অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તમાકુ અને કેન્સર : સિક્કાની બે બાજુ છે

તમાકુ અને કેન્સર : સિક્કાની બે બાજુ છે

'સત્યાનાશ : તમારું, મારુ અને કુટુંબનું એટલે તમાકુ' આ સૂત્ર હું મારી માતૃ સંસ્થામાં અભ્યાસકાળ દરમિયાન રોજ વાંચતો આવેલો. વર્તમાન સમયમાં, તમાકુ એ આપણા સમાજનું ભયાનક દુષણ બની ગયું છે અને વધારે ચિંતાજનક બાબત તો એ છે કે દિવસે ને દિવસે વધારે ને વધારે યુવાનો આ દુષણના ભરડામાં આવી રહ્યા છે. હાલમાં વિશ્વમાં અંદાજે ૧૩૦૦ લાખ જેટલી વ્યક્તિઓ ધુમ્રપાન કરે છે. તમાકુના વપરાશના કારણે થતા મૃત્યુનું પ્રમાણ ૪૯૦ લાખ જેટલું છે.ધમ્રપાનની આ જ સ્થિતિ ચાલુ રહે તો ૨૦૨૦ સુધીમાં તેનાથી થતા મૃત્યુનું પ્રમાણ ૧૦૦ લાખ જેટલું વધશે, જેમાંથી ૭૦ ટાકા લોકો ભારત જેવા વિકસતા દેશોમાંથી હશે. આને અટકાવવાના ઉપાયો કરવા જ જોઈએ. સરકાર અને કાયદા ઘડનારાઓ એક ભૂમિકા ધરાવે છે છતાં, આ કાર્ય માત્ર તેમનું જ નથી. તમાકુ સામેના જંગમાં સમગ્ર સમાજે જોડાવાની જરૂર છે.

ભારતમાં કેન્સરનું પ્રમાણ

ભારતમાં કેન્સરનું પ્રમાણ દર એક લાખની વસ્તીએ ૭૦-૯૦ નું ગણવામાં આવે છે. હાલમાં ભારતમાં કેન્સરના આશરે ૨૪ લાખ દર્દીઓ છે ઉપરાંત દર વર્ષે બીજા ૮ લાખ જેટલા દર્દીઓ ઉમેરાય છે. ૪૮% પુરુષોમાં અને ૨૦% સ્ત્રીઓમાં થતા કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન(બીડી, સિગારેટ, ગુટખા, પણ મસાલા, છીંકણી) છે. આપણા દેશમાં પુરુષોમાં મ્હોં તથા ગાળાનું કેન્સર અને સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર વધારે જોવા મળે છે. .

આમ જોઈએ તો ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત એ વિશ્વનું "ઓરલ મેલિગ્નનસી" (મ્હોં તથા ગળાનું કેન્સર) માં કેપિટલ છે. અને આ પ્રકારના કેન્સરમાં સારવારના વિકલ્પો પણ જૂજ છે..

આ બધા જ કેન્સરમાં અડધાથી વધારે કેન્સર ડોક્ટર પાસે તો સ્ટેજ ૩ કે ૪ માં હોય ત્યારે જ પહોંચે છે..

કેન્સર એટલે શું? - વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

આપણું શરીર એ લાકો-કરોડો શુક્ષ્મ કોષોનું બનેલું છે, અને આ કોષોના વિભાજનથી શરીરના અંગોનો વિકાસ થાય છે. એક તંદુરસ્ત માણસના શરીરના કોષોનું સપ્રમાણસર તથા સુયોગ્ય રીતે વિભાજન થાય છે. પરંતુ ઘણી વખત કોઈ બાહ્ય પરિબળ તથા આંતરિક ખામીના લીધે આ કોષોનું વિભાજન એબ્નોર્મલ રીતે ખુબ જ ઝડપથી થવા લાગે છે અને તેઓ અસાધારણ વૃદ્ધિ પામવા લાધે છે, કે જે શરીરમાં કોઈ એક જગ્યાએ અથવા એકથી વધારે જગ્યાએ ગાંઠ કે ચાંદાના સ્વરૂપે જોવા મળે છે. આ પ્રકારની ગાંઠ કે ચાંદાને કેન્સર કહે છે.

કેન્સર એ શરીરના કોઈ એક અંગ પૂરતું સીમિત હોઈ શકે અથવા એક કરતા વધારે અંગોમાં એક સાથે ફેલાઈ શકે છે.કેન્સર શરીના લગભગ બધા જ અંગોમાં ફેલાઈ શકે છે. આ દરેક અંગોમાં થતા કેન્સરના પ્રકારો પણ ખુબ અલગ હોય છે અને તે દરેકની સારવાર પણ એક બીજાથી ખુબ જ અલગ હોય છે.

તમાકુને લીધે થતા કેન્સર અને અન્ય રોગો

તમાકુને લીધે ઘણા પ્રકારના કેન્સર થઇ શકે છે જેવા કે મ્હોં તથા ગળા, ફેફસાં, શ્વાસનળી, અન્નનળી, લોહી, ગરદન, પેટ, યકૃત, સ્વાદુપિંડ, મૂત્રાશય, આંતરડા અને કિડનીમાં કેન્સર થઇ શકે છે. .

આ ઉપરાંત તમાકુના સેવનના લીધે અન્ય ગંભીર રોગો થઇ શકે છે, જેવા કે હૃદયરોગ, બ્લડપ્રેશર, અસ્થમા, ફેફસામાં પાણી ભરાવું, મગજનો હુમલો, લોહીની નળીને લગતા રોગો, ચામડીના રોગો, પુરુષોમાં વ્યંધત્વ, ડાયાબિટીસ, દાંત તથા જડબાના રોગો, વા અને રોગપ્રતિકાર શક્તિ નબળી થવી.

વધારામાં, ગર્ભવતી મહિલા જો તમાકુનું સેવન કરતી હોય તો તો તેને ગર્ભપાત થવાની શક્યતા રહે છે, શિશુમાં જન્મ વખતે ખોડ-ખાંપણ આવી શકે છે, અને શિશુનું જન્મ પહેલા મૃત્યુ પણ થઇ શકે છે.

આ દરેક પ્રકારના કેન્સરમાં મ્હોં તથા ગાળાનું કેન્સર એ ભારતમાં જોવા મળતા પ્રથમ ત્રણ કેન્સરમાંનું એક છે, અને દિવસે ને દિવસે તેના નવા કેસ જોવા મળી રહ્યા છે. ભારતમાં દર એક લાખ લોકોએ આશરે ૨૦ લોકો મ્હોં તથા ગાળાના કેન્સરથી અસરગ્રસ્ત છે.

મ્હોં તથા ગાળાના કેન્સર થવાના કારણો

આમાં ઘણા પરિબળો ભજવે છે જેમના મુહ્ય કારણો નીચે મુજબ છે..

  • તમાકુનું એક યા બીજી રીતે સેવન જેમાં સિગારેટ, બીડી, પાન, માવા, ખૈની, જર્દા, મસાલા, સોપારી, ચીંકણીનો સમાવેશ થાય છે.
  • દારૂનું સેવન .
  • નબળી રોગ પ્રતિકારક શક્તિ.
  • અયોગ્ય અને અપૂરતો ખોરાક.
  • HPV (હ્યુમન પેપીલોમા વાઇરસ)નામના વાઇરસથી.
  • વધારે પડતા સૂર્યના તાપથી.

મ્હોં તથા ગાળાના કેન્સરના લક્ષણો અને ચિન્હો

  • મ્હોનું ચાંદુ જે રૂઝાતું ના હોય.
  • નિરંતર મ્હોમાં દુખાવો રહેવો.
  • ગાલના અંદરના ભાગમાં જાડો ગઠ્ઠો થવો .
  • પેઢા, જીભ, તાળવા કે કકળાના ભાગમાં સફેદ કે લાલ ચાંદુ જોવા મળવું.
  • ગાળાના ભાગનો દુખાવો જે સામાન્ય સારવાર બાદ પણ સતત હાજર રહેવો .
  • ખોરાક ચાવવામાં તથા ગાળવામાં મુશ્કેલી અનુભવવી.
  • જીભ તથા જડબાના હલનચલન વખતે દુખાવો થવો.
  • જીભ તથા મુખના અન્ય ભાગ સુન્ન ( NUMBNESS ) થઇ જવો.
  • દાંત ઢીલા પડી જવા .
  • અવાજમાં ફેરફાર થઇ જવો.
  • ગાળાના ભાગમાં ગાંઠ થવી.
  • વધારે પડતો વજન ઉતરી જવો.
  • મ્હોંમાંથી સતત દુર્ગંધ આવવી .

મ્હોં તથા ગળાંનાં કેન્સરનું નિદાન અને સારવારના ઉપાયો

જો ઉપરોકત કોઈ પણ પ્રકારના ચિન્હો જોવા મળે તો તુરંત જ નજીકની હોસ્પિટલમાં અવશ્ય તાપસ કરાવવી. મ્હોં તથા ગાળાના કેન્સરનું વિવિધ રીતે નિદાન થઇ શકે છે. .

તમારા ડોક્ટર એ દર્દીના મુખની તાપસ કરીને જુવે છે કે તમે કેન્સરને લગતા કોઈ ચિન્હો હાજર છે કે નહિ, અને જો તેમને આવી કોઈ શંકા થાય તો તેઓ દર્દીને કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે વધુ તાપસ અર્થે મોકલી શકે છે. અહીં જો ડોક્ટરને કેન્સર હોવાની શંકા થાય તો તેઓ અસરગ્રસ્ત ભાગની બાયોપ્સી (એટલે કે અસરગ્રસ્ત ભાગની થોડી માંશપેશી લેવી) લઇને લેબોરેટરીમાં મોકલે છે, કે જ્યાં એ બાયોપ્સીમાં કેન્સરના કોષો હાજર છે કે નહિ તેનું નિદાન કરવામાં આવે છે અને ત્યારબાદ આગળની સારવાર નક્કી કરવામાં આવે છે. 

મ્હોં તથા ગાળાના કેન્સરની સારવાર એ દર્દીના કેન્સરની ગાંઠના પ્રકાર, તેની જગ્યા અને ક્યાં સ્ટેજનું કેન્સર છે, તથા દર્દીના સ્વાસ્થ્ય અને દર્દીની સંમતિ પર આધારિત છે.

મ્હોં તથા ગાળાની સારવારના વિકલ્પોમાં સર્જરી, રેડિએશન થેરાપી અને કિમોથેરાપીનો સમાવેશ થાય છે. આમાં ક્યાં પ્રકારની સર્જરી કરવી તે સ્પેશિયાલિસ્ટ કેન્સર સર્જન નક્કી કરે છે કે જેમાં કેન્સરગ્રસ્ત ગાંઠને કાઢી શકાય, કેન્સર જો મ્હોં તથા ગાળાના ભાગમાં ફેલાયેલું હોય તો તે ભાગની પણ સર્જરી કરી જરૂરી બની રહે છે. ઘણી વખત દર્દીને સર્જરી ઉપરાંત રેડિએશન તથા કિમોથેરાપી લેવાની પણ સલાહ આપવામાં આવે છે.

મ્હોં તથા ગાળાના કેન્સરનું જો વહેલું નિદાન કરવામાં આવે તો તેની ખુબજ સારી રીતે સારવાર થઇ શકે છે અને તેને મટાડી પણ શકાય છે.

મ્હોં તથા ગાળાના કેન્સરને અટકાવવાના ઉપાયો:

  • તમાકુનું કોઈ પણ રીતે સેવન ના કરવું, અને જો તમાકુનું સેવન કરતા હોય તો તેને તુરંત જ છોડી દેવું.
  • દારૂનું સેવન ના કરવું.
  • ધુમ્રપાન ના કરવું.
  • નિયમિત ધોરણે બ્રશ કરવું તેમજ કોગળા કરવા.
  • પૌષ્ટિક ખોરાક લેવો અને ફળ તથા શાકભાજીનું નિયમિત સેવન કરવું.
  • નિયમિત રીતે ડોક્ટરની મુલાકાત લેવી અને નિયમિત તાપસ કરાવવી.
  • લોકોમાં મ્હોં તથા ગાળાના કેન્સરના ચિન્હો વિષે જાગૃતતા લાવવી..

અંતે: કેન્સર અંગે જાગૃતતા લાવી અને તેને અટકાવવું એ સરકાર, સામાજિક સંસ્થાઓ થા કાયદાની તો ફરજ છે જ અને તે અંગે યોગ્ય પગલાં પણ લેવાઈ રહ્યા છે, પણ સમાજની અને તેમાં રહેતા દરેક વ્યક્તિના સહકાર વગર કેન્સરને નાબૂદ કરવું શક્ય નથી.

સ્ત્રોત: હેલ્થ, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate