જે ક્ષત્રમાં રસીકરણની ટકાવારી ઓછી હતી, એવા ૨૦૧ જિલ્લાઓમાં ઇન્દ્રધનુષ અભિયાનનો પહેલો તબક્કો અમલમાં મૂકેલો. એ પછીથી બીજા ૨૯૭ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૫માં બીજો તબક્કો અને વર્ષ ૨૦૧૬માં બાકી રહી ગયેલા બીજા ૨૧૬ જિલ્લાઓમાં ત્રીજો તબક્કો ચાલેલો.
જિલ્લામાં એવી વસાહતો શોધી કાઢવામાં આવતી, જ્યાં શિશુઓમાં રોગોનું પ્રમાણ વધુ હતું, આ માટે નાબુદી અભિયાન વખતે મળેલી મહિતીનો આધાર લેવાયેલો. છૂટાછવાયા ગામડા, દુર્ગમ પહાડી પ્રદેશ કે અન્ય રીતે વિખૂટા પડી ગયેલા કસબાઓ શોધી કાઢીને રસીકરણ થયું છે કે નહીં અને થયું હોય તો પૂર્ણ રસીકરણ થયું છે કે અમુક જ રસીઓ મૂકાવી છે, એ જાની લેવામાં આવતું. આ સર્વેક્ષણોમાં એવી માહિતી મળી કે એવા કેટલાંક વિસ્તારો છે, જ્યાં રસીકરણની કામગીરી અધૂરી રહી ગઈ છે. ઇન્દ્રધનુષ અભિયાનમાં આ તમામ વિસ્તારોને આવરી લેવાનું નક્કી કર્યું હતું.
રસીકરણ કાર્યક્રમોથી સાવ અજાણ હોય, તેવા લોકોની ઓળખ પોલીયો નાબૂદી અભિયાન સમયે થઈ હતી, જેમાં ખાસ કરીને-
આ બધાને આવરી લેવાના હતા.
બાળકોમાં રસીકરણની ટકાવારી ખૂબ ઓછી હોય, ઓરી-અછબડા અથવા તો રસી દ્વારા દૂર રાખી શકાય એવા રોગો વધારે જોવા મળે, એમને પણ આવરી લેવાના હતા.
જ્યાં સરકારી દવાખાના નથી, અથવા હોય તો રસી મૂકી આપે એવા કર્મચારીઓ નથી તેવા સ્થળોની આસપાસની વસતી પણ આવરી લેવાની હતી.
સાવ ટચૂકડા ગામડા, કસબાઓ, ઢાણીઓ, મુવાડા કે ઝૂંપડા વસાહતો- જ્યાં રસી મૂકવાના કામ થયા નહોતા, એમણે આવરી લેવાના હતા.
ઇન્દ્રધનુષ અભિયાનના બીજા તબક્કાના ૩૫૨ જિલ્લાઓ, તેમજ ત્રીજા તબક્કાના ૨૧૬ જીલાલ્લાઓની સૂચી આરોગ્ય વિભાગની વેબસાઈટ પર દર્શાવાઈ છે.
ઇન્દ્રધનુષ અભિયાનનો ચોથો તબક્કો અરુણાચલ પ્રદેશ, અસ્મ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ, સિક્કિમ અને ત્રિપુરા – આ પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં ૨૦૧૭ના ફેબ્રુઆરીની ૭મી તારીખે શરૂ થયો અને એપ્રિલથી આ અભિયાનમાં સમગ્ર દેશને આવરી લેવાયો.
સમગ્ર દેશના બાળકો અને સગર્ભા મહિલાઓ જીવનરક્ષક ર્સીઓની બધા જ પ્રકારની રસીઓ પૂરી પાડવા માટેનો આ વિશેષ કાર્યક્રમ છે. ખાસ કરીને રસી મૂકાવેલા બાળકોની ટકાવારી ઓછી છે, ત્યાં આ ઝૂંબેશને ધ્યાનપૂર્વક ચલાવવામાં આવશે, જેથી કોઈ બાકી ન રહે.
રસી મૂકવા માટે શિબિરોનું આયોજન થશે. જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તરે સંલન કરાશે. જરૂરી રસીઓનો પૂરતો જથ્થો આપવામાં આવશે. નાના ગામડાં, ઇંટોના ભઠ્ઠા, બાંધકામ ચાલતું હોય તેવા સ્થળો, છૂટીછવાઈ વસાહતો અને વીચરતું જીવન જીવતાં પરિવારોને પણ આવરી લેવામાં આવશે.
સમૂહ માધ્યમો, પ્રચારના અન્ય માધ્યમો, શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ વગેરેનો હેતુપૂર્વક ઉપયોગ કરીને રસી મૂકવાના ફાયદા વિશે લોકોને સમજાવવામાં આવશે. માતા-પિતાને ગંભીર રોગ-જીવલેણ રોગથી બચવા રસીઓ કેટલી અસરદાર છે સમજાશે, તો સામે ચાલીને એ લોકો પોતાનાં બાળકોને લઈને રસિકરણ શિબિરમાં આવશે.
આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ રસીકરણ ઝૂંબેશમાં જોડાય છે, તેમણે પૂરી માહિતી અને રસીકરણની તાલીમ આપવામાં આવશે.
આરોગ્ય વિભાગ આ અભિયાન સફળતાપૂર્વક પાર પડે એ માટે સરકારના અન્ય વિભાગો તથા અન્ય મંત્રાલયો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને અભિયાનમાં ભાગીદાર બનેલા એકમો સાથે જરૂરી સંકલન સાધશે.
બે વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકો તેમજ તમામ સગર્ભા મહિલાઓને જીવલેણ રોગો સામે રક્ષણ આપતી રસીઓનો લાભ સમગ્ર દેશમાં પૂરો પડવાનું આ વિશેષ અભિયાન છે. ૨૦૧૮ની ડિસેમ્બર મહિના સુધીમાં ૯૦%થી વધુ સફળતા હાંસલ કરવા આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે.
સળંગ ચાર મહિના સુધી, દર મહિને એક અઠવાડિયું સતત રસિકન શિબિરો યોજવા માટે ૧૬ રાજ્યોના ૧૨૧ જિલ્લાઓ તેમજ ૧૭ શહેરો પસંદ કર્યા છે, એ સાથે પૂર્વોત્તર ભારતના ૮ રાજ્યોના ૫૨ જિલ્લાઓ પસંદ કર્યા છે, જ્યાં ૨૦૧૭ના ઓક્ટોબરથી ૨૦૧૮ના જાન્યુઆરી મહિના સુધી રસીકરણ શિબિરો યોજાશે. શહેરી વિસ્તારો અને જિલ્લા દૂરના કે ઊંડાણના વિસ્તારો પર ખાસ ધ્યાન અપાશે. રાષ્ટ્રીય સર્વેક્ષણો, આરોગ્ય આયોજન માહિતી વ્યવસ્થા તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણો- એ ત્રણેયનો સમાવેશ કરીને લાભાર્થીઓને ઓળખ કરાશે.
અભિયાનના સફળ અને સમયબદ્ધ અમલીકરણ માટે સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો, નિરીક્ષક સંસ્થાઓ સાથે જરૂરી સંકલન કરવામાં આવશે. આ અભિયાનમાં મહિલા અને બાળવિકાસ મંત્રાલય, પંચાયતી રાજ, શહેરી વિકાસ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રાલય વગેરે સંસ્થાઓનો સહકાર લેવાશે. છેવાડાના કાર્યકર તરીકે કામગીરી બજાવી શકે તેવા આશાવર્કરો, આંગણવાડીની બહેનો, જિલ્લા પ્રેરકો, આરોગ્ય સેવકો અને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ લેવાશે.
આ અભિયાનના અમલીકરણનું રાષ્ટ્ર, રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે નિરીક્ષણ અને મૂલ્યાંકન થતું રહેશે. સમગ્ર અભિયાન પર રાષ્ટ્રીય સ્તરે કેબિનેટ સેક્રેટરી તેમજ પ્રગતિ જૂથની નજર રહેશે.
રસીકરણ ઝૂંબેશ માટેની શિબિરો, લાભાર્થીઓની સંખ્યા વગેરે વિગતો સરકાર મેળવતી રહેશે અને અભિયાન રાજ્ય કે જિલ્લા સ્તરે વ્યવસ્થિત ચાલી રહ્યું છે કે તેની સમીક્ષા કરાતી રહેશે. મુખ્ય હેતુ તો ૨૦૧૮ના ડિસેમ્બર સુધીમાં ૯૦% સિદ્ધિ મેળવવાનો છે.
૯૦% કે તેથી વધુ સિદ્ધિ મેળવતા જિલ્લાઓને શાબાસી આપીને તેમણે યોગ્ય પુરસ્કાર આપવાનું આયોજન પણ કરાયું છે, જેથી આંતરિક હરીફાઈ દ્વારા અભિયાનમાં જોડાયેલા એકમોને ઉત્સાહથી કામ કરવાની પ્રેરણા મળે. અભિયાનમાં જ્યેલા એઅક્મોને ઉત્સાહથી કામમ કરવાન પ્રેરણા મળે. ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વ્યક્તિગત કે સામજિક સંસ્થાને પણ પ્રશસ્તિપત્ર દ્વારા બિરદાવવામાં આવશે.
સ્ત્રોત:
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020