অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન

  1. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પહેલા જાણવા જેવી જરૂરી માહિતીઓ
    1. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું?
    2. કિડની બેસાડવાની જરૂર ક્યારે ના પડે?
    3. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ની જરૂર ક્યારે પડે ?
    4. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન શા માટે જરૂરી છે ?
    5. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ફાયદા ક્યાં ક્યાં છે ?સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ફાયદા નીચે મુજબ છે :
    6. કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ક્યાં ગેરફાયદા છે ?
    7. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ક્યારે સલાહભર્યુ નથી ?
    8. કઈ ઉમરે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવુ હિતાવહ છે ?
    9. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કિડની ક્યાથી મળી શકે ?
    10. કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં કોની કિડની પસંદ કરવા માં આવે છે ?
    11. કોણ કિડની આપી શકે છે ?
    12. કિડની દાતાને કિડની આપ્યા બાદ તકલીફ પડે ખરી ?
    13. પરસ્પર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું ?
    14. વહેલાસર નું (pre-emptive) કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું ?
    15. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ઓપેરેશન પહેલાની દર્દીની તપાસ :
  2. કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપેરશનની માહિતી
    1. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ઓપેરેશનમાં શું કરવામાં આવે છે ?
  3. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ જાણવી જરૂરી માહિતીઓ
    1. દવા દ્વારા સારવાર અને કિડની રીજેકશન
    2. કિડની રીજેકશન એટલે શું ?
    3. કિડની રીજેકશન ક્યારે થઈ શકે અને તેને કારણે શું તકલીફ થાય ?
    4. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ઈમ્યુંનોસ્પ્રેસંત દવા ક્યાં સુધી લેવી જરૂરી છે ?
    5. ટ્રાન્સપ્લાન્ટેડ કિડની જો સંપૂર્ણ બગડી જાય તો શું કરી શકાય ?
    6. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ અન્ય કોઈ દવા લેવાની જરૂર પડે છે ?
  4. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદની સૂચનાઓ :
    1. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દીઓને આપવામાં આવતી અગત્યની સૂચનાઓ નીચે મુજબ છે
    2. ચેપ ના લાગે તે માટે જરૂરી સુચનાઓ :
    3. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ડોક્ટર નો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો?
    4. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન નો અલ્પ ઉપયોગ :
  5. કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન
    1. કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું ?
    2. કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન શા માટે જરૂરી છે?
    3. કેડેવર કિડનીટ્રાન્સપ્લાન્ટેશન
    4. “બ્રેઈન ડેથ – મગજ મૃત્યુ” એટલે શું?
    5. “બ્રેઈન ડેથ” અને “બેભાન” હોવા વચ્ચે શું તફાવત છે ?
    6. શું કોઈ પણ વ્યક્તિ મૃત્યુ બાદ કિડનીનું દાન કરી શકે છે ?
    7. બ્રેઈન ડેથ થવાના કારણો ક્યાં છે ?
    8. બ્રેઈન ડેથ નિદાન ક્યારે , કોણ અને કઈ રીતે કરે છે ?
    9. દાતાને ક્યાં પ્રકારની તકલીફ હોય તો કેડેવર કિડની સ્વીકારી શકાતી નથી ?
    10. કેડેવર દાતા ક્યાં અંગોના દાન દ્વારા અન્ય દર્દીઓને નવું જીવન આપી શકે છે ?
    11. કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના આયોજનમાં કઈ વ્યક્તિઓ નો સમાવેશ થાય છે ?
    12. કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન કઈ રીતે કરવામાં આવે છે ? કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે અગત્યના મુદ્દાઓ નીચે મુજબ છે :
    13. કેડેવર કિડનીનું દાન આપનારને શું ફાયદો મળે?
    14. કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા ક્યાં સ્થળોએ ઉપલબ્ધ છે ?

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે તબીબી વિજ્ઞાનની પ્રગતિ છે.ક્રોનિક કિડની ફેલ્યરના અંતિમ તબક્કાની સારવારનો આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દીનું જીવન અન્ય સામાન્ય વ્યક્તિ જેટલું સ્વસ્થ , રાબેતા મુજબનું થઇ શકે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન વિશેની ચર્ચા આપણે ચાર ભાગમાં કરીશું :

  1. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પહેલા જાણવા જેવી માહિતીઓ.
  2. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ની ઓપરેશનની માહિતી.
  3. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ જાણવા જેવી જરૂરી માહિતીઓ.
  4. કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પહેલા જાણવા જેવી જરૂરી માહિતીઓ

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું?

ક્રોનિક કિડની ફેલ્યર હોય તેવી વ્યક્તિમાં,અન્ય વ્યક્તિ(જીવિત અથવા મૃત)માંથી મેળવેલી,એક તંદુરસ્ત કિડની મુકવાના ઓપરેશન ને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કહે છે.

કિડની બેસાડવાની જરૂર ક્યારે ના પડે?

કોઈ વ્યક્તીની બેમાંથી એકજ કિડની બગડી ગઈ હોય તો શરીર માટે જરૂરી બધુ કામએકકિડનીની મદદથી ચાલી શકે છે.એક્યુટ કિડની ફેલ્યરમાં દવા(અને કેટલીક વખત ડાયાલિસિસ)ની સારવાર થી  કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની શોધ કિડની ફેલ્યરના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે

કિડની ફરી સંપુર્ણપણે હમેશા માટે કાર્ય કરતી થઇ જાય છે. આવા દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડતી નથી.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ની જરૂર ક્યારે પડે ?

ક્રોનિક કિડની ફેલ્યર ના દર્દી જયારે વધૂ કિડની બગડવાથી એન્ડ સ્ટેજ કિડની ફેલ્યર ના તબક્કે પહોચે(કિડની ૮૫% કરતા વધુ બગડી જાય) ત્યારે નવી કિડની બેસાડવાની અથવા નિયમિત ડાયાલિસિસ કરાવવાની જરૂર પડે છે

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન શા માટે જરૂરી છે ?

જયારે કિડની સંપૂર્ણરીતે કે મહદઅંશે કામ કરતી બંધ થઇ જાય ત્યારે ડાયાલિસિસ અને દવાથી દર્દીને રાહત મળે છે પણ કાયમી સુધારો થઇ શકતો નથી.સફળતાપૂર્વક કરવામાં આવેલું કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે ઉત્તમ કક્ષાના જીવન માટેનો એકમાત્ર સંપૂર્ણ અને અસરકારક ઉપાય છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ફાયદા ક્યાં ક્યાં છે ?સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ફાયદા નીચે મુજબ છે :

  1. જીવન ની ઉચ્ચ ગુણવતા,દર્દી અન્ય સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી શકે છે,રોજિંદુ કામ કરી શકે છે.
  2. ડાયાલિસિસ ના બંધન થી મુક્તિ મળે છે.
  3. ખોરાક માં ઓછી પરેજી રાખવી પડે છે.
  4. ડાયાલિસિસ ની સરખામણી માં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ના દર્દીઓ લાંબુ જીવે છે.
  5. દર્દી શારીરિક રીતે સક્ષમ અને માનસિક રીતે સ્વસ્થ રહે છે.
  6. પુરુષોમાં જાતીય સમાગમને લગતા પ્રશ્નો રહેતા નથી,તો સ્ત્રીદર્દી બાળકને જન્મ પણ આપી શકે છે.
  7. પહેલા વર્ષ બાદ સારવારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઇ જાય છે.
  8. સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે ક્રોનિક કિડની ફેલ્યરની અંતિમ તબક્કાની સારવાર નો શ્રેષ્ઠ વિકલ્પ છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ક્યાં ગેરફાયદા છે ?

  1. મોટા ઓપરેશનની જરૂર પડે છે,પરંતુ તે સંપૂર્ણ સલામત હોય છે.
  2. રીજેક્સન નું જોખમ:- ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની મોટા ભાગ ના દર્દીઓમાં યોગ્ય રીતે કામ કરે, પરંતુ બધા જ દર્દીઓમાં કિડની સફળતા પૂર્વક કામ કરશે તેની સંપૂર્ણ ખાત્રી આપી શકાય નહી. તબીબી વિજ્ઞાન ના વિકાસ સાથે રીજેક્સન અને ચેપ ની સારવાર માટે વધુ સારી દવાઓ ની ઉપલબ્ધી સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ ના પરિણામ માં પહેલા કરતા સુધારો થયો છે. મોટા ભાગે સફળતા મળવા છતાં ,થોડા દર્દીઓમાં કિડની ફરીથી બગડવાની શક્યતા રહે છે.
  3. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ચોકસાઈપુર્વક રોજ દવા લેવાની જરૂર પડે છે.આ દવા ખુબજ મોંઘી હોય છે.અને તે ટૂંકા ગાળા માટે બંધ થાય તોપણ નવી મુકેલી કિડની ફેઈલ થઇ શકે છે.
  4. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ચેપ,દવાની આડ અસર વગેરે તકલીફોનું જોખમ નોંધપાત્ર રહે છે.
  5. માનસિક તણાવ :- કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ના ઓપરેશન ની સફળતા અને સંપૂર્ણ કામ કરતી ટ્રાન્સપ્લાન્ટેડકિડનીબગડી જવાનું જોખમ આ બધાપ્રશ્નો ને કારણે ટ્રાન્સપ્લાન્ટેશન પહેલા અને બાદ દર્દીઓમાં માનસિક તણાવ રહે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ક્યારે સલાહભર્યુ નથી ?

દર્દીની મોટી ઉમર હોય, ઍડ્સ, કૅન્સર, ગંભીર પ્રકાર નો ચેપ કે માનસિક રોગો હોઈ કે ગંભીર હૃદય રૉગ થયેલો હોય તેવા સંજોગોમા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જરૂરી હોવા છતા કરવામાં આવતું નથી.આપણા દેશમા બાળકોમા ખૂબ ઓછા પ્રમાણમા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.

કઈ ઉમરે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવુ હિતાવહ છે ?

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવા માટે દર્દીની કોઈ ચોક્કસ ઉમર હોતી નથી.પરંતુ દર્દીની ઉમર ૧૮ થી૫૫ સુધી હોઈ તેવુ સલાહ ભર્યુ હોઈ છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કિડની ક્યાથી મળી શકે ?

સામાન્ય રીતે ૧૮ થી ૫૫ વર્ષના દાતા પાસેથી કિડની મેળવવામાં આવે છે.પુરુષ સ્ત્રીને કે સ્ત્રી પુરુષને કિડની આપી શકે છે.જોડિયા ભાઈ-બહેન કિડની દાતા તરીકે આદર્શ ગણાય પરંતુ આવા દાતા મેળવવાનું જ્વલેજ શક્ય બને છે. તેથી દર્દી ના માતા પિતા કે ભાઈ-બહેન ને સામાન્યરીતે દાતા તરીકે પસંદ કરવામાં આવે છે. આ દાતા પાસે થી કિડની મળી શકે તેમન હોય તો જેની સાથે લોહી નો સબંધ છે એવા કાકા, માસી, કેફઈ ની કિડની મેળવી શકાય આ શક્ય ન હોય તો પતિ કે પત્ની ની કિડની માફક આવ શેકેન હિતેની શક્યતાત પાસી શકાય. વિકસિત દેશોમાં કુટુંબમાં થી કિડની મળી શકેતેમ તેમ ન હોય તે વાસં જોગોમાં “બ્રેઈનડેથ” થયેલ હોય તેવી વ્યક્તિ ની કિડની (કેડેવર) ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં કોની કિડની પસંદ કરવા માં આવે છે ?

કિડની ફેલ્યરના દર્દી ને કોઈ પણ વ્યક્તિની કિડની માફક આવે તેવું નથી.સહુ પ્રથમ કિડની મેળવનાર(દર્દી) બ્લડગ્રૂપને ધ્યાનમાં લઇ ક્યાં ગ્રુપ ધરાવનાર વ્યક્તિઓ તેને માટે કિડની દાતા બની શકે તે નક્કી કરવામાં આવે છે.

કિડની દાતા (આપનાર) અને કિડની મેળવનાર ના બ્લડગ્રૂપ માં સામ્યહોવું જોઈએ.આ ઉપરાંત બનેના લોહીમાંના શ્વેતકણોમાં આવેલા પદાર્થો એચ.એલ.એ.(Human Leucocytes Antigen - HLA) માં સામ્યતાનું પ્રમાણ વધુ હોવું જોઈએ.HLA નું સમય ટીસ્યુ ટાઈપીંગ નામની તપાસથી જાણી શકાય છે.

સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કુટુંબીજનો માંથી મેળવેલી કિડની શ્રેષ્ઠ પુરવાર થઇ શકે છે.

કોણ કિડની આપી શકે છે ?

કિડનીદાતા એ કિડની આપ્યા પહેલા સામાન્યરી તે બધી લોહી ની અનેમા નસીકત પાસ કરાવીલી વે જોઈ એકે કિડની આપવી તેમના શરીર માટે યોગ્ય છે કે નહી જે વ્યક્તિ ને ડાયાબીટીસ, બી.પી. વધુહોવું, કિડની નો રોગો, કેન્સર, એઇડ્સ (HIV) કે અન્ય કોઈ બીમારી કે માનસિક બીમારી હોય તેવા વ્યક્તિઓ કિડની દાતા બની શકતા નથી.

કિડની દાતાને કિડની આપ્યા બાદ તકલીફ પડે ખરી ?

કિડની કાઢતા પહેલા દાતાની શારીરિક તપાસ કરી ખાતરી કરવામાં આવે છે કે તની બંને કિડની તંદુરસ્ત છે અને એક કિડની આપવાથી તેને કોઈ તકલીફ પડશે નહિ.એક કિડની આપી દીધા પછી દાતાને સામાન્ય રીતે કોઈ પ્રકાર ની તકલીફ પડતી નથી.તે પોતાની બધી જીવનચર્યા રાબેતા મુજબ ચલાવી શકે છે.ઓપેરશન પછી પુરતો આરામ કાર્ય બાદ તે જરૂરી પરિશ્રમ પણ કરી શકે છે,તેના વૈવાહિક જીવનમાં પણ કઈ વાંધો આવતો નથી.તેની બીજી કિડની બને કિડનીનું બધું કામ સાંભળી લે છે.

પરસ્પર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું ?

કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન અથવા ડાયાલિસિસ કરતા જીવિત કિડની દાતા ટ્રાન્સપ્લાન્ટેશન માં વધુ ફાયદાઓ જોવા મળે છે. એન્ડસ્ટેજ કિડની હેલ્પરના કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવા ઈચ્છતા કેટલાક દર્દીઓ ને કિડની આપવા દાતા ઉપલબ્ધ હોય છે. પરંતુ બ્લડગ્રુપ મેચ ન થવાને કારણે ટ્રાન્સપ્લાન્ટેશન શક્ય બનતું નથી.

પરસસ્પર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન (કિડની દાતાની કિડની એક્બીજા કુટુંબમાં બદલો કરી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવું) તે કુટુંબમાંથી દાતા નું મેચ થાય તેવું યોગ્ય બ્લડગ્રુપ ઉપલબ્ધ ન હોય ત્યારે કરવામાં આવે છે. આ પ્રકાર ના કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માં બે કે તેના થી વધુ કુટુંબ ના દાતા ઓ પોતા ના કુટુંબજન સિવાય ના દર્દી ને કિડની દાન કરી અન્ય કુટુંબ માંથી યોગ્ય કિડની પોતાના સ્વજન માટે મેળવે છે. આ રીતે કુટુંબમાં કિડની લાગુ ન પડતી હોય ત્યારે બે કુટુંબ ને યોગ્ય કિડની મળી શકે છે અને સફળતા પૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થઇ શકે છે.

પહેલા કુટુંબ ના દર્દીને બીજા કુટુંબ ના દાતા થી કિડની લાગુ પડતી હોય અને બીજા કુટુંબના દર્દી માટે પહેલા કુટુંબના દાતાની કિડની યોગ્ય હોય ત્યારે અરસપરસ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.

વહેલાસર નું (pre-emptive) કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું ?

સામાન્ય રીતે બન્ને કિડની સંપૂર્ણ બગડી જાય ત્યારે પહેલા ડાયાલિસિસ દ્વારા સારવાર શરુ કરવામાં આવે છે. અને પછી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે સલાહ આપવામાં આવે છે. પરંતુ જો કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ડાયાલિસિસ ની જરૂર પડે તે પહેલાના જ તબક્કામાં કરવામાં આવે તો તેને વહેલાસર (pre-emptive) કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય છે. જે દર્દી ઓમાં શક્ય હોય તેવા દર્દીઓ માટે આ પ્રકાર નું કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સારવાર નો સૌથી શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવે છે. ડાયાલિસિસ બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ની સરખામણી માં આ પ્રકાર ના કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ના મુખ્ય ફાયદાઓ ઓછોખર્ચ, ઓછુ જોખમ, ડાયાલિસિસની હાલાકી થી બચાવ અને કિડની બદલ્યા બાદ નવી કિડની ની વધુ લાંબી અને સારી કાર્યક્ષમતા રહે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ઓપેરેશન પહેલાની દર્દીની તપાસ :

ઓપેરેશનપહેલાકિડની ફેલ્યરના દર્દીની અનેક પ્રકારની શારીરિક તપાસ કરવામાં આવે છે.આ તપાસનો હેતુ દર્દીને ઓપેરશનમાં વિઘ્નરૂપ થાય તેવા રોગ નથી અને તેનું શરીર ઓપેરશન માટે તૈયાર છે તેની ખાતરી કરવાનો હોય છે.

કિડની દાન સલામત છે અને સી.કે.ડી ના દર્દી ની જીવનદાન આપે છે

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપેરશનની માહિતી

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ઓપેરેશનમાં શું કરવામાં આવે છે ?

  • ઓપરેશન પહેલા કિડની ફેલ્યર ના દર્દીની અનેક પ્રકાર ની શારીરિક તપાસ કરવામાં આવે છે. આ તપાસ નો હેતુ દર્દીને ઓપરેશન માં મુશકેલી ઉભીકરે તેવા કોઈ રોગ નથી અને તેનું શરીર ઓપરેશન માટે તૈયાર છે. તેની ખાત્રી કરવાનો હોય છે.
  • આગળ જણાવ્યું તેમ બ્લડગ્રૂપ મેળવી (HLA) સામ્યતાનું પ્રમાણ સંતોષકારક છે તેની ખાતરી કરી ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવે છે.
  • ઓપરેશન પહેલા દર્દીના સગાની તથા દાતાની સમંતિ મેળવવામાં આવે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપેરશન એક ટીમવર્ક છે.યુરોલોજીસ્ટ(કિડની સર્જન),નેફ્રોલોજીસ્ટ (કિડનીના ફીઝીશ્યન), પેથોલોજીસ્ટ અને અન્ય તાલીમ પામેલા મદદ્નીશોના સંયુક્ત પ્રયાસથી આ ઓપરેશન થાય છે.
  • દર્દી અને દાતા નું ઓપરેશન સાથે સાથે જ થાય છે.
  • ઓપરેશન સામાન્ય રીતે ત્રણ થી ચાર કલાક ચાલે છે જે જનરલ એનેસસ્થેસીયા આપી ને કરવામાં આવે છે.
  • દાતાના શરીરમાંથી ઓપરેશન દ્વારા કિડની કાઢી લઇ તેને ખાસ પ્રકારના ઠંડા પ્રવાહીથી સંપૂર્ણ રીતે સાફ કરી દર્દીના પેટમાં આગળની બાજુએ નીચેના ભાગમાં (પેડુમાં) બેસાડવામાં આવે છે.
  • સામાન્ય રીતે દર્દીની બગડી ગયેલી કિડની કાઢી નાખવામાં આવતી નથી સિવાય કે તેનાથી શરીરને નુકશાન પહોચે તેમ હોય.
  • જયારે કિડની જીવિત દાતા પાસે થી મેળવવામાં આવે છે ત્યારે કિડની બદલવાનું ઓપરેશન પૂરું થાય પછી તરત કિડની કાર્યરત થઇ જાય છે. પરંતુ કેડેવર દાતામાંથી મેળવેલ કિડની ને કાર્યરત થતા દિવસો થી થોડા અઠવાડિયા નો સમય લાગી શકે છે. કિડની મેળવનાર દર્દીએ જ્યાં સુધી ટ્રાન્સપ્લાન્ટેડ કિડની કાર્યરત થાય ત્યા સુધી નિયમિત ડાયાલિસિસ કરાવવું જરૂરી હોય છે.
  • ઓપરેશન બાદની કાળજી અને સારવારનું કાર્ય નેફ્રોજીસ્ટ સંભાળે છે.
  • કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં જૂની કિડની યથાવત રાખી નવી કિડની પેટમાં આગળ તરફ નીચેના ભાગમાં મુકવામાં આવે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ જાણવી જરૂરી માહિતીઓ

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ સંભાવિત જોખમોમાં રીજેક્શન,ચેપ,દવાની આડઅસર અને ઓપરેશન સંબંધિત જોખમોનો સમાવેશ થાય છે. ટ્રાન્સપ્લાન્ટેશન બાદ મુખ્ય સુચનો જે ધ્યાન માં રાખવા જરૂરી છે.

  1. ટ્રાન્સપ્લાન્ટેડ (નવી) કિડની યોગ્ય કાર્ય કરે તે માટે દવા દ્વારા સારવાર.
  2. નવી કિડની ની કાળજી માટે સામાન્ય સૂચનો.
  3. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ચેપ ન લાગે તેની કાળજી.

દવા દ્વારા સારવાર અને કિડની રીજેકશન

સામાન્ય રીતે અન્ય ઓપરેશનો બાદ દર્દીએ માત્ર ૭ થી ૧૦ દિવસ જદવા લેવી પડે છે.બીજા ઓપરેશનની જેમ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન સફળ થઇ જાય એટલે કામ પતી જતું નથી.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ કિડની રીજેકશન અટકાવવા હમેશા માટે , આજીવન દવા લેવી અને યોગ્ય કાળજી રાખવી જરૂરી છે.

કિડની રીજેકશન એટલે શું ?

આપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ એ પ્રકારની હોય છે કે એ શરીર બહાર ના અન્ય જીવાણું જેમ કે બેક્ટેરિયા અથવા વાઇરસ જે શરીર ને હાની પહોચાડી શકે તેનો નાશ કરે છે.

દર્દીના લોહીમાંના શ્વેતકણોમાંના રોગ પ્રતિકારક પદાર્થો આ નવી બેસાડેલી કિડનીને શરીરની બહારની – પારકી ગણી તેની સામે લડી તેને નકામી બનાવી દે તેવી શક્યતા રહે છે,જેને તબીબી ભાષામાં કિડની રીજેકશન કહેવામાં આવે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદના મુખ્ય જોખમો કિડની રીજેકશન, ચેપ અને દવાની આડ અસર છે.

કિડની રીજેકશન ક્યારે થઈ શકે અને તેને કારણે શું તકલીફ થાય ?

કિડની રીજેકશન ટ્રાન્સપ્લાન્ટેશન ના ઓપરેશન બાદ ગમે ત્યારે થઈ શકે પરંતુ પહેલા છ મહીના માં થવાની શક્યતા વધુ હોય છે. કિડની રીજેકશનની તીવ્રતા દરેક દર્દીમાં અલગ અલગ હોય છે કિડની રીજેકશન નો પ્રશ્ન હળવો હોય ત્યારે લોહી ની તપાસ માં ક્રિએટીનીન નો વધારો થોડો જોવા મળે છે. જયારે અતિભારે રીજેકશન ને કારણે નવી કિડની સંપૂર્ણ બગડી જાય તેવું પણ બની શકે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ઈમ્યુંનોસ્પ્રેસંત દવા ક્યાં સુધી લેવી જરૂરી છે ?

  • ખુબજ મોંઘી એવી આ દવાઓ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ હમેશા માટે – આજીવન લેવાની હોય છે.
  • શરૂઆતમાં દવાનો ડોઝ (તેમજ ખર્ચ પણ) વધારે હોય છે,જેમાં સમય સાથે ધીમે ધીમે ઘટાડો થાય છે.

ટ્રાન્સપ્લાન્ટેડ કિડની જો સંપૂર્ણ બગડી જાય તો શું કરી શકાય ?

જયારે ટ્રાન્સપ્લાન્ટેડ કિડની સંપૂર્ણ બગડી જાય ત્યારે ફરી ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું અથવા ડાયાલિસિસ કરાવવું સારવારના આ બે વિકલ્પો રહે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ અન્ય કોઈ દવા લેવાની જરૂર પડે છે ?

હા,જરૂરીયાત મુજબ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દીઓ દ્વારા લેવામાં આવતી અન્ય દવાઓમાં બ્લડપ્રેશરની દવાઓ,કેલ્શિયમ,વિટામિન્સ,એન્ટીબાયોટીક્સ,વગેરે નો સમાવેશ થાય છે,અન્ય બીમારી માટે દવા લેવાની જરૂર પડે તો નવા ડોક્ટરને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનકરાવેલ છે અને હાલ માં લેવામાં આવતી દવા વિશે માહિતગાર કરવા જરૂરી છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદની સૂચનાઓ :

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દીઓને આપવામાં આવતી અગત્યની સૂચનાઓ નીચે મુજબ છે

  • સુચના મુજબ નિયમિત દવા લેવી અત્યંત આવશ્યક છે.અનિયમિત સારવારને કારણે નવી કિડની ગુમાવવી પડે.
  • શરૂઆતના તબક્કા માં દર્દીએ બ્લડપ્રેશર,પેશાબનું પ્રમાણ અને વજન નિયમિત રીતે ડાયરી માં નોંધ રાખવી.
  • સલાહ મુજબ નિયમિત રીતે લેબોરેટરી તપાસ કરાવવી અને નેફ્રોલોજીસ્ટ ને જ તબિયત બતાવવી.
  • લોહી-પેશાબની તપાસ વિશ્વાસપાત્ર લેબોરેટરી માંજ કરાવવી.રીપોર્ટ
  • કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદની સફળતા માટે સાવચેતી અને નિયમિતતા અત્યંત જરૂરી છે.
  • ખરાબ આવે તો લેબોરેટરી બદલવાને બદલે નેફ્રોલોજીસ્ટને વહેલાસર બતાવવામાં શાણપણ રહેલુછે.
  • તાત્કાલિક સારવાર માટે તમારી બીમારી થી પરીચીત ન હોય એવા ડોક્ટર ને બતાવવું જરૂરી હોય ત્યારે તેમને તમારા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અને તે માટે ચાલતી દવા અંગે માહિતગાર કરવા.
  • કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ખોરાક માં ખાસ પરેજી રાખવી નથી પડતી. પરંતુ હંમેશા સમતોલ આહાર લેવો, નિયમિત સમયસરખોરાક લેવાનો અને પ્રોટીન વાળો ખોરાક લેવો જોઈએ. આ ઉપરાંત મીઠું, ખાંડમ, અને ચરબી યુક્ત ખોરાક ઓછો લેવો જોઈએ. રોજ ૩ લિટર કરતા વધુ પાણી લેવું જોઈએ.
  • સિગરેટ,બીડી,દારૂનોસેવનનકરવુ
  • નિયમિત કસરત કરવી અને વજન પર નિયંત્રણ રાખવો.
  • તાવ,પેટમાં માં દુખાવો,પેશાબમાં ઘટાડો,એક એક વજનમાં વધારો કે અન્ય કોઈ નોંધપાત્ર તકલીફ થાયતો તરતજ નેફ્રોલોજીસ્ટનો સંપર્ક કરવો.

ચેપ ના લાગે તે માટે જરૂરી સુચનાઓ :

  • શરૂઆતના તબક્કામાં ચેપના લાગે તે માટે સ્વચ્છ જંતુરહિત માસ્ક પહેરવાની સુચના આપવામાં આવે છે.જે રોજ બદલવો જરૂરી છે.
  • રોજ સ્વચ્છ પાણીથી સ્નાન કરી,તડકામાં સુક્વેલો કે ઈસ્ત્રી કરેલ સ્વચ્છ પોષક પહેરવો.
  • ઘરમાં સ્વચ્છતા જાળવવી.
  • હંમેશા જમતા પહેલા, દવા લેતા પહેલા અને બાથરૂમ/સંડાસ ગયા પછી વ્યવસ્થિત સાબુ થી હાથ ધોવા જરૂરી હોય છે.
  • દિવસ માં બે વખત બ્રસકરી દાંત ચોખા રાખવા.
  • શરીર માં ક્યાય પણ ઈજા થઇ હોય કે છોલાઈ ગયું હોય તો બેદરકારી ન રાખવી અને તુરંત સ્વચ્છ ડ્રેસિંગ કરવું.
  • બીમાર વ્યક્તિથી દૂર રહેવું,પ્રદુષણવાળી, ભીડવાળી જગ્યા,મેળા વગેરેમાં ના જવું.
  • ટ્રાન્સપ્લાન્ટેડ કિડની ની સલામતી માટે કોઈ પણ નવી બિમારી માટે ડૉક્ટર નો તુરંત સંપર્ક કરવો
  • હમેશા ઉકાળીને ઠરેલું પાણી,ગાળ્યા બાદ પીવું.
  • બહારનો ખોરાક ના લેવો.
  • હમેશા ઘરમાં રાંધેલો ખોરાક સ્વચ્છ વાસણમાં લેવો.
  • ખોરાક અંગેની સૂચનાઓનું ચુસ્તપણે પલાન કરવું.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ડોક્ટર નો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો?

  • નીચે મુજબ ની તકલીફ થાય ત્યારે ટ્રાન્સપ્લાન્ટેશન ના દર્દીઓ એ ડોક્ટર નો સંપર્ક તાત્કાલિક કરવો :-
  • જયારે તાવ ૧૦૦ ડીગ્રી કરતા વધુ હોય અને ઠંડી લાગે, કળતર થાય અથવા માથું દુખે.
  • ટ્રાન્સપ્લાન્ટેડ કિડની ની જગ્યા ની ચામડી પાસે લાલાશ થવી અથવા દુઃખાવો થવો.
  • પેશાબ નું પ્રમાણ ઘટી જવું કે સોજા ચડવા. અથવા વજન માં ઝડપી વધારો થવો (દરરોજ નો ૧ કિગ્રા. વધવો કે વધુ)
  • પેશાબ માં લોહી પડવું કે બળતરા થવી.
  • ઉધરસ, શ્વાસ ની તકલીફ, જાળા કે ઉલ્ટી થવા.
  • અન્ય કોઈ નવા ચિંતાજનક ચિન્હો જોવા મળવા.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન નો અલ્પ ઉપયોગ :

કિડની ફેલ્યરના બધા દર્દીઓ શા માટે ટ્રાન્સપ્લાન્ટેશન કરાવી શકતા નથી ?

એન્ડ સ્ટેજ કિડની ડીસીઝ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અસરકારક અને ઉતમ પ્રકાર ની સારવાર છે.

એન્ડ સ્ટેજ કિડની ડીસીઝ ના ઘણા દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માંગતા પણ હોય છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અસરકારક અને ઉતમ પ્રકારની સારવાર હોવા છતાં બધા દર્દીઓ તે કરાવી શકતા નથી તેના ત્રણ મુખ્ય કારણો છે:

કિડની ઉપલબ્ધ ના થાય :કિડની બદલવા માંગતા બધા દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટેશન માટેકુટુંબમાંથી માફક આવે તેવી કિડની કે કેડેવર કિડની મળી શક્તી નથી.

ટ્રાન્સપ્લાન્ટેડ કિડની બગડી જાય ત્યારે સારવાર ના બે વિકલ્પો ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે.

ખર્ચાળ સારવાર : કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ખર્ચાળ સારવાર છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પહેલા, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન દરમ્યાન ઓપરેશન, દાખલ થવા અને દવા વગેરે નો ખર્ચ અને હોસ્પિટલ માંથી રજા આપ્યા બાદ નિયમિત દવા નો ખર્ચ ઘણો વધારે થતો હોય છે. કિડની બદલ્યા બાદ જરૂરી દવા આજીવન લેવી પડે છે. આ ભારે ખર્ચ કરવો ઘણા ઓછા કુટુંબ ને પરવડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન નો ખર્ચ હદયરોગ માટે કરવામાં આવતી બાયપાસ સર્જરી કરતા પણ ઘણો વધારે હોય.

સુવિધા નો અભાવ:- ઘણા વિકાસશીલ દેશો માં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શકે તેવી હોસ્પિટલો ખુબ જ ઓછી સંખ્યામાં હોય છે. નજીકમાં આ સુવિધા ને અભાવે ઘણી વખત કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું શક્ય બનતું નથી.

કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન

કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું ?

“બ્રેઈન ડેથ – મગજ મૃત્યુ” થયું હોય તેવી વ્યક્તિના શરીરમાંથી તંદુરસ્ત કિડની મેળવી,કિડની ફેલ્યરના દર્દીમાં પ્રતિરોપણ કરવામા આવે તે માટેના ઓપરેશનને કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન કહે છે.

કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન શા માટે જરૂરી છે?

જયારે કોઈ વ્યક્તિની બંને કિડની ફેઈલ થઈ જાય ત્યારે સારવારના ફક્ત બે વિકલ્પો છે,ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન,કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ઓછી પરેજી,વધુ સ્વતંત્રતા,સામાન્ય વ્યક્તિ જેવીજ જીવનશૈલીવગેરે ફાયદાને લીધે કિડની ફેલ્યરના દર્દીને જીવન ની વધુ સારી ગુણવત્તામળે છે.આ કારણસર સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે ડાયાલિસિસ કરતા વધુ સારો સારવારનો વિકલ્પ છે.

    અને દવા વગેરે નો ખર્ચ અને હોસ્પિટલ માંથી રજા આપ્યા બાદ નિયમિત દવા નો ખર્ચ ઘણો વધારે થતો હોય છે. કિડની બદલ્યા બાદ જરૂરી દવા આજીવન લેવી પડે છે. આ ભારે ખર્ચ કરવો ઘણા ઓછા કુટુંબ ને પરવડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન નો ખર્ચ હદયરોગ માટે કરવામાં આવતી બાયપાસ સર્જરી કરતા પણ ઘણો વધારે હોય.
  1. સુવિધા નો અભાવ:- ઘણા વિકાસશીલ દેશો માં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શકે તેવી હોસ્પિટલો ખુબ જ ઓછી સંખ્યામાં હોય છે. નજીકમાં આ સુવિધા ને અભાવે ઘણી વખત કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું શક્ય બનતું નથી.

કેડેવર કિડનીટ્રાન્સપ્લાન્ટેશન

કેડેવર કિડનીટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું ?

“બ્રેઈન ડેથ – મગજ મૃત્યુ” થયું હોય તેવી વ્યક્તિના શરીરમાંથી તંદુરસ્ત કિડની મેળવી,કિડની ફેલ્યરના દર્દીમાં પ્રતિરોપણ કરવામા આવે તે માટેના ઓપરેશનને કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન કહે છે.

કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન શા માટે જરૂરી છે?

જયારે કોઈ વ્યક્તિની બંને કિડની ફેઈલ થઈ જાય ત્યારે સારવારના ફક્ત બે વિકલ્પો છે,ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન,કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ઓછી પરેજી,વધુ સ્વતંત્રતા,સામાન્ય વ્યક્તિ જેવીજ જીવનશૈલીવગેરે ફાયદાને લીધે કિડની ફેલ્યરના દર્દીને જીવન ની વધુ સારી ગુણવત્તામળે છે.આ કારણસર સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે ડાયાલિસિસ કરતા વધુ સારો સારવારનો વિકલ્પ છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કિડની મળી શકે તેમ ન હોય ત્યારે એકમાત્ર આશા કિડની કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવા ઈચ્છતા હોય તેમ છતાં કિડની ન મળવાને કારણે ડાયાલિસિસ કરાવવું પડતું હોય તેવા દર્દીઓને સંખ્યા ઘણી મોટી છે.આવા દર્દીઓ માટે કેડેવર કિડની એકમાત્ર આશા છે.મૃત્યુ બાદ કિડની નાશ પામે તેને બદલે કિડની બીજી વ્યક્તિ ને આપી તેને નવું જીવન આપી શકાય તેનાથી વિશેષ સારું શું હોય શકે ?

“બ્રેઈન ડેથ – મગજ મૃત્યુ” એટલે શું?

સામાન્ય સમજણ મુજબ મૃત્યુ એટલે હ્રદય બંધ થઇ જવું.બ્રેઈન ડેથ – મગજ મૃત્યુ એ તબીબો દ્વારા કરવામાં આવતું નિદાન છે.ગંભીર નુકશાન ને કારણે મગજ સુધારી ના શકે તે રીતે સંપૂર્ણપણે કાર્ય કરતું બંધ થયુ હોય તેવા દર્દીઓમાં કોઈ પણ વેન્ટીલેટર અને ઘનિષ્ઠ સારવારની મદદ થી શ્વાસ અને હૃદય ચાલુ હોય છે અને શરીર માં બધે લોહી પૂરતા પ્રમાણમાં પહોચતું હોય છે.આ પ્રકારના મૃત્યુને “બ્રેઈન ડેથ(મગજ મૃત્યુ )” કહે છે.

“બ્રેઈન ડેથ” અને “બેભાન” હોવા વચ્ચે શું તફાવત છે ?

બેભાન દર્દીમાં મગજને થયેલું નુકશાન ફરીથી સુધરી શકે તે પ્રકારનું હોય છે.આવા દર્દીમાં સામાન્ય રીતે વેન્ટીલેટર વગર હ્રદય અને શ્વાસ ચાલુ હોય છે અને મગજના અન્ય કર્યો યથાવત હોય છે.આવા દર્દી યોગ્ય સારવારથી ફરી ભાનમાં આવી જાય છે.
જયારે “બ્રેઈન ડેથ” માં મગજને ન સુધરી શકે તે પ્રકારનું ગંભીર નુકશાન થયેલું હોય છે.આવા દર્દીમાં વેન્ટીલેટર બંધ કરવા સાથે જ શ્વસ અને હ્રદય બંધ થઇ જાય છે અને દર્દી મૃત્યુ પામે છે.

શું કોઈ પણ વ્યક્તિ મૃત્યુ બાદ કિડનીનું દાન કરી શકે છે ?

ના , મૃત્યુ બાદ ચક્ષુદાનની જેમ કિડની દાન શક્ય નથી. હ્રદય બંધ બ્રેઈન ડેથ થયા બાદ કોઈ પણ દર્દીમાં સુધારો થવાની શક્યતા જરા પણ રહેતી નથી. થતાજ કિડનીને લોહી ના પહોચાવાથી કિડની કામ કરવાનું બંધ કરી દે છે , જેથી તેનો ઉપયોગ થઇ શકતો નથી.

બ્રેઈન ડેથ થવાના કારણો ક્યાં છે ?

  • અકસ્માતથી માથામાં ઈજા થવી.
  • લોહીના ઊંચા દબાણ કે ધમની ફાટી જવાને કારણે બ્રેઈન હેમરેજ થવું.
  • મગજને લોહી પહોચાડતી નળીમાં લોહી જામી જવાથી મગજને લોહી ના પહોચવું.(Brain infarct)
  • મગજ માં કેન્સરની ગાંઠ(Brain tumor) ને કારણે મગજને ગંભીર નુકશાન થવું.

બ્રેઈન ડેથ નિદાન ક્યારે , કોણ અને કઈ રીતે કરે છે ?

જયારે પુરતા સમય માટે નિષ્ણાંત ડોક્ટરની સારવાર છતાંદર્દીનું મગજ કાર્ય ન કરે અને સંપૂર્ણ બેભાન દર્દીનીવેન્ટીલેટર દ્વારા સારવાર ચાલુ રહે ત્યારે દર્દીનું બ્રેઈન ડેથ થયું છેકે નહિ તેની તપાસ કરવામાં આવે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સાથે સંકડાયેલા ન હોય તેવા ડોક્ટરની ટીમ દ્વારા બ્રેઈન ડેથનું નિદાન કરવામાં આવે છે. આ ડોક્ટરની ટીમ માં દર્દીની સારવાર કરતા ફિઝિશિયન, ન્યુરોફિઝિશિયન કે ન્યુરોસર્જન વગેરેનો સમાવેશ થાય છે.

જરૂરી તબીબી તપાસ,ઘણા લેબોરેટરી રિપોર્ટો,મગજની ખાસ તપાસ ઈ.ઈ.જી.અને શક્ય અન્ય જરૂરી તપાસની મદદથી દર્દીના મગજના સુધારાની દરેક શક્યતા તપાસવામાં આવે છે. બધીજ જરૂરી તપાસ બાદ ટીમ ના બધાજ ડોકટરોને દર્દીનું મગજ  સાદી ભાષામાં બ્રેઈન ડેથ એટલે વેન્ટીલેટર ની મદદથી મૃતદેહમાં શ્વાસ – હ્રદય અને શરીરમાં લોહી ફરતું ચાલુ રાખવું.

ફરીથી કામ કરવાની કોઈ પણ નિશાની કે શક્યતા ના લાગે ત્યારેજ બ્રેઈન ડેથ થયું છે એવું નિદાન કરવામાં આવે છે.

દાતાને ક્યાં પ્રકારની તકલીફ હોય તો કેડેવર કિડની સ્વીકારી શકાતી નથી ?

  • જો સંભવિત દાતાને લોહીમાં ચેપ ની અસર હોય,
  • કેન્સરની બીમારી હોય (મગજ સિવાય ના)
  • કિડની કામ ન કરતી હોય કે તેને લાંબા સમયની કિડનીની તકલીફ હોય,
  • લોહીના રીપોર્ટમાં એઇડ્સ,કે કમળા નું નિદાન થયું હોય,દર્દીને લાંબા સમયથી ડાયાબિટીસ કે લોહીનું ઊંચું દબાણ હોય.
  • ઉમર ૧૦ વર્ષથી ઓછી કે ૭૦ વર્ષથી વધારે હોય.
  • આવા સંજોગોમાં કેડેવર કિડની સ્વીકારી શકાતી નથી.

કેડેવર દાતા ક્યાં અંગોના દાન દ્વારા અન્ય દર્દીઓને નવું જીવન આપી શકે છે ?

કેડેવર દાતાની બંને કિડની દાન માં લઇ શકાય છે.જેના દ્વારા કિડની ફેલ્યરના બે દર્દીઓને નવું જીવન મળી શકે છે.

કિડની ઉપરાંત કેડેવર દાતા દ્વારા દાન કરી શકાય તેવા અન્ય અંગોમાં હ્રદય,લીવર,પેન્ક્રિઆઝ,આંખ વગેરે અંગોનો સમાવેશ થાય છે.

કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના આયોજનમાં કઈ વ્યક્તિઓ નો સમાવેશ થાય છે ?

કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના સફળ આયોજન માટે ટીમવર્કની જરૂર પડે છે જેમાં

  • કેડેવર કિડનીના દાન માટે મંજુરી આપનાર કેડેવર દાતાના કુટુંબીજનો,
  • એક કેડેવરમાંથી બે કિડની , બે નવા જીવન મળી શકે છે.
  • દર્દીની સારવાર કરતા ફિઝિશિયન
  • કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન વિશે પ્રેરણા અને સમજણ આપતા ટ્રાન્સપ્લાન્ટેશન કો-ઓર્ડીનેટર,
  • બ્રેઈન ડેથ નું નિદાન કરતા ન્યુરોલોજીસ્ટ અને
  • કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરતા નેફ્રોલોજીસ્ટ તથા યુરોલોજીસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન કઈ રીતે કરવામાં આવે છે ? કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે અગત્યના મુદ્દાઓ નીચે મુજબ છે :

  • બ્રેઈન નું યોગ્ય નિદાન થયેલુ હોવું જોઈએ.
  • દાતાની અને તેની કિડનીની પુરતી તપાસ બાદ કિડની તંદુરસ્ત છે તેની ચોક્કસપણે ખાતરી થયેલી હોવી જોઈએ.
  • કિડની દાન માટે દાતાના કુટુંબની મંજુરી લેવી જોઈએ.
  • દાતાના શરીર માંથી કિડની બહાર કાઢવાનું ઓપરેશન પુરું થાય ત્યાં સુધી વેન્ટીલેટર અને અન્ય સારવાર ની મદદ થી હ્રદય,શ્વાસ ચાલુ રાખવામાં આવે છે અને લોહીનું દબાણ યોગ્ય પ્રમાણમાં જાળવવામાં આવે છે.
  • દાતાના બ્લડગ્રૂપ અને ટિશ્યુટાઇપિંગની માહિતીને ધ્યાનમાં રાખી, કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે ઈચ્છુક દર્દીઓની યાદીમાંથી ક્યાં દર્દીને વધુ સારી રીતે અનુકુળ પડશે તે નક્કી કરવામાં આવે છે.
  • યોગ્ય તૈયારી બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન બને તેટલું વહેલું કરવું ફાયદાકારક છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનબાદ દર્દી સામાન્ય વ્યકતીની જેમ જીવન જીવી , બધા કર્યો કરી શકે છે.

ઓપરેશન દ્વારા કેડેવર કે કુટુંબ માંથી મળેલી કિડની મુકવાની પ્રક્રિયા બધા દર્દીઓ માટે એક સમાન છે.બાદ એક દાતાના શરીર માંથી બે કેડેવર કિડની મળી શકે છે .તેથી એક સાથે બે દર્દીઓ માંથી કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.

આ સમય દરમ્યાન કિડની ને બરફથી ઠંડી લાગે છે અને લોહી ના મળવાને કારણે પોષણ તથા પ્રાણવાયું પહોચતા નથી. આ પ્રકારે થયેલ નુકસાન ને કારણે કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ઘણા દર્દીઓમાં કેડેવર કિડનીને કાર્યરત થતા થોડા દિવસો લાગી શકે છે. અને આ દરમિયાન દર્દીને ડાયાલિસિસની જરૂર પડી શકે છે.

કેડેવર કિડનીનું દાન આપનારને શું ફાયદો મળે?

કેડેવર કિડની દાતાના કુટુંબીજનોને કોઈ પૈસા મળતા નથી અને કિડની સ્વીકારનાર દર્દીને કિડની માટે કોઈ પૈસા ચુકવવા પડતા નથી.પરંતુ મૃત્યુ કિડની નાશ પામે તેને બદલે કિડની દ્વારા કોઈ વ્યક્તિને નવું જીવન મળે તો તેની કીમત અમૂલ્ય છે.આ દાનથી પીડિત અને દુ:ખી દર્દીને મદદ કર્યાનો સંતોષ અને આનંદ મળે છે,જેની કીમત કોઈ પણ આર્થિક ફાયદા કરતા વધુ છે.

આ રીતે કોઈ વ્યક્તિ મૃત્યુ બાદ કશું ગુમાવ્યા વગર અન્ય વ્યક્તિને નવું જીવન આપી શકે તેનાથી મોટો ફાયદો તો શું હોઈ શકે?

કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા ક્યાં સ્થળોએ ઉપલબ્ધ છે ?

  • રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી હોય તે હોસ્પીટલમાં જ કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થઇ શકે છે.
  • ભારતના ઘણા મોટા શહેરો (જેમકે મુંબઈ,ચેન્નાઈ,દિલ્હી,અમદાવાદ,બેંગ્લોર,હૈદરાબાદ વગેરે ) માં આ સારવાર ઉપલબ્ધ છે.
  • મૃત્યુ બાદ અંગોનું દાન કરી અન્ય વ્યક્તિને નવું જીવન આપવા જેવું પુણ્યનું કામ અન્ય કોઈ નથી.

સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate