অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લૈંગિક પ્રસારણ સંક્રમણ

લૈંગિકતાથી પ્રસરતો ચેપ. તેને કામવાસનાથી/ અથવા ચેપી વ્યક્તિ સાથે થતી એક બિમારી છે. જે લૈંગિકતાના માધ્યમથી મનુષ્ય અથવા પ્રાણિઓની વચ્ચે પ્રસરવાની મહત્ત્વપુર્ણ સંભાવના રહે છે. યોની સંભોગ, મૌખિક લૈંગિકતા તથા ગુદા દ્વારા લૈંગિકતા સામેલ છે. લૈંગિક ચેપ પ્રસરાવનારી બિમારી હોય, તે ધનિષ્ટ વ્યક્તિઓના સંપર્કના માધ્યમથી ફેલાય છે. તીવ્રતાથી, પરિભાષા, લૈંગિક ચેપ પ્રસરાવ (STI) કહેવાય છે કે વ્યક્તિ સંક્રમિત હોય શકે છે, જે સંભાવિત બીજાઓને સંક્રમિત કરી શકે છે. બિમારીના લક્ષણો બતાવ્યા વગર કાંઇક STI સંક્રમિત વ્યક્તિ દ્વારા વપરાયેલ સોયનો વપરાશ કરતા અથવા બાળકને જન્મ આપતિ વખતે તથા સ્તનપાન દ્વારા પણ થાય છે. લૈંગિક પ્રસારણ સંક્રમણ (STI) એક તથા રોગ જન્ય દા.ત. વિષાણુ, જીવાણુ, પરોપજીવી અથવા ફુગથી થાય છે. લૈંગિક પ્રસાર સંક્રમણ એક દુ:ખદાયક, ચિડચિડ કરનાર, નબળુ કરનાર અને જીદગીભર ધાકમાં રાખનાર હોય શકે છે.

  • લૈંગિક પ્રસાર સંક્રમણ મોટે ભાગે લૈંગિક સંબંધોથી ફેલાઇ છે કારણકે વિષાણુ અથવા જીવાણુ વીર્યમાં, યોનીમાં રહેલ તરલ પદાર્થમાં અને રક્તમાં રહે છે.
  • લાળ (અથવા થુંક) ક્યારેક STI ફેલાવી શકે છે, જો તમારા મોઢામાં અથવા તેની આજુબાજુમાં છાલા પડયા હોય તો
  • સંક્રમિત મહિલાઓ આપણા બાળકને સંક્રમણ પ્રસારણ ગર્ભાવસ્થા દરમ્યાન અથવા બાળક્ના જન્મ સમય
  • ફક્ત hepatitis B શિવાય, કોઇપણ રસી STI ને રોકી શકતી નથી. તમને જો એક્વાર STI થાય તો તે વારંવાર થઈ શકે છે.
  • એક સમયે એક કરતા વધુ STI થઈ શકે છે. ઘણા STI ને આરામથી ઉપચાર કરી શકાય છે, પણ તે ખતરનાક થઈ શકે છે, જો તમે તેને દુર્લક્ષ કરશો તો. થોડાક STI માં જનનાંગ મસા, જનનાંગ નાગીણ, અથવા એચ.આય.વી આજે આનો કોઇ ઉપચાર નથી.
  • તમે જો ગુદા અથવા મુખ દ્વારા લૈંગિક સંબંધમાં નિરોધનો યોગ્ય રીતે ઉપયોગ કરશો નહી તો તમે યોનીના માધ્યમથી શરિરના તરલ પદાર્થ અને ચામડીને સંક્રમિત કરી શકો છો. ગુદા દ્વારા લૈંગિક સંબંધ વધુ જોખમ ભર્યુ હોય છે. કારણ મોટે ભાગે તેમાં રકતસ્ત્રાવ થાય છે. નશીલા પદાર્થ, કાન વિંધવા, છુંદણા છુંદવતા સોય તથા સીરીંજનો એકત્રિત ઉપયોગ વગેરે પણ તમારા તરલ પદાર્થોનું સંક્રમિત કરી શકે છે. કોઇ STI ગર્ભવતિ મહિલા દ્વારા જન્મ આપતા પહેલા બાળકને સંક્રમિત કરી શકે છે.
  • કોઇ વ્યક્તિમાં STI ના લક્ષણો દેખાતા નથી છતા તે ચેપ ફેલાવી શકે છે. મોટે ભાગે તમે કોઇને STI હશે તો કહી નહી શકો. લોકોને પોતાના સંક્રમણ વિશે માહિતી હોતી નથી અને માહિતીગાર હોવાની માહિતી હોય છે તો તેના વિષે ચર્ચા કરતા નથી. લૈંગિક સંક્રમણ ખુબ નાના, ખુબ મોટા, ખુબ શ્રીમંત અથવા ખુબ ગરીબ બધાયમાં પ્રસરી શકે છે. કેટલાક લોકોનું ખોટું માનવું છે કે STI નું પ્રસારણ લૈંગિક સંબંધો દ્વારા ફેલાય છે. કોઇક કિસ્સામાં ચેપ સંક્રમિત પુરૂષ અથવા સ્ત્રી સાથે અસુરક્ષિત લૈંગિક સંબંધ મુખ દ્વારા ફેલાઇ શકે છે. લૈંગિક ચેપ વીર્ય અને યોનીના માધ્યમથી તરલ પદાર્થ દ્વારા ફેલાઇ શકે છે. જો એક જોડીદાર સંક્રમિત છે અને બીજા જોડીદારના મોઢામાં ખુલ્લા છાલા પડયા હોય, જનેનદ્રીય તરલ પદાર્થ દ્વારા ચેપ ઘામાં પ્રસરી શકે છે.
  • જો કોઇ લૈંગિક ગતિવિધિમાં સક્રીય હોય તો તેને STI થઈ શકે છે. દરેક ઉમરના સ્ત્રી અને પુરૂષ, પ્રાંત, જાતિય પુર્વ ભુમિકા અને કોઇપણ આર્થિક સ્તરના લોકોને થઈ શકે છે. ચાર અમેરિકનમાંથી એક ૧૫ થી ૫૫ ની ઉમરના લોકોને લૈંગિક સંક્રમણ પ્રસરાવનાર(STI) પકડે છે, તેમ છતાં લૈંગિક પ્રસારણ સંક્રમણ એ કિશોર અને યુવાનમાં સામાન્ય છે. સાથે બે ત્રિતયાંશ લોકોમાં થનારા STI નો ચેપ જે ૨૫ થી ઓછા આયુમાં જોવામાં આવેલ છે. આનું કારણ જુવાનીયાઓ લૈંગિક સંબંધોમાં વધુ સક્રીય હોય તથા વધુ જોખમ લેતા હોય, અને ત્યારે કિશોરીના ગર્ભાશયમાં વધુ ચેપ લાગવાની સંભાવના Chlamydia and gonorrhea ની રહી છે. ૨૦ અથવા તેનાથી વધુ પ્રસરાવનાર ચેપની ઓળખ થઈ છે.
    વાસ્તવિક જીવન
    તમે પુરૂષ સ્ત્રી જો લૈંગિક સંબંધ કરશો નહી તો તમને લૈંગિકતાનું પ્રસરણ અથવા ગર્ભધારણ થશે નહી. 
    સત્ય/સચ્ચાઈ
    હા, તમે કરી શકો છો, પુર્ણ સંભોગ ન કરતા: તમે ફ્કત એક સંક્રમિત જોડીદારની સાથે લૈંગિક સંબંધમાં આવતા લૈંગિક સંક્રમણ પ્રસરાવનાર STI ને પકડી શકો છો. સંક્રમણનો શરીરના તરલ પદાર્થ અથવા મુખ દ્વારા લૈંગિક સંબંધથી પ્રસારણ થઈ શકે છે. તમને તથા તમારા સાથીને નિરોધનો ઉપયોગ કરી સુરક્ષિત રહો.

સર્વસામાન્ય એસ.ટી.આય

૨૦ થી વધુ જાણિતા લૈંગિક પ્રસારણ સંક્રમણ (એસ.ટી.આઇ) એમાંના કેટલાક લક્ષણો એવા છે કે તે ડૉક્ટરના ધ્યાનમાં તુરંત લાવવા જરૂરી છે. એક વ્યક્તિ બિમાર છે પણ તેના લક્ષણો ધ્યાનમાં આવતા નથી. માટે, તે એસ.ટી.આઇ નું પરીક્ષણ જરૂરી છે. જો તમે અસુરક્ષિત મૌખિક જનનાંગ અથવા ગુદા દ્વારા લૈંગિક સંબંધોમાં ભાગ લેતા હોય તો.

  • Gonorrhoea. આ જીવાણુ સંક્રમણ શરૂઆતમાં બારીક રીતે પહેલા યોની, શિશ્ન અને ગુદામાંથી થતા સ્ત્રાવમાં જણાય છે. તેમાં આના ચિન્હો દેખાતા નથી જો સંક્રમણનો ઉપચાર કરતા નથી તો વાંજીયા પણ, અથવા બીજી ગુંચવણ નિર્માણ થઈ શકે છે. Gonorrhoea નો ઉપચાર જીવાણુનાશક (antibiotics) દ્વારા કરી શકાય છે, બધા એસ.ટી.આઇ માં આ વારંવાર થતું જાણવામાં આવ્યુ છે. ઉપચાર ન કરો તો મહિલાઓને પેલવિક પાસે બળતરાની બિમારી થઈ શકે છે, જે વાંઝ્યુ બનાવી શકે છે.
  • Chlamydia. ક્લેમાઈડીયા ટ્રેકોમેંટીસ માટે એમ કહેવાય છે કે આ શાંત વ્યાપક રોગ છે કારણ કે સામાન્ય રીતે ઘણા લોકોને સંક્રમિત થવાની જાણ થતી નથી. ફ્કત ચારમાંથી એક વ્યક્તિને પિશાબ કરતી વખતે સ્ત્રાવ અથવા બળતરા થાય છે. ઑસ્ટ્રેલિયામાં આ એસ.ટી.આઇ સામાન્ય છે. આ વિષાણુની બિમારી એન્ટીબાયોટીક્સથી આરામથી સારી થાય છે, પણ જો ઉપચાર છોડી દયે તો તેના ગંભીર પરીણામ સ્વાસ્થય પર થઈ શકે છે. ક્યારેક તે શોધવું મુશ્કેલી ભર્યુ બને છે, કારણકે ૭૫% સંક્રમિત સ્ત્રીઓમાં અને ૨૫% સંક્રમિત પુરૂષોમાં કોઇ લક્ષણો દેખાતા નથી.
  • Syphilis Syphilis એ જીવાણું સંક્રમિત છે જે આરામથી ચુકી શકાય છે. પહેલુ લક્ષણ એ કે તેમાં દુ:ખ વગરના છાલા અથવા ફોલ્લા થાય છે અને તે પોતાની મેળે મટી જાય છે, પણ ૧૮ મહીના સુધી તે બીજાને ચેપ પ્રસરાવી શકે છે. સિફીલિશનો એન્ટીબાયોટિક દવાઓ દ્વારા ઉપચાર કરી શકાય છે. તેમજ જો ઉપચાર કરતા નથી, બિમારી કેટલાક વર્ષોમાં આપના શરીરમાં ફેલાશે અને અંગોનું ઘણુ નુકશાન થઈ શકે છે.
  • Trichomonas. ટ્રાઇકોમોનાસ યોની એક સુક્ષ્મ પરજીવી છે જે કદાચ પાણીનો સ્ત્રાવ તથા બળતરા માટે કારણભુત છે. તેના માટે ઉપચાર ઉપલબ્ધ છે.
  • Human papillomavirus (HPV). આ જીવાણુ જનનાંગના ભાગને સંક્રમિત કરે છે અને ત્યા જનનાંગ મસો (સોજો) તૈયાર કરી શકે છે. અમુક પ્રકારના વાયરસ ગર્દનના કેન્સરથી જોડાયેલા હોય છે. ગર્દનની smear ચકાસણી જો વહેલી કરવામાં આવે તો કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.
  • Genital herpes. આ વાયરસના કારણે આવંતક, જનનાંગ ક્ષેત્રમાં ધાવની અમુક અવધી પછી તે ફરી ફાટી નિકળે છે અને શરીરમાં આયુષ્યભર રહે છે. તેમ છતાં, અહી જંતુ વિરોધી ઉપચાર ઉપલબ્ધ છે, જે લક્ષણોનો કાળ નાનો કરે છે.
  • Hepatitis B and Hepatitis C. આ વાયરલ સંક્રમણ લૈંગિક સંબંધો દ્વારા પ્રસરે છે. Hepatitis B and Hepatitis C. પિત્તાશય (liver) ને ગંભીર રીતે નુકશાન પહોંચાડી શકે છે. interferon નો ઉપચાર ઉપલબ્ધ છે, પણ આ દવાઓની ઉપચારથી આડીઅસર થઈ શકે છે. એક રસી ઉપલબ્ધ છે, પણ ત્યાં કોઇ ઉપચાર નથી એને કારણે પિત્તાશયનું કેન્સર થઈ શકે છે.
  • Human Immunodeficiency Virus (એચ.આય.વી). એચ.આય.વી એ એડ્સની સાથે સંકળાયેલ છે. આ વાયરસ હુમલો કરી શ્વેત કણોનો નાશ કરે છે, જે રોગ પ્રતિકારક સાથે જોડાયેલ હોય છે. જેમ કોષની સંખ્યા ઓછી થતી જાય છે તેમ આપના શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી જાય છે. અંતે આનુ પરિણામ મૃત્યુ છે. યદ્યપિ તેનો કોઇ ઉપચાર નથી, જો જલ્દી શોધી કાઢીયે તો એન્ટીબૉયોટીક્સ દ્વારા ઉપચારની અનુમતિ મળે જે આયુષ્ય વધારવા માટે મદદ કરી શકે.
  • Thrush. આ એસ.ટી.આઇ એક ફુગ yeast ને કારણે થાય છે, Candida albicans તે તમારી ચામડીમાં, મોઢામાં અને પેટમાં નુક્શાન પહોંચાડ્યા વિના રહે છે, જનનાંગ ચેપ બળતરા અને ખજવાળથી થાય છે. જાડો સફેદ સ્ત્રાવ યોની અથવા અંદરની ચામડીમાંથી થાય છે તથા લૈંગિક સંબંધ દરમ્યાન દુ:ખે છે અને પાણી પસાર થતા અસ્વસ્થતા આવે છે. આ સંક્રમણનો ઉપચાર ક્રીમ દ્વારા અથવા યોનીમાં દવાની ગોળી મુક્વામાં આવે છે.
  • Herpes ચામડીથી ચામડીના સીધા સંપર્ક થતા ફેલાય છે. દા.ત.એસ.ટી.આઇ તમોને થંડીની પીડા કોલ્ડ સોર હોય અને તમે કોઇકને ચુંબન કરો તો તમારા મોઢામાંના જીવાણું બીજાના મોઢામાં મોકલશો. તમને સક્રીય જનનાંગ Herpes હશે અને તમે જો ગુદા અથવા યોની દ્વારા લૈંગિકતા ધારણ કરશો તો તમે તમારા ગુપ્તાંગ દ્વારા જીવાણું તમારા સાથીમાં પ્રસરાવશે. Herpes પણ લૈંગિક દ્વારા પ્રસરી શકે છે, જ્યારે કોઇ સ્પષ્ટ સંકેત અથવા લક્ષણ દેખાતા ન હોય Herpes હંમેશા જે લોકો પોતાના ચેપ વિશે અજાણ હોય અથવા તેઓ તે જાણતા નથી કે ચેપ સક્રીય ચરણમાં છે, ત્યારે તેમના દ્વારા તે ફેલાય છે.
સોથી સામાન્ય લૈંગિક સંક્રમણ પ્રસારણ ભારતમાં જોવામાં આવ્યુ તે Gonorrhea
Gonorrhea તે લૈંગિકતાથી પ્રસરાતો ચેપ મુખ્યત્વે ચિકણો અન્તરછાલ (અન્તરત્વચા) urogenital ના વિસ્તારમાં ગુદા માર્ગ અને ક્યારેક આંખોમાં અસર કરે છે. આ બિમારી gonococci ને લીધે genera of Neisseria ની માલિકીનું છે. અન્તરછાલમાંથી ચિકણો સ્ત્રાવ જે ચેપનું કારણ છે અને જીવાણુ તેને સીધા સંબંધોથી તથા મોટે ભાગે લૈંગિક સંબંધો દ્વારા તથા નવા બાળકને જન્મ આપતી જગ્યાથી પ્રસરાવે છે.

કારણો, ઘટના તથા જોખમી પરિબળ
આ ચેપ જ્યાં લોકો ગોનોરિયાથી સંક્રમિત થયેલ હોય છે ત્યા જોવામાં આવે છે. પુરૂષોની સરખામણીમાં આની અસર મહિલાઓને વારંવાર થાય છે (૪:૧), લૈંગિક સંબંધ ધરાવનાર કિશોરીમાં વધુ અસર જોવા મળે છે. માસિક સ્ત્રાવ અને ગર્ભાવસ્થામાં તેનું જોખમ વધી જાય છે. પહેલુ ચામડી પર ફોલ્લી આવવી અને વધુ સાંધા સામેલ હોય છે, પણ તેમા gonococci માં તરલ પદાર્થમાં તે સાબિત કરી શકાતુ નથી અને બીજો અસાધારણ gonococcemia ચેપ એક સાંધાવાળી જગ્યાએ પ્રસરાવે છે અને તે સાંધાના તરલ પદાર્થમાં જીવાણુ દેખાય છે. એક સંયુક્ત સંધિવામાં સામાન્ય રીતે gonococcal ચેપના પ્રસારણ પછી પ્રસરે છે. પ્રસારણ તાવ, ઠંડી લાગવી, સંયુકત સાંધાનો દુખાવો (arthralgia) અને ફોલ્લા સાથે જોડાયેલ છે. આને લીધે એક્લા સાંધામાં ચેપ પ્રસારણનો અંત આવે છે. સૌથી વધુ સાધારણ દુખાવો સાંધા, કોણી, ઘુંટણ અને કાંડામાં થાય છે.

પુરૂષોમાં
મોટે ભાગે પેશાબમાં પરૂ તથા બળતરા થવી તથા મુત્ર માર્ગ ઉપર સોજો આવવો. રેશાની બિમારી Fibrosis માં ક્યારેક અંતિમ ચરણમાં મુત્ર નળી નાની થતી જોવામાં આવે છે ત્યાં epididymis અને પુરૂષગ્રંથીનો પણ સમાવેશ થઈ શકે છે.

સ્ત્રીઓમાં
સંક્રમણ મુત્રમાર્ગ, યોની અને ગર્ભાશય માંથી પરનો સ્ત્રાવ થઈ શકે છે, તેમ છતા, સંક્રમિત મહિલામાં જોવામાં આવ્યુ છે કે તેણી જ્યા સુધી અંતિમ ચરણમાં જતી નથી ત્યાં સુધી બિમારીના લક્ષણ દેખાતા નથી જો ગર્ભાશયની (અંડવાહીની) નળી તેમાં શામેલ થાય છે. pelvic માં બળતરા થઈ શકે છે, Peritonitis અથવા peritoneum પર સોજો એ એક ગંભીર બિમારી છે. સંક્રમણનો ઉપચાર તુરંત કરી નિયત્રંણમાં લાવવુ જોઇએ કારણ કે તેને જો દુર્લક્ષ કરશો તો વાંજીયા પણુ અથવા મૃત્યુ થઈ શકે છે પણ એન્ટીબાયોટીક્સે તીવ્ર Peritonitis થી થતા મૃત્યુનો દર ઓછો થયો છે. એક અનુમાન મુજબ ૫૦,૦૦૦ થી ૮૦,૦૦૦ ની વચ્ચે મહિલાઓને ગોનોરિયાના જંતુરહિત દર વર્ષે કરવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપ scar tissue ની રચનાથી ગર્ભાશયની નલિકા બંધ થાય છે. વિષાણુ નવજાત શિશુની આંખોમાં પ્રસરે છે તો તેનું પરિણામ સ્વરૂપ અંધાપો થઈ શકે છે.

રોકવું
સુરક્ષિત યોન સંબંધની રોકથામ માટે પધ્ધતી નીચે જણાવેલ છે. એક સ્ત્રી\પુરૂષ બંને જે જાણિતા રોગોથી મુક્ત છે તેઓમાં લૈંગિક સંબંધ હોવા તે એક રોકથામ માટે આદર્શ છે. ગોનોરિયા અથવા બીજા STI ના ચેપથી સુરક્ષિત રહેવા માટે નિરોધનો ઉપયોગ ઉત્તમ છે. એક જાણિતા સંક્રમિત વ્યક્તિના બધા લૈંગિક સાથીમાં ચેપ ફરી ન ફેલાય તે માટે ઉપચાર જરૂરી છે.

લક્ષણો
જે સામાન્ય લક્ષણો છે

  • એકથી બીજા સાંધામાં ફરતુ દુખ ૧-૪ દિવસ (polyarthralgia).
  • એક સાંધામાં દુ:ખાવો
  • તાવ આવવો.
  • ચામડી પર ફોલ્લા થવા/નુક્શાન થવુ.
  • યોની અથવા મુત્ર નળીમાંથી સ્ત્રાવ.
  • પેશાબમાં બળતરા અથવા દુ:ખવુ.
  • પેટની નીચેના ભાગમાં દુ:ખવું.

સંકેત અને ચાચણી
નીચે જણાવેલ એક કે તેથી વધુ ચાચણીની ડૉક્ટર સલાહ આપી શકે છે

  • ગર્દન પર સકારાત્મક ચણા જેવો ડાઘ.
  • ગોનોરિયાના વિષાણું પુરૂષોમાં મુત્ર નળીકામાં.
  • ગોનોરિયાના વિષાણું સ્ત્રીઓમાં ગર્દનમાં.
  • ગોનોરિયાના વિષાણુ ગળામાં.
  • ગોનોરિયાના વિષાણુ સાંધામાં દાગ તથા પ્રવાહીમાં.

ઉપચાર
ચેપને જડમુળથી કાઢતા નથી ત્યાં સુધી લૈંગિક સંબંધોમાં સંયમ રાખવો. દર્દીઓને દર્દનાશક દવા તથા પથારીવશ રહેવા સુચવે છે. વિભિન્ન એન્ટીબાયોટીક્સ સુચવે છે.
ગુંચવણ
જો ઉપચાર લેશો નહી તો ગોનોરિયા નેતૃત્વ કરી શકે છે. સતત અસ્વસ્થ રહેવું, અન્ય ગોનોરિયાથી ગુંચવણ. ગોનોરિયાના રૂપમાં ફેલાયેલ (આખા શરીરમાં પ્રસરેલ) આથી તુરંત નિદાન અને ગોનોરિયાનો ઉપચાર જરૂરી છે.

એસ.ટી.આઇ થવાના કારણો

ત્રણમાંથી એક જાવતંત્રને કારણે યૌન સંબંધ દ્વારા સંક્રમણ થાય છે.

પેરેસાઇટસ: પેરેસાઇટસ એ ખુબજ નાનુ જીવાણું છે જે સંક્રમિત વ્યક્તિ માંથી પોષણ પ્રાપ્ત કરે છે. સંક્રમિત વ્યક્તિને યજમાન તરીકે ઓળખવામાં આવે છે, યૌન સંબંધો દ્વારા સંક્રમિત પેરેસાઈટને ઉદા. જુ અથવા કરચલા તરીકે પણ ઓળખાય છે.

બેકટેરિઆ: (જીવાણું) બેક્ટેરીઆ જાવાણું એક કોષમાંથી બને છે. તેઓ એક બીજાને ચિટકીને યજમાનના શરીરમાંથી ભોજન પ્રાપ્ત કરે છે. ગોનોરીઆ, સિફીલીસ, ક્લેમાઈડીયા અને કેનક્રોઈડ એ એક યૌન સંબંધી દ્વારા સંક્રમણના જાવાણુંઓનું ઉદાહરણ છે. 

વાયરસ: વાયરસ ના જટીલ કણ યજમાનના કોષમાં આક્રમણ કર્યા બાદ ગુણાકારમાં વધે છે. એચ.આય.વી., હર્પિસ, અને હેપેટાઇટીઝ એ યૌન સંબંધ દ્વારા સંક્રમણના ઉદાહરણ છે.

મોટે ભાગે વાયરસનો ચેપ મટાડી શકાતો નથી પણ કોઇ કારણોમાં તેને નિયંત્રિત કરી શકાય છે.

પેરેસિટીક સંક્રમણનો ઉપચાર દાવાઓ અથવા દુકાનમાં મળતી દવાઓથી કરી શકાય છે. તમોને તે થવાની સંભાવના વધુ હોય જો:

  • તમોએ અસુરક્ષિત લૈંગિક સંબંધ માણ્યા હોય.
  • સંભોગ કરતાના નિરોધ ફાટયુ હોય.
  • તમારા લૈંગિક સાથીને એસ.ટી.આય થયુ હોય.
  • તમારો સાથી બીજાઓ સાથે લૈંગિક સંબંધ માણતો હોય.

કોઇક કિસ્સામાં એચ.આય.વી અને હેપેટાયટીસ બી ની સાથે, વાયરસ સંક્રમિત રક્ત અથવા બીજાએ વાપરેલ સોય તથા સીરીંજ દ્વારા ફેલાય છે, તે સાથે શરીરમાં વિંધવાના તથા છુંદણા પાડવાની સોય દ્વારા ફેલાય શકે છે. ગર્ભવતી સ્ત્રીઓ દ્વારા કોઇ ચેપ ( જેવું કે એચ.આય.વી) વાળકના જન્મ પહેલા અથવા જન્મ સમયે, અથવા સ્તનપાન દ્વારા ફેલાય શકે છે, પ્રસુતી સમય હોર્મન્સની સપાટીમાં બદલાવને કારણે જનનેન્દ્રિયો HPV ને કારણે ઉપસી આવે છે.

એસ.ટી.આઇ ના લક્ષણો

ઘણીવાર ત્યાં કોઇ નિશાની અથવા લક્ષણો દેખાતા નથી, તમોને લાગતું હોય કે જેની સાથે તમોએ લૈંગિક સંબંધ માણ્યા છે તેને એસ.ટી.આય નો ચેપ લાગ્યો છે, તો તે ફક્ત ડૉક્ટરી ચકાસણી પછી જ ખાત્રી થઈ શકશે. કે તમોને ચેપ લાગ્યો છે કે નહી.

કારણકે એસ.ટી.આય કોઇને પણ અસર કરી શકે છે , તે મહત્ત્વનું છે કે તમારી અંદર અને બીજાઓમાં શું જાણયું છે, શરીરમાં જનનેન્દ્રિયા પાસેના ભાગમાં બદલાવ થશે જાગરૂક રહો. આ ચેતાવણી સંકેત હવે દેખા દે છે, અથવા તે અઠવાડીયાઓ કે મહીનાઓ સુધી દેખાતા નથી અથવા આવજા કરે છે, ભલે સંકેત અને લક્ષણો દેખાવાના બંધ થાય હોય તો પણ બિમારી સક્રિય હોય શકે છે. મોટે ભાગે એસ.ટી.આય તેની મેળે મટતુ નથી.

અહિં થોડા સંકેત અને લક્ષણો દર્શાવ્યા છે જેનાથી સમજાશે કે તમોને એસ.ટી.આય છે

  • અસામાન્ય રીતે યોની માંથી પાણી જવુ અથવા દુર્ગંધ આવવી.
  • સંભોગ દરમ્યાન યોનીની અંદરના ભાગમાં તથા પેલવિક (પેરના નીચેના ભાગમાં) દુખાવો થવો.
  • યોનીની આજુબાજુમાં ખજવાળ આવવી અથવા બળતરા થવી.
  • માસિક પાળી શિવાયના દિવસોમાં યોનીમાંથી રક્ત સ્ત્રાવ થવો.
  • તમારા લૈંગિક અંગો પાસે તથા મળાશયમાં, છાલા, સોજો આવવો તથા ફોલ્લા થવા.
  • પિશાબ કરતી વખતે દુખાવો તથા બળતરા થવી.
  • ગળામાં સોજો આવવે અથવા લાલ થવું.
  • લૈંગિક અમ્ગોની આજુબાજુમાં સોજો થવો.

સ્ત્રીઓ એસ.ટી.આય સંબંધિત ગુંચવાડો પ્રમાણની બાહર બોજો સહન કરે છે, તેની સાથે પેલવિકમાં બળતરા થવાની બિમારી વાંઝીયા પણુ, જીવલેણ ગર્ભધારણની સંભાવના તથા પ્રજાત્પાદકના કેન્સરની શક્યતા રહે છે. સ્ત્રીઓ જે ઉપચાર લેતી નથી, તેઓને પેલવિકમા બળતરાની બિમારી થાય છે અને તે ગંભીર ગર્ભધારણ સાથે સંકળાયેલુ રહે છે, તથા વાંજીયા પણુ થઈ શકે છે.

નિદાન

જો તમારા ડૉક્ટર ને શંકા હોય કે તમોને એસ.ટી.આય નું સંક્રમણ થઈ શકે છે, તો તે/તેણીએ પુછવુ જરૂરી છે કે તમોએ કેટલા યોન સાથી બનાવ્યા છે અને એમાંથી કોઇ એક ને એસ.ટી.આય. થયુ છે? 

તો, તમારા ડૉક્ટર તમારી તપાસ, જનનેન્દ્રિયોની ક્ષેત્રમાં ધ્યાન કેંદ્રિત કરશે. તે અથવા તેણી મહિલાઓના ગુદા ક્ષેત્રમાં તથા પેલવિકમા તપાસ કરશે. વધારામા, તમારા ડૉકટર પુરૂષોના શિશ્ન અને સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ સ્ત્રાવનો નમુનો લઈ શકે છે. નમુનો ચકાસણી માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. આ રિતના ઉપાયો કોઇપણ ઘા સાથે કરી શકાય છે. ભાગ્યેજ, તમારા ડૉક્ટર સોયનો ઉપયોગ કરી ઇન્દ્રિયોમાંથી નિફળતા પ્રવાહીનો નમુનો એક વિશિષ્ટ પ્રકારન્બા નિદાનની પુષ્ટી કરવા માટે લઈ શકે છે.

આપના ડૉક્ટર આપની શારિરીક ચકાસણીના પરિણામોના આધારે એક પ્રાંરભિક નિદાન કરી શકે છે. ઉદાહરણ તરીકે, દુ:ખદ આવુ જનનેન્દ્રિયોનું હર્પિઝ સુચવે છે, જ્યારે દુ:ખ રહિત અલસર સિફિલિસ હોવાના સંકેત આપે છે. આવી રીતે, તમો તમારા ચેપનો ઉપચાર જલ્દીમાં જલ્દી રીતે શરૂ કરી શકો છો, તે પ્રયોગશાળાના પરિણામો આવ્યા પહેલા પણ ઉપલબ્ધ છે.

અલગ અલગ ચકાસણી તમારા લક્ષણો ના આધાર પર કરવામાં આવે છે, જનનેન્દ્રિયોના હર્પિઝની બાબતમાં, તમો ને અલસર હશે તો નમુનો લઈ પ્રયોગશાળામાં ચકાસણી કરવામાં આવશે. જો તમારા લોહીમાં હર્પિઝ વાયરસની સામે બાહય રોગના જંતુઓનો સામનો કરનાર (ચેપ લગાડનાર પ્રોટીન) હશે તો રક્તની ચકાસણી પણ થઈ શકે છે. ગોનોરીયા અને ક્લેમાઈડીઆના ચેપની ચકાસણી માટે તમારા ડૉક્ટર યોની અથવા લિંગ માંથી પ્રવાહી પ્રયોગ શાળામા મોકલશે સિફિલીસ અને એચ.આય.વી ની ખાત્રી રક્ત તપાસ દ્વારા થઈ શકે છે. નિદાનની ખાત્રી કરવા માટે અલસરના પ્રવાહીને વિશેષ પ્રકારના ડાર્કફિલ્ડ માઇક્રોસ્કોપ દ્વારા તપાસી તેમા બેક્ટેરીયા છે કે નહી તેની ખાત્રી કરી શકાય છે. જો તમોને એક એસ.ટી.આય છે, તમારા ડૉક્ટર કદાચ સિફારીશ કરશે કે તમો એચ.આય.વી અને અન્ય એસ.ટી.આય ની ચકાસણી કરાવો, કારણ કે જોખમ સમાન છે, આ શિવાય તમોને થવાની સંભાવના વધુ છે જો તમે એક એસ.ટી.આય સંક્રમિત હોવતો.

લૈંગિક સક્રિય વ્યક્તિઓ, જે ખાસકરીને બહુવિધ સાથિઓ સાથે રાખે છે, તેઓ ને કુટુંબના ડૉક્ટર નિયમિત રીતે તપાસ કરાવવાની સિફારીશ કરે છે, કોઇ કિસ્સામાં, ત્યાં કોઇ એસ.ટી.આય ના સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી તે ફક્ત એસ.ટી.આય ના નિયમિત સ્ક્રિનીગ ચકાસણીમાં જ ઓળખી શકાય છે.

એસ.ટી.આય ની ચકાસણી ઘણી અલગ અલગ રીતે કરાય છે તમો જ્યારે ડૉકટર પાસે એસ.ટી.આય ની ચકાસણી માટે જશો ત્યારે તેઓ તમોને તમારા જોખમી વર્તન વિશે પ્રશ્નો પુછી શરૂઆત કરશે. આકારાળી કર્યા પછી તમોને ક્યા બિમારીનું જોખમ છે, તે પરિસ્થિતી મુજબ તમારી ચકાસણી કરશે કોઇપણ નવા ભાગીદાર સાથે અથવા બહુવિદ્ય ભાગીદાર સાથે સંબંધ હોય તો તેઓએ કલાયમેરીયા અથવા ગોનોરીઆની ચકાસણી કરાવી જોઇએ. પણ બીજા એસ.ટી.આય માટે ચકાસણી ડૉક્ટરની મુનસુફી પર કરવામાં આવે છે. સિફીલીસની ચકાસણી ઉદાહરણાર્થ ગર્ભવતી સ્ત્રીઓ અને થોડા જેલના કેદીઓ, પુરૂષ જે પુરૂષોની સાથે વધુ પડતા જોખમી લૈંગિક સંબંધો, તથા એસ.ટી.આય ના દર્દી સાથે સંબંધો રાખતા હોવતો તેઓની ચકાસણી કરવી જોઇએ. લક્ષણો ના અભાવને કારણે, તેમ છતા બીજા લોકો મોટે ભાગે સિફીલીસની તપાસણી કરાવતા નથી કારણ કે તેમા મોટી રીતે સકારાત્મકતાનું જોખમ રહે છે. તેમ છતા તમો જાણતા હોવ કે કોઇ વિશેષ બિમારી માટે તમોને જોખમ છે, બોલો, ખાતરી કરાવવા માટે તમારી ચકાસણી કરવી એ સૌથી સરલ રસ્તો છે. 

ચકાસણી એક રક્તના નમુના દ્વારા, મુત્રના નમૂના, યોની સ્ત્રાવ દ્વારા ગર્ભાશયના કોષ દ્વારા અને પુરૂષોના મૂત્રમાર્ગની કોશિકાના નમૂના દ્વારા કરવામાં આવે છે.

ઉપચાર

જીવાણું નાશકનો વપરાશ એસ.ટી.આઇના જીવાણું  જેવાકે ગોનોરીસા, સિફીલીસ, અથવા કેનક્રોઇડ ના ઉપચારમા કરી શકાય છે. ગોનોરીઆ વારંવાર જોવામાં આવ્યુ છે કે કેલમાઇડીઆની સાથે જ થાય છે, માટે ડૉક્ટરો મોટે ભાગે જીવાણું  નાશકની સલાહ આપે છે જેથી કરીને તે એક સાથે બંને ગોનોરીઆ અને ક્લેમાઇડીઆનો ઉપચાર કરી શકે.

એસ.ટી.આયસ વાઈરલ, જનનેન્દ્રિયોનુ હર્પીઝ, (HSV) માનવ પેપિલોમા વાયરસ (HPV વાયરસ) અને હ્યુમન ઇમ્યુનો ડેફીસિયન્સી વાયરસ એચ.આય.વી ગટાડી શકાતુ નથી, પણ લક્ષણો ને કાબૂમાં રાખી શકાય, વાઇરસ એસ.ટી.આઇની દવાની મદદથી દબાવી શકાય છે અને લક્ષણોનો ઉપચાર કરી શકાય છે પણ તે મટાડી શકાતુ નથી. 

ફંગલ (દા.ત. યોનીમા યીસ્ટ ચેપ) અને પેરેસાઇટીક (દા.ત. ટ્રીકોમોનીયાસિસ) એસ.ટી.આઇએન્ટી ફંગલ અને એન્ટીહેલ્માઇનથેટીક દ્વારા મટાડી શકાય છે, ક્રમશ વહેલુ નિદાન અને ઉપચાર શારા થવાની સંભાવના વધારે છે.

એસ.ટી.આઇનો ઉપચાર ચેપ ઉપર નિર્ભર કરે છે. એમોક્સીસિલીન નું એક રાસાયણિક સંયોગ (અથવા એમ્પીસીલીન) જે ટેટ્રાસાઇક્લીન દ્વારા અનુસરે છે જે અધુરા ગોનોકોકલ સંક્રમણ ના ઉપચાર માટે સુચવે છે. ગોનોરીઆ અને ક્લેમાઇડીઆની બાબતમાં તમારા ડૉક્ટર કદાચ મુખ દ્વારા જતુંનાશક દાવો સુચવી શકે છે. જેવી કે એઝીથ્રોમાઇસીન, (ઝીથ્રોમેક્સ) અથવા ઑફલાએક્સીન (ફ્લોક્સીન) અથવ જંતુનાશક ઇન્જેક્શન જે સીક્ટ્રાઝોન (રોસફીન) ના નામે ઓળખાય છે. ને મુખદ્વારા ડોક્સીસાયક્લીન અનુસરે છે.

જનનેન્દ્રિયો હરપિઝનો ચેપ જીવનભર રહે છે અને તે મટતુ નથી તેમ છતાં, ચામડી ઉપર ફોલ્લો લાંબો સમય રહે તો નથી. તમને જ્યારે જ્યારે જનનેન્દ્રિયા હરપિઝના લક્ષણો દેખાય કે તરત મૌખિક એન્ટી વાઇરસ દવાનો ઉપચાર કરાવશો તો જો તમોને વારંવાર હુમલા થતા હોય તો તમો તમારા ડૉક્ટર પાસે એન્ટીવાયરસ દવાનુ પ્રિસક્રીપશન માગી શકો છો. જેમ કે એસીક્લોવીર ( ઝોવિરેક્સ), ફેમસીક્લોવીર (ફેમવીર) અથવા વેલ્સીક્લોવીર (વેલટ્રેક્સ) તો તે તમારી પાસે હશે જ્યારે તેની તમોને જરૂરત હશે. જે લોકોને વારંવાર જનનેન્દ્રિયા હરપિઝની ગાંભીર ઘટનાના હુમલા થતા હોય તેઓમાં એન્ટીવાયરલ દવા રોજ લેવાથી ૮૦% ફરક પડે છે.

સિફિલીસમ્ના મોટે ભાગે પેનેસિલિનના ઇન્જેક્શન દ્વારા ઉપચાર કરવામાં આવે છે. જનનેન્દ્રિય મસો ઠંડી પ્રક્રિયા (Freezing) દ્વારા કાઢવામાં આવે છે અથવા મસાને ઓગાળવા માટે મલમ લગાડવામાં આવે છે.

