অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માણસને વિકલાંગ બનાવવામાં જવાબદાર આર્થરાઈટિસ

‘આર્થરાઈટીસ' શબ્દનો અર્થ કોઈ એક કે તેથી વધુ સાંધામાં દુઃખાવો અને સોજો એવો થાય છે. વિશ્વભરમાં વિકલાંગતા માટે જવાબદાર આ સૌથી સામાન્ય કારણ છે. આર્થરાઈટીસનો અર્થ એવો નથી થતો કે વૃદ્ધાવસ્થા આવવાની સાથે સામાન્ય દુઃખાવો કે પીડા થતી હોય પરંતુ તે વાસ્તવમાં તે મસ્ક્યુલોસ્કેલેટલ પ્રકારના ડિસઓર્ડર્સ મા નો એક જટીલ પ્રકાર છે જેમાં ૧૦૦થી વધુ વિવિધ રોગો કે સ્થિતિ સામેલ હોય છે જે બધી જ વયજુથ, જાત અને જાતિના લોકોને અસર કરે છે.

બૃહદ રીતે આર્થરાઈટીસને ઈનફ્લેમેટરી (સોજો) અને નોન ઈન્ફ્લેમેટરી (સોજાવિહિન)આર્થરાઈટીસ તરીકે વિભાજીત કરી શકાય છે. નોન ઈન્ફ્લેમેટરી આર્થરાઈટીસ એવો આર્થરાઈટીસ છે જે સાંધામાં ઘસારો કે કામકાજ સંબંધિત સ્નાયુ કે સાંધાઓ પર આવતા વધુ પડતા તણાવના કારણે થાય છે. નોન-ઈન્ફ્લેમેટરી આર્થરાઈટીસના દર્દીને કામકાજ પછી પીડાની ફરિયાદ રહે છે અને સામાન્ય રીતે આરામની અવસ્થામાં રાહત અનુભવે છે. આ પ્રકારની પીડા સામાન્ય રીતે ઓસ્ટિયોઆર્થરાઈટીસમાં જોવા મળે છે જે સાંધાઓમાં વય સંબંધિત ઘસારાને કારણે થતો આર્થરાઈટીસ છે. જ્યારે, ઈન્ફ્લેમેટરી આર્થરીટીસ મોટાભાગે રૂમેટીક રોગો જેમકે રૂમેટોઈડ આર્થરાઈટીસ, એન્ક્લીલોઝઇંગ સ્પોન્ડિલાઈટીસ, લ્ન્ચ્ , ગાઉટમાં જોવા મળે છે. ઈન્ફ્લેમેટરી આર્થરાઈટીસની પીડા સવારે અને રાત્રે અસહ્ય થતી હોય છે, આરામ પછી પીડા વધે છે અને દર્દી કામ કરે ત્યારે રાહત અનુભવે છે. દર્દી સામાન્ય રીતે થાકની લાગણી અનુભવે છે અને પીડાના કારણે સામાન્ય તાવ પણ રહે છે.

૧૦૦થી વધુ એવા રોગો છે જેમાં આર્થરાઈટીસ મુખ્ય લક્ષણ હોય છે. આવા સૌથી સામાન્ય રોગોમાં સામેલ છેઃ

રૂમેટોઈડ આર્થરાઈટીસ, ઓસ્ટિયોઆર્થરાઈટીસ, જુવેનાઈલ ઈડિયોપેથિક આર્થરાઈટીસ, ગાઉટ, ફાઈબ્રોમ્યાલ્ગિયા, સ્પોન્ડિલોઆર્થરાઈટીડીસ જેમકે એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઈટીસ, સોરિયાટીક આર્થરાઈટીસ સામેલ છે.

જો કે તેના પરિબળો અલગ અલગ હોવાથી આ રોગો ઘણીવાર એક કે વધુ સાંધાઓમાં થઈ શકે છે. કેટલાક પ્રકારના આર્થરાઈટીસ સિસ્ટેમિક હોય છે અને તે આંતરિક અંગો (જેમકે રૂમેટોઈડ આર્થરાઈટીસ જેમ)ને અસર કરી શકે છે.

રૂમેટોઈડ આર્થરાઈટીસ એ ઈન્ફ્લેમેટરી આર્થરાઈટીસનો સૌથી સામાન્ય પ્રકાર છે. તે ક્રોનિક સિસ્ટેમિક ઈન્ફ્લેમેટરી રોગ છે જે હાથ અને પગના નાના સાંધાઓને સૌથી વધુ અસર કરે છે પણ ખભા અને ગોઠણ જેવા મોટા સાંધાઓને પણ અસર કરી શકે છે. સાંધા નબળા પડે છે અને સોજી જાય છે અને જો રોગને નિયંત્રણમાં સમયસર લેવામાં ન આવે તો તેનાથી કાયમી પીડાદાયક વિકૃતિ અને હલનચલન બંધ થવાની શક્યતા આ સાંધાઓમાં આવી શકે છે.

આ એક ઓટોઈમ્યુન રોગ છે જેમાં શરીરની રોગપ્રતિકારક પ્રણાલી કે જે સામાન્ય રીતે બાહ્ય તત્વો જેમકે બેક્ટેરિયા અને વાયરસથી આરોગ્યનું રક્ષણ કરે છે તેના માટે કામ કરે છે, આ પ્રણાલી ગફલતથી સાંધાઓ પર હુમલો કરી દે છે.

રૂમેટોઈડ આર્થરાઈટીસના લક્ષણો

રૂમેટોઈડ આર્થરાઈટીસનું નિદાન શરૂઆતના તબક્કામાં કરવું કઠિન છે કેમકે વ્યક્તિએ વ્યક્તિએ તેના લક્ષણો અલગ હોય છે અને આ રોગના નિદાન માટે કોઈ એક નિદાનાત્મક પરીક્ષણ ઉપલબ્ધ નથી.

જો કે તમે યોગ્ય સમયે રૂમેટોલોજિસ્ટની સલાહ લો તો (રૂમેટોલોજિસ્ટ ઈન્ટરનીસ્ટ ડોક્ટર્સ (સબ સ્પેશિયાલિસ્ટ) છે જેઓએ ખાસ ૨-૩ વર્ષ પોસ્ટ એમડી (મેડીસીન)માં તાલીમ પ્રાપ્ત કરી હોય છે જેઓ તમામ પ્રકારના આર્થરાઈટીસ અને રુમેટીક રોગોને મેનેજ કરે છે) રોગના વહેલા તબક્કે સંકેત અને નિદાન જાણી શકે છે જ્યારે તેઓ રોગને સરળતાથી અંકુશમાં લઈ શકે છે.

નિદાન ક્લિનીકલ હોય છે જે દર્દીના લક્ષણો અને ચિહ્નો પર આધારિત હોય છે અને લેબ પરીક્ષણો તથા ઈમેજિંગના સહયોગથી થાય છે.

રૂમેટોઈડ આર્થરાઈટીસનું નિદાન અને સારવાર

રૂમેટોઈડ આર્થરાઈટીસનું નિદાન શરૂઆતના તબક્કામાં કરવું કઠિન છે કેમકે વ્યક્તિએ વ્યક્તિએ તેના લક્ષણો અલગ હોય છે અને આ રોગના નિદાન માટે કોઈ એક નિદાનાત્મક પરીક્ષણ ઉપલબ્ધ નથી.

જો કે તમે યોગ્ય સમયે રૂમેટોલોજિસ્ટની સલાહ લો તો (રૂમેટોલોજિસ્ટ ઈન્ટરનીસ્ટ ડોક્ટર્સ (સબ સ્પેશિયાલિસ્ટ) છે જેઓએ ખાસ ૨-૩ વર્ષ પોસ્ટ એમડી (મેડીસીન)માં તાલીમ પ્રાપ્ત કરી હોય છે જેઓ તમામ પ્રકારના આર્થરાઈટીસ અને રુમેટીક રોગોને મેનેજ કરે છે) રોગના વહેલા તબક્કે સંકેત અને નિદાન જાણી શકે છે જ્યારે તેઓ રોગને સરળતાથી અંકુશમાં લઈ શકે છે.

નિદાન ક્લિનીકલ હોય છે જે દર્દીના લક્ષણો અને ચિહ્નો પર આધારિત હોય છે અને લેબ પરીક્ષણો તથા ઈમેજિંગના સહયોગથી થાય છે.

સારવાર:

સારવાર એવા સમયે ઘણી અસરકારક રહે છે જો તેની વહેલા તબક્કે અને વિકૃતિ આવવાની શરૂઆત અગાઉ તે શરૂ કરવામાં આવે.

આ રોગને દવાઓ દ્વારા આસાનીથી અંકુશમાં લઈ શકાય છે. કસરતો અને ફિઝિયોથેરાપી આ રોગને કાબુમાં રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

દવાઓઃ

ડિસિસી મોડિફાઈંગ એન્ટી રૂમેટિક ડ્રગ્સ (ડીએમએઆરડી) મુખ્ય સારવાર બની રહે છે. ફક્ત પીડા માટે આ દવાઓ નથી હોતી પણ તે સોજા પર અસરગ્રસ્ત હોય છે. આ સામે જે મૂખ્યત્વે લક્ષણો અને હાનિ માટે જવાબદાર હોય છે તેને દવાઓ અંકુશિત કરે છે. આ રીતે રોગને આગળ વધતો અટકાવી શકાય છે અને સાંધાઓને થનારૂં નુકસાન ઘટાડી શકાય છે. આ સાથે, પીડામાં રાહત માટે દવાઓ (પેઈન કિલર્સ અને ક્યારેક સ્ટિરોઈડ) પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે, જ્યાં સુધી દવાના ડોઝ શરૂઆતના સપ્તાહોમાં માફક થતા સમય લાગે.

બાયોલોજિક રિસ્પોન્સ મોડીફાયર્સ કે બાયોલોજિક નવી દવાઓ છે જે રૂમેટોઈડ આર્થરાઈટીસની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ દવાઓ અસરકારક છે અને સામાન્ય સારવારને પ્રતિક્રિયા ન આપતા દર્દીઓ માટે પણ તે કામ કરે છે. પરંતુ તેનો ખર્ચ વધુ હોવાથી પસંદગીના દર્દીઓ પર જ તેનો ઉપયોગ થાય છે. સ્મોલ ટારગેટ મોલેક્યુલ્સ એ દવાઓની વધુ એક નવી શ્રેણી છે જે દર્દીઓમાં ખૂબ અસરકારક છે પણ તેનો પણ ઉપયોગ તે વધુ ખર્ચાળ હોવાથી મર્યાદિત રીતે થાય છે.

આહારઃ

રૂમેટોઈડ આર્થરાઈટીસ માટે જે માન્યતાઓ છે એ પ્રમાણેના કોઈ પ્રતિબંધ આહાર અંગેના હોતા નથી પરંતુ સંતુલિત આરોગ્યપ્રદ આહારની ભલામણ કરવામાં આવે છે. દર્દીઓએ સ્નાયુની તાકાત વધારવા માટે વધુ પ્રમાણમાં પ્રોટીનયુક્ત આહાર લેવો જોઈએ.

ફિઝિયોથેરાપીઃ

ફિઝિયોથેરાપીમાં કસરતોનો સમાવેશ હોય છે જેનાથી અસરગ્રસ્ત સાંધાની આસપાસના સ્નાયુઓ મજબૂત થાય છે, જે આર્થરાઈટીસની સારવારનો મુખ્ય હિસ્સો છે. વજન ઘટાડવું અને સ્વસ્થ વજન જાળવી રાખવાથી તેના લક્ષણો ઘટે છે.

દર્દીઓ કે જેમના સાંધાઓને હાનિ પહોંચી છે તેઓને ટોટલ ની રિપ્લેસમેન્ટ અને ટોટલ હિપ રિપ્લેસમેન્ટઌ જેવી સર્જરીથી લાભ થઈ શકે છે.

ડૉ વિષ્ણુ શર્મા., કન્સલ્ટન્ટ રૂમેટોલોજિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate