (પ્રવાહી) નો સ્ત્રાવ થતો હોય છે. ઘુંટણમાં સોજો આવી જતો હોય છે. ઘણી બધી વખત ઉંમર વધતાં તેમજ ભારે વજન હોય તેવા લોકોમાં આ પ્રકારની તકલીફ જોવા મળતી હોય છે. ઉંમર વધવાની સાથે તથા ભારે વજનવાળા લોકોમાં સ્નાયુની નબળાઈ વધી જતી હોય છે. નબળાઈ વધતાં સ્નાયુઓ બરડ બની જતાં હોય છે અને તેને લીધે ઘુંટણમાં પાણી ભરાવવાની શક્યતાઓ વધી જતી હોય છે.
એટલે જે ઉંમર વધવાની સાથે તથા ભારે વજનવાળા દર્દીઓએ વધારે પડતું જ્યારે જમીન પર બેસવાનું થતું હોય અને ઊભા થવાનું આવે ત્યારે બે હાથનો ટેકો રાખવો ખૂબ જ જરૂરી હોય છે, જેનાથી તેમના શરીરનો વજનનો ભાર સારી રીતે વહેંચાઈ જતો હોય છે કાઈનેસ્થીયોલોજી પ્રમાણે જ્યારે કોઈપણ માણસ જમીન પરથી ઊભા થાય ત્યારે તેમના વજનનું આઠ ગણું વજન તેમના ઘુંટણમાં વહેંચાઈ જતું હોય છે. તેનાથી ઘુંટણમાં દુ:ખાવાની શરૂઆત થતી હોય છે. માની લો કે કોઈ દર્દીનું વજન ૬૦ કિલો છે અને જો તે જમીન પરથી ઊભા થાય એટલે ૬૦X૮=૪૮૦ કિલો બે ઘુંટણ પર ૨૪૦ કિલો વજન આવતું હોય છે. જો આ પ્રમાણે ૨૪૦ કિલો વજન પ્રત્યેક ઘુંટણ પર જાય અને ઘુંટણના આસપાસના સ્નાયુઓ નબળા હોય તો તેમાં ઈફ્યુશન (પાણી ભરાવવાની) સંભાવનાં ખૂબ જ હોય છે.
આ રોગમાં કોઈ પણ પ્રકારની ઘુંટણની સર્જરી (ઓપરેશન)ની જરૂર પડતી નથી. મુખ્યત્વે દિવસમાં ત્રણ વાર ૧૦થી ૧૫ મિનિટ સુધી બરફનો શેક કરવાથી રાહત રહે છે. એટલું ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય પણ ગરમ શેક કરવો નહીં, તેનાથી દુ:ખાવો ખૂબ જ પ્રમાણમાં વધી જતો હોય છે. આ ઉપરાંત સાચી અને સારી રીતે ઘુંટણની આસપાસના સ્નાયુઓ (કોડરીસેપ્સ)ની મજબુતાઈની કસરતો કરવી જોઈએ. ટ્રેડમિલ પર ન ચાલવું, ખાડાવાળી જમીન પર ન ચાલવું, વધારે પડતી સીડી ચડવાનું ટાળવું જોઇએ.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate