অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લીવર ખરાબ થવા નાં લક્ષણ અને ઈલાજ

લીવર ખરાબ થવા નાં લક્ષણ અને ઈલાજ

લીવર ખરાબ થવાની આપણા આરોગ્ય ઉપર ખુબ જ ખરાબ અસર થાય છે. એક તો ખાવાનું પચશે નહી, તેનાથી ખોરાકનો પાચક રસ, લોહીમાં પરિવર્તન નહી થઇ શકે. આરોગ્ય સતત બગડતું જશે, અણગમો વ્યક્ત થશે, કોઈ કામમાં મન નહી લાગે, વધુ સમય સુધી જો આ સ્થિતિ રહી તો અલ્સર પણ થઇ જશે. આ સિવાય કમળો, હેપેટાઈટીસ બી, સી, વગેરે ભયાનક રોગો ઉત્પન થઇ શકે છે.
એટલા માટે હમેશા લીવરને ઠીક કરવાનો ઉપાય કરવો જોઈએ. લીવર ભોજન પચાવવા સિવાય શક્તિનો સંગ્રહ કરે છે, ઝેરીલા તત્વોને શરીરમાંથી બહાર કાઢે છે, પ્રતિકાર શક્તિ ને મજબુત કરવા સાથે જ અનેક જરૂરી રસાયણો ઉત્પન કરે છે.

લીવર ખરાબ થવાના લક્ષણો

  • લીવર ખરાબ થવાથી મોઢાના એનીમિયા વધુ રહે છે, જેનાથી મોઢામાંથી વાસ આવે છે.
  • ત્વચા ઈજાગ્રસ્ત થવા લાગે છે, ખાસ કરીને આંખની નીચેની ચામડીને સૌથી પહેલા અસર થાય છે. ત્વચા ઉપર થાક જોઈ શકાય છે. ત્વચાનો કલર ઉડી જાય છે અને ઘણી વખત તો સફેદ ડાઘા જોવા મળે છે, તેને લીવર સ્પોટ કહેવામાં આવે છે.
  • ઘણી વખત તો વસા જામી જાય છે તેનાથી પાણી પણ પચતું નથી.
  • મળ મૂત્ર હમેશા લીલું લીવર ખરાબ હોવાનું સંકેત છે. અરે આપણે ઘણી વખત તો સમજીએ લીવર ખરાબ નથી પરંતુ પાણીની ઉણપથી આવું થયું છે.
  • જો પોલીયાનો રોગ છે તો તેનો અર્થ છે કે લીવર માં ખરાબી આવી ગઈ છે.
  • લીવરમાંથી વહેતું એન્જાઈમ બાઈલ નો સ્વાદ કડવો હોય છે, જયારે મોઢામાં કડવાશ આવવા લાગે ત્યારે સમજી જવું જોઈએ કે લીવરમાં કઈક ખરાબી આવી ગઈ છે અને બાઈલ મોઢા સુધી આવી જાય છે.
  • પેટમાં સોજો આવવાનો અર્થ છે કે લીવર મોટું થઇ ગયું છે.

આજે અમે તમને એવો ઘરેલું નુસખો બતાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી તમારું લીવર એકદમ પહેલા જેવું જ થઇ જશે. આવો જાણીએ આ ચમત્કારી નુસ્ખા વિષે.

સામગ્રી :

  • એક મુઠી ફુદીના ના પાંદડા
  • ૧/૩ કપ લીંબુનો રસ
  • ૧/૨ કપ મોસંબીનો રસ
  • ૧ કપ પાણી
  • મધ (સ્વાદ માટે)

રીત :

  • પાણીને ઉકાળવા માટે આગ ઉપર મુકો.
  • જયારે પાણી ઉકળવા લાગે એટલે ફુદીનાના પાંદડા નાખીને ૫ મિનીટ સુધી ઉકાળો.
  • હવે આ મિશ્રણને ૧૦ મિનીટ સુધી ઠંડુ થવા દો.
  • હવે તેમાં લીંબુનો રસ, મોસંબીનો રસ અને મધ નાખીને મિક્ષ કરો અને તમારૂ પીણું તૈયાર છે.
  • આ પીણાના સેવનથી તમારું લીવર તંદુરસ્ત થઇ જશે. અને સાથે જ શરીરના બીજા રોગો પણ મટી જશે.

સ્ત્રોત : ફોરમસ્તી.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate