ભારતમાં કેન્સરનું પ્રમાણ દર એક લાખની વસ્તીએ ૭૦-૯૦ નું ગણવામાં આવે છે. હાલમાં ભારતમાં કેન્સરના આશરે ૨૪ લાખ દર્દીઓ છે ઉપરાંત દર વર્ષે બીજા ૮ લાખ જેટલા દર્દીઓ ઉમેરાય છે. ૪૮% પુરુષોમાં અને ૨૦% સ્ત્રીઓમાં થતા કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન(બીડી, સિગારેટ, ગુટખા, પણ મસાલા, છીંકણી) છે. આપણા દેશમાં પુરુષોમાં મ્હોં તથા ગાળાનું કેન્સર અને સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર વધારે જોવા મળે છે. .
આમ જોઈએ તો ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત એ વિશ્વનું "ઓરલ મેલિગ્નનસી" (મ્હોં તથા ગળાનું કેન્સર) માં કેપિટલ છે. અને આ પ્રકારના કેન્સરમાં સારવારના વિકલ્પો પણ જૂજ છે..
આ બધા જ કેન્સરમાં અડધાથી વધારે કેન્સર ડોક્ટર પાસે તો સ્ટેજ ૩ કે ૪ માં હોય ત્યારે જ પહોંચે છે..
આપણું શરીર એ લાકો-કરોડો શુક્ષ્મ કોષોનું બનેલું છે, અને આ કોષોના વિભાજનથી શરીરના અંગોનો વિકાસ થાય છે. એક તંદુરસ્ત માણસના શરીરના કોષોનું સપ્રમાણસર તથા સુયોગ્ય રીતે વિભાજન થાય છે. પરંતુ ઘણી વખત કોઈ બાહ્ય પરિબળ તથા આંતરિક ખામીના લીધે આ કોષોનું વિભાજન એબ્નોર્મલ રીતે ખુબ જ ઝડપથી થવા લાગે છે અને તેઓ અસાધારણ વૃદ્ધિ પામવા લાધે છે, કે જે શરીરમાં કોઈ એક જગ્યાએ અથવા એકથી વધારે જગ્યાએ ગાંઠ કે ચાંદાના સ્વરૂપે જોવા મળે છે. આ પ્રકારની ગાંઠ કે ચાંદાને કેન્સર કહે છે.
કેન્સર એ શરીરના કોઈ એક અંગ પૂરતું સીમિત હોઈ શકે અથવા એક કરતા વધારે અંગોમાં એક સાથે ફેલાઈ શકે છે.કેન્સર શરીના લગભગ બધા જ અંગોમાં ફેલાઈ શકે છે. આ દરેક અંગોમાં થતા કેન્સરના પ્રકારો પણ ખુબ અલગ હોય છે અને તે દરેકની સારવાર પણ એક બીજાથી ખુબ જ અલગ હોય છે.
તમાકુને લીધે ઘણા પ્રકારના કેન્સર થઇ શકે છે જેવા કે મ્હોં તથા ગળા, ફેફસાં, શ્વાસનળી, અન્નનળી, લોહી, ગરદન, પેટ, યકૃત, સ્વાદુપિંડ, મૂત્રાશય, આંતરડા અને કિડનીમાં કેન્સર થઇ શકે છે. .
આ ઉપરાંત તમાકુના સેવનના લીધે અન્ય ગંભીર રોગો થઇ શકે છે, જેવા કે હૃદયરોગ, બ્લડપ્રેશર, અસ્થમા, ફેફસામાં પાણી ભરાવું, મગજનો હુમલો, લોહીની નળીને લગતા રોગો, ચામડીના રોગો, પુરુષોમાં વ્યંધત્વ, ડાયાબિટીસ, દાંત તથા જડબાના રોગો, વા અને રોગપ્રતિકાર શક્તિ નબળી થવી.
વધારામાં, ગર્ભવતી મહિલા જો તમાકુનું સેવન કરતી હોય તો તો તેને ગર્ભપાત થવાની શક્યતા રહે છે, શિશુમાં જન્મ વખતે ખોડ-ખાંપણ આવી શકે છે, અને શિશુનું જન્મ પહેલા મૃત્યુ પણ થઇ શકે છે.
આ દરેક પ્રકારના કેન્સરમાં મ્હોં તથા ગાળાનું કેન્સર એ ભારતમાં જોવા મળતા પ્રથમ ત્રણ કેન્સરમાંનું એક છે, અને દિવસે ને દિવસે તેના નવા કેસ જોવા મળી રહ્યા છે. ભારતમાં દર એક લાખ લોકોએ આશરે ૨૦ લોકો મ્હોં તથા ગાળાના કેન્સરથી અસરગ્રસ્ત છે.
આમાં ઘણા પરિબળો ભજવે છે જેમના મુહ્ય કારણો નીચે મુજબ છે..
જો ઉપરોકત કોઈ પણ પ્રકારના ચિન્હો જોવા મળે તો તુરંત જ નજીકની હોસ્પિટલમાં અવશ્ય તાપસ કરાવવી. મ્હોં તથા ગાળાના કેન્સરનું વિવિધ રીતે નિદાન થઇ શકે છે. .
તમારા ડોક્ટર એ દર્દીના મુખની તાપસ કરીને જુવે છે કે તમે કેન્સરને લગતા કોઈ ચિન્હો હાજર છે કે નહિ, અને જો તેમને આવી કોઈ શંકા થાય તો તેઓ દર્દીને કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે વધુ તાપસ અર્થે મોકલી શકે છે. અહીં જો ડોક્ટરને કેન્સર હોવાની શંકા થાય તો તેઓ અસરગ્રસ્ત ભાગની બાયોપ્સી (એટલે કે અસરગ્રસ્ત ભાગની થોડી માંશપેશી લેવી) લઇને લેબોરેટરીમાં મોકલે છે, કે જ્યાં એ બાયોપ્સીમાં કેન્સરના કોષો હાજર છે કે નહિ તેનું નિદાન કરવામાં આવે છે અને ત્યારબાદ આગળની સારવાર નક્કી કરવામાં આવે છે.
મ્હોં તથા ગાળાના કેન્સરની સારવાર એ દર્દીના કેન્સરની ગાંઠના પ્રકાર, તેની જગ્યા અને ક્યાં સ્ટેજનું કેન્સર છે, તથા દર્દીના સ્વાસ્થ્ય અને દર્દીની સંમતિ પર આધારિત છે.
મ્હોં તથા ગાળાની સારવારના વિકલ્પોમાં સર્જરી, રેડિએશન થેરાપી અને કિમોથેરાપીનો સમાવેશ થાય છે. આમાં ક્યાં પ્રકારની સર્જરી કરવી તે સ્પેશિયાલિસ્ટ કેન્સર સર્જન નક્કી કરે છે કે જેમાં કેન્સરગ્રસ્ત ગાંઠને કાઢી શકાય, કેન્સર જો મ્હોં તથા ગાળાના ભાગમાં ફેલાયેલું હોય તો તે ભાગની પણ સર્જરી કરી જરૂરી બની રહે છે. ઘણી વખત દર્દીને સર્જરી ઉપરાંત રેડિએશન તથા કિમોથેરાપી લેવાની પણ સલાહ આપવામાં આવે છે.
મ્હોં તથા ગાળાના કેન્સરનું જો વહેલું નિદાન કરવામાં આવે તો તેની ખુબજ સારી રીતે સારવાર થઇ શકે છે અને તેને મટાડી પણ શકાય છે.
અંતે: કેન્સર અંગે જાગૃતતા લાવી અને તેને અટકાવવું એ સરકાર, સામાજિક સંસ્થાઓ થા કાયદાની તો ફરજ છે જ અને તે અંગે યોગ્ય પગલાં પણ લેવાઈ રહ્યા છે, પણ સમાજની અને તેમાં રહેતા દરેક વ્યક્તિના સહકાર વગર કેન્સરને નાબૂદ કરવું શક્ય નથી.
સ્ત્રોત: હેલ્થ, નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020