ગર્ભાવસ્થા દરમ્યાન એસ.ટી.આયનો ઉપચાર
ઘણા એસ.ટી.આઇનો ગર્ભાવસ્થા દરમ્યાન ઉપચાર કરી શકાય છે. આ બિમારીનો ઉપચાર કરવો ખુબજ મહત્ત્વપૂર્ણ છે કારણકે એસ.ટી.આઇઓરી (નાળ) ના માધ્યમથી ગર્ભાશ્યમાં રહેલ બાળકને ચેપ લગાડી શકે છે. હજુ બીજી બિમારી જેમકે એચ.આય.વી સ્તનપાન દ્વારા પ્રસરી શકે છે. હર્પિઝ પ્રસુતિ શકે છે. હર્પિઝ વાળી સ્ત્રીઓ ને જીવાણું નાશક ગોળી ઉપચાર માટે આપવામાં આવે છે અને જરૂર લાગે તો સિઝરીયન કરી જન્મ આપે છે. ગોનોરિઆનો ઉપચાર જીવાણું  નાશક દવાથી કરવામાં આવે છે. સામાન્ય એસ.ટી.આઇને કારણે કસુવાવડ સમય પહેલા સુવાવડ અને બાળકનો જો ઉપચાર ન કર્યો હોય તો તેન્બે સંધાપો થઈ શકે છે. કલેમાથડીઆ નો જો ઇલાજ જીવાણું  નાશક દવાથી કરવામાં આવે છે. જો તેનો ઉપચાર કરવામાં ન આવે તો તેને લીધે કસુવાવડ અથવા સમય પહેલા સુવાવડ થઈ શકે છે, અને તેને કારણે બાળકને આંખમા ચેપ તથા ન્યુમોનિયા થઈ શકે છે, સિફીલીઝનો ઉપચાર ગર્ભાવસ્થા દરમ્યાન દવા દ્વારા થઈ શકે છે, અને તે અજન્મયા બાળક સુધી સહેલાઇથી પહોંચાડી શકાય છે તેને કારણે ભયાનક ચેપ અજન્મયા બાળકને અને સમય કરતા પહેલા જન્મેળ બાળકને લાગી શકે છે. ઉપચાર ન કરેલ મહીળાના બાળકને ઘણા અંગોમા સમસ્યા નિર્માણ થાય છે જે મગજ, આંખ, કાન અને બીજા ઘણા અંગોમા સમસ્યા થાય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન બીજા સાધારણ એસ.ટી.આઇજનનેન્દ્રિય મસાની સાથે હેપેટાયટીસ બી નો પણ સમાવેશ થાય છે. જનનેન્દ્રિયા મસાની ઉપચાર પ્રસુતિ પછી કરી શકાતો નથી કારણ ગર્ભાવસ્થામાં હોર્મોન્સ ને લીધે મસો મોટો થવાની સંભાવના રહે છે, જો મસો મોટો હોય તો સિઝરીયન સુવાવડ કરવી જરૂરી છે, આ પરિસ્થિતીમાં બાળક જો જન્મશે તો તેને ભયંકર આંખમાં ચેપ તેમજ ન્યુમોનિયા થઈ છે, આનો ગર્ભાવસ્થા દરમ્યાન જીવાણું  નાશક દવાથી ઉપચાર થઈ શકે છે. હેપેટાઇટીસ બી ઓર (નાળ) ના માધ્યમથી પ્રસરી શકે છે, આજે બિમારીની જલ્દી શોધ માટે ઘણી બધી રીત ઉપલબ્ધ છે અને આ બિમારીથી લોકોને દુર રાખવા માટે ઘણી બધી પણ છે બાળકને જો તે ખુલ્લુ થતુ હોય તો તેને ’એન્ટીબૉડી’ આપી ચેપથી દુર રાખી શકાય છે.

એસ.ટી.આય ને રોકવું

સંયમ અને લૈંગિક સાથીદારોની સંખ્યામાં ઘટાડો
એસ.ટી.આઇસંક્રમણથી બચવા માટે સૌથી વિશ્વાસુ પાત્ર માર્ગ લૈંગિકતાથી દુર રહેવુ (એટલે કે મૌખિક, યોની અને ગુદ. લૈંગિક સંબંધ) અથવા લાંબા સમય માટે ચેપ ન લાગ્યો હોય એવા એક સાથી સાથે સંબંધ રાખવો. એસ.ટી.આઇનો ઉપચાર લેનારાઓને લૈંગિક સંબંધોથી દુર રહેવા માટે (અથવા તેનો સાથીદાર ઉપચાર લેતો હોય) પરામર્શ દ્વારા પ્રોત્સાહીત કરવું. અને જેને લૈંગિકતાના પરિણામોને ટાળવા હોય જેવાકે (દા.ત. એસ.ટી.આય/ એડ્સ અને ઇચ્છા વગર ગર્ભાવસ્થા).

સંપર્ક થતા પહેલા
સંપર્ક થતા પહેલા રસિકરણ એ એસ.ટી.આઇસંક્રમણ ને રોકવા માટે સૌથી વધુ પ્રભાવી રીત માંની એક છે. દા.ત. કારણકે HBV સંક્રમણ એ હંમેશા લૈંગિકતાથી પ્રસરે છે, હેપેટાઇટીઝ બી રસી એ બધાજ રસી ન લીધેલાઓ માટે, જેઓને ચેપ લાગ્યો નથી અને એસ.ટી.આઇમાટે મુલ્યાંકન કરવામાં આવે છે તેઓ માટે ભલામણ કરે છે. વધારામાં હેપેટાઇટીઝ એ ની રસી ને અધિકૃત છે. પુરૂષ પુરૂષ ની વચ્ચે લૈંગિક સંબંધ ઘરાવનારાઓ તથા માદક દ્રવ્યો ( દા.ત. ઇન્જેકશન દ્વારા અથવા મુખદ્વારા) નો વાપર કરનારાને તેની ભલામણ કરવામાં આવે છે. ક્વોડ્રીવેલંન્ટ રસીની વિરૂધ્ધ માનવ પેપિલોમા વાયરસ એ હવે ઉપલબ્ધ છે અને ૯-૨૬ વર્ષની સ્ત્રીઓ માટે અધિકૃત છે. 

પુરૂષ નિરોધ
જ્યારે સતત અને યોગ્ય રીતે વાપર કરો તો, પુરૂષ લાટેક્સી નિરોધ લૈંગિક પ્રસારણ એચ.આય.વી નો ચેપ અને બીજા એસ.ટી.આઇની સાથે ક્લેમેડીઆ, ગોનોરીઆ અને ટ્રાઇકોમોનીઆસીસ નું જોખમ ઘટાવડા ખુબજ અસરકારક છે. HPV સાથે સંકળાયેલ બિમારી (દા.ત. જનનેંન્દ્રિય મસો અને સર્વાઇકલ કેન્સર) અનેHPV ની સાથે જોડાયેલ રોગની ઉંઘી અસર ઘટાડે છે, કારણકે તેનો વપરાશ જે સર્વાઇકલ ઇન્ટ્રાએફીથેલીએલ નીઓપ્લાઝીયા (CIN)ને સારી રીતે ઘટાડે છે અને સ્ત્રીઓમાં થતુ HPV નો રોગ ઘટાડે છે. જે પુરૂષોમાં HPV સાથે જોડાયેલ પેનાઇલ ભેસીન ને ઓછુ કરે છે. લૈંગિક સક્રિય કૉલેજ મહિલા સમુદાયની તાજેતર માં અપેક્ષિત અધ્યયન જણાવે છે. કે નિયમિત નિરોધના વાપરથી HPV પ્રસારણનું જોખમ ૭૦% ઘટ્યું છે. 

નિરોધની નિષ્ફળતા એસ.ટી.આઇપ્રસારણ અથવા વિના ઇચ્છા ગર્ભધારણ મોટેવાળો નિરોધના ફાટવા કરતા તેનો સતત વાપર ન કરવો અથવા ખોટી રીતે વપરાશ છે. દર્દીને એસ.ટી.આઇરોકવા માટે નિરોધનો યોગ્ય વાપર વિશે શીખવવું જોઇએ. પુરૂષ નિરોધનો યોગ્ય ઉપયોગ નીચે સુચવવામાં આવ્યું છે:

  • પ્રત્યેક લૈંગિક કૃતીમા નવુનિરોધ વાપરો (જેમકે મુખ, યોની અને ગુદા).
  • નિરોધનું નુકશાન અટકાવવા માટે નખ, સાંત અને અન્ય તીક્ષ્ણ વસ્તુથી આવચેતી વર્તવી.
  • લિંગ કડક થયા પછી અને કોઇપણ જનનેન્દ્રિય, મૌખિક અને ગુદા દ્વારા તમારા સાથીદાર સાથે સંપર્કમાં આવતા પહેલા નોરોધ ચઢાવો.
  • પાણીપર આધારીત ઊંજણની સાથે લેટ્ક્સ નિરોધ ફક્ત વાપરો.
  • યોની અને ગુદાદ્વારા લૈંગિક સંબંધ માણતા નિશ્ચિત જરૂર પુરતુ જાજવું (ચીકણું) જેને માટે કદાચ શરીર બહારની પાણીપર આધારીત ઊંજણની જરૂરત પડે.
  • નિરોધ લપસના અટકાવવા માટે, નિરોધને બહાર કાઢતી વખતે લિંગના નીચેના ભાગમાંથી વ્યવસ્થિત પકડો, અને બહાર કાઢતી વખતે લિંગ કડક હોવું જરૂરી.

સ્ત્રી નિરોધ
પ્રયોગશાળાનું અધ્યયન એમ સુચવે છે કે સ્ત્રી નિરોધ, જે ચીકણૂ પ્લાસ્ટીકનું ચુસ્ત આવરણ ગોળાકારમાં હોય છે તે યોનીમાં મુકવામાં આવે છે. જે જીવાણું  એચ.આય.વી ની સાથે વીર્ય માટે પ્રભાવશાળી તાંત્રિક અવરોધ નિર્માણ કરે છે. નૈદાનિક અધ્યયન સીમિત સંખ્યામાં એચ.આય.વી સાથે એસ.ટી.આઇથી સુરક્ષા પુરી પાડવા માટે સ્ત્રી નિરોધનું પરિણામ ભાવનાના ગુણ નું મુલ્યાંકન કર્યું છે. જો સતત અને યોગ્ય રીતે વાપરવામાં આવે, સ્ત્રી નિરોધ ઘણા એસ.ટી.આયના જોખમને ઓછુ કરી શકે છે. જ્યારે એક પુરૂષ નિરોધનો ઉપયોગ વ્યવસ્થિત કરતો નથી, લૈંગિક જોડી દ્વારે સ્ત્રી નિરોધનો વાપર કરવાનો વિચાર જરવો જોઇએ. સ્ત્રી નિરોધ પુરૂષ નિરોધની તુલનામાં મોઘા છે, ગ્રહણશીળ ગુદા લૈંગિક સંબંધ વખતે એસ.ટી.આઇ/ એડ્સ થી રક્ષણ મેળવવા માટે સ્ત્રી નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે.

યોની શુક્રાણુંનાશક અને સંતતિનિરોધ
યોનીમાંના શુક્રાણુંનાશક nonoxynol-9 (N-9) ગોનોરીઆ, કાલમાડીઆ, અથવા એચ.આય.વી સંક્રમણ (૨૪) રોકવા માટે પ્રભાવશાળી નથી આ શિવાય (N9) શુક્રાણું નાશકો નો સતત ઉપયોગ જનનાંગ કોશો છુટા પાડે છે, જે એચ.આય.વી સંક્રમણ માટે મોટુ જોખમ જોડાયેલ છે અને તેને વધારી શકે છે. માટે (N9) એસ.ટી.આય/એચ.આય.વી ને રોકવા માટે સુચવવામાં આવતુ નથી. કેસ- કંટ્રોલ અને કૉસ સેક્શનલ અધ્યયનમાં ડાયફેમ (નિરોધ) નો ઉપયોગ ગોનોરીઆ, કાલમાયડીઆ અને ટ્રાઇકો મોનીઆસીસ થી રક્ષા પહોંચાડે છે, એક નિયંત્રણ પરિક્ષણ ના હેતુ થી તેનુ આયોજન કરવામાં આવશે. બધાજ માટે ફક્ત ડાયફ્રેમ (નિરોધ) અને શુક્રાણુ નાશક પદાર્થના વાપરથી સ્ત્રીઓ ને પેશાબ નલિકામાં ચેપ લાગવાની સંભાવના રહે છે.

નિરોધ અને N-9 યોની શુક્રાણું નાશકો
લુબ્રીકંન્ટ નિરોધની સાથે શુક્રાણું નાશક જેવા બીજા કોઇ લુબ્રીકંન્ટ નિરોધ એસ.ટી.આઇઅને એચ.આય.વી ના સંક્રમણ ને રોકવા માટે અસરકારક નથી. એસ.ટી.આય/એચ.આય.વી ને રોકવા માટે N-9 લુબ્રીકેટેડ ની સાથેના નિરોધનો વાપર સલાહકારક નથી કારણકે, શુક્રાણું નાશકો સાથેના નિરોધ મોંધા છે, બીજા લુબ્રીકેટેડ નિરોધ લાંબો સમય સંધરી શકાતુ નથી, અને યુવાન સ્ત્રીઓ ને મૂત્ર માર્ગ પર ચેપ સાથે જોડાયેલ છે.

N-9 શુક્રાણુ નાશકોનો વાપર ગુદા દ્વારા
તાજેતરમાં થયેલ અધ્યયન એમ સૂચવે છે કે યોની સંભોગ દરમ્યાન એચ.આય.વી સંક્રમણનુ જોખમ વધી શકે છે. તેમ છતાં આના જેવા અધ્યયન પુરૂષોમાં થયા નથી તે બતાવે છે કે જેઓએ N-9 શુક્રાણું નાશકનો બીજા પુરૂષો સાથે લૈંગિક સંબંધ રાખતી વળતે ઉપયોગ કર્યો હોય તો N-9 ગુદામાના કોષો ને નુક્શાન પહોંચાડશે અને જે કદાચ એચ.આય.વીના portal ના પ્રવેશ અને બીજા લૈંગિક સંબંધ પ્રસારનારાને આપશે માટે N-9 નો માઇક્રોબાઇસાઇડ અથવા લુબ્રીકેન્ટના રૂપમાં ગુદા સંભોગ દરમ્યાન ઉપયોગ ન કરવો.

અવરોધ વગરનું ગર્ભનિરોધ, શસ્ત્રવૈદ્યક જંતુ રહિત, અને ગર્ભાશય વિચ્છેદન
લૈંગિક સંબંધોમાં સક્રિય સ્ત્રીઓ જેઓને ગર્ભાવસ્થામા જોખમ નથી તેઓ ખોટી રીતે સમજશે કે તેઓને એસ.ટી.આઇનું કોઇ જોખમ નથી. ગર્ભનિરોધક પધ્ધતીઓ જે યાંત્રિક અવરોધ નથી કરતા તેઓ એચ.આય.વી અથવા બીજા એસ.ટી.આઇની સામે સુરક્ષા કરતા નથી. સ્ત્રીઓ જેઓ હોર્મોનલ ગર્ભનિરોધક (જેમકે મુખ દ્વારા ગર્ભનિરોધક) જે ટ્રાયુટેરીન ડીવાઇસમા લે છે (IUD) જે શસ્ત્ર વેદક જંતુ રહિત લે છે, અને એસ.ટી.આઇની સાથે એચ.આય.વી ના જોખમ વિશે પરામર્શ કરવું.

સંકટ સમયે ગર્ભનિરોધક (EC)
સંકટ સમયે મુખ દ્વારા વાપરવામાં આવની ગોળીની અંદર levonorgesterol છે જે એકલુ અસુરક્ષિત સંભોગ પછી વાપરતા ૮૯% ગર્ભાવસ્થાના જોખમ ને ઓછુ કરે છે. જોગવાઇ કરનાર એસ.ટી.આઇના જોખમ વિશે પરામર્શ કરવું, વિકલ્પ તરીકે કાળજી જેતા (EC) ની, જો સુચવનાર, વચ્છીત સ્ત્રીને સમય સર તેની જોગવાઇ કરે તો.

એસ.ટી.આય થી કેવી રીતે બચશો?

પ્રેમમાં સાવધ રહો

સાવધાની પૂર્વક વર્તો
લૈંગિક્ના ઉત્તમ ક્યારે લાગશે જ્યારે તમો લૈંગિક સંક્રમણ એસ.ટી.આઇમાટે ચિંતિત ન હો. અસુરક્ષિત લૈંગિક સંબંધ તમને અને તમારા સાથીને એસ.ટી.આઇના જોખમમાં નાખી શકે છે. તમને અને તમારા સાથીને સુરક્ષિત રાખો. તો તમો હળવા અને નજીક હોવાનુ અનુભવશો. જો તમો લૈંગિક સંબંધ માણવાનું નક્કી કરો છો, તો નિરોધ સાથે હોવાની ખાત્રી કરીલો.

આ તમારી સાથે થઈ શકે છે

બધાજ સમાજમાં, લૈંગિક પ્રસરણ (સંક્રમણ એસ.ટી.આય) બધાજ સંક્રમણોમાં સૌથી સામાન્ય છે. ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રમા ત્રણ જીવાણું એસ.ટી.આઇ- ગોનોરીઆ, ક્લેમાયડીઅલ, અને સીફીલીશ જેવા સૌથી સામાન્ય ચેપ જોવામાં આવ્યા છે. જે પોપ્યુલેશન સર્વિસ ઇન્ટરનેશનલ દ્વારા ચાલતા ’દિશા’ યોજના દ્વારા જોવામાં આવ્યુ છે. 

કોઇપણ એક એસ.ટી.આઇને એક માત્ર સમસ્યા તરીકે માનવામાં નથી આપતુ કારણકે અનેક સંક્રમણો સામાન્ય હોય છે અને કારણકે એક એસ.ટી.આઇની હાજરી વધુ જોખમી વર્તનને સુચવે છે જે વારંવાર બીજા ઘણા ગંભીર ચેપો સાથે સંકળાયેલા છે.

જે મોટા ભાગના લોકોને ખબર નથી
તમોને જેને પ્રેમ કરો છો તેને એસ.ટી.આય. થઈ શકે છે. લાખો લોકોને એસ.ટી.આઇછે- મોટા ભાગના લોકોને ખબર નથી કે તેઓ બીમાર છે. અને તેઓ હજુ પણ અવ્યોને એસ.ટી.આઇઆપી શકે છે. જો તમોએ અસુરક્ષિત લૈંગિક સંબંધ માણ્યા હશે અને તમોને કદાચ એસ.ટી.આઇથયુ હોય અને તમોને તે જાણના નથી. જો તમોને લાગતુ હોય કે તમોને એસ.ટી.આઇછે, તો ત્યાં ફક્ત એકજ વસ્તુ કરવા જેવી છે. જાસો ચકાસણી કરાવો.

એસ.ટી.આઇસ્ત્રીઓને બાળકો થવા દેતુ નથી
એસ.ટી.આઇસ્ત્રીઓને ઊંડાણ સુધી સંક્રમિત કરે છે. તેઓ સ્ત્રીઓના શરીરને એટલુ નુકશાન પહોંચાડે છે કે તેનાથી તેણીને બાળકો થઈ શકતા નથી. ઘણી સ્ત્રીઓને એસ.ટી.આઇથયાની જાણ હોતી નથી. ત્યાં સુધી ઘણુ મોડુ થઈ જાય છે.

 

લૈંગિક સંબંધ માણવા માટે રાહ જોવી યોગ્ય રહેશ
ખાત્રી પૂર્વક કોઇપણ એસ.ટી.આઇને રોકવુ હોય તો લૈંગિક સંબંધ માણવા નહી. ત્યાં પ્રેમ દર્શાવવા લૈંગિકના શિવાય બીજા ઘણા માર્ગો છે. ચુંબન, બોલવાથી અને સ્પર્શ કરવાથી આંનદ અનુભવશો અને તેમા જોખમ નથી. જો ત્યાં લિંગ, યોની, મોઢુ અને ગુદાની વચ્ચે કોઇ સંપર્ક હશે નહિ તો તમો એસ.ટી.આઇનહી ફેલાવી શકો.

યોગ્યરીતે નિરોધનો વાપર
પુરૂષ નિરોધ
નિરોધ ને ઠંડા અને સુકા વાતાવરણમાં રાખો. ક્યારેય ત્વચા લોશન બાળકોનું તેલ, વેસિલીન, અથવા કોલ્ડ ક્રીમનો વાપર નિરોધની સાથે ન કરવો. આ ઉત્પાદનમાં તેલના વપરાશને કારણે નિરોધ ફાટશે. તમો પાણી માથી બનાવેલ ઉત્પાદનોનો વાપર કરી શકો છો (જેમકે કે વાઇ જેલી અથવા ગ્લીસીરીન) કોઇ પણ પ્રકારના લૈંગિક સંબંધ માણતા પહેલા નવા નિરોધનિ વાપર કરો. ટોચ પરથી નિરોધને પકડી દવાઓ અને અંદરથી હવા બહાર કાઢો. કડક લિંગ ઉપર ચઢાવો. લૈંગિક સંબંધ માણો. નિરોધને પકડો જેથી તે લિંગ માથી બહાર ન આવે. ધીમેથી બહાર કાઢો.

સ્ત્રી નિરોધ
સ્ત્રી નિરોધ એક સ્ત્રીની યોનીમાં સુસંગત થાય છે. તેના દરેક છેવાડે નરમ ગોળાકાર હોય છે. બહારનો ગોળાકાર યોનીની બહાર રહે છે અને તે ઓષ્ઠય ને આવરે છે. અંદરનો ગોળાકાર યોનીની અંદર નિરોધને સુસંગત કરે છે. લૈંગિક સંબંધ માણતા પહેલા કોઇપણ સમયે નિરોધ અંદર મુકો. નિરોધની અંદર પાણીમાંથી બનાવેલ ચિકણા પદાર્થનો વાપર કરો. નિરોધની અંદરના ગોળાકારને દવાઓ, જ્યાં સુધી યોનીમાં જાય ત્યાં સુધી અંદરના ગોળાકાર ને દબાવો. લિંગને નિરોધના જવા માટે માર્ગદર્શન કરો. લૈંગિક સંબંધ માણ્યા પછી ઉભા થતા પહેલા નિરોધને બહાર કાઢો. ધીમેથી બહાર ખેચી કાઢો.

જો તમો લૈંગિક સંબંધ માણવો હોય તો નિરોધ વાપરો
તમો જો યોગ્ય સમયે યોગ્ય રીતે લાટેક્સ નિરોધ વાપરશો તો તેમના બંનેની રક્ષા કરવામાં મદદ મળશે, નિરોધનો ઉપયોગ કોઇપણ પ્રકારના લૈંગિક સંબંધ માટે કરો- યોની, મુખ અથવા ગુદા.

જો તમોએ લૈંગિક સંબંધ માણયા હોય તો એસ.ટી.આઇની ચકાસણી કરાવો
વર્ષમાં એકવાર ચકાસણી કરાવવી એ મહત્ત્વનું છે, જો તમો સારૂ અનુભવના હોવ તો પણ જો તમોને દર્શાવેલ લક્ષણો જણાય તો તુરંત ડૉકટરની ક્લિનિક્મા અથવા ડફ્તરમાં જાવ: પિશાબ કરતી વખતે દુ:ખવુ: એક વિચિત્ર પ્રકારના પ્રવાહીનો યોની અથવા લિંગ માંથી સ્ત્રાવ થયો અને સ્ત્ય્રીઓ ને માસિક સમયની વચ્ચે રકતસ્ત્રાવ થવો.

મોટા ભાગના એસ.ટી.આઇનો ઉપચાર થઈ શકે છે
જો તમોને એસ.ટી.આઇહોય તો

  • તમારા સાથીદાર ને પણ ચકાસણી કરવા જણાવો.
  • તમને સારૂ જણાનુ હોય તો પણ બધી જ દવાઓ લો.
  • ક્યારેય બીજી વ્યક્તિની દવા લેશો નહી અથવા બીજાને તમારી દવા આપશો નહી.
  • જ્યાં સુધી તમારો અને ભાગીદારનો ઉપચાર થાય નહીં ત્યાં સુધી લૈંગિક સંબંધ માણસો નહી.

સ્ત્રોત: આરોગ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